મને શું ગમે છે?

Prasannata

એક સાંજે હું અને કવિ હિંચકા પર બેસીને ચા પીતા હતા. એકાએક કવિએ પ્રશ્ન કર્યો કે અતુલ તને ખબર છે કે મને શું શું ગમે છે?

મેં પ્રશ્ન સૂચક નજરે તેની સામે જોયું.

તેણે કહ્યું એટલે કે કેવો રંગ? કેવો ડ્રેસ? કેવી વાનગી? ક્યાં ફરવા જવું? વગેરે વગેરે

મેં માથું ખંજવાળતા કહ્યું કે ના મને તો કશી ખબર નથી. પછી ધીરે રહીને કહ્યું કે મને શું ગમે છે તે તને ખબર છે?

તે કશુંક કહેવા જતી હતી ત્યાં સૌમ્યતાથી તેને અટકાવી અને કહ્યું કે “મને તું પ્રસન્ન રહે તે ગમે છે.”

મારો પ્રયાસ તારા નાના નાના ગમા અણગમાને સમજવાને બદલે તને પ્રસન્ન કેમ રાખવી તેને માટેનો વધારે હોય છે.

કશું જ બોલ્યા વગર એક બીજાના હાથમાં હાથ પરોવીને અમે શાંતિથી ચાની ચૂસકી લેવા લાગ્યાં

Categories: હું અને કવિતા | Tags: | 1 Comment

Post navigation

One thought on “મને શું ગમે છે?

Leave a comment

Blog at WordPress.com.