મિત્રો,
આજે મારે આપણાં માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના થોડા વખાણ કરવા છે. લોકશાહીમાંયે દૃઢ નેતા કેવા હોય તે તેમણે સારી રીતે દર્શાવી આપ્યું છે.
તેઓ કાર્ય કરે છે અને કાર્યની જાહેરાત પણ કરે છે.
તેઓ અધિકારીઓ અને નેતાઓ પાસેથી કામ લઈ શકે છે અને તેમને દાબમાંયે રાખી શકે છે.
તેમની વાણી પ્રભાવક છે તેમ છતાં તેમાં ઉદ્દંડતાનો બીલકુલ છાંટો નથી.
વડીલો / ગુરુજનો / મુરબ્બીઓ અને સાધુ સંતો પ્રત્યેનો તેમનો વ્યવહાર વિનમ્ર છે.
તેઓ રાજ્યના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે.
ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓને ગુજરાતમાં આકર્ષી શકે છે.
સતત તેમને સોંપાયેલા નાના મોટા કાર્યક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્યરત રહીને તેઓ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે અને તે પદ જાળવી રાખવામાં ત્રણ ત્રણ ટર્મ સુધી સફળ થયાં છે.
વિરોધીઓને હરાવવા અને હંફાવવા માટે તેઓ જાણીતા છે.
ગુજરાતની જનતામાં બાળકો / યુવાનો / મહિલાઓ / પ્રૌઢો અને વૃદ્ધ સુધી પ્રત્યેક વર્ગની વ્યક્તિઓમાં તેમના ચાહકો છે.
આપણી લોકશાહીને આજે આવા દૃઢતા વાળા વધુને વધુ નેતાઓની જરુર છે.
ક્યારેક તેઓ કવિતા યે લખે છે.
ગુજરાતની ઉત્સવ પ્રિય જનતા વચ્ચે ઉત્સવો ઉજવવા તેમને પ્રિય છે.
શું મોદી સાહેબ તેમની જેવા નેતાઓની બીજી યુવા હરોળ તૈયાર કરી શકશે?