Monthly Archives: January 2013

જાગીને જોઉ તો, પશ્ચિમે સૂર્ય દિસે

પશ્ચિમે સૂર્ય ?

પશ્ચિમે સૂર્ય ?

પોષ મહિનાની પૂનમના દિવસે ઉષા કાળે પશ્ચિમ દિશામાં જોયું તો અજવાળું અજવાળું.

થયું કે આ શું ? સવારના પહોરમાં પશ્ચિમમાં સૂર્ય ઊગ્યો?

પછી ખબર પડી કે આ તો ઈદનો નહીં પણ પૂનમનો ચાંદ છે.

કુદરતની કેવી કરામત છે ! સૂર્યના પ્રકાશને જેટલો પરાવર્તિત કરે એટલો ચંદ્ર મોટો અને ઊજળો દેખાય ખરુ ને?

ચિદાભાસ નું યે એવું તો છે. આત્માનો પ્રકાશ જેટલો પરાવર્તિત કરે તેટલો વધારે દિવ્ય દેખાય.

સૂર્ય પર તો હંમેશા અજવાળું.

કોઈક વિરલા ચિદાભાસ ને બદલે કૂટસ્થ માં સ્થિત થઈ જાય તો? તો તો હંમેશા દિવ્યતા અનુભવાય.

અલ્યા ભઈ, જગતને પછી બદલજો પહેલાં સ્વયં ને તો બદલો.

Categories: કુદરત, ચિંતન, પ્રકૃતિ | Tags: , , , , , , | Leave a comment

સ્મરી લેજો જરી પળ એક નાની – વિષ્ણુ પંડ્યા

શહીદ દિવસ: વિસ્મૃતિ અને ઉપેક્ષાનું દુર્ભાગ્ય?

આજે ત્રીસમી જાન્યુઆરી છે. દિવ્યભાસ્કરના વાચકોએ તો આ લેખ ગઈ કાલે જ વાંચ્યો હશે તેમને માટે આજે પુનરાવર્તન. કેટલાક એમ માને છે કે તે માત્ર ગાંધીજીની પૂણ્યતિથિ છે, પણ જે દિવસથી તેને ‘શહીદ દિવસ’ તરીકે ઓળખાવાયો છે, તે બ્રિટિશ સામ્રાજ્યની સામે ફાંસી, ગોળી અને આંદામાનની કાળ કોટડીમાં છેલ્લો શ્વાસ લેનારા તમામને યાદ કરવાનો અવસર છે.

૧૮પ૭ના વિપ્લવમાં અઢીથી ત્રણ લાખ નાગરિકોને મોતને ઘાટ ઉતારાયા હતા તે પછી બંગાળમાં અનુશીલન સમિતિ, પંજાબ અને કેનેડામાં ‘ગદર’ પાર્ટી‍, બર્મામાં સૈનિકી વિદ્રોહ, અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપની આઝાદ સરકાર, લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’, બર્લિ‌નમાં ‘બર્લિ‌ન કમિટી’, જર્મનીમાં આઝાદ સરકાર અને પછી શ્યોનાન (સિંગાપોર)થી કોહિ‌મા-ઇમ્ફાલ સુધીની આઝાદ હિ‌ન્દ ફોજમાં મોતને ભેટેલા હજારો સૈનિકો, છેવટનો નૌસેના બળવો… આની ગણતરીમાં સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, ભગવતીચરણ વોરા અને હિ‌ન્દુસ્તાન પ્રજાતાંત્રિક સંઘના યુવકો પણ આવી જાય, તો બીજા અઢી – ત્રણ લાખ ક્રાંતિકારોનાં બલિદાન નોંધાયાં છે.

વધુ વાંચો :

Categories: જાણવા જેવું, વિચારે ગુજરાત | Tags: , , | Leave a comment

Patriot

Patriot

Categories: Swami Vivekananda | Tags: , | 1 Comment

बाहुबलियों के लिये जंगल का कानूनी राज

મિત્રો,

આજે એક ઈ-મેઈલ આવ્યો. Spam માં હતો પણ તેનું શિર્ષક જોઈને વાંચવાનું મન થયું. આપણાં દેશમાં કાયદો અને વ્યવસ્થા કેટલી હદે કથળ્યાં છે, બાહુબલીઓ તથા સુરક્ષા કર્મીઓની સાંઠ ગાંઠ કેવી વધી છે કે જેને લીધે સામાન્ય નાગરીકને જીવવું યે દોહ્યલું થઈ પડ્યું છે તે બાબતને ઉજાગર કરતી સત્ય ઘટના છે. મને થયું કે આપ પણ વાંચો એટલે આપની સાથે વહેંચુ છું.


बाहुबलियों के लिये जंगल का कानूनी राज,सरकारी महकमे की सौगात के रूप में!


हमारे देश में कानून व्यवस्था की क्या हालत है इस मामले को देखकर साफ समझ में आता है कि भ्रष्टाचार किस हद तक सरकारी व्यवस्था की जड़ तक पहुँच चुका है, देश में आम इंसान को लोकतांत्रिक ढाँचे में रहते हुये ईमानदारी से इज्जत भरी जिन्दगी जीने के लिये कानून व्यवस्था बनाई गई, मगर इस कानून व्यवस्था को बनाये रखने के लिये जिन अधिकारियों को जिम्मेदारी सौंपी गई वे भ्रष्टाचार में कुछ इस तरह डूबे हुये हैं कि कानून के अदालती फरमानों को भी नकार देने में अपनी शान समझते हैं| जिसका उदाहारण हमारे संगठन के सामने आया संबंधित मामला, जिसमें भू-माफिया मकसूद अहमद पुत्र मसूद खान ने विधवा सलमा बेगम पत्नी स्व. निसार अहमद पता – झूँसी कोहना, थाना झूँसी, जिला इलाहाबाद, उ.प्र. की जमीन पर 1999 में कब्जा कर लिया और उसे अपनी जगह बताने लगा जिसके खिलाफ विधवा ने भाग दौड़ करते हुये किसी तरह अदालत में मुकदमा दायर किया जिसमें भू-माफिया ने एक तरीके से सच्चाई का और इंसाफ का मजाक उड़ाते हुये अदालत को गुमराह करते हुये यह बयान दिया कि यह जमीन मेरी नहीं अमर सिंह की है| जबकि उस जगह के कागजात ग्राम पंचायत द्वारा जारी दस्तावेजों के अनुसार विधवा महिला के पति के नाम हैं|

उस वक्त अदालत ने वकील का पैनल बनाकर जगह का सर्वेक्षण करवाया जिसका निर्णय भी विधवा के पक्ष में आया इस सब के बावजूद मई २०१२ में भू-माफिया ने दूसरे भूमाफिया गिरोह खुर्शीदा बेगम पुत्री स्व० सिद्दीक खान को उसके भी महबूब आलम व खुर्शीद आलम पुत्र गण स्व० सिद्दीक खान निवासी गण झूँसी कोहना थाना झूँसी, इलाहाबाद व मोहम्मद युसूफ पति खुर्शीदा बेगम निवासी साजी का पूरा, नैनी, इलाहबाद की गवाही में फर्जी तरीके से उस जगह को तथा २० x ४० फीट निर्विवादित निर्मित जगह को भी बेच दिया तो सभी भूमाफिया मिलकर उस जगह पर निर्माण कार्य शुरू करवाया जिसका विरोध करने पर विधवा को व उसके पुत्रों (इसरार अहमद, मोहम्मद अहमद, इफ़्तेख़ार अहमद व एनुद्दीन अहमद) व पोतों को जान से मारने की धमकियाँ दी गईं व आज भी दे रहें हैं |

जिसकी शिकायत थाने में ली ही नहीं गई जिसका साफ मतलब है कि इलाहाबाद का यह झूँसी थाना किस कदर अदालती फरमानों का मजाक उड़ाता है उत्तर प्रदेश सरकार को ठेंगा दिखाता है और भ्रष्टाचार में डूब कर इन भू-माफियाओं का साथ देते हुये किसी भी प्रकार की F.I.R. या शिकायत दर्ज नहीं करता और अपने थाना क्षेत्र में रहने वाले निवासियों को जंगल के कानून के सहारे छोड़ देता है जहाँ सिर्फ और सिर्फ बाहुबलियों का राज चलता है, मतलब जो बलवान है वही जी सकता है बाकि सब सिर्फ गुलाम बन कर रहें देश की कानून व्यवस्था चाहे गड्डे मं जाये, हमें कोई परवाह नहीं यह है इस थाने के SO की सोच किसी तरह विधवा महिला ने भागदौड़ करके ऊपर के अधिकारियों से मदद की गुहार लगाते हुये F.I.R. दर्ज करवाई|

जिसके बारे में समाचार पत्रों में भी छपा आखिर इन भू-माफियाओं को हवालात की हवा खाने को मिली, मगर जैसे ही जमानत करके यह बाहर आये उन्होंने उसी वक्त तथा दिनांक ०७-०१-२०१३ को शाम में पीड़ित के घर में जबरन घुसते हुये धमकियाँ दीं और कहा “एक-एक को जान से मार दिया जायेगा और इस खानदान का नामोनिशान मिटा दिया जायेगा” जिससे घबराकर थाने में फिर शिकायत की गई मगर इन भ्रष्ट थाने के अधिकारियों ने इस शिकायत को लेने से इंकार कर दिया| इन SO श्री. धर्मेन्द्र कुमार – मो.- 09454402830 और SSP रोहित कुमार मो. 09454400248 को जब तक देशवासी यह नहीं कहेंगे कि “भई बहुत हो गया, रिश्वतखोरी और मुजरिमों की दलाली का धंधा, अब बंद करो वाल्मीकी बनो, अपनी रामायण खुद लिखो और बेगुनाहों को इंसाफ दिलाने का काम शुरू करो,जब देशवासी थानेदार से कहेंगे कि आपकी आने वाली पीढी उस खुशहाल भारत में जीते हुये आपके द्वारा देश के प्रति दिये गये योगदान का गुणगान करेगी, तभी यह देश प्रगति कर सकेगा| अब हमें देश को बदलना है एक नई आजादी देश में लानी है, अपने काम के प्रति वफादारी ऐसी निभाओ कि एक स्त्री भी रात के 12:00 बेझिझक थाने में आकर शिकायत दर्ज करने की हिम्मत कर सके और यह सब होगा आपके द्वारा उठाये गये अभूतपूर्व कदम से|

इस मामले में उच्च न्यायालय के कर्मचारी कुछ इस कदर लेन-देन का खेल Civil Court के कर्मचारियों के साथ मिलकर खेलते हैं कि 1999 में दाखिल भू-माफिया के खिलाफ शिकायत पर 14 वर्ष तक न तो Stay मिल पाया है न हि मुकदमे का कोई फैसला हुआ है, जबकि कागजातों को देखकर एक १०वीं पास बच्चा भी बता सकता है कि अदालत के अनुसार थाने के अधिकारियों को भू-माफियाओं के खिलाफ क्या कार्यवाही करनी चाहिये, थानेदारों को भू-माफियाओं को तड़ीपार करते हुये पीड़ित के घर के आस-पास भी न दिखाई देने वाली कार्यवाही करनी चाहिये| यहाँ अदालती कर्मचारियों ने भ्रष्टाचार करते हुये 14 वर्ष से अभी तक कोई निर्णय नहीं होने दिया | जो पूरी तरीके से इन कर्मचारियों को कठघरे में खड़ा करता है जिसकी अगर जाँच की जाये तो यह सारे कर्मचारी लाईन से अपने काम के प्रति लापरवाही के दोषी पाये जायेंगे और देखा जाये तो अगर इस मामले में किसी भी प्रकार का खून बहता है तो उसके हत्या के मुख्य दोषी यह अदालती कर्मचारी और थाने के SO ही मुख्य रूप से है क्योंकि इन्हीं लोगों के ऊपर जिम्मेवारी है कानून को ईमानदारी से लागू करने की|

हमारी संबंधित अधिकारियों पुलिस कमिश्नर, गृहमंत्री व मुख्यमंत्री से अपील है कि कुछ होने के बाद कार्यवाही करने से बेहतर है कि कुछ होने के पहले कार्यवाही करें, कानून व्यवस्था को चुस्त-दुरूस्त बनायें कम से कम हर अधिकारी अपने क्षेत्र की जनता को तो न्याय देने की व्यवस्था कर सकें|

धन्यवाद

संगठन को मामले से संबंधित दिया गया आवेदन पत्र

थानेदार, DIG को पीड़ित द्वारा डाक से भेजा गया आवेदन पत्र

समाचार पत्रों में पीड़ित द्वारा दिये गये ब्यान की कटिंग

संबंधित कानूनी दस्तावेज

सोनिका शर्मा

09146525303

भ्रष्टाचार विरूद्ध भारत जागृति अभियान

http://www.bvbja.com/

Categories: ભ્રષ્ટાચાર સામે લડત | Tags: , , | Leave a comment

Web-ગુર્જરી ઈન્ટરનેટના આકાશે તરતી મુકાશે

ત્રણ પ્રકારે કાર્ય થઈ શકે.

૧. કર્તા – કોઈ કાર્ય જાતે કરવું.

૨. કારિતા – કોઈની પાસે કાર્ય કરાવવું.

૩. અનુમોદિતા – કોઈ કાર્યને અનુમોદન આપવું.

ગુજરાતી e-જગત માટે આનંદના સમાચાર છે કે કવિશ્રી કલાપીના જન્મ દિવસે અને ભારતના પ્રજાસત્તાક દિવસે આપણું ગુજરાતી e-જગત Web-ગુર્જરી રુપી એક વિશાળ વટવૃક્ષની સંકલ્પનાથી એકત્ર થઈ રહ્યું છે. અલબત્ત આજે તો તે વૃક્ષનું બીજારોપણ થશે તેને રક્ષવાનું, ઉછેરવાનું અને સંવર્ધિત કરવાનું ઉત્તરદાયિત્વ આપણી સહુની ઉપર છે.

આ પ્રસંગ પરની વિશેષ જાણકારી તથા રસપ્રદ લેખ વાંચવા માટે પહોંચો શ્રી અમોના આંગણે.

આ વટવૃક્ષની સંપૂર્ણ સંકલ્પનાના સૂત્રધાર શ્રી જુગલકીશોરભાઈનો આજે ૨૫મી જાન્યુઆરીએ જન્મ દિવસ છે તો તેમને અભીનંદવાનું ન ભુલશો.

Categories: આનંદ, ઉત્સવ, ઉદઘોષણા, ઊજવણી, ગુજરાત, જન્મદિવસ | Tags: , | 3 Comments

દૃઢ નેતા લોકશાહીમાંયે હોય છે.

diggajs

મિત્રો,

આજે મારે આપણાં માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના થોડા વખાણ કરવા છે. લોકશાહીમાંયે દૃઢ નેતા કેવા હોય તે તેમણે સારી રીતે દર્શાવી આપ્યું છે.

તેઓ કાર્ય કરે છે અને કાર્યની જાહેરાત પણ કરે છે.

તેઓ અધિકારીઓ અને નેતાઓ પાસેથી કામ લઈ શકે છે અને તેમને દાબમાંયે રાખી શકે છે.

તેમની વાણી પ્રભાવક છે તેમ છતાં તેમાં ઉદ્દંડતાનો બીલકુલ છાંટો નથી.

વડીલો / ગુરુજનો / મુરબ્બીઓ અને સાધુ સંતો પ્રત્યેનો તેમનો વ્યવહાર વિનમ્ર છે.

તેઓ રાજ્યના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે.

ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓને ગુજરાતમાં આકર્ષી શકે છે.

સતત તેમને સોંપાયેલા નાના મોટા કાર્યક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્યરત રહીને તેઓ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે અને તે પદ જાળવી રાખવામાં ત્રણ ત્રણ ટર્મ સુધી સફળ થયાં છે.

વિરોધીઓને હરાવવા અને હંફાવવા માટે તેઓ જાણીતા છે.

ગુજરાતની જનતામાં બાળકો / યુવાનો / મહિલાઓ / પ્રૌઢો અને વૃદ્ધ સુધી પ્રત્યેક વર્ગની વ્યક્તિઓમાં તેમના ચાહકો છે.

આપણી લોકશાહીને આજે આવા દૃઢતા વાળા વધુને વધુ નેતાઓની જરુર છે.

ક્યારેક તેઓ કવિતા યે લખે છે.

ગુજરાતની ઉત્સવ પ્રિય જનતા વચ્ચે ઉત્સવો ઉજવવા તેમને પ્રિય છે.

શું મોદી સાહેબ તેમની જેવા નેતાઓની બીજી યુવા હરોળ તૈયાર કરી શકશે?

Categories: ગુજરાત | Tags: , | 1 Comment

Birthday of Netaji Subhash Chandra Bose

Subhashchandra Bose

Let us remember the great sacrifice of Netaji Subhash Chandra Bose on his birthday (23rd January, 1897), his life was transformed by reading the books of Swami Vivekananda at the age of 15 years when he was a school student in Cuttack (Orissa), he was so much influenced by the books of Shri Ramakrishna and Swami Vivekananda that he wanted to join Ramakrishna Mission as a monk, but Swami Brahmanandaji, the first President of Ramakrishna Mission ,a brahamajani could foresee his future and told him to dedicate himself to the service of the motherland when he met him at Varanasi at the age of 17 years.


See more details of Netaji Subhashchandra Bose at Wikipedia


Categories: જન્મદિવસ | Tags: , , | Leave a comment

ટેકનોલોજી જોડણી વિવાદ ઉકેલી શકે

મિત્રો,

આપણે સહુ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાની માન્ય જોડણી સાર્થ જોડણી છે. સાર્થ જોડણીમાં ઘણાં અટપટા નિયમો અને અપવાદ છે તેને લીધે સાર્થ જોડણીમાં સાવ સાચું લખવુ ઘણું અઘરુ અને ક્યારેક તો અશક્ય કે આકાશકુસુમવત બની જાય છે. તેનો સહેલો રસ્તો ઉંઝા જોડણી દ્વારા શોધવામાં આવ્યો છે. તે રસ્તો આમ તો સહેલો છે છતાં તેમાં યે મુશ્કેલીઓ છે. જેમ કે નાનપણથી શાળામાં સાર્થનું શિક્ષણ આપવામાં આવ્યું હોય. સાર્થ જોડણી પ્રમાણેના ચિન્હો મનમાં અંકિત થઈ ગયા હોય. હવે જ્યારે તે ચિન્હો ઉંઝામાં લખવાથી ફરી જાય ત્યારે સાક્ષરોને તે ઘણું કઠે. ઘણાં શબ્દો એવા છે કે જેમાં હ્રસ્વ કે દિર્ઘથી અર્થ ફરી જાય.

જેમ કે

દિન – દીન
પિતા – પીતા

કોમ્પ્ય઼ુટર સોફ્ટવેરની મદદથી આ સમસ્યા ઉકેલી શકાય. આમેય શ્રી વિશાલભાઈ મોણપરા ઘણાં વરસોથી ગુજરાતી ભાષાની સુપેરે સેવા કરી રહ્યાં છે. તેમણે ગુજરાતી સ્પેલ ચેકર તથા ગુજરાતીમાં લખવા માટે ટાઈપ પેડ વિકસાવ્યા છે. આ ઉપરાંત તેમણે યુનિકોડમાંથી ફોન્ટમાં અને ફોન્ટમાંથી યુનિકોડમાં દસ્તાવેજોને રુપાંતરીત કરવાની સગવડ વિકસાવેલ છે. હવે જો તેઓ ઉંઝામાંથી સાર્થમાં અને સાર્થમાંથી ઉંઝામાં દસ્તાવેજોને રુપાંતર કરવાનું સોફ્ટવેર બનાવી આપે તો કાર્ય ઘણું સરળ થઈ જાય.

આમેય આપણે વિશાલભાઈને સન્માનવાના જ છીએ તો સન્માન સમારંભ વખતે વિશાલભાઈ પાસે ઉંઝા થી સાર્થ અને સાર્થથી ઉંઝા માં રુપાંતરણ સોફ્ટવેરની રીટર્ન ગીફ્ટ ની આશા રાખી શકાય?

શું કહો છો વિશાલભાઈ?

Categories: ગુજરાત, પ્રશ્નાર્થ, સમસ્યા અમે સમાધાન | Tags: , , , , , , | 5 Comments

ત્રણ ગુણો અને જીવની ગતી

ઈશ્વર રચિત સૃષ્ટિ એટલે કે નિહારિકાઓ, સૂર્યમંડળ, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, પૃથ્વી, સમુદ્ર, પહાડ, વનસ્પતિ, હવા, પાણી, આકાશ, પ્રકાશ આ સઘળું દિવ્ય છે. આ દિવ્ય સૃષ્ટિને માણવા અને જાણવા માટે એકનું એક ચૈતન્ય અનેક જીવ રુપે વિલસી રહ્યું છે. જીવ પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજ અને તમ થી ઘેરાયેલો છે. આ ત્રણ ગુણોનું જેટલું પ્રાધાન્ય હોય તેવા પ્રકારનો જીવ બને. તમો ગુણ પ્રધાન હોય તો પશુ, પક્ષી, કીટ, પતંગ, સરિસૃપ વગેરે પ્રકારનો જીવ બને. રજોગુણ પ્રધાન હોય તો મનુષ્યરુપે જન્મ ધારણ કરે. સત્વગુણ પ્રધાન હોય તો ઉર્ધ્વ લોકમાં હોય.

મનુષ્યમાંયે સત્વગુણ પ્રધાન મનુષ્યની પ્રકૃતિ દિવ્ય હોય છે. રજોગુણ પ્રધાન મનુષ્ય વધુ પડતો ઉદ્યમી અને ક્રીયાશીલ હોય છે. જ્યારે તમોગુણ પ્રધાન મનુષ્ય પર પીડામાં રાજી, વ્યસની, ક્રોધી, કામી, જડ અને આળસુ હોય છે.

અંત સમયે જેવો ભાવ લઈને શરીર છુટે તેવા પ્રકારનો પુનર્જન્મ થાય. આખી જીંદગી જેવા કર્મો કર્યા હોય અંત સમયે મોટા ભાગે તેવો ગુણ પ્રધાન બનતો હોય છે. મનુષ્ય મૃત્યું સમયે જે ગુણની પ્રધાનતા ધરાવતો હોય તેવી તેની નવા જન્મે ગતી થતી હોય છે. જો સત્વગુણ પ્રધાન હોય અને મૃત્યું થાય તો ઉર્ધ્વ લોકમાં જાય છે. રજો ગુણ પ્રધાન હોય અને મૃત્યું થાય તો ફરી પાછો મનુષ્યલોકમાં જન્મે છે. તમો ગુણ પ્રધાન હોય અને મૃત્યું થાય તો પશુ યોનિમાં જાય. અત્યંત નીમ્ન કર્મો કરનારો અધો લોકમાં જાય.

આ જે કાઈ કહ્યું છે તે માત્ર શાસ્ત્રના આધારે કહ્યું છે. મને મારો પૂર્વજન્મ યાદ નથી અને જન્મ પછીના બાળપણના થોડા વર્ષોની સ્મૃતિએ નથી. જો કે એવા મનુષ્યોને મળવાનું સદભાગ્ય થયું છે કે જેમણે પોતાના પૂર્વજન્મ વિશે જાણ્યું હોય. આ ઉપરાંત ઘણાં મહાપુરુષો અને સામાન્ય વ્યક્તિઓના જીવનમાંયે પૂર્વજન્મની સ્મૃતિઓના દાખલા જોવા મળે છે. પૂર્વજન્મ અને પૂનર્જન્મમાં માનવા કે ન માનવાથી કશો ફેર પડે કે ન પડે પણ એટલું તો જાણવું જ જોઈએ કે સત્કાર્ય કરવાથી આ જન્મે સુખ થાય છે. વધુ પડતી ક્રીયાશીલતાથી લોભ અને તૃષ્ણા વધે છે. જ્યારે પ્રમાદ અને આળસથી જડતા અને મૂઢતા વધે છે અને આ લોકમાંયે તેવી વ્યક્તિ ધૃણાસ્પદ બને છે. સત્વગુણીને સમાજમાં આદર મળે છે, રજોગુણીને જાત જાતની પ્રવૃત્તિનો વહીવટ સંભાળવા મળે છે જ્યારે તમોગુણી સમાજ પર બોજારુપ બની જાય છે.

કેટલાંક વિરલા એવા હોય છે કે જેઓ આ ત્રણે ગુણથી મુક્ત થઈ જાય છે તેઓ પોતાના સ્વરુપમાં સ્થિત હોય છે. તેમનું વ્યક્તિત્વ દિવ્ય હોય છે અને તેઓ સ્વનામ ધન્ય હોય છે. તેવી વ્યક્તિઓને લોકો પાસેથી કશુંએ મેળવવાનું હોતું નથી તો પણ તેઓ પોતાના સ્વભાવ અનુસાર જ્યાં સુધી તેમનું શરીર ચાલે છે ત્યાં સુધી લોકહિતાર્થે જીજ્ઞાસુઓને ત્રિગુણાતિત થવા માટે માર્ગ દર્શન આપતાં રહે છે.


નોંધ: આ લેખમાં જોડણી ભૂલો હશે. જો કોઈને સાર્થ જોડણી પ્રમાણે સુધારી આપવાની ઈચ્છા થાય તો આ લેખની કોપી કરીને જોડણી સુધારીને મને atuljaniagantuk@gmail.com પર મોકલી આપવા વિનંતી.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ચિંતન, વાંચન આધારિત, શિક્ષણ | Tags: , , , , | Leave a comment

સ્વામી વિવેકાનંદ – યુવા દિન

મીત્રો,

આજે સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે. જે યુવા દિન તરીકે ઓળખાય છે. સ્વામી વિવેકાનંદ હંમેશા યુવાનોના પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે. તેમના વિચારોમાં કશુંએ નકારાત્મક નથી પ્રત્યેક બાબતમાંથી કશુંક હકારાત્મક શોધીને તેમણે પ્રભાવક રીતે રજૂ કર્યું છે. આજના યુવાનોને માટે આજેય તેમના શક્તિ અને સામર્થ્યથી ભરપૂર વિચારો એટલા જ લાભપ્રદ છે જેટલા તેમના સમયમાં હતાં.

નીચેની લિંક પરથી આપને તેમના વિચારો વાંચવા મળી શકશે.


સ્વામી વિવેકાનંદ


સ્વામી વિવેકાનંદ

Categories: જન્મદિવસ, વ્યક્તિત્વ વિકાસ | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.