Posts Tagged With: પ્રકૃતિ

પીડ પરાઈ જાણે રે

વૈષ્ણવજન તો તેને રે કહીંયે જે પીડ પરાઈ જાણે રે

વૈષ્ણવ એટલે વિષ્ણુના જે ભક્ત છે તે. વિષ્ણુ એટલે વ્યાપક. એટલાં વ્યાપક કે જ્યાં જ્યાં તેનો વ્યાપ હોય તે સર્વ તેની વિભૂતિથી વિભૂષિત થઈ જાય. ટુકમાં પ્રકૃતિના સત્વગુણમાં પડતા ચૈતન્યનો પ્રભાવ એટલે વિષ્ણુંની વિભૂતિ. આ સત્વ ગુણના ચાહક, સંવર્ધક, પ્રેરક તે વૈષ્ણવ. આવા લોકો દૈવી સંપત્તિના સંગ્રાહક હોય છે. દૈવી સંપત્તિ વિશે વધુ જાણવા માટે ભગવદ્ગીતાનો ૧૬મો અધ્યાય વાંચવો.

આસુરી જન તો તેને રે કહીંયે જે પરને પીડી જાણે રે

અસુ એટલે પ્રાણ. પ્રાણના સુખમાં રમણ કરનાર અસુર. પ્રાણનું સુખ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદે જઈ શકે એટલે કે અન્યને પીડી શકે, અન્યનું નુકશાન કરી શકે કે અન્યનું અસ્તિત્વ પણ મિટાવી દઈ શકે તે આસુરી જન. આસુરી જન મુખ્યત્વે રજોગુણ પ્રધાન હોય. ખૂબ કાર્ય કરે પણ સર્વ કાર્ય કામ, ક્રોધ અને લોભથી પ્રેરિત હોય. આસુરી જન વિશે વધુ જાણવા માટે ભગવદ્ગીતાનો ૧૬મો અધ્યાય વાંચવો.

તામસ જન તો તેને રે કહીંયે જે સ્વની અધોગતિ નોતરે રે

આવા લોકોની શું વાત કરવી? જેમને અન્યની પીડાની કે અન્યને પીડવાની નહીં પણ આળસ અને પ્રમાદથી સ્વને જ અધોગતિમાં લઈ જવાની ટેવ પડી ગઈ હોય.

Categories: ચિંતન | Tags: , , , , | Leave a comment

દાદાની વાડીમાંથી મળ્યો પ્રાકૃતિક ખજાનો

અતુ..લ….

બાની બુમ સાંભળીને હું દોડતો આવ્યો અને પુછવા લાગ્યો કે શું બા?

જો અતુલ તને ખબર છે ને કે આપણે સાત-આઠ દિવસ ઘર સંભાળવનું છે. હા બા મને ખબર છે. શું કામ હતુ તે કહો.

જો આગળના ફળીયામાં આંબાનો મ્હોર ખર્યા કરે છે અને કેટલો કચરો પડે છે. હવે મારા પગ ચાલતા નથી તો તું કચરો વાળી નાખીશ?

હા બા તેમાં શું? હમણાં કચરો વાળવા લાગું છું.

હજુ તો કચરો વાળવાનો પુરો થાય ન થાય ત્યાં તો બાએ બુમ પાડી અ..તુ…લ….

ફરી પાછો બા પાસે પહોંચીને પુછવા લાગ્યો કે શું બા?

જો અતુલ હમણાં પાણી આવશે. પીવાનું પાણી તું ભરી લઈશ ને?

હા બા હમણાં ભરી લઉ છુ.

પાણી ભરાવાનું પુરુ થયું ત્યાં તો બાનો ફરી સાદ આવ્યો અ..તુ…લ….

પાછો પહોંચ્યો બા પાસે કે શું બા?

પાણી ભરાઈ ગયું?

હા

તો પાછળના પ્લોટમાં દાદાની વાડીમાં આંટો મારી આવ. ત્યાં આંબામાં મ્હોર કેવોક આવ્યો છે તે જોતો આવ અને ખાસ તો જોજે કે ત્યાં આજે નવા જ ફુલ ખીલ્યાં છે. જા ત્યાં જઈને બધું જોઈ આવ અને થોડા ફોટાએ પાડી લેજે ત્યાં હું લોટ બાંધી રાખું છું એટલે તને ગરમા ગરમ રોટલી જમાડી શકું.

સારુ બા હું હમણાં જ જઈને આવું છું.

અને દાદાની વાડીમાંથી મળ્યો પ્રાકૃતિક ખજાનો…



તમે થોડી વાર આ પ્રાકૃતિક વૈભવ માણો ત્યાં હું બાના હાથની ગરમા ગરમ રોટલીનું ભોજન જમીને આવું હો.. અને હા, ઓડકાર ખાતો ખાતો પાછો આવું ત્યાં સુધી તમે અહીં રહેશો ને?

Categories: કુટુંબ, કુદરત, કેળવણી, પ્રકૃતિ, પ્રશ્નાર્થ, મધુવન, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સૌંદર્ય | Tags: , , | Leave a comment

પ્રકૃતિ પર નિયંત્રણ કે પ્રકૃતિથી નિયંત્રીત?

સાતમું સૂત્ર : જેવી રીતે વાવાઝોડું નબળા વૃક્ષને તોડી પાડે છે તેવી રીતે ઈંદ્રિયોમાં વિષયાસક્ત, ઈંદ્રિયો પર કાબુ વગરની, આહાર વિહાર અને આચરણમાં અંકુશરહિત વ્યક્તિ પર ’માર’ સત્તા ચલાવે છે.

આઠમું સૂત્ર : જેવી રીતે દૃઢ પર્વત સાથે અથડાઈને વાવાઝોડું હારી જાય છે તેવી રીતે જેમનો ઈંદ્રિયો પર કાબુ છે, ઈંદ્રિયોના વિષયોમાં આસક્તિરહિત છે, ધ્યાન દ્વારા જેમણે સ્વનિયંત્રણ મેળવ્યું છે, જેમના આહાર વિહાર અને આચરણ નિયંત્રીત છે તેવી વ્યક્તિ સામે ’માર’ હારી જાય છે.

લગભગ પ્રત્યેક ધર્મમાં મનુષ્યના દુશ્મન તરીકે શેતાન, અસૂર, માર, માયા વગેરે કોઈ એક અનિષ્ટકારી તત્વને રજૂ કરવામાં આવે છે. વાસ્તવમાં આ સૂત્રો જણાવે છે કે જો આપણે આપણી પ્રકૃતિ પર કાબુ મેળવીએ તો દિવ્ય બનીએ છીએ અને જો આપણી પ્રકૃતિ આપણી પર કાબુ મેળવી લે તો આપણે પાશવી બની જઈએ છીએ.

આવશ્યકતા તે છે કે આપણી ઈંદ્રિયો, મન અને બુદ્ધિ પર આપણે પ્રબળ પુરુષાર્થ દ્વારા કાબુ મેળવીએ. જો તેમ કરવામાં સફળ થઈએ તો આપણી ઉર્ધ્વગતિ થાય છે અને જો ઈંદ્રિય, મન અને બુદ્ધિના પ્રવાહમાં તણાઈ જઈએ તો અધોગતિ થાય.

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.