મીત્રો,
ઘણી વખત આપણે કેટલાક અનુભવી વડીલો દ્વારા સાંભળીએ છીએ કે ફીલ્મો દ્વારા દર્શાવાતા હિંસા અને જાતીય આવેગોને ઉત્તેજીત કરતા દૃશ્યો બાળ માનસ તથા સમાજને વિપરીત અસર પહોંચાડે છે અને તેને લીધે સમાજમાં ગુન્હાખોરી વધે છે. આમાં મુળ વાત ફીલ્મો કોણે બનાવી છે અને તેના વિષય વસ્તુ શું છે તેની પર જ તેના સારા નરસા પરીણામો નીપજતા હોય છે.
ફીલ્મો દ્વારા હકારાત્મક કે નકારાત્મક કોઈ પણ બાબત રજુ કરી શકાય. માધ્યમને દોષ દેવાને બદલે માધ્યમ દ્વારા પીરસાતા વિષય વસ્તુની પસંદગીમાં દીગ્દર્શકો, વિતરકો અને પ્રેક્ષકોએ સાવધાન રહેવું જરુરી છે.
આજે માણીએ એક ફીલ્મી ગીત ઈન્ટરનેટના માધ્યમ દ્વારા :
દૃશ્ય તો દૃશ્ય છે. દૃશ્યની અસર કેવી ઉપજશે તેનો સઘળો આધાર દૃષ્ટા પર રહેલો છે.