Posts Tagged With: રક્ષાબંધન

રક્ષાબંધન – આગંતુક

તા.૨૩.૦૮.૨૦૧૦
ભાવનગર

બહેનો અને માતાઓ,

આવતી કાલે તા.૨૪.૦૮.૨૦૧૦ ના રોજ શ્રાવણી પૂનમ, બળેવનો પવિત્ર તહેવાર છે. આપ સહુ બહેનોની શુભેચ્છાઓ અને માતાઓના આશીર્વાદથી જ આ બ્લોગ-જગતમાં હું હજુ સુધી જીવંત રહી શક્યો છું. તેથી આ ખાસ દિવસે આપ સહુ બહેનો અને માતાઓને સ્નેહ અને આદરપૂર્વક પ્રણામ કરીને આપ સહુનો અમે સજોડે ઋણસ્વિકાર કરીએ છીએ. આ ખાસ પ્રસંગે આપ સહુ કોમેન્ટ બોક્ષમાં શબ્દ-રાખડી બાંધવા અને શુભેચ્છા તથા આશીર્વાદ આપવા જરૂર પધારશો. સંજોગવશાત આપ ન આવી શકો તો આપની શુભેચ્છા અને આશીર્વાદ અમારી સાથે છે તેવું માની લેશું અને તે બદલ મનોમન આભાર સ્વીકાર કરશો. અને હા આસ્થા અને હંસ: ને આશીર્વાદ આપવાનું ન ભુલશો.

સસ્નેહ અતુલ અને કવિતા

Categories: ઉત્સવ, ભારતિય સંસ્કૃતિ | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.