Posts Tagged With: લડાઈનો અંત

મૃત્યુંને નજર સમક્ષ રાખનારા લડાઈનો અંત આણે છે

છઠ્ઠું સૂત્ર કહે છે કે : એવા લોકોએ છે કે જેમને ખ્યાલ નથી કે એક દિવસ આપણે ચોક્કસ મૃત્યું પામવાના છીએ. જો કે એવા લોકોએ છે કે જેઓ ને ખ્યાલ છે કે તેઓ એક દિવસ ચોક્કસ મૃત્યું પામવાના છે તેવા લોકો પોતાની લડાઈ બંધ કરે છે.

મહાભારતમાં યક્ષ યુધિષ્ઠીરને પ્રશ્ન પુછે છે કે હે યુધિષ્ઠીર આ જગતમાં સહુથી મોટું આશ્ચર્ય ક્યું છે?

યુધિષ્ઠીર ઉત્તર આપતા કહે છે કે રોજે રોજ નજર સમક્ષ અનેક લોકોને મૃત્યું પામતા જોવા છતાં પ્રત્યેક મનુષ્ય તેવી રીતે વર્તે છે જાણે તે કદી મરવાનો ન હોય અને આ જ બાબત સહુથી વધુ આશ્ચર્યકારક છે.

છઠ્ઠા સૂત્રમાં આ વાતને સહજતાથી કહી છે કે જે લોકો મૃત્યુંને નજર સમક્ષ રાખીને જીવે છે તે બીન જરુરી સંઘર્ષ કરતાં નથી અને અનાવશ્યક લડાઈઓનો અંત આણે છે.

Categories: ચિંતન | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.