Posts Tagged With: સત્ય

સત્ય કડવું કે મીઠું?

સત્ય તો હંમેશા સત્ય હોય છે. જો વ્યક્તિની પોતાની માન્યતા પ્રમાણેનું  હોય તો તેને તે મીઠું લાગે છે અને પોતાની માન્યતાથી વિરુદ્ધ હોય તો તેને કડવું લાગે છે.

સત્યમાં  કડવાશ કે મીઠાશ હોતી નથી માત્ર આપણી માન્યતાને આધારે આપણે તેને કડવું કે મીઠું બનાવી દઈએ છીએ.

Categories: ચિંતન | Tags: , , , | 1 Comment

સત્યના પ્રયોગોની કુલ ૧૬૯ આહુતિઓ આપવા સુધી યજ્ઞકાર્ય ચલાવવાની ધારણા

મિત્રો,

આપ સહુ જાણો છો કે હાલ હું સત્યના પ્રયોગોની વાંચનયાત્રાએ નીકળ્યો છું. આ યાત્રાએ પ્રથમ વખત નીકળ્યો છું તેથી યાત્રા વધારે આનંદપ્રદ અને હવે શું થશે તે જાણવાની ઈંતેજારી સાથે આગળ ધપી રહી છે. પ્રસંગોપાત આપ પણ તેમાં જોડાઈ શકો છો.

સત્યના પ્રયોગો કુલ પાંચ ભાગમાં વહેંચાયેલી છે.

પ્રથમ ભાગ – ૨૫ પ્રકરણ
બીજો ભાગ – ૨૯ પ્રકરણ
ત્રીજો ભાગ – ૨૩ પ્રકરણ
ચોથો ભાગ – ૪૭ પ્રકરણ
પાંચમો ભાગ – ૪૩ પ્રકરણ

કુલ ૧૬૭ પ્રકરણ. તેમાં પ્રસ્તાવના અને પૂર્ણાહુતિ ઉમેરતા કુલ ૧૬૯ પ્રકરણ થશે.

આમેય મારે તો બ્લોગયાત્રા અને વાંચનયાત્રા સાથો સાથ ચાલશે. રોજ એક પોસ્ટ લખાશે અને કાલે શું લખું કે જેથી લોકો વાહ વાહ કરે કે અચંબિત થઈ જાય કે મોમાં આંગળા નાખી જાય કે Like પર આવીને ક્લિકનો વરસાદ કરી દે કે પ્રતિભાવોથી બ્લોગફળીયું છલકાવી દે તેવા વિચારવાયુથી મુક્ત રહી શકાશે.

આ પોસ્ટનું શિર્ષક જોયું. યજ્ઞકાર્ય અને આહુતિ? સત્યના પ્રયોગો તો આખે આખું વિકિસ્ત્રોત પર ઉપલબ્ધ છે જ્યારે અહીં તો ત્યાંથી તેનો થોડો ભાગ કોપી કરીને પેસ્ટ કરવામાં આવે છે. તેમાં વળી યજ્ઞ અને આહુતિ શેના?

તો કહેવાનું મન થાય કે યજ્ઞ કાર્ય અહીં લખવાનું નહીં પણ વાંચવાનું થઈ રહ્યું છે. આહુતિ કોઈ દેવતાને રીઝવવા માટે નહીં પણ મારા મસ્તિષ્કમાં સદવિચારોનું બીજારોપણ કરવારુપ આહુતિ અપાઈ રહી છે. ઉતાવળે અને અકરાંતીયાની જેમ વાંચેલું ઘણું બધું સાહિત્ય એટલું મદદરુપ નથી થતું જેટલું સમજીને વાંચ્યા પછી થોડુંયે પચાવવામાં આવ્યું હોય.

આ યાત્રામાં જોડાવા સહયાત્રીઓને આમંત્રણ છે. મોહનમાંથી મહાત્મા બનેલા માનવીની ભારોભાર સત્યકથા વાંચનારને કશુંક તો હકારાત્મક જરુર પ્રદાન કરશે.


નોંધ: મારા શારીરીક અને માનસીક સ્વાસ્થ્યને અનુલક્ષીને મેં બ્લોગ-જગતનું મારું વાંચન મર્યાદિત કર્યું છે. ક્યારેક અને મરજિયાતપણે થોડા લેખ વાંચું છું. કશુંક સારુ લાગે તો ગ્રહણ કરુ છું અને બાકીનું ફેંકી દઉ છું. આ વાંચનયાત્રા દરમ્યાન લીધેલ એક નીયમ તેવો છે કે કોઈનીયે પોસ્ટ પર Like ન કરવું કે કોઈનાયે બ્લોગ પર પ્રતિભાવ ન આપવા. જો કે કેટલાંક મિત્રોના પસંદગીના લેખ હું અચૂક વાંચું છું તે વાંચવાનો પુરતો પ્રયાસ કરવામાં આવશે 🙂


Categories: ઉદઘોષણા | Tags: , , , | Leave a comment

આજનું ચિંતન – સત્ય – આગંતુક

સત્ય ત્રણ પ્રકારના હોય છે.

૧. પારમાર્થિક સત્ય:
બ્રહ્મ સત્ય.બ્રહ્મ સર્વ જીવો અને જગતને સત્તા સ્ફુર્તિ આપે છે. સર્વનું અધિષ્ઠાન છે. સર્વને માટે સમાન રીતે અસ્તિત્વ ધરાવે છે. પારમાર્થિક સત્ય નિરપેક્ષ છે. બ્રહ્મને કોઈનો આધાર લેવાની જરૂર નથી તે સર્વનો આધાર છે.

૨. પ્રાતિભાસિક સત્ય:
સ્વપ્ન જગત, ભાવ જગતમાં અનુભવાતા સત્યો પ્રાતિભાસિક હોય છે. સ્વપ્ન અને ભાવમાં જે એક જીવને અનુભવાય તે બીજાને ન અનુભવાય. પ્રાતિભાસિક સત્યને અંગત સત્ય કહી શકાય. પ્રાતિભાસિક સત્યની મહદ અસર જે તે જીવને થાય છે. તેની પરોક્ષ અસર અન્ય જીવને થઈ શકે.

૩. વ્યવહારિક સત્ય:
વ્યવહારિક સત્ય સાપેક્ષ છે. તે વ્યક્તિગત કે સામુહિક હોઈ શકે. વ્યવહારિક સત્ય દેશ, કાળ અને પદાર્થ પર આધારિત હોય છે. એકને માટે આવવું તે બીજા માટે જવું હોઈ શકે. એકને માટે જીતવું તે બીજા માટે હારવું હોઈ શકે. એકનું દુ:ખ બીજાનું સુખ હોઈ શકે. એકનું હાસ્ય બીજાનું રુદન હોઈ શકે.

Categories: ચિંતન | Tags: , , , , , | 3 Comments

આજનું ચિંતન – વ્યવહારીક સત્ય – આગંતુક

દેશ, કાળ અને પદાર્થ પારમાર્થિક સત્યને ઢાંકે છે. વ્યવહારીક સત્યો બધાને માટે જુદા જુદા હોય છે.

એક ઉદાહરણ લઈએ :

સત્યમ ૬ જૂન ૨૦૧૨ ના રોજ કહે છે કે ૭ જૂન ૨૦૧૨ ના રોજ તે ભાવનગરથી નીકળીને અમદાવાદ સારવાર માટે જશે.

હવે ૬ જૂને ખબર ન પડે કે આ વાક્ય સાચું છે કે ખોટું છે. કારણ કે ૭ જૂને અમદાવાદ જવા માટે તેને ઘણી બાબતો પર આધાર રાખવો પડે. જેમ કે:

* તે સમયસર ઉઠી શકે.
* તે જે વાહનમાં જવાનો છે તે વાહન ચાલુ સ્થિતિમાં હોય.
* રસ્તામાં તે વાહન અટકી ન પડે.
* રસ્તામાં તે વાહનને અકસ્માત ન થાય.
* કોઈ કારણસર તેનો વિચાર બદલાઈ જાય અથવા તો અન્ય બાબતોને લીધે તેનું સારવાર માટે જવાનું મુલતવી રહે.

સત્યમ જવા ઈચ્છે છે તે સત્ય છતાં તે જઈ શકશે કે નહીં તે નિશ્ચિત નથી. તેનું સત્ય સ્થળ પર આધારીત છે એટલે કે બે સ્થળ વચ્ચેનું વ્યવધાન જો તે કાપી શકે તો તે બાબત સત્ય બને નહીં તો અસત્ય.

તેનું સત્ય કાળ પર આધારિત છે. જો તે ૭ જૂન ૨૦૧૨ ના રોજ અમદાવાદ જઈ શકે તો તે સત્ય બને નહીં તો અસત્ય.

તેનું સત્ય પદાર્થ પર આધારીત છે. તેને વાહનોનું અવલંબન છે. રસ્તામાં આવતા ટ્રાફીક ઉપર પણ તેનો આધાર છે. વળી તે અમદાવાદ સારવાર લેવાને બદલે મામા કે સાઢુભાઈને મળીને ઘરે પાછો આવે તો યે તેનું સત્ય અસત્ય બની જાય છે.

આમ દરેક બાબતોમાં જોઈ શકીએ કે વ્યવહારીક સત્યને માટે દેશ, કાળ અને પદાર્થ ઘણાં અસરકર્તા પરીબળો છે.

પારમાર્થિક સત્ય તો એક છે અને તે શ્રી શંકરાચાર્યજી મહારાજ કહે છે તે – બ્રહ્મ સત્ય.

Categories: ચિંતન | Tags: , , , | 2 Comments

જો આ સત્ય હોય તો શાંત બેસી રહેવું તે ગુન્હો છે – પ્રશાંત ભૂષણ

Jai hind,
જય હિંદ,

Arvind Kejriwal, Prashant Bhushan, Manish Sisodiya and Gopal Rai exposed the commission related scams in defense deals. Read on

અરવિંદ કેજરીવાલ, પ્રશાંત ભૂષણ, મનીષ સીસોદીયા અને ગોપાલ રાયે સંરક્ષણ સોદામાં કટકી સંબધીત ષડયંત્ર પર પ્રકાશ ફેંક્યો છે.

વાંચો

https://www.box.com/s/29f27a07de18046cb835

http://www.firstpost.com/india/team-anna-alleges-corruption-in-defence-deals-names-mps-son-289920.html

Vande Mataram,
વંદે માતરમ

India Against Corruption
ભારત ભ્રષ્ટાચારના વિરોધમાં

Categories: ભ્રષ્ટાચાર સામે લડત, હેલ્લારો | Tags: , , , | Leave a comment

આજનું ચિંતન – આગંતુક

સત્ય જાણવા માટે ક્યારેક અસત્ય બોલવું પડે છે.

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

જય જય ગરવી ગુજરાત

મિત્રો,

સહુને સ્વર્ણિમ ગુજરાતના જન્મદિવસના વધામણાં – આજે આપણે સહું આપણાં પ્યારા ગાંધી બાપુને યાદ કરીને સત્ય, અહિંસા, પ્રેમ, ભાઈચારો, એકબીજાને મદદરુપ થવાની ભાવના સાથે ગુજરાતને સમગ્ર વિશ્વમાં માનવંતુ સ્થાન અપાવવા કટીબદ્ધ બનીએ તેવી અભ્યર્થના.



Categories: ઊજવણી, જન્મદિવસ, જીવે ગુજરાત | Tags: , , , , , | Leave a comment

વિશ્વનું સર્વોપરી સત્ય

મિત્રો,
અમેરિકન લેખક શ્રી. રાલ્ફ વાલ્ડો ટ્રાઈનનું પુસ્તક “ઈન ટ્યુન વિથ ધ ઈન્ફિનિટ” નો ભાવાનુવાદ શ્રી મીરાબહેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ભાવનુવાદ-સંગ્રહનું નામ “અનંત સાથે એકતાર” આપવામાં આવ્યું છે.






Categories: ચિંતન, જીવનામૃત (સંજીવની) | Tags: , , , , | 2 Comments

Blog at WordPress.com.