Daily Archives: 30/08/2012

ભારત મરે ખરું ? – સ્વામી વિવેકાનંદ

મદ્રાસના માનપત્રનો પ્રત્યુત્તર

મદ્રાસના મિત્રો, દેશબંધુઓ અને સહધર્મીઓ !

ભારત મરે ખરું? જે બધું ઉદાત્ત કે નૈતિક કે આધ્યાત્મિક છે તેની આ વૃદ્ધ માતા, જેના પર ઋષિઓના ચરણ ચાલેલા છે તે આ ભૂમિ, જેમાં હજુ ઈશ્વરસમા માનવીઓ જીવંત બેઠેલા છે તે આ ભૂમિ, કદી મરે ખરી? ભાઈ ! હું પેલા કથામાના એથેન્સના ઋષિનું ફાનસ ઉછીનું માગી લાવીનેય આ વિશાળ વિશ્વનાં શહેરોમાં ને ગામડામાં, મેદાનોમાં ને અરણ્યોમાં તારી પાછળ પાછળ ભટકવા તૈયાર છુ; તારાથી બને તો બીજા દેશોમાં આવા મનુષ્યો શોધી બતાવ તો ખરો? અનુભવીઓએ સાચું જ કહ્યું છે કે ઝાડનું પારખું તેના ફળથી થાય. ભારતના દરેકે દરેક આંબાના ઝાડ નીચે જાઓ અને જમીન પર પડેલી અને કીડાએ ખાધેલી કાચી કેરીઓના ગાડાં ભરીને લઈ આવો, તથા તેમાંની એકેએક ઉપર વધુમાં વધુ વિદ્વતાપૂર્ણ સેંકડો ગ્રંથો તમે ભલે લખો, છતાં હું કહીશ કે તમે એક પણ આમ્રફળનું વર્ણન નથી કર્યું. પરંતુ વૃક્ષ પરથી એક સુસ્વાદ, પૂર્ણપક્વ, રસભર્યું ફળ તોડો અને ચાખો, ત્યારે તમે આમ્રફળ શું છે તે વિષેનું બધું જ જાણી લીધું છે એમ કહીશ.

માનપત્રનો પ્રત્યુત્તર આ લેખ સંપૂર્ણ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો :

ભારત મરે ખરું ? – સ્વામી વિવેકાનંદ

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , , , | Leave a comment

Blog at WordPress.com.