નોંધ: આ લખાણ કોઈએ ગંભીરતાથી ન લેવું.
આપણાં માનનીય મુખ્યમંત્રીશ્રી કહે છે કે “હું ખાતો નથી ને ખાવા દેતોયે નથી”. આ તો ભારોભાર અન્યાય ન કહેવાય?
જૈન ધર્મની ફીલસુફી કહે છે કે: “જીવો અને જીવવા દ્યો”. આવા બીજા અનેક સૂત્રો પ્રચલીત કરી શકાય જેમ કે:
“હસો અને હસવા દ્યો”
“ફરો અને ફરવા દ્યો”
“ચરો અને ચરવા દ્યો”
”મરો અને મરવા દ્યો”
“રડો અને રડવા દ્યો”
“ભસો અને ભસવા દ્યો”
“ખસો અને ખસવા દ્યો”
“ગાવ અને ગાવા દ્યો”
“ભણો અને ભણવા દ્યો”
“લડો અને લડવા દ્યો”
વગેરે વગેરે
ટુંકમા કોઈ પણ ક્રીયા વિશે આવા સુત્રો આપી શકાય.
આપણે આઝાદ થયાં પછી દેશમાં ઘણાં પરીવર્તનો આવી ગયાં તેમ છતાં એક પાર્ટી તો કોઈક રાજ્યમાં કે કેન્દ્રમાં ક્યાંકને ક્યાંક સત્તામાં કોઈને કોઈ રીતે આવતી જ રહી. તો તેમની આવી મહાન સફળતાનું સુત્ર શું હશે?
વિચારો
…
….
…..
……
…….
……..
………
વિચારો યાર, હવે આપણી પાસે વિચારવા સિવાય બીજું કરવા જેવું યે શું રહ્યું છે?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
તે મહાન સુત્ર છે:
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
“ખાવ અને ખાવા દ્યો”