Posts Tagged With: પૂર્તિ

બૌદ્ધ ધર્મ એટલે હિંદુ ધર્મની પૂર્તિ – સ્વામી વિવેકાનંદ

૨૬મી સપ્ટેમ્બર,૧૮૯૩ના રોજ વિશ્વધર્મ પરિષદમાં બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મનો તુલનાત્મક અભ્યાસ રજુ કરતાં સ્વામી વિવેકાનંદે આ પ્રવચન આપ્યું હતું.

હિંદુ ધર્મ કે બૌદ્ધ ધર્મ, કોઈ એકબીજા સિવાય જીવી શકે નહીં. બન્ને વચ્ચે જે તફાવત છે તે જોતાં, બૌદ્ધ ધર્મ બ્રાહ્મણની બુદ્ધિપ્રતિભા અને તત્વજ્ઞાન વિના ચલાવી ન શકે; તેમ જ બ્રાહ્મણને બૌદ્ધ ધર્મની કરુણાની ભાવના વિના ન ચાલે. બૌદ્ધ અને બ્રાહ્મણ વચ્ચેની જુદાઈ હિંદના પતનનું કારણ છે. તેને લીધે જ આજે હિંદમાં ત્રીસ કરોડ ભિખારીઓ છે, અને છેલ્લાં હજાર વર્ષથી તે પરદેશી વિજેતાઓનું ગુલામ બન્યું છે. એટલે આપણે બ્રાહ્મણની અપ્રતિમ બુદ્ધિનો, મહાન વિભૂતિ બુદ્ધની કારુણ્યની ભાવના સાથે, એમના અભિજાત આત્મા સાથે, તેનો અજબ સંયોગ કરવો જોઈએ.

Categories: પ્રવચન / વ્યાખ્યાન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ | Tags: , , , , | Leave a comment

Blog at WordPress.com.