તા. ૧૯/૦૫/૨૦૧૧
ભાવનગર.
પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જન્મ શતાબ્દિ મહોત્સવનો તા.૧૯-૫ને ગુરૂવારથી શુભારંભ થશે.
મહોત્સવ સમિતિના ઉપક્રમે ગુરૂવારે સવારે ૯-૧૫ કલાકે નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં પૂર્વ પર્યાવરણ મંત્રી વાંકાનેરના મહારાજા ડૉ.દિગ્વિજયજીના હસ્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર વિધિ થશે. મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ પ્રસંગે રાજકીય, સામાજિક ક્ષેત્રોના હોદેદારો તથા આગેવાનો સહિતના ઉપસ્થિત રહેશે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિમાં ભુતકાળમાં એક નાની ટીકીટ બહાર પાડવામાં આવી હતી. જે દુર્લભ ટીકીટ તસવીરમાં દ્રશ્યમાન છે.
સ્ત્રોત: સૌરાષ્ટ્ર સમાચાર (દિવ્યભાસ્કર ગૃપનું દૈનિક)