વિશ્વધર્મ પરિષદમાં એક નાનકડી વાર્તા દ્વારા સ્વામી વિવેકાનંદે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે માનવ માનવ વચ્ચેના ભેદભાવ અને અણબનાવનું કારણ સંકુચિતતા, પોતાનો જ દૃષ્ટિકોણ સાચો છે તથા અન્યનો દૃષ્ટિકોણ ખોટો છે તેવી જડ માન્યતાઓ છે. મનુષ્યની બુદ્ધિના વિકાસની સાથે સાથે સમજણ પણ વિકસે કે આ જગત માત્ર આપણી સંકુચિત દૃષ્ટિથી જોઈએ છીએ તેવો નાનક્ડો કુવો નથી પરંતુ અનેક શક્યતાઓથી ભરેલ મહાસમુદ્ર છે અને આપણે સહુ આ મહા સમુદ્રમાં તરતાં નાનકડાં જળચરો છીએ. જે જેટલી વિશાળ જળરાશીમાં તરી શકે તેટલો તેનો આનંદ વધારે અને જે માત્ર પોતાના ખાબોચીયાને જ સર્વસ્વ માને છે તે તો કાદવમાં કુદા કુદ કરીને છેવટે તેના ક્ષુલ્લક ખાબોચીયામાં જ જીવન પુરુ કરે છે.
ભેદભાવ શા માટે !
Categories: ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ
Tags: ભેદભાવ, વિશ્વધર્મ પરિષદ, શા માટે !, સ્વામી વિવેકાનંદ
2 Comments
આ કૂવા નિષ્ઠા જ ભેદભાવના મૂળમાં છે. સ્વામી વિવેકાનંદને વંદન, તમને અભિનંદન
નુકશાન કુવામાના દેડકાને છે. સમુદ્રના દેડકાને શું? તે તો સત્ય કહીને હસીને ચાલ્યો જશે. કુવા નિષ્ઠા ધરાવનારા અને વાડાબંધીમાં બંધાનારા જાણતા નથી હોતા કે ઈશ્વર તેમના સંપ્રદાય / ધર્મ કે માન્યતામાં પુરાઈ રહે તેવો સીમીત નથી હોતો. તેવી જ રીતે અનંત શક્યતાઓથી ભરપૂર આ બ્રહ્માંડમાં તો જ્યાં જુઓ ત્યાં અચરજ છે. વિશાળ દૃષ્ટિ વાળો જગતનો આનંદ માણે છે અને જગદીશ્વરને જાણવાનો પ્રયાસ કરે છે.
કુવા નિષ્ઠા ધરાવનારાઓને તેમની નિષ્ઠા મુબારક.
મને અભિનંદન શેને માટે?