Posts Tagged With: મિત્ર

ધ્યાનના પ્રયોગો (૧૧)

सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु ।
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ॥ ભ.ગી.૬.૯ ||

सुहृद् (स्वार्थ रहित सबका हित करने वाला), मित्र, वैरी, उदासीन (पक्षपातरहित), मध्यस्थ (दोनों ओर की भलाई चाहने वाला), द्वेष्य और बन्धुगणों में, धर्मात्माओं में और पापियों में भी समान भाव रखने वाला अत्यन्त श्रेष्ठ है ॥

સુહૃદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય તેમજ બંધુગણોમાં અને ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર મનુષ્ય શ્રેષ્ઠ છે.

સુહ્રદ : જે માતાની જેમ જ, પરંતુ મમતા રહિત થઈને કારણ વિના પણ સહુનું હિત કરવાના સ્વભાવવાળો હોય છે, તેને ’સુહૃદ’ કહે છે.

મિત્ર: જે ઉપકારના બદલામાં ઉપકાર કરવાવાળો હોય છે, તેને ’મિત્ર’ કહે છે.

અરિ (શત્રુ) : જેનો વિના કારણ બીજાઓનું અહિત કરવાનો સ્વભાવ હોય છે, તેને ’અરિ’ કહે છે.

દ્વેષી : જે પોતાના સ્વાર્થ માટે અથવા કોઈ અન્ય કોઈ વિશેષ કારણને લીધે બીજાઓનું અહિત કે અપકાર કરે છે, તે ’દ્વેષી’ હોય છે.

ઉદાસીન : બે જણા અરસપરસ વાદવિવાદ કરી રહ્યા હોય, તેમને જોઈને પણ જે તટસ્થ રહે છે, કોઈનો કિંચિતમાત્ર પણ જે પક્ષપાત નથી કરતો અને પોતાના તરફથી કંઈ પણ કહેતો નથી, તે ’ઉદાસીન’ કહેવાય છે.

મધ્યસ્થ : વાદવિવાદ કરનારાઓની લડાઈ બંધ થાય અને બંન્નેનું હિત થઈ જાય એવી ચેષ્ટા કરવાવાળો ’મધ્યસ્થ’ કહેવાય છે.

બંધુ: સંબધીગણ

સાધુ: શ્રેષ્ઠ આચરણ કરનાર

પાપી: પાપાચરણ કરનાર

આગળના શ્લોકમાં જોયું કે સર્વ પદાર્થો પ્રત્યે સમબુદ્ધિ રાખનાર યોગી થવા માટે લાયક છે. હવે અહિં જુદા જુદા આચરણ અને વર્તન કરનાર વ્યક્તિઓ સાથે પણ સમબુદ્ધિ રાખનાર વિશેષ રીતે શ્રેષ્ઠ છે તેવું જણાવે છે.

પદાર્થ પ્રત્યે સમત્વ બુદ્ધિ કેળવાવી સહેલી છે પણ વ્યક્તિઓ પ્રત્યે સમત્વબુદ્ધિ કેળવવી ઘણું કઠીન છે. પદાર્થો કશી પ્રતિક્રીયા કરતા નથી જ્યારે વ્યક્તિઓ તો સ્વભાવ અનુસાર પ્રતિક્રિયાઓ કરતી હોય છે.

જે યોગી છે તે આવા અનેકવિધ વ્યક્તિઓ સાથે સમત્વબુદ્ધિ રાખી શકે છે કારણ કે તેણે જ્ઞાન વિજ્ઞાનમાં સ્થિત થઈને જાણી લીધું હોય છે કે અંત:કરણ અને સંસ્કારોના ભેદે સર્વ વ્યક્તિઓ જુદુ, જુદુ આચરણ કરે છે પણ તે સર્વને સત્તા અને સામર્થ્ય આપનાર તો એકમાત્ર પરમાત્માં છે. જેવી રીતે વિજળી ચાલી જતાં જુદા જુદા ગુણધર્મો ધરાવતાં ફ્રીજ, ટીવી, પંખા, બલ્બ, લાઈટ, કોમ્પ્યુટર વગેરે સાધનો એક સાથે તેમનું સામર્થ્ય ગુમાવી દે છે અને વીજળીની સત્તાથી સહુ કોઈ તેમના ગુણધર્મો પ્રમાણે કાર્ય કરવા લાગે છે. તેવી રીતે જુદા જુદા સ્વભાવ અને સંસ્કાર વાળી વ્યક્તિઓ એક જ પરમાત્માના સામર્થ્યથી પોત પોતાનો અભીનય ભજવે છે. જે શ્રેષ્ઠ યોગી છે તે સર્વ પ્રકારની વ્યક્તિઓ પરત્વે તેમની વર્તણુંક પ્રમાણે વ્યવહાર કરશે પણ અંદરથી તો તેની સર્વમાં સમબુદ્ધિ જ હશે અને સારી રીતે સમજતો હશે કે સર્વ કોઈ એક માત્ર પરમાત્માના જ અંશરુપે અભીનય ભજવે છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , , , , , , , , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૮)

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्‌ || ભ.ગી.૬.૬ ||

जिस जीवात्मा द्वारा मन और इन्द्रियों सहित शरीर जीता हुआ है, उस जीवात्मा का तो वह आप ही मित्र है और जिसके द्वारा मन तथा इन्द्रियों सहित शरीर नहीं जीता गया है, उसके लिए वह आप ही शत्रु के सदृश शत्रुता में बर्तता है॥

પ્રાકૃતિક મન, ઈન્દ્રિયો અને શરીરમાં હું પણું કે મારાપણું ન કરીને પરમાત્માએ આપેલું છે માટે જ્યાં સુધી છે ત્યાં સુધી પરમાત્માની સેવામાં અને પરમાત્મા રચીત જીવ અને જગતની સેવામાં તેને પ્રયોજવા તથા સ્વને પરમાત્મામય બનાવનાર જીવાત્મા કે જેમણે મન, ઈન્દ્રીયો અને શરીર પર સંપૂર્ણ કાબુ મેળવ્યો છે તે જીવાત્મા પોતે પોતાની સાથે મિત્રવત વર્તે છે.

પ્રાકૃતિક મન, ઈન્દ્રિયો અને શરીરમાં હું પણું અને મારાપણું કરીને પરમાત્મારચિત જગત અને અન્ય જીવો પાસેથી સુખ પ્રાપ્ત કરવા માટે ચેષ્ટા કરનાર તથા મન, ઈન્દ્રિયો અને શરીર પર કાબુ મેળવવાને બદલે તેને તાબે થઈ જનાર જીવાત્મા પોતે પોતાની સાથે શત્રુવત વર્તે છે.

ટુંકમાં પોતાની પર કાબુ મેળવનાર પોતાની સાથે મિત્રવત અને પોતાને તાબે થઈ જનાર પોતાની સાથે શત્રુવત વર્તે છે.

ક્યાંક વાચેલુ કે જગતને જીતનાર નહીં પણ પોતાની જાતને જીતનાર જ સાચો વિજેતા છે તે વાતને આ શ્લોક યથાર્થ ઠેરવે છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૭)

उद्धरेदात्मनाऽत्मानं नात्मानमवसादयेत्‌ ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः || ભ.ગી.૬.૫ ||

આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરે, આત્માને અધોગતિમાં ન નાખે; કારણકે આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ પોતાનો શત્રુ છે.

તત્વજ્ઞાન પ્રમાણે બે તત્વો પ્રકૃતિ અને પુરુષ અનાદિ છે. જેમાં પુરુષ અનંત છે જ્યારે પ્રકૃતિ સાંત છે.

૧. પુરુષ – ચૈતન્ય (અનંત)
૨. પ્રકૃતિ – જડ (સાંત)

અંત:કરણ (પ્રકૃતિના અપંચિકૃત સત્વગુણમાંથી બને છે) માં પુરુષ (ચૈતન્ય) નું જે પ્રતિબિંબ પડે છે કે જેને ચિદાભાસ કહેવાય છે તે ચિદાભાસમાં પ્રકૃતિ અને ચૈતન્યનો વાસ્તવિક નહીં પણ આભાસી સંયોગ છે. આ ચિદાભાસના પ્રાકૃતિક ભાગ સાથે જે એકરુપતા સાધે છે તે પોતાનું હું પણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પાંચ જ્ઞાનેન્દ્રીયો અને પાંચ કર્મેન્દ્રીયો તથા પાંચ પ્રાણ અને શરીર સાથે તાદાત્મ્ય સાધીને તેમાં હું પણું તથા જગતના પ્રાણી, પદાર્થોમાં મારું અને મારું નહીં તેવા ભેદ પાડે છે.

જે જાગ્રત વ્યક્તિ શાસ્ત્ર અને મહાપુરુષો પાસેથી સાચી સમજણ મેળવે છે તે ચિદાભાસના ચૈતન્ય ભાગ પુરુષ સાથે એકરુપતા સાધે છે અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જ્ઞાનેન્દ્રીયો, કર્મેન્દ્રીયો, પ્રાણ અને શરીર સાથે તેનો વાસ્તવિક સંબંધ ક્યારેય શક્ય નથી તે જાણી લે છે.

જે જડ પ્રકૃતિ સાથે પોતાની એકરુપતા માને છે તેનો સઘળો પુરુષાર્થ જડ પ્રકૃતિ પાસેથી જ સુખ પ્રાપ્ત કરવાનો હશે.

જે ચૈતન્ય સાથે પોતાની એકરુપતા માને છે તેનો સઘળો પુરુષાર્થ તે ચૈતન્ય સાથે એકરુપ થવાનો હશે.

જે આત્મા (ચિદાભાસ) પ્રકૃતિને જ સર્વસ્વ માનીને પ્રાકૃતિક લાભ જ મેળવવા સતત મથ્યા કરે છે તે આત્મા વડે આત્માને અધોગતીમાં લઈ જાય છે. એટલે કે નિરંતર પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધી સુખ-દુ:ખના દ્વંદ્વો અનુભવે છે.

જે આત્મા (ચિદાભાસ) પુરુષ (ચૈતન્ય) ને જ સાર સમજે છે તે સદાય ચૈતન્ય સાથે ભળી જવા માટે;
નીષ્કામ કર્મયોગ દ્વારા જગતના જીવોની સેવા કરશે
અથવા તો
ધ્યાન દ્વારા સમાધિ પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરશે
અથવા
ભગવદભજન દ્વારા ચૈતન્યની આરાધના કરશે
અથવા
જ્ઞાનયજ્ઞ દ્વારા બ્રહ્મ સાથે આત્માની એકતા અનુભવવા શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરશે.

આવા આત્મા તેમનો ઉદ્ધાર તેમના પોતાના પુરુષાર્થથી જ કરે છે.

સાચી સમજણ વગર આત્મા જ આત્માનો શત્રુ બને છે જ્યારે સાચી સમજણ દ્વારા આત્મા જ આત્માનો મિત્ર બને છે. તેથી વાસ્તવમાં આપણાં કોઈ બાહ્ય શત્રુ કે મિત્ર નથી પણ આપણે જ આપણાં શત્રુ કે મિત્ર છીએ.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , , , , | Leave a comment

હું સર્વનો મિત્ર છું – આગંતુક

મિત્રો,

આમ તો મને ગુજરાતી સીવાય બીજી એકે ભાષા બરાબર આવડતી નથી. ગુજરાતીમાંયે લખવામાં જોડણીની અપાર ભૂલો કરતો હોઉ છું. તેમ છતાં આપણાં ગુજરાતી લોકો સાથે સંપર્ક જાળવી રાખવા બ્લોગ પર પોસ્ટ મુકતો રહુ છું અને જુદા જુદા બ્લોગ પર ભાંગી તુટી ગુજરાતીમાં પ્રતિભાવ પણ મુકતો હોઉ છું. જે બ્લોગ પર કોઈ પણ કારણસર મારા પ્રતિભાવો બે થી વધારે વખત માન્ય કરવામાં નથી આવ્યાં તે બ્લોગ પર પ્રતિભાવ આપવાનું ટાળતો હોઉ છું. જો કે સારી પોસ્ટ લાગે તો Like પર ક્લિક કરતો હોઉ છું. અલબત્ત તેનો અર્થ તેમ નથી કે હું કોઈ બ્લોગ કે બ્લોગર પ્રત્યે ગમો-અણગમો ધરાઉ છું. બધાં જ બ્લોગરો અને વેબસાઈટ ધારકો પછી તે વર્ડપ્રેસ,બ્લોગર,સ્વતંત્ર સર્વને હું મારા મિત્ર માનુ છું અને કોઈની યે પ્રત્યે મને વિશેષ રાગ કે દ્વેષ નથી.

હા, કોઈ સાથે વાતચીત કરવાની મજા આવે તો તે બ્લોગ પર વધારે જતો હોઉ છું – પણ મારે મન બધાં સરખાં છે. આટલી સ્પષ્ટતા પછી કહેવાનું કે કોઈ બ્લોગર કદાચ ગુજરાતી ન હોય પરંતુ તે ગુજરાતીમાં પોસ્ટ મુકતાં હોય તો તેમની પોસ્ટ પણ હું તેટલા જ રસથી વાંચવાનું પસંદ કરુ છું. હું ગંભીર પ્રકૃતિનો માણસ હોવા છતાં મને હળવી પળો ગમે છે, મનો મંથન કરી નાખનારા ઉંડાણપૂર્વકના ચિંતનાત્મક લેખોની જેમ રમૂજી લેખો પણ મને એટલાં જ પસંદ છે. કાવ્ય/ગીત/ગઝલ/જોડકણાં અને નવીન વિષય વસ્તુ સાથેના હળવા બનાવતા કે વિચારપ્રેરક લેખો એ મને હંમેશા આકર્ષ્યો છે અને તેવા લેખ વાંચવાની જ્યારે પણ તક મળે ત્યારે હું અચૂક રસપૂર્વક વાંચતો હોઉ છું.

ફરી એક વાર આપ સહુની મિત્રતાનો સ્વીકાર કરીને સદાયે આપ સહુનો મિત્ર અને પરમ મિત્ર રહી શકું તેવી અભ્યર્થના સહ વિરમું છું.

નોંધ: આ મિત્રતામાં આપની સહ્રદયતા અને લાગણી સિવાય મારે કશું જોઈતું નથી અને હું પણ આ સિવાય કશું આપી શકું તેમ નથી.

આપ સહુનો સહ્રદયી,
અતુલ જાની (આગંતુક)

Categories: કેમ છો? | Tags: , , , | 8 Comments

તમે થીમ કેમ બદલતાં નથી?

મિત્રો,
ઘણાં લોકો મને પુછે છે કે આ શુ એકનો એક થીમ રાખ્યો છે? તમે થીમ કેમ બદલતાં નથી? તો હું તેમને કહું છું કે પહેલાં હું થીમ બદલતો હતો. પરંતુ એક વખત જેતપૂરથી મારા મિત્ર શ્રી કાંતિલાલભાઈ કરશાળા ભાવનગર આવેલા તેમણે મને આ થીમ સેટ કરી આપ્યો છે. તેમણે મને ગુજરાતીમાં લખવા માટે સોફ્ટવેર આપેલું અમે સાથે બેસીને ચા પણ પીધેલી. તેમના સ્નેહના પરિપાકરૂપે અપનાવેલો આ થીમ હવે હું કઈ રીતે બદલી શકુ? તેથી જ તો હું આ થીમને વળગી રહ્યો છું…

Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, Conversations and Dialogues | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.