Posts Tagged With: વિશ્વસનીય

શબ્દપ્રમાણથી અનુભૂતીપ્રમાણ વધારે વિશ્વસનીય છે (સૌરાષ્ટ્ર સમાચારનું જુઠ્ઠાણું – શ્રી કાંતી ભટ્ટે વક્તવ્ય આપેલું)


મીત્રો,

ગઈ કાલે ભાવનગર વૃદ્ધાશ્રમમાં વરિષ્ઠ પત્રકાર શ્રી કાંતી ભટ્ટ વક્તવ્ય આપવાના છે તેવા સમાચાર સૌરાષ્ટ્ર સમાચારમાં વાંચીને હું તેમને સાંભળવા માટે વૃદ્ધાશ્રમ ગયો હતો. ત્રણ કવિઓને સાંભળ્યા બાદ તેમણે કહેલું કે પત્રકારનું કાર્ય તો લેખનનું છે વક્તવ્ય આપવાનું નહી. તેઓ થાકેલા પણ હતાં. વળી વહેલા સુઈ જવાની ટેવ વાળા હોવાથી મોડે સુધી જાગવાનું તેમને નહીં ફાવે તેમ કહીને તેમણે વક્તવ્ય આપ્યું નહોતું. શ્રોતાઓની નારાજગી છતાં તેમનું વક્તવ્ય સાંભળ્યા વગર જ કાર્યક્રમને સમાપ્ત ઘોષીત કરવો પડેલો.

આજે સૌરાષ્ટ્ર સમાચાર લખે છે કે તેમણે વક્તવ્ય આપેલું. તો સૌરાષ્ટ સમાચારના પત્રકારને ખુલ્લો પ્રશ્ન છે કે તેમણે શું વક્તવ્ય આપ્યું હતું? કેટલો સમય આપ્યું હતું? ક્યાં વિષય પર આપ્યું હતું? તે જણાવે :

Categories: અવનવું, ટકોર, પ્રશ્નાર્થ, લોકમત, સમાચાર | Tags: , , , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.