Posts Tagged With: ચંદ્ર

જાગીને જોઉ તો, પશ્ચિમે સૂર્ય દિસે

પશ્ચિમે સૂર્ય ?

પશ્ચિમે સૂર્ય ?

પોષ મહિનાની પૂનમના દિવસે ઉષા કાળે પશ્ચિમ દિશામાં જોયું તો અજવાળું અજવાળું.

થયું કે આ શું ? સવારના પહોરમાં પશ્ચિમમાં સૂર્ય ઊગ્યો?

પછી ખબર પડી કે આ તો ઈદનો નહીં પણ પૂનમનો ચાંદ છે.

કુદરતની કેવી કરામત છે ! સૂર્યના પ્રકાશને જેટલો પરાવર્તિત કરે એટલો ચંદ્ર મોટો અને ઊજળો દેખાય ખરુ ને?

ચિદાભાસ નું યે એવું તો છે. આત્માનો પ્રકાશ જેટલો પરાવર્તિત કરે તેટલો વધારે દિવ્ય દેખાય.

સૂર્ય પર તો હંમેશા અજવાળું.

કોઈક વિરલા ચિદાભાસ ને બદલે કૂટસ્થ માં સ્થિત થઈ જાય તો? તો તો હંમેશા દિવ્યતા અનુભવાય.

અલ્યા ભઈ, જગતને પછી બદલજો પહેલાં સ્વયં ને તો બદલો.

Categories: કુદરત, ચિંતન, પ્રકૃતિ | Tags: , , , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.