Posts Tagged With: પુરુષાર્થ

વાત એકની એક પણ દૃષ્ટિકોણ અલગ

એક વિદ્યાર્થીએ પુછ્યું કે મને ૧૨મા ધોરણના છ વિષયો પાસ કરવા માટે સાત માર્કશીટની જરુર પડી આને શું કહેવાય?

બધાએ એકી અવાજે કહ્યું કે ’નિષ્ફળતાની કરુણ કહાની.’

તે વિદ્યાર્થીએ મૃદુ સ્મિત કરતાં કહ્યું કે ના હું તેને ’પુરુષાર્થની પ્રેરક ખુમારી’ તરીકે વર્ણવવાનું પસંદ કરીશ.

શું તમે પેલી ’કરતા જાળ કરોળીયો’ વાળી ઉક્તિ નથી સાંભળી?

જાળું બનાવતા બનાવતાં તે અનેક વખત ભોંયે પછડાયો પણ છેવટે જાળું બનાવીને જ રહ્યો. બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કર્યો તેવો આપણે સામાન્ય જીવનના સુખ સગવડો મેળવવા માટે ય ક્યાં કર્યો છે?

તો દોસ્તો, આ વાત યાદ રાખજો કે જ્યારે તમે નિષ્ફળ જાવ છો ત્યારે નાસીપાસ થઈને બેસી રહેશો તો તમારી સફર ત્યાં જ પુરી થઈ જશે પણ જો તમે ફરી પાછા પ્રયાસ કરશો, બેઠા થશો, ઉભા થશો અને ચાલવા લાગશો તો એક દિવસ મંઝીલે અવશ્ય પહોંચી જશો.


स्वाध्यायान्मा प्रमद:


Categories: ચિંતન, વ્યક્તિત્વ વિકાસ, શિક્ષણ | Tags: , , | Leave a comment

આજનું ચિંતન – આત્મ – શ્લાઘા,પ્રશંસા કે સ્થિત?

આત્મશ્લાઘી કે આત્મપ્રશંસક થવા કરતાં આત્મસ્થ થવાનો પુરુષાર્થ વધારે હિતાવહ નથી?

Categories: ચિંતન | Tags: , , , , | 3 Comments

જેવી વિવેકબુદ્ધિ તેવો પુરુષાર્થ

વાંચન – વિચારોનું ઈનપુટ

લેખન – વિચારોનું આઊટપુટ

ચિંતન – કોઈ એક વિષય પર વિશેષ વિચારણા

મનન – ફરી ફરીને તેના તે વિચારને વાગોળવો

નિદિધ્યાસન – ચોક્કસ વિચાર સાથે એકરુપ થઈ જવું

અનુભવ – આપણી સાથે ઘટેલી ઘટના

સમાચાર – અન્ય સ્થળે અન્ય લોકો સાથે ઘટેલી ઘટનાની માહિતિ

માન્યતા – આ પ્રમાણે બનશે કે બને છે તેવી ધારણા

હકિકત – આ પ્રમાણે બન્યુ તેવો અનુભવ

એકનો અનુભવ બીજા માટે માન્યતા છે. કોઈ પણ માન્યતાને સ્વાનુભવ દ્વારા પુષ્ટિ ન મળે ત્યાં સુધી તેને હકિકત કહી ન શકાય.

તેમ છતાં

કેટલાક સંજોગોમાં બીજાના અનુભવને પ્રમાણ માનવામાં ડહાપણ રહેલું છે. જેમ કે અગ્નિને અડવાથી કોઈ દાઝી ગયું છે તે સમાચાર મળ્યાં તેથી માન્યતા બંધાણી કે અગ્નિને અડવાથી દાઝી જવાય. આ માન્યતાને હકિકતમાં બદલવાની જરુર ખરી?

કેટલાક સંજોગોમાં બીજાના અનુભવને હકિકત બનાવવાનો પુરુષાર્થ કરવા જેવો હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ ધ્યાન દ્વારા સર્વોચ્ચ આનંદ પ્રાપ્ત કરે છે તો તેનો અનુભવ આપણે માટે માન્યતા છે કે ધ્યાનની પરિપક્વ અવસ્થામાં સર્વોચ્ચ આનંદ મળે છે. જ્યાં સુધી આ માન્યતાને આપણે હકિકતમાં ન બદલીએ ત્યાં સુધી માત્ર માન્યતાથી સર્વોચ્ચ આનંદ ન મળે. જેઓ સર્વોચ્ચ આનંદ મેળવવા ઈચ્છે છે તેમને માટે આ માન્યતાને હકિકતમાં બદલવાનો પુરુષાર્થ આવશ્યક છે.

કહેવાનું તાત્પર્ય તે છે કે કઈ માન્યતાને હકિકતમાં બદલવા માટે પુરુષાર્થ કરવો અને કઈ માન્યતાને હકિકતમાં ન બદલવા પુરુષાર્થ કરવો તેને માટે વિવેકબુદ્ધિની આવશ્યકતા છે.

“જેવી વિવેકબુદ્ધિ તેવો પુરુષાર્થ” શું આવું સુત્ર આપી શકાય?

Categories: ચિંતન | Tags: , , , | 1 Comment

Blog at WordPress.com.