Daily Archives: 15/12/2012

જીજ્ઞાસા વગર જ્ઞાન આપવું જોઈએ નહીં

મહાપુરુષોને સત્ય પ્રાપ્ત થાય અને જીજ્ઞાસુઓને કે જેમને જાણવામાં રસ હોય તેમને શીખવે તો શીખવવાનો અને શીખવાનો બંનેને આનંદ થાય. ગમે તેવું સત્ય હોય પણ જો જીજ્ઞાસા ન હોય અને પરાણે શીખવવામાં આવે તો તે કહેનારને કે સાંભળનારને કોઈને ય માટે લાભપ્રદ નથી થતું.

શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપ્યાં પછી કહે છે કે જે કોઈ મારો ભક્ત હોય અને જ્ઞાનની જીજ્ઞાસા વાળો હોય તેને જો તું આ રહસ્ય કહેશે તો તેનું કલ્યાણ થશે પણ જે કોઈ મારો નિંદક હોય અને આ વાત સાંભળવા ન ઈચ્છતો હોય તેને તું આ જ્ઞાન કહીશ નહીં.

આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે જો જાણવાની ઈચ્છા ન હોય તો કહેવામાં આવેલી વાત ગમે તેટલી ઉપયોગી હોય તો યે તેનો કશો અર્થ સરતો નથી પણ જો જીજ્ઞાસા હોય તો યોગ્ય અનુભવીએ આપેલ માર્ગદર્શન ઉપયોગી થાય છે.

Categories: ચિંતન | Tags: , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.