Posts Tagged With: નાગરીક

તેમને ખબર જ નથી કે આજે પ્રલય થવાનો છે

આજે હંસે: તેમની શાળામાં ચાલતી સ્કાઉટની પ્રવૃત્તિની પ્રારંભીક દિક્ષા પ્રાપ્ત કરી છે.

આસ્થા તો ઘણાં વખતથી ગાઈડ છે.

કવિતાએ NCC ની તાલીમ પ્રાપ્ત કરી છે.

મેં પણ સ્કાઉટની તાલીમ લીધેલી અને જીલ્લા રેલીમાં ભાગ લીધેલો. કેમ નવાઈ લાગે છે? મને ય નવાઈ લાગે છે.

Scout_Diksha

હંસ: અને અન્ય બાળકો જ્યારે આનંદથી દિક્ષા મેળવતા હતા તે વખતે તેમના ચહેરા પર ઝળહળતુ તેજ જોઈને મને હરખ થયો. સારુ છે ને કે તેમને ખબર જ નથી કે આજે પ્રલય થવાનો છે.

ખરેખરી આપત્તિથી નહીં પણ આપત્તિ આવશે તેવી કલ્પનાથી જ ઘણાં લોકો હામ હારી જતા હોય છે.


Scouting


Categories: કુટુંબ, વ્યક્તિત્વ વિકાસ | Tags: , , , , , , , | Leave a comment

ગઢ આયા પર સિંહ ગયા

ભા.જ.પા. જીત્યું – આનંદ છે. કામ કર્યું છે પણ હવે જનતાની અપેક્ષા વધારે રહેશે.

આજથી જ ઘર બનાવવા લાગો ત્યારે પાંચ વર્ષે કદાચ ટાર્ગેટ પુરો થશે. જો ટાર્ગેટ પુરો થશે અને મકાનોની ફાળવણી યોગ્ય રીતે જરુરીયાતમંદોમાં થશે તો તેની પછીના પાંચ વર્ષ પાક્કા તે જનતા જનાર્દન તરફથી મતદારો ખાત્રી આપે છે.

જો કે રાજ્ય ચલાવવામાં માત્ર ઘર નથી બનાવવાના હોતા.

રાજ્યના પ્રત્યેક નાગરીકને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ.

નાગરીકોના જાન માલનું રક્ષણ થવું જોઈએ.

પ્રત્યેકને વિકસવાની તક પ્રાપ્ત થવી જોઈએ.

શિક્ષણ અને આરોગ્ય વ્યાજબી દામે મળવા જોઈએ અને નાણાના અભાવે એક પણ વ્યક્તિ અશિક્ષિત કે બીમાર ન રહે તેવી સગવડતાઓ આપવી જોઈએ.

માતા, બહેનો અને દિકરીઓ સન્માનથી જીવે અને ગૌરવવંતા ગુજરાતને ગૌરવવંતુ જાળવી રાખવા માટે સદૈવ પ્રસન્ન રહે તેવી વ્યવસ્થા થવી જોઈએ.


વિરોધ પક્ષના બે દિગ્ગજ અને જાગૃત નેતા હાર્યા તેનું દુ:ખ છે.

૧. શક્તિસિંહ ગોહિલ
૨. અર્જુન મોઢવાડીયા

હવે વ્યાજબી વિરોધ કોણ કરશે?


શંકરસિંહ અને કેશુભાઈ શું કરશે તે હવે જોવા મળશે.


Categories: ગુજરાત | Tags: , , , , | 2 Comments

Create a free website or blog at WordPress.com.