Posts Tagged With: ધ્યાન

લેખ 41 ધ્યાનના ફાયદા વિશેષતઃ કોરોના સંદર્ભે – ભાગ 2 – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

જે સંદેહ ગયા સપ્તાહમાં દર્શાવેલો તે રીતે જ કોરોના દુનિયાભરમાં આગળ વધી રહ્યો છે. ઇટાલીની સરકારે તો હથિયાર નીચે મૂકી દીધા છે. રોમ, મિલાન અને ફ્લોરેન્સના જે રસ્તાઓ પર, જે બજારમાં, વેનિસની જે નહેરમાં યુરોપ પ્રવાસ દરમ્યાન ફરેલા,અભિભૂત થઈ ગયેલા, જે શિલ્પ અને બસ્ટ જોઈ વિચાર્યા કરતાં હતાં કે કેવા હશે આ નાના અમથા દેશના લોકોના જીન્સ કે જેમના દ્વારા દુનિયાને અપ્રતિમ વસ્તુઓની ભેટ મળી છે – તે દેશ આજે બરબાદ થવા બેઠો છે. અન્ય કારણો સિવાય મહદ અંશે લોકોની બેકાળજી કારણભૂત છે તેવું મીડિયા રિપોર્ટ પરથી સમજાય છે. ફરી એક વાર યાદ રાખીએ કે આ સમય અગાસીમાં ભેગા થવાનો, મિત્રોને ભેગા કરી કેરમ કે ક્રિકેટ રમવાનો નથી પરંતુ ઘરમાં રહી જાતને, કુટુંબને અને દેશને મદદ કરવાનો છે, નવું કંઈ શીખવાનો છે, કુદરત એ સંકેત આપી રહી છે કે થોડું થોભો, વિચારો, જીવન જીવવાની પદ્ધતિમાં જે કંઈ બદલાવ લાવવાનો હોય તે લાવો.

વાયરસ જતો રહેશે, સાર્વત્રિક માનસિક પ્રભાવ છોડતો જશે. ભયનો માહોલ બહુ જ ઝડપથી ડિપ્રેસનના માહોલમાં બદલાય તેવા સંકેત મળી રહ્યા છે.. હાલના સંજોગો એવા છે કે કોઈ ખુલ્લે આમ સ્વીકારી રહ્યું છે કે મને ભય લાગે છે, કોઈ સંતાડી રહ્યું છે. જેને પોતા માટે ભય ન હોય તેવા લોકો પણ કુટુંબીઓ અને મિત્રો માટે ચિંતિત છે.

સામાજિક જોડાણ:

સુખી અને સ્વસ્થ રહેવું છે તો શું જરૂરી છે? મોટા ભાગના લોકો જવાબમાં કહેશે કે પૂરતી ઊંઘ, પૌષ્ટિક ખોરાક અને વ્યાયામ આ માટે આવશ્યક છે. ઓછું ધ્યાન જાય છે તેવો એક મુદ્દો છે સામાજિક જોડાણ.

આપણે અંતમાં તો સામાજિક જીવ છીએ; ખુશીની પળોમાં પણ કોઈના સાથની આવશ્યકતા રહે છે અને દુઃખ-દર્દની પળોમાં પણ કોઈની જરૂર તો રહે જ છે. ન્યુક્લિઅર કુટુંબો વધ્યાં છે તેની સાથે-સાથે જ ડિપ્રેસનના કેઈસ પણ વધ્યા છે. અનેક વ્યક્તિઓને તો એ ખ્યાલ પણ નથી કે તેમના મૂડના ચડાવ-ઉતાર એ જ દર્શાવે છે કે તેઓ ડિપ્રેસનના તબક્કામાં પહોંચી ચુક્યા છે.*

આ વિષયમાં વિશ્વની ખ્યાતનામ સંસ્થાઓએ કરેલ અભ્યાસ એવું દર્શાવે છે કે અન્ય વ્યક્તિઓ સાથેના જોડાણની લાગણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, ખુશી આપે છે અને આયુષ્ય વધારે છે; એકલા રહેવાથી ભૂતકાળમાં ડૂબવાની અને ભવિષ્ય વિશે ચિંતા કરવાની સહજ મનોવૃત્તિને કારણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કથળી શકે છે.

એકાંત શા માટે તકલીફ કરે અને ધ્યાન એ તકલીફ કઈ રીતે દૂર કરે તે ન્યુરો સાયન્સની આંખોથી સમજીએ.

મગજનો એક ભાગ છે ‘Parietal Lobe’ – પેરાયટલ લૉબ. જયારે ઍંકલવાયું પડી ગયાની લાગણી જન્મે ત્યારે આ ભાગ ગરમ થઈ જાય. મોટરકારનું રેડિએટર ગરમ થઈ જાય અને તેને પાણી નાખી ઠંડુ ન પાડીએ તો કારના એન્જીનમાં શું થાય? બરાબર આ જ રીતે આ મગજનો આ ભાગ ઠંડો ન પડે તો શરીરના એન્જીનને નુકશાન કરે.

ધ્યાન અહીં મદદે આવે. તિબેટી લામાઓ પર વૈજ્ઞાનિકોએ અસંખ્ય અભ્યાસ કર્યા છે, શ્રેષ્ઠ મેડિકલ ઉપકરણોની મદદથી કર્યા છે. વૈજ્ઞાનિક ડો. એન્ડ્ર્યુ ન્યુબર્ગે ધ્યાન દરમ્યાન એકાંતમાં રહેતા તિબેટી સાધુઓના મગજ પર આવા અભ્યાસ કર્યા. અનેક આશ્ચર્યજનક વસ્તુઓ જોવા મળી. સૌધી વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે આ સાધુઓના પેરાયટલ લોબ્સ અત્યંત ઠંડા હતા જે દર્શાવતા હતા કે એકાંતની કોઈ નકારાત્મક અસર તેમના પર થઈ ન હતી.

હિન્દુસ્તાનમાં તો આવા અભ્યાસ વગર પણ આપણે જાણીએ જ છીએ કે હિમાલય અને અન્ય સાધનાસ્થળોએ મહાત્માઓ વર્ષો સુધી એકલા જ રહે છે, ધ્યાન કરે છે અને કોઈ દિવસ સાંભળ્યું નથી કે ત્યાં એકલા રહ્યા માટે ડિપ્રેસનમાં ગયા કે આપઘાત કર્યો. એ જ પ્રમાણે હાલના લોક ડાઉનના સંજોગોને જ નજર સમક્ષ રાખીએ તો નિયમિત ધ્યાન કરનારા લોકોને આ રીતે ઘર બહાર ન નીકળવા મળે તો કોઈ તકલીફ પડતી હોય તેવું લાગતું નથી જયારે અન્ય ઘણા લોકો ૪ દિવસમાં જ કંટાળી ગયા છે અને વાયરસની ગંભીરતાને અવગણીને પણ સોસાયટીમાં અથવા મિત્રો સાથે ભેગા થઈ ગપ્પા મારવા બેસી જાય છે, ક્રિકેટ કે બેડમિન્ટન રમે છે.

ચિંતા:

જયારે નકારાત્મક સમાચારોનો તોપમારો ચાલતો હોય ત્યારે અર્ધજાગૃત મનને તેનાથી સુરક્ષિત રાખવું મુશ્કેલ તો છે જ. બહારથી આ તોપમારો અને અંદરથી દિવસના 60,000 વિચારોની મશીનગન. યાદ તો હોય કે ‘ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન”; છતાં ચિંતા થાય. ચિંતા થાય એટલે શારીરિક, માનસિક, સામાજિક ઘાતક પરિણામો પણ આવી શકે.

આ લખી રહ્યો છું ત્યારે જ એક દુઃખદ સમાચાર મળ્યા છે. શ્રીલંકાથી પાછા ફરેલ એક 35 વર્ષની વ્યક્તિને ‘હોમ ક્વોરેન્ટાઇન’ તરીકે 14 દિવસ માટે રહેવાનું હતું. તેણે ૨૦૧૦માં માનસિક સ્વાસ્થ્ય માટે સારવાર લીધેલી અને ત્યાર બાદ એક સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવતો હતો, શ્રીલંકામાં તેનો વ્યવસાય હતો. હાલના સંજોગોમાં ધંધામાં નુકસાન જશે તે વિચાર તેને સતત સતાવતો હતો. તેમાં એકાંતમાં રહેવાનું આવ્યું. કદાચ વિચારોનું બોમ્બાર્ડિંગ થયું. પરિણામ ઘાતક આવ્યું. તે દિગંબર અવસ્થામાં ઘરની બહાર દોડી આવ્યો અને પાડોશમાં રહેતાં, પોતાના ઘરના ઓટલા પર બેઠેલા 80 વર્ષના વૃદ્ધાને એટલી તાકાત સાથે બટકું ભરી લીધું કે તે વૃદ્ધાનું અવસાન થઈ ગયું. ચિંતાને કારણે તેનું ડિપ્રેસન ફરીથી જાગી ઉઠ્યું અને આ હદ સુધી પહોંચી ગયું.

ધ્યાન કરીએ તો ચિંતા ઘણી ઓછી થાય. શા માટે?

1) એમીગ્ડાલા:

લેખ ક્રમાંક ૪૦માં જણાવેલું કે “એમીગ્ડાલા નામનો મગજનો એક ભાગ છે જે વિવિધ વિચારોને લેબલ લગાવે, અલગ-અલગ લાગણીમાં રૂપાંતરિત કરે………………નિયમિત ધ્યાનની આદત વાળા મગજમાં કોઈ અતિ વિશેષ જરૂર પડે તો જ એમીગ્ડાલા કામે લાગે, નહીંતર શાંતિથી બેઠું રહે, વિચારોને જલ્દી-જલ્દી પ્રોસેસ કરી લાગણીમાં ફેરવવાની તસ્દી ન લે. પરિણામે કાલ્પનિક ભય અને ચિંતામાં ડૂબી જઈએ તેવી શક્યતા ઓછી રહે.’

2) મગજના તરંગો:

આ અંગે વિસ્તૃત ચર્ચા લેખ ક્રમાંક ૩૧માં કરી છે. વિચારો, મૂડ અને લાગણીઓ (ખાસ કરીને અસ્વસ્થતા) આ તરંગો દ્વારા માપી શકાય. EEG (ઇલેક્ટરોએન્સેફેલોગ્રાફ) દ્વારા આ ખ્યાલ આવે.

ચિંતાતુર છીએ, ભય અનુભવીએ છીએ તો સમજવાનું કે “બીટા” (13 – 40 hertz) તરંગોનું પ્રાધાન્ય છે. ધ્યાન કરીએ તેમ આ તરંગો અપગ્રેડ થાય. આગળના તરંગો છે આલ્ફા, થિટા, ડેલ્ટા. ધ્યાન દ્વારા આલ્ફામાં તો પહોંચી જ જવાશે, તેનાથી આગળ પણ ધ્યાનની નિયમિતતા અને સમયગાળો વધવા સાથે જઈ શકાશે. પરિણામે મગજ શાંત રહેશે, સર્જનાત્મકતા વધશે, આત્મવિશ્વાસ વધશે અને ફાયદાઓની હારમાળા શરુ થશે.

3)એંડોર્ફીન્સ (Endorphins):

આ એવા ન્યુરોટ્રાન્સમીટર છે જેનું ઉત્પાદન મગજ અને કરોડરજ્જુમાં થાય. મૂડ સારો રાખવો હોય, તણાવ ઘટાડવો હોય, શારીરિક-માનસિક પીડા ઓછી/દૂર કરવી હોય, ઊંઘ સારી જોતી હોય તો એંડોર્ફીન્સ પર્યાપ્ત હોવા જોઈએ.

ધ્યાનને કારણે એંડોર્ફિનનું લેવલ ઊંચું આવે છે તે અનેક પ્રકારના અભ્યાસોમાં ખ્યાલ આવ્યો છે. કોઈ વ્યક્તિ ધ્યાનનું સેશન પૂરું કરે પછી તેના ચહેરા પર એક અલગ ચમક ઘણી વખત જોઈએ હશે. તેના પરથી પણ આ સમજી શકાશે.

ડિપ્રેસન:

ભય અથવા ચિંતાના વિચારો મનુષ્યને અંતમાં ખેંચી જાય ડિપ્રેસન તરફ. ડાયાબિટીસની માફક જ ડિપ્રેસન બહુ જ જલ્દી ઘર-ઘરનો રોગ હોઈ શકે. WHO દ્વારા તો આ અંગે ચેતવણી મળી જ છે અને બાકી વધ્યું તો નવા મજબૂત કારણો મળ્યા. ઢાળ હતો અને કોઈએ ધક્કો માર્યો તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ ઢાળ પર પણ ગબડીએ નહિ તેવી ઢાલ એક સારી આભા-ઓરા દ્વારા મળી શકે; આવો ઓરા તૈયાર થઈ શકે ધ્યાન દ્વારા. કઈ રીતે?

મગજમાં બંને બાજુ હીપોકેમ્પસ (Hippocampus) નામનો એક ભાગ હોય. એટલો અગત્યનો છે કે તેને ‘મગજનું હૃદય’ કહી શકાય. ટૂંકા કે લાંબા ગાળાની યાદશક્તિ આ ભાગ પર આધારિત હોય. અહીં જે ગતિવિધિ થતી હોય તે દ્રષ્ટિ, શ્રવણશક્તિ અને સ્પર્શની ઇન્દ્રિયોને પણ અસર પહોંચાડે. અલ્ઝાઈમર્સનું લેવલ શું છે તે જાણવા માટે હીપોકેમ્પસનું કદ માપવામાં આવે. ડિપ્રેસનની સ્થિતિ હીપોકેમ્પસને 20% જેટલો સંકોચી શકે. સ્કિઝોફ્રેનિયા દરમ્યાન પણ અહીં ન્યુરૉન્સની સંખ્યા એકદમ ઓછી થઈ જાય.

ડીપ્રેશનમાંથી બહાર આવવું હોય અથવા ડિપ્રેશનની સ્થિતિ ઉત્પન્ન જ ન થાય તેવી બાહેંધરી જોતી હોય તો હીપોકેમ્પસના ન્યુરૉન્સને મજબૂત કરવા જોઈએ, ત્યાં પૂરતી સંખ્યામાં ન્યુરૉન્સ હોવા જોઈએ. કમનસીબે એના માટે કોઈ જિમ બન્યું નથી. સાઇકિયાટ્રિસ્ટ એન્ટી-ડિપ્રેસન્ટ દવા આપે જેનાથી ત્યાં નવા ન્યુરૉન્સ બને. આ દવાઓ ના છૂટકે જ લેવાની હોય કારણ કે તેની આડઅસરો ખતરનાક છે; એક તો તેના ગુલામ થઈ જવાય, વજન વધે, ભૂખ પર અસર પડે, કબજિયાત થઈ શકે, જાતીય ઉત્તેજના અને લાગણી બંને ખતમ થતા જાય, મોઢું સુકાય, મૂડમાં બ્રિટનની આબોહવા જેવા ફેરફારો આવે, થાક લાગે જેવી અનેક અસરો થાય.

અનેક લોકો પર થયેલ અભ્યાસ એ દર્શાવે છે કે બે મહિના જેટલા ટૂંકા ગાળા સુધી કરેલ ધ્યાન બાદ પણ હિપોકૅમ્પસ પરના ન્યુરૉન્સની ઘનતા(Density), જાડાઈ અને તે ભાગના કદમાં આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો છે.

જેમ વાયરસના હુમલાની આગાહી અતીન્દ્રિય શક્તિ ધરાવનાર વિશિષ્ટ લોકોએ અને સંતોએ કરેલ તેમ ભવિષ્યમાં ડિપ્રેસનના વ્યાપની આગાહી સંતો અને WHO તરફથી થયેલી જ છે, નજર સમક્ષ અનેક કિસ્સાઓ આવી રહ્યા છે, 10-12 વર્ષના બાળકો પણ ‘મને ડિપ્રેસન આવે છે’ તેમ બોલતાં થઈ ગયા છે ત્યારે સમય આવી ગયો છે કે ધ્યાનને સ્નાન અને ભોજનથી પણ વધુ પ્રાથમિકતા આપીએ.

*બીટલ્સ ગ્રુપના સહસ્થાપક જ્હોન લેનન દ્વારા લિખિત લાગણીઓથી છલોછલ અને અપ્રતિમ માધુર્ય સાથે ગવાયેલ અતિ પ્રખ્યાત ‘Imagine’ ગીતના શરૂઆતના શબ્દો છે:

“Imagine there’s no heaven

It’s easy if you try

No hell below us

Above us only sky

Imagine all the people living for today”

(અહીં સાંભળી શકો છો).

છેલ્લું વાક્ય સાચું પડી શકે જો દરેક વ્યક્તિ ધ્યાન કરતી થાય અને ‘આજ’ કરતાં પણ વધુ ‘અત્યારની ઘડી’ માટે જીવવાનું શરુ કરે. ભય અને ચિંતા તો કાલ્પનિક છે, ભવિષ્યના વિચારોમાંથી ઉદ્ભવેલ છે.

*અંતમાં, આ સાથે એક લિંક મુકેલી છે જેમાં કોરોનાના સંદર્ભમાં ધ્યાન વિષે પ.પૂ. શ્રી શિવકૃપાનંદજીનો એક ઇન્ટરવ્યૂ છે જે ઘણું માર્ગદર્શન આપી શકશે.

,

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

લેખ 40 ધ્યાનના ફાયદા વિશેષતઃ કોરોના સંદર્ભે – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ધ્યાનના ફાયદા વિષે લેખ ક્રમાંક 2૩, 24 અને ૩5માં ચર્ચા થઈ છે. આમ છતાં અગણિત ફાયદાઓ પૈકી અમુક વિષે જ વાત થઈ શકી છે. હાલમાં વિશ્વભરમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેના વિશેષ સંદર્ભે થોડા અન્ય ફાયદાઓ, બીજા અર્થમાં આ વાયરસને અનુલક્ષીને ધ્યાનની આવશ્યકતા સમજવાનો પ્રયત્ન આજે કરીશું.

વિશ્વ આખું ચીસાચીસ કરી રહ્યું છે કોરોના… કોરોના…. કોરોના !!!! છે તો આખરે એક વાયરસ. પરંતુ તમામ આધુનિક વિજ્ઞાનની શોધ તેની સામે વામણી બની ગઈ છે. ફરી બધાને વૈદિક કાળ અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓ યાદ આવી ગઈ છે. એ જ પરંપરા હેઠળ ધ્યાન એક અનિવાર્ય વસ્તુ હતી. શા માટે? કોરોનાના પરિપેક્ષમાં સમજીશું.

કોરોના વિષે શા માટે સરકાર શા માટે આટલી ચિંતિત છે? ગુજરાતમાં ગઈ કાલે એક દિવસમાં આંકડો ડબલ થયો છે. ફક્ત એટલું સમજવાની જરૂર છે કે દરરોજ નહિ પરંતુ દરેક સપ્તાહમાં પણ જો આ આંકડો ડબલ થતો જાય તો 38 સપ્તાહમાં તો આખું ભારત આ વાયરસની લપેટમાં આવી જાય. 1ના આંકડાને ડબલ કરતા જઈએ તો ૩8માં દિવસે 1૩7કરોડનો જંગી આંકડો આવે. આ ખ્યાલમાં રાખીએ તો સાવચેતીના શું પગલાં લેવાં જોઈએ તેના વિષે થોડી વધુ ગંભીરતા આવશે. ધ્યાન આ પગલાંઓનો જ એક ભાગ બની શકે.

કોરોનાની થોડી જાણીતી અને થોડી કદાચ ધ્યાન ન પડ્યું હોય તેવી અસર પર એક નજર ફેરવીએ. ત્યાર બાદ એ અસરથી બચવામાં ધ્યાન કઈ રીતે મદદ કરે તે સમજીએ.

કોરોનાની સંભવિત શારીરિક અસર:

ખાંસી, તાવ, શરીર અને માથાનો દુઃખાવો, શ્વસનતંત્રમાં તકલીફ, પાચનતંત્રમાં ગરબડ, ન્યુમોનિયા વિગેરે. વાયરસ ફેફસામાં પગપેસારો કરે, થોડા સેલને બગાડે અને પછી આવા સેલ બાજુના સેલને પોતાની તરફેણમાં કરતા જાય, આવા દુષિત સેલનું આખું લશ્કર ઉભું થાય અને શરીરની અંદર ત્રાહિમામ મચાવી દે, કોઈ-કોઈ કિસ્સામાં જીવ લઈને જંપે. ચક્રોની ભાષામાં વાત કરીએ તો બધાં ચક્ર ઊંધાં -ચત્તાં કરી નાખે. દવાની શોધ તો હજી થઈ નથી, ક્યારે થશે તે કોઈને ખબર નથી.

માનસિક અસર

આ અસરો વધુ ઘાતક છે કારણ કે વાયરસ લાગુ ન પડ્યો હોય તેને પણ થઈ શકે; હકીકતમાં થઈ રહી છે તે ચારે બાજુ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. લોકો એક અજ્ઞાત ભય અને ચિંતાના ઓથાર હેઠળ જીવતા થઈ ગયા છે. ભયની સીધી અસર પાચનતંત્ર પર એટલે કે નાભિચક્ર પર છે. ત્યાર બાદ કિડની પર.

દિવસે-દિવસે તણાવ વધતો જાય છે. કોરોનાએ તેનું જડબું ફાડ્યું તે પહેલાં WHO દ્વારા અંદાજ મુકવામાં આવ્યો હતો કે દુનિયામાં દરેક 5 વ્યક્તિમાંથી એક 2020ના અંત સુધીમાં ડિપ્રેસનથી પીડાતી હશે. અંદાજ સુધારવો પડશે. શું મુકવો પડશે તે તો આવનારો સમય જ કહી શકશે. દિવસે પણ ભેંકાર રસ્તાઓ જોઈએ એવું લાગે છે કે પૌરાણિક કથાઓમાં વાંચતાં તેમ કોઈ રાક્ષસ કોઈ એક ગામ, શહેર, રાજ્ય કે દેશ નહિ પરંતુ સમગ્ર વિશ્વને ઓહિયાં કરવા નીકળી પડ્યો છે અને તેનાથી બચવા બધાં ઘરમાં ભરાઈ ગયાં છે. મારા એક સહકર્મી દ્વારા ગઈ કાલે બોલાયેલા શબ્દો છે: “ખબર નથી 2021 કેટલા લોકો જોશે?” ભલે આ શબ્દો નિરાશાજનક હોય, તે એ વાતના સૂચક તો છે જ કે ડર કેટલી હદે વધી રહ્યો છે. ચીનમાં 24 X 7મેન્ટલ હેલ્પલાઇન ઉભી કરવી પડી છે. માનસિક સ્વાસ્થ્ય અને ચિંતાના એટલા બધા કેઈસ હાલમાં ઉભા થઈ રહ્યા છે કે સમગ્ર ઉત્તર અમેરિકામાં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ, USA દ્વારા હવન અને પ્રાર્થનાનાં આયોજન થઈ રહ્યા છે. લોકો એક-બીજા પરથી વિશ્વાસ ગુમાવી ચુક્યા છે. અચાનક દરેક વ્યક્તિ અછૂત થઈ ચુકી છે. 14 કલાકના જનતા કર્ફ્યુમાં પરિવાર સાથે રહેવાનું હોવા છતાં કેટલાં બધાં લોકો મુંજાઈ ગયા છે કે સમય કેમ પસાર કરીશું! તો 14 દિવસ ક્વોરેન્ટાઇન થયેલ લોકોની માનસિક સ્થિતિ શું હશે? આવનારા દિવસોમાં લાંબા ગાળા સુધી ઘરની દીવાલો વચ્ચે બંધ રહેવાનું જો થાય તો તણાવનું લેવલ ક્યાં પહોંચશે! આ બધું ઓછું લાગતું હોય તેમ આર્થિક મંદી અને તેની માનસિક અસરો તો આવનારા દિવસોમાં ડાયનાસોર સાબિત થઈ શકે તેમ છે. તણાવ હેઠળ વડીલો ઘરમાં જે સંવાદો દ્વારા ભય વ્યક્ત કરી રહ્યા છે તેની બાળકો પર શું અસર થઈ રહી હશે અને તેઓ પુખ્ત થયા પછી પણ આ વાતોની અર્ધજાગૃત મન પર શું અસર રહેશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. અમર્યાદિત વસ્તી અને તેની સરખામણીમાં સીમિત આરોગ્ય સુવિધાઓને કારણે યુરોપ કરતાં પણ વધુ પડકાર ભારત સામે છે.

આ બધા પડકાર સામે જમા પાસાંમાં ભારત પાસે હજારો વર્ષોનો આધ્યાત્મિક વારસો અને અનેક સંત-મહાત્માઓના તપોતેજનું પીઠબળ છે જે અદ્રશ્ય રીતે હંમેશા દેશના ઉત્કર્ષમાં અને અનેક આફતોમાંથી બહાર કાઢવામાં નિમિત્ત બને છે. ‘ભવિષ્યમાં વિષાણુઓનો હુમલો થશે’ તે આગાહી આવા એક મહાત્મા પ.પૂ. સ્વામી શિવકૃપાનંદજી દ્વારા છેક 2004માં થયેલી અને મધુચૈતન્ય નામના સમર્પણ ધ્યાન પરિવારના એક હાઉસ મેગેઝીનમાં છપાયેલી. ભારત પાસે વધુમાં આયુર્વેદ જેવી પ્રાચીન પદ્ધતિ છે જેમાં તમામ પ્રકારના રોગને જડમૂળથી કાઢવાની અને થતો અટકાવવાની કોઈ ને કોઈ રીત તો છે જ.

નિર્વિવાદ છે કે જો શરીરની રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનીટી) સારી હોય તો કોઈ પણ વાયરસ અસર કરે નહિ અથવા ઓછી કરે.

આ શક્તિના લશ્કરમાં મનુષ્ય પાસે બે સેનાપતિ હોય. એક કહેવાય T સેલ અને બીજાને કહેવાય એન્ટિબોડી (AB). કોઈ પણ બેક્ટેરિયા, વાયરસ તેનું લાવલશ્કર લઈ શરીર પર ચડાઈ કરવા આવે એટલે શરીરના આ બંન્ને પરાક્રમી યોદ્ધા મિસાઈલ્સ છોડી તેનો ખાત્મો કરી નાખે. આ બંને સેનાપતિઓ અને તેમનું લશ્કર જ્યાં સુધી મજબૂત ત્યાં સુધી શરીરની ઇમ્યુનીટી અખંડિત.

ધ્યાનની અસર ઇમ્યુનીટી પર શું થાય?

T સેલ્સના લશ્કરમાં એક CD4 નામનો સૈનિક છે. તેનું કામ HIV વાયરસ સામે લડવાનું. જો આ સૈનિક થાકી જાય તો HIV વાયરસ તેનો ખાત્મો કરી નાખે. આ સંજોગોમાં વ્યક્તિને એઇડ્સ થાય.

યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા (UCLA) દ્વારા આ ધ્યાનની અસરો HIV વાયરસ પર કેવી થાય તેનો 50 HIV પોઝિટિવ વ્યક્તિ પર અભ્યાસ કરવામાં આવ્યો. તારણ નીકળ્યું કે 8 સપ્તાહના ૩0થી 45 મિનિટના દૈનિક ધ્યાનમાં જ CD4 T સેલ્સમાં થતો ઘટાડો નોંધપાત્ર રીતે રોકાઈ ગયો, રોગ આગળ વધતો પણ રોકાઈ ગયો. બીજા એક અભ્યાસમાં તારણ નીકળ્યું કે આ ફાયદો ડોઝ સેન્સિટિવ છે એટલે કે જેમ ધ્યાનની અવધિ વધુ અને દિવસો વધુ એટલે કે નિયમિત ધ્યાન, તેમ CD4 T સેલ પણ વધુ. સીધો અર્થ એ નીકળ્યો કે નિયમિત ધ્યાન કરીએ તો રોગ પ્રતિકારક શક્તિનું લશ્કર વધુ શક્તિશાળી.

આ પ્રકારે પ્રયોગ તંદુરસ્ત લોકો પર અમેરિકાની વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સીટીમાં થયા. 2 મહિનાના ધ્યાનમાં જ આશ્ચર્યજનક પરિણામો એન્ટિબોડી (AB) પર જોવા મળ્યા. ઇમ્યુનીટી સાથે સંબંધિત left-sided anterior નામનો મગજનો એક અત્યંત અગત્યનો ભાગ ખૂબ જ વધુ કાર્યરત થઈ ગયેલો જોવા મળ્યો.

બીજા અમુક અભ્યાસમાં મગજના ભાગો જેવા કે કે prefrontal cortex, right anterior insula, right hippocampus પર ધ્યાનની બહુ જ હકારાત્મક અસર જોવા મળી છે. આ બધા ભાગ એવા છે કે જે ઈમ્યુનીટીના ‘કમાન્ડ સેન્ટર’ કહી શકાય. જો આ ભાગ વધુ આંદોલિત થાય તો ઇમ્યુન સિસ્ટમની કાર્યક્ષમતા વધી જાય. વિવિધ અભ્યાસ દ્વારા એ જોવા મળ્યું કે ધ્યાન દ્વારા આ બધા જ ભાગમાં વિદ્યુત તરંગો નોંધપાત્ર રીતે વધી જાય છે.

ધ્યાન અને ભય:

ભયની લાગણી ક્યાંથી જન્મે? એમીગ્ડાલા નામનો મગજનો એક ભાગ છે જે વિવિધ વિચારોને લેબલ લગાવે, અલગ-અલગ લાગણીમાં રૂપાંતરિત કરે. આ રૂપાંતર વ્યક્તિના અર્ધજાગૃત મનમાં છુપાયેલ અનુભવોના આધારે થાય. કોઈ પ્રકારના વિચારોને આ ભાગ ભયમાં પણ રૂપાંતરિત કરે. ભય આખરે તો એક વિચાર જ છે ને ! આ ભાગમાં જો ગતિવિધિ ઓછી થાય તો વિચારોનું લાગણીમાં રૂપાંતર ઓછું થાય. ધ્યાનને કારણે એક તો વિચારો ઘટ્યા હોય અને વધુમાં એ વિચારોને લાગણીમાં તાત્કાલિક રૂપાંતર કરવાની ટેવ ઓછી થઈ ગઈ હોય, વિચારને લાગણીથી અલગ રાખવાની ક્ષમતા વધી ગઈ હોય. રોજબરોજની જિંદગીમાં જોઈએ તો નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિમાં લાગણીઓના ચડાવ-ઉતાર પ્રમાણમાં ઓછા અનુભવાશે. સ્વાભાવિક રીતે જ મગજ એ રીતે કાર્ય કરવા માંડ્યું હોય કે કોઈ તકલીફ કરે તેવી ઘટનામાં પણ ધ્યાન કરવાને ટેવાયેલું મગજ કોઈ સારી વાત શોધી કાઢે અથવા તો આ વિચારને સાક્ષીભાવથી જુએ, તેને કોઈ ભાવનામાં રૂપાંતરિત ન કરે. નિયમિત ધ્યાનની આદત વાળા મગજમાં કોઈ અતિ વિશેષ જરૂર પડે તો જ એમીગ્ડાલા કામે લાગે, નહીંતર શાંતિથી બેઠું રહે, વિચારોને જલ્દી-જલ્દી પ્રોસેસ કરી લાગણીમાં ફેરવવાની તસ્દી ન લે. પરિણામે કાલ્પનિક ભય અને ચિંતામાં ડૂબી જઈએ તેવી શક્યતા ઓછી રહે.

શ્વસનતંત્ર પર પ્રભાવ

જગજાહેર છે કે કોરોના હથેળી પરથી હુમલો કરે કે નાકમાંથી, અંતે તો પ્રભાવિત કરે છે ફેફસાંને. સ્વશનતંત્ર ડામાડોળ થઈ જાય છે. શરીરને આવશ્યક ઓક્સિજન મળતો નથી. તેના દર્દીને ઓક્સિજનના બાટલા ચડાવવા પડે છે, વેન્ટિલેટર પર રાખવા પડે છે. હવે તો વેન્ટિલેટર પણ ખૂટી પડ્યાં છે અને હોસ્પિટલોમાં ઓક્સિજનનો સ્ટોક ખાલી થઈ ગયો તેવા સમાચારો કમનસીબે આવી રહ્યા છે. આ સંજોગોમાં શરીરમાં ઓક્સિજનની આવશ્યકતા જ જો ઓછી રહે તો કેવું સારું !

હાર્વર્ડ જેવી પ્રખ્યાત સંસ્થાઓ દ્વારા જે અભ્યાસ થયા છે તેમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત ધ્યાન કરે છે તે લોકોની પ્રાણવાયુની જરૂરિયાત નોંધપાત્ર રીતે ઓછી રહે છે. સામાન્ય વ્યક્તિની એક મિનિટમાં આશરે 12થી 16 શ્વાસની આવશ્યકતા સામે ધ્યાન કરનાર વ્યક્તિની તે આવશ્યકતા 4થી 8 શ્વાસની જ રહે છે. ધ્યાન દરમ્યાન તો 1થી 2 શ્વાસ પણ થઈ શકે. બીજા શબ્દોમાં કહી શકાય કે આવી વ્યક્તિના કોષોને ઓછા પ્રાણવાયુથી પણ સંતોષ છે. પ્રાણવાયુની આવશ્યકતા ઓછી રહે તે વાતનું આથી મોટું પ્રમાણ ક્યુ હોઈ શકે !

આ ચર્ચાને આજે અહીં અટકાવીએ. ચર્ચાના મહત્ત્વના મુદ્દા યાદ કરીએ.

1) કોરોના અનેક લોકોની ધારણા કરતાં વધુ ખતરનાક સાબિત થઈ શકે. જો રોકી ન શકાય તો 6/8 મહિના જેવા ટૂંકા ગાળામાં જ સંપૂર્ણ દેશને પણ અસર કરી શકે.

2) શારીરિક અસરો તો વાયરસથી પ્રભાવિત દર્દી પર છે પરંતુ તેનાથી વિશેષ ઘાતક માનસિક અસરો સમગ્ર માનવજાત પર છે.

૩) જયારે દવા શોધાઈ નથી ત્યારે સાવચેતી રાખવી અને ઇમ્યુનીટી વધારવી તે જ એક ઉપાય છે.

4) ઇમ્યુનીટી વધારવા માટે અને માનસિક (પરિણામે શારીરિક પણ) ઘાતક અસરો પર અંકુશ મેળવવા માટે ધ્યાન અતિ ઉપયોગી સાબિત થઈ શકે.

ક્રમશઃ

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

લેખ 39 – મૃત્યુનું ધ્યાન – ભાગ ૨ – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

મૃત્યુ કરતાં મૃત્યુનો ભય ખતરનાક છે. કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં ઉભું થયેલું ભૂતાવળ જેવું વાતાવરણ આ વાતની પુષ્ટિ કરી રહ્યું છે. ભયની અસર તો જુઓ – ખાલી પડેલા શહેરો ના શહેરો, ટોયલેટ પેપરની અછત ઉભી થશે તેવી માન્યતાથી પ્રેરાઈને તેના માટે વિશ્વના અનેક દેશોમાં થઈ રહેલી પડાપડી અને તેના માટે હોંગકોંગમાં પડેલી સશસ્ત્ર ધાડ; આવું તો બીજું ઘણું.

આજે મૃત્યુ ધ્યાન દ્વારા મૃત્યુનો જ ડર ખતમ કરી દઈએ. આ ધ્યાનના પહેલા તબક્કામાં શું કર્યું તે યાદ કરીએ.

વહેલી સવારનો સમય પસંદ કર્યો.

કપડાં ન પહેર્યાં અથવા બને તેટલાં ઓછાં પહેર્યાં

શરીર કડક સપાટી પર એ સ્થિતિમાં ગોઠવ્યું કે જે પ્રમાણે મૃત્યુ વખતે રાખવામાં આવે છે.

થોડા ધીરા શ્વાસ સાથે શરીરને શાંત કર્યું.

ઊંડા શ્વાસ લઈ સાથે-સાથે સ્નાયુઓ ખેંચ્યા, શ્વાસ રોકી ખેંચાણ અનુભવ્યું , શ્વાસ છોડતી વખતે સ્નાયુઓને ઢીલા કર્યા.

શબાસનની સ્થિતિમાં થોડી વાર રહ્યા.

*તબક્કો 2: *

હવે કલ્પનાશક્તિને ધાર કાઢીએ, હિંમતને દાવ પર લગાવીએ. આબેહૂબ કલ્પના કરીએ -‘મારું મૃત્યુ થઈ રહ્યું છે.’ જેટલી તીવ્ર કલ્પના તેટલું ધ્યાન ગહન.

શું થઈ રહ્યું છે?

બંધ આંખે સર્વ પ્રથમ શરીરના સૌથી નીચેના ભાગ પર ધ્યાન ગયું. જ્યાં ધ્યાન ગયું તે ભાગ જડ થઈ રહ્યો છે, થોડી ઊર્જા ત્યાંથી બહાર જઈ રહી છે, થોડી ઉપર ચડી રહી છે. ધીરે-ધીરે આ ભાગમાંથી ચૈતન્ય હણાઈ ગયું છે. વિચારોના કહ્યામાં આ ભાગ હવે નથી. ધારીએ તો પણ પગની આંગળી કે પંજો હલાવી શકતા નથી, એ ભાગ લાકડા જેવો થઈ ગયો છે, બાકીના શરીરથી જુદો છે, ચેતાતંત્રનો ભાગ જ નથી.

ધ્યાન થોડું ઉપર જઈ રહ્યું છે. આ ભાગ પણ ચેતના ગુમાવી રહ્યો છે, ત્યાં લોહી ફરતું બંધ થઈ ગયું છે. ગોઠણ સુધીનો ભાગ સંપૂર્ણ રીતે મૃત થઈ ગયો છે, બાકીના શરીર સાથે તેનો કોઈ સંપર્ક નથી, કોઈ આ ભાગ કાપી શરીરથી જુદો પાડી દે તો પણ કોઈ દર્દ થાય તેમ નથી.

ધ્યાન સાથળ સુધી આવ્યું. ઓહ, આ શું થઈ રહ્યું છે, આ ભાગ પણ મૃત છે. આ તો એવું થયું કે ‘જ્યાં જ્યાં નજર મારી પડે, મોત ડોકાય ત્યાં ત્યાં.’ ડર લાગી રહ્યો છે. અચાનક સ્વામી વિવેકાનંદના શબ્દો “ડરપોક કભી યોગી નહિ બન સકતા.” યાદ આવ્યા. ડર કુતુહલમાં ફેરવાઈ ગયો, એ જાણવા માટે કે હવે શું થવાનું છે.

શરીરના જે પણ ભાગમાં ધ્યાન જઈ રહ્યું છે તે ભાગ મૃત્યુ પામી રહ્યો છે, અચેતન થઈ રહ્યો છે, સંવેદનાવિહીન થઈ રહ્યો છે, હવે તેની પર મનનો કોઈ અંકુશ નથી, લાચાર થઈ જોઈ રહ્યા છીએ, ખાતરી થઈ છે કે આજે મૃત્યુને ભેટવાનું જ છે.

મેહસૂસ થઈ રહ્યું છે કે બધા આંતરિક અવયવો પણ પોતાની પ્રવૃત્તિઓ ધીમી પાડી રહ્યા છે, જાણે કે રાજીનામુ આપવાની તૈયારી. શરીરનું સંપૂર્ણ મેટાબોલિઝમ અટકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નજર સામે મોત દેખાઈ ગયું છે. હૃદયના ધબકારા સ્ટેથોસ્કોપ વગર સંભળાઈ રહ્યા છે.

ધ્યાન માથાની ટોચ પર લઈ ગયા. ઉફ્ફ્ફ, આ શું? ચહેરા અને માથાંમાંથી પણ ઊર્જા સંકોચાઈ રહી છે. હૃદય તરફ પહોંચી રહી છે. જાણે કે કોઈ સૈન્ય ચારે તરફથી કોઈ પ્રદેશને ઘેરી રહ્યું હોય તેમ શરીરના દરેક ભાગમાંથી – હાથ, પગ, પેટ, કિડની, લીવર, આંતરડાં, માથું, ગળું, આંગળીઓ, પીઠ, નાના-મોટા તમામ સ્નાયુઓ અને હાડકાં – પ્રત્યેક જગ્યાએથી ઊર્જા હૃદય તરફ આગળ વધી રહી છે, છાતીના પાટિયાં ભીંસાઈ રહ્યા છે.

શારીરિક રૂપે સંપૂર્ણ નિષ્ક્રિય થઈ ગયા છીએ. *ખાતરી થઈ ગઈ છે કે ખરેખર મરી રહ્યા છીએ, જાતને કહીએ – “હા, હું હવે દેહ છોડી રહ્યો/રહી છું. ઘણી અપૂર્ણ ઇચ્છાઓ છે, સપનાં સાકાર કરવાના બાકી છે, જવાબદારીઓ નિભાવવાની બાકી છે; જયારે હવે હું જીવ છોડી જ રહ્યો/રહી છું ત્યારે આ ઇચ્છાઓ, ભાવનાઓ, સપનાં અને જવાબદારીઓનું કોઈ મહત્ત્વ નથી.” હવે કોઈ ભવિષ્ય નથી, કોઈ ભૂતકાળ નથી. પૃથ્વી પરની ઇનિંગ્સ સમાપ્ત થઈ રહી છે. *

બધા વિચારો દિમાગ પરથી અદૃશ્ય થવા લાગ્યા છે. સ્પષ્ટ ખ્યાલ આવી રહ્યો છે કે વિચારોનું આગવું અસ્તિત્વ ત્યાં સુધી જ હતું જ્યાં સુધી ભૌતિક અસ્તિત્વ રહ્યું.

સમગ્ર ચેતના બધી લાગણીઓના કેન્દ્ર એવા હૃદય પર હવે કેન્દ્રિત થઈ છે. પ્રેમ, દયા, ધિક્કાર, વાસના, ક્રોધ, ઉદારતા, કરુણા – બધું મિશ્રિત થઈ રહ્યું છે. લાગણીઓનું ઘોડાપુર ઉમટ્યું છે.

આ હવે છેલ્લી પાર્ટી છે. ઘણી અભિલાષાઓ બાકી રહી ગઈ છે, ઘણાને ઘણી વાતો કહેવાની રહી ગઈ છે, અનેક લાગણીઓ વ્યક્ત કરવાની બાકી રહી ગઈ છે, જીવનસાથીનો આભાર વ્યક્ત કરવાનો બાકી રહી ગયો છે, તેને જાણતાં-અજાણતાં પહોંચાડેલા દુઃખ માટે માફી માંગવાની બાકી રહી ગઈ છે, કોઈ પર ગુસ્સો કરવાનો હતો તે બાકી રહી ગયો છે, જે ફરજો બજાવવાની હતી તેમાં ક્યાંક ઉણા ઉતર્યા છીએ તેનો અપરાધભાવ પણ સપાટી પર આવી ગયો છે.

આસપાસ એકત્રિત થયેલ લોકોના મત મુજબ તો મૃત્યુ થઈ ચૂક્યું છે, મગજ સંપૂર્ણ ઊર્જા ગુમાવી ચૂક્યું છે, ડોક્ટરોએ ‘ડેડ’ જાહેર કરી દીધેલ છે. એને શું ખબર પડે ! લાગણીઓ તો હજુ ભરી પડી છે.

ખુલ્લેઆમ બધી જ અવ્યક્ત લાગણીઓ વહેવા દઈએ. ત્યાર બાદ તો કોઈ અભિવ્યક્તિ શક્ય નહિ બને. આ જ સમય છે કે જયારે તમામ અભિવ્યક્તિ વિના સંકોચે કરી શકાશે કારણ કે ખુદ સિવાય કોઈ તેને જોઈ શકશે નહિ. અવ્યક્ત ગુસ્સો, પ્રેમ, નફરત, અપરાધભાવના – બધું જ આ મિનિટે જ જે તે વ્યક્તિ સુધી પહોંચાડી દઈએ, અશ્રુધારા થતી હોય તો તે પણ થવા દઈએ, તમામ કડવાશ આજે અનંત બ્રહ્માંડને સમર્પિત કરી દઈએ. કદાચ પુનર્જન્મ લેવાનો હોય તો તે કોઈ યાદો, કોઈ હકારાત્મક કે નકારાત્મક બંધનરહિત હોય તે વ્યવસ્થા આજે જ કરી લઈએ.

આ વિચાર સાથે જ બધી લાગણીઓ સામુહિક રીતે ધીમે – ધીમે હૃદયમાંથી બહાર આવી રહી છે. જયારે સમગ્ર ચેતના જ હૃદયમાંથી બહાર આવી રહી છે ત્યારે ભાવનાઓ શા માટે અંદર રહે? ધીરે-ધીરે ચેતનહીન તો થયા, લાગણીઓથી પણ રિક્ત થઈ ચુક્યા છીએ. હવે છે ફક્ત એક શૂન્યવકાશ.

અત્યાર સુધીમાં શું થયું?

શરીર સંપૂર્ણપણે હળવું બન્યું, વિચારો મગજમાંથી દૂર થયા, છેલ્લે બધી લાગણીઓ અને સંપૂર્ણ ચેતના હૃદયમાંથી બહાર વહી ગયા. હવે પ્રવેશીએ અંતિમ તબક્કામાં.

ત્રીજો તબક્કો.

શરીર પંચ મહાભૂતમાંથી બનેલું છે. પાંચ મૂળ તત્ત્વો એટલે કે જળ,વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ. સમય આવી ગયો છે ફરી થી બ્રહાંડના આ તત્ત્વો સાથે ભળી જવાનો.

નજર સમક્ષ તાદ્રશ્ય થઈ રહ્યું છે કે શરીરમાંથી તમામ પાણી બહાર નીકળી રહ્યું છે, બ્રહાંડના જળતત્ત્વમાં, વિશાળ સમુદ્રમાં શરીરનું જળ તત્ત્વ પાછું ભળી રહ્યું છે.

શરીરમાંથી હવા બહાર આવી રહી છે, વાતાવરણમાં ભળી રહી છે, વાયુ તત્ત્વ તેના મૂળભૂત સ્રોત પર બ્રહ્માંડના વાયુ તત્ત્વમાં પાછું જઈ રહ્યું છે .

ઑસ્ટ્રેલિયાના દાવાનળ જેવી ગગનચુંબી અગ્નિજ્વાળાઓ નજર સમક્ષ દેખાઈ રહી છે. શરીરમાંથી અગ્નિનીજ્વાળાઓ બહાર નીકળી રહી છે અને આ વિશાળ અગ્નિમાં સમાઈ રહી છે.

પૃથ્વી તત્ત્વ પણ હવે છૂટું પડી રહ્યું છે , જમીનની અંદર ઉતરી રહ્યું છે.

હવે ફક્ત ધૂંધળું શરીર નજર સમક્ષ છે જે આકાશ તત્ત્વ દર્શાવે છે. એક સુસવાટા સાથે આ ભાગ પણ ઉડ્યો, અનંત આકાશમાં વિલીન થઈ ગયો.

આ સ્થિતિમાં જ થોડી વાર રહીએ. મૃત્યુ પામ્યા છીએ. શરીર પંચતત્ત્વમાં ભળી ગયું છે. વિચારો ચાલ્યા ગયા છે, ઊર્જા પણ જતી રહી છે, લાગણીઓથી પર થઈ ગયા છીએ, રહીસહી લાગણીઓ પણ વ્યક્ત કરી દીધી છે, કોઈ ઈચ્છા જ બાકી નથી, ભૌતિક અસ્તિત્વ દરમ્યાન આજે અહીં જ છૂટી ગયું છે, આત્મા બહાર નીકળી ગયો છે, ઉપર ચક્કર મારી રહ્યો છે, સાંભળેલી વાત યાદ આવે છે કે હજી ત્રણ દિવસ તો આત્મા અહીં જ ફરતો રહેવાનો છે.

શરીર નિષ્ક્રિય, નિર્જીવ, નકામું થઈ ગયું છે, અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે, . આત્મા મૂક પ્રેક્ષક તરીકે બધું જોઈ રહ્યો છે.

સમાપ્તિ

ધ્યાનસત્ર સમાપ્તિનો તબક્કો શરુ થઈ રહ્યો છે. જરા પણ ઉતાવળ કરવાની નથી. પહેલાં હિંમતની કસોટી હતી, હવે ધીરજના પારખાં થશે. જેમ બહુ ફાસ્ટ દોડ્યા હોઈએ તો ધીરે-ધીરે ઝડપ ઘટાડી સ્વાભાવિક થઈએ તેમ અહીં પણ ધ્યાનમાંથી ધીરે-ધીરે બહાર આવવાનું છે. જે કંઈ અત્યાર સુધી કર્યું તેનાથી ઉલટું કરવાનું છે. બહુ જ ટૂંકમાં જોઈએ.

અત્યારે હળવા ફૂલ થઈ ગયા છીએ. મૃત શરીર અહીં પડ્યું છે. અરે, આ શું? આ પ્રભાવશાળી મહાત્મા હાથમાં કમંડળ સાથે કોણ દેખાઈ રહ્યા છે? તેમના મોઢાં પર દૈવી સ્મિત છે, કહી રહ્યા છે, “વત્સ, તેં થોડા સત્કર્મો પણ કર્યા છે, માટે તને ફરી જીવવાની એક તક આપવાની છે.” પાણીની અંજલિ તેમણે જડ શરીર પર છાંટી. ઓહ્હ્હહહ, મૃત શરીરમાં ફરીથી પ્રાણ આવતા હોય તેવું લાગે છે. તાજગી, શાંતિ, ખુશી, સંતોષ, પ્રેમ, કરુણા શરીરના દરેક અંગમાં, સ્નાયુમાં, નસેનસમાં, સમગ્ર ચેતાતંત્રમાં, અણુ એ અણુમાં ફેલાઈ રહ્યા છે.

પંચ તત્ત્વ શરીરમાં એક પછી એક દાખલ થઈ રહ્યા છે જેના સાક્ષી બની રહ્યા છીએ.

શરીરમાં એક નવા જ પ્રકારની પારદર્શક ઊર્જા ધીરે-ધીરે પાછી આવી રહી છે. હૃદયથી શરૂઆત થઈ છે, હૃદય આ દૈવી ઊર્જાથી ભરાઈ ગયું છે. હવે ચહેરો અને માથું, ત્યાર બાદ પેટ, હાથ, પેટથી નીચેના અવયવો, સાથળ, ગોઠણ, તેના પછીનો પગનો ભાગ, છેલ્લે પગનો પંજો અને આંગળીઓ – દરેક જગ્યા પર આ ઊર્જા ફરી વળી છે.

શું થયું ખ્યાલ આવતો નથી. સ્તબ્ધ થઈ આ ગયા છીએ. પુનર્જીવન મળ્યું તે સ્વપ્ન જેવું લાગે છે. હવે એ સમજણ ચોક્કસ આવી ગઈ છે કે નવા જન્મમાં હંમેશા ખુશ રહીશું, બીજાને પણ ખુશી વહેંચીશું; જાતને પ્રેમ કરીશું અને બીજાને પણ. એ ભાન આવી ગયું છે “તમે આમ બોલ્યા હતાં” એમ કહેવાને બદલે “હું આમ સમજ્યો હતો” તે ભાષા જ સાચી છે. પુનર્જીવન મળ્યું છે તો બસ ‘ચાલ જીવી લઈએ.’

પુનર્જન્મ થયો છે કે નહિ તે ચકાસવા ધીરે-ધીરે પગથી શરૂ કરી છેક માથાં સુધીના દરેક અંગને વારાફરતી થોડું-થોડું હલાવીએ છીએ.

અત્યંત ધીરેથી, સાહજીકતાથી આંખો ખોલીએ છીએ. થોડો પણ ફોર્સ નહિ, કોઈ આંચકો નહિ. ડાબી તરફ પડખું ફર્યું, ધીરેથી બેઠાં થયા.

તાત્કાલિક દૈનિક ક્રિયાઓમાં પરોવાઈ જવાને બદલે શરીર અને મગજને શ્રમ ન પડે તે પ્રમાણેની કોઈ પ્રવૃત્તિમાં 5/10 મિનિટ સુધી રહીએ છીએ જેથી વિશેષ લાભ મળી શકે.

ધ્યાનસત્ર અહીં સમાપ્ત થયું. એક નમ્ર સૂચન. અહીં દર્શાવેલ પદ્ધતિ વ્યવસ્થિત સમજી એ પ્રમાણે ધ્યાન કરીશું તો એક અતિ ઉચ્ચ અનુભવ થઈ શકે છે. કોઈ મુદ્દો ચૂકાઈ ન જાય તે માટે એક વાર જે કઈ કરવાનું છે તે બધી સૂચનાઓ રેકોર્ડ કરી ધ્યાન કરીશું તો કદાચ વધુ ગહન ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થઈ શકશે.

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

લેખ 38 : મૃત્યુનું ધ્યાન – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

કુંડલિની, ચક્રો, ધ્યાનના ફાયદાઓ, આ વિષેની ભ્રમણાઓ, ધ્યાનના અનુભવો વિગેરે વિષે ચર્ચા કર્યા પછી હવે વિવિધ ધ્યાન પદ્ધતિઓ વિષે ચર્ચા કરીશું.

દરેક વ્યક્તિને ખબર છે કે મૃત્યુ આવવાનું છે, આવ્યા છીએ તો જવાના પણ છીએ. ક્યારે જવાનું છે તેમાં અનિશ્ચિતતા હોઈ શકે. ફાંસીની સજા થઈ હોય તો પણ અનિશ્ચિતતા હોય તે નિર્ભયા કેઈસ દ્વારા જોવા મળી રહ્યું છે. અનેક સવાલો લોકોનાં મનમાં ઉઠતા હોય છે જેમ કે મારું મૃત્યુ ક્યારે આવશે, મૃત્યુ પછી શું થતું થશે વિગેરે. મૃત્યુનો ડર પણ મોટા ભાગના લોકોને હોય છે. કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં ઉભું થયેલું વાતાવરણ તેની સાબિતી આપી રહ્યું છે. આ સંજોગોમાં મૃત્યુનો અનુભવ ખરેખર મૃત્યુ પામ્યા વગર લઈ શકાય તો કેવું સારૂં!!!

હવે જે પ્રકારનું ધ્યાન સમજવાના છીએ તેના દ્વારા શીખી શકાશે કે મૃત્યુ પહેલાં મૃત્યુનો અનુભવ કઈ રીતે લેવો.

એક વિશિષ્ટ ધ્યાન – મૃત્યુ પહેલાં મૃત્યુ.

એક અત્યંત સરળ પદ્ધતિ છે આ. ‘મૃત્યુ પહેલાં મૃત્યુ’ નામ કદાચ કોઈને ડરામણું લાગી શકે. પરંતુ ખરેખર તો શરીરનો સંપૂર્ણ કાયાકલ્પ કરી શકે તેવી શક્તિશાળી યોગિક પ્રક્રિયા છે આ. મૃત્યુ થયા વગર તેનો અનુભવ કરાવે તે ફાયદો તો અલગ.

મૃત્યુ સાથે જ શરીર તો પંચમહાભૂતમાં વિલીન થઈ જશે, આત્મા ક્યાં ફરવા જશે તે વિષે ધારણાઓ જ કરવાની છે. આત્મા એટલે કે આંતરિક ચેતનાનું અસ્તિત્વ છે અને મૃત્યુ પછી શરીરમાંથી એ બહાર નીકળે છે તે તો રસિયાના ડો.કૉરોટકોવના GDV કેમેરા દ્વારા થયેલા પ્રયોગોમાં સાબિત થઈ ચૂક્યું છે. વિશેષ જાણકારી માટે

https://www.learning-mind.com/scientist-photographs-the-so…

પર જઈ શકો છો. ડૉ.કૉરોટકોવનો ઇન્ટરવ્યૂ પણ

પર જોઈ શકો છો. પરંતુ આત્મા બહાર નીકળ્યા બાદ ક્યાં ફરવા નીકળી પડે છે તે ફક્ત કલ્પનાનો વિષય છે. તે જ પ્રમાણે કલ્પના એટલે કે Visualization પ્રક્રિયા દ્વારા આ ધ્યાન કરવાનું રહેશે. કલ્પના જ ભવિષ્યની વાસ્તવિકતા બને છે. તમામ વર્તમાન વૈજ્ઞાનિક શોધ એક સમયે કલ્પના હતી, શેખચલ્લીના વિચારો જેવી હતી અને અંતમાં વાસ્તવિકતામાં પરિણમી. તે જ પ્રમાણે આજની અનેક કલ્પનાઓ એવી હોઈ શકે કે જે ભવિષ્યની વાસ્તવિકતા બને. ચંદ્ર કે મંગળ પર પગ મુકવો તે પણ એક સમયે કલ્પના જ હતી ને! આ ધ્યાનમાં જે કલ્પના અથવા ધારણા કરીશું તે પણ ભવિષ્યની વાસ્તવિકતા હશે, ભલે પછી તે અવાંછિત કે અણગમતી હોય.

કલ્પનામાં અપાર શક્તિ છે. વર્તમાન સમયમાં પ્રચલિત સારવારની અનેક પદ્ધતિઓમાં વિઝ્યુઅલાઈઝેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. હિપ્નોથેરાપીમાં પણ કલ્પનાશક્તિ પર જ આધારિત છે, અનેક બુદ્ધિસ્ટ ધ્યાન પદ્ધતિઓ પણ તેના પર આધારિત છે. આ પદ્ધતિઓ પર ભવિષ્યમાં ચર્ચા કરીશું. તે પહેલાં કલ્પનાશક્તિનો પ્રભાવ સમજવા માટે થોડી વિગતવાર વાત કરીએ.

એક નાનો પ્રયોગ ગંભીરતાપૂર્વક કરીને જોઈશું, પોતાની જાતને પૂર્ણ રીતે આ કલ્પનામાં વહેવા દઈ આ પ્રયોગ કરીશું.

આંખ બંધ કરી ધારણા કરીએ કે ભૂખ બહુ લાગી છે. આકુળવ્યાકુળ થઈ જઈએ તેવી ભૂખ લાગી છે. પેટમાં કૂતરાં-બિલાડાં બોલી રહ્યા છે. એક મિનિટ પણ રાહ જોઈએ શકાય તેમ નથી. અચાનક કોઈ ગેબી અવાજ સંભળાયો “હે વત્સ, સ્વિટ્ઝર્લેન્ડથી લાવેલી બધી ચોકલેટ્સ તો ફ્રીઝમાં જ ભરી છે.” તમે ફ્રીઝ પાસે પહોંચ્યા. ફ્રીઝ ખોલ્યું. Oh My God, તમને ભાવતી બધી જ બ્રાન્ડની અને સ્વાદની ચોકલેટ્સ વ્યવસ્થિત રીતે ગોઠવેલી છે. તમે તરત તમારી સૌથી માનીતી બ્લેક ચોકલેટનો બાર બહાર કાઢ્યો જેનું રેપર પણ તમને બહુ પસંદ છે. ફ્રીઝમાં ઠંડી થઈ ગયેલી ચોકલેટનો સ્પર્શ થયો, આંખો ચમકી ઉઠી અને અને શરીરમાં એક ‘આહ’ ઉઠી. રેપર એટલું સુંદર છે કે એ દૂર કરતી વખતે તમને હંમેશ મન થાય છે કે એ સાચવી રાખું. આ ચોકલેટની એક વિશિષ્ટ સુગંધ છે જે તમને બહુ જ ગમે છે. તમે રેપર ખોલ્યું. ચોકલેટનો બાર જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. અત્યંત ભૂખ લાગી હોવા છતાં પહેલાં તો એ સુગંધ લીધી. હવે એક નાનું બાઈટ લઈ ચોકલેટનો સ્વાદ લીધો. એવી મજા પડી ગઈ કે મોઢા પર પણ નાના બાળક જેવો જ આનંદ તરવરી ઉઠ્યો. ભૂખ અત્યંત લાગી હોવા છતાં આ સ્વાદ મમળાવવો છે. માટે ધીરે-ધીરે ખાઈ રહ્યા છો. જે ખાવામાં ૨/૩ મિનિટ લાગે તે ચોકલેટ ખાવામાં અત્યંત ભૂખ લાગી હોવા છતાં તમે ૧૦ મિનિટ લીધી.

આ ક્ષણે, જો તમે તમારી કલ્પનાનો સારી રીતે ઉપયોગ કર્યો હશે (અને ચોકલેટ ખરેખર તમને પસંદ હશે) તો તમારા મોંમાં પાણી આવું ગયું હશે. થોડી વાર માટે ખરેખર એ ચોકલેટ તમારી પાસે છે અને તમે ખાઈ રહ્યો છો તેવો અનુભવ થયો હશે. માત્ર શબ્દો પણ લાળ ગ્રંથીઓને અસર કરે છે, તે શબ્દો કે જે વાસ્તવિકતા ન પણ હોય. માત્ર કલ્પના જ હોય. જ્યારે ચોકલેટ વિશેના તે શબ્દો વાંચતાં હતાં ત્યારે તમે તમારાં મગજને કહેતા હતા કે તમારી પાસે એક ચોકલેટ છે. ખરેખર તમારી પાસે ચોકલેટ નથી. આમ છતાં મગજે તેની ગંભીરતાથી નોંધ લીધી અને તમારી લાળ ગ્રંથીઓને કહ્યું, “આ વ્યક્તિ ચોકલેટ ખાઈ રહી છે, તેને તેનો આનંદ લેવા દો.” શબ્દો અને વિચારોની ગાઢ અસર તન-મન પર છે જે વિષે અનેક વૈજ્ઞાનિક પુરાવાઓ ઉલબ્ધ છે જેના વિષે લેખ ક્રમાંક ૧૧ દરમ્યાન ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે.

કલ્પના કરતી વખતે જેટલી વધુ જ્ઞાનેન્દ્રીયોને કામે લગાડી શકીએ તેટલી કલ્પના વધુ વાસ્તવિક બને. જેમ કે ઉપરોક્ત ઉદાહરણમાં આંખ, કાન, ત્વચા, જીભ,અને નાક એમ તમામનો ઉપયોગ થયો છે.

મૃત્યુ ધ્યાન (ડેથ મેડિટેશન):

યોગાસનોનો અભ્યાસ કર્યો હશે તે લોકો શબાસનથી જરૂર પરિચિત હશે જ. આ ધ્યાનનો શરૂઆતનો તબક્કો તેને મળતો આવે છે. શબાસન કોઈ દિવસ ન કર્યું હોય તો પણ અત્યંત સરળતાથી આ ધ્યાન શીખી શકાશે. કલ્પનાશક્તિ જેટલી સારી તેટલું વધારે સારી રીતે ધ્યાન થશે.

માનસિક શ્રમ કરતાં લોકો, વિદ્યાર્થી વિગેરેને આ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક રહેશે. અનુભવ દ્વારા જાણવા મળશે કે કે તન-મનમાં નવી ઊર્જાનું રિચાર્જિંગ થાય છે. ૩૦ મિનિટ કે ૧ કલાક જે કંઈ સમય આ માટે ફાળવેલો હશે તે એક અત્યંત ફળદાયી રોકાણ રહેશે, સોનાની લગડી સાબિત થશે, તાજેતરમાં જ બંધ થઈ ગયેલી બેન્કમાં મુકેલી ડિપોઝિટ જેવું નહિ.

પ્રાથમિક તૈયારી:

સમય:

વહેલી સવાર આ માટેનો શ્રેષ્ઠ સમય છે. તે શક્ય ન જ હોય તો મોડી સાંજે કરવું હિતાવહ રહેશે. મોડી સાંજે કરવામાં કદાચ એવું બને કે દિવસભરના શ્રમ પછીનું થાકેલું શરીર નિદ્રાધીન (ચિરનિદ્રાધીન નહિ) થઈ જાય.

સ્થાન:

એક અલગ બંધ રૂમ આ માટેનું આદર્શ સ્થાન રહેશે. પરિવારજનો, મિત્રો, ફોન, – કોઈ પણ રીતે ખલેલ ન પહોંચે તે સુનિશ્ચિત કરીશું તો વ્યવસ્થિત રીતે ધ્યાન થઈ શકશે. જેમ-જેમ ધ્યાનમાં ઊંડા ઊતરીશું તેમ-તેમ નાનામાં નાનો અવાજ પણ ખલેલ પહોંચાડી શકે.

પોશાક:

દિગંબર અવસ્થા આ માટેનો આદર્શ પોશાક છે. દરેક કપડાંમાં વિચારોની ઊર્જા છે જેનાથી ધ્યાન સમયે દૂર રહી શકાય તો સારૂં. ઠંડી લાગતી હોય તો (અને તો જ) ચાદર ઓઢી શકાય. જો સંજોગો અનુકૂળ ન હોય અથવા તો આ અવસ્થા માટે ખુદનો જ માનસિક સંકોચ હોય તો રોબ અથવા ગાઉન જેવા અતિ આરામદાયક કપડાં પહેરી શકાય. તંગ કપડાં, આંતરવસ્ત્રો, બેલ્ટ વિગેરે ચોક્કસ રીતે ધ્યાન માટે બાધારૂપ છે.

આસન:

મૃત્યુ વખતની સ્થિતિ એટલે કે શબાસનની સ્થિતિમાં આ ધ્યાન કરવાનું રહેશે. જેટલી સખત સપાટી પર કે જમીન પર સુઈ શકાય તેટલું વધુ સારૂં. નરમ ગાદલું આ માટે યોગ્ય ન કહી શકાય. જમીન પર બ્લેન્કેટ પાથરીને સુઈ શકાય જેથી શરીરને તકલીફ ન પડે અને કડક સપાટીનો લાભ પણ મળે.

પ્રક્રિયા – તબક્કો ૧.

ઉપર દર્શાવ્યા મુજબ શબાસનમાં શરીરને ગોઠવવાનું છે એટલે કે પગને થોડા ઢીલા અને ખુલ્લા રાખવાના છે, પગના પંજા બહારની દિશામાં શિથિલ કરીને રાખવાના અને હથેળી આકાશ તરફ રહે તેમ શરીરની બંને બાજુ શરીરથી થોડી દૂર રહેશે. આંખો બંધ કરી થોડા ઊંડા શ્વાસ લઈશું. આ દરમ્યાન શ્વાસ કઈ રીતે આવ્યો અને કઈ રીતે બહાર નીકળ્યો, તે દરમ્યાન કેટલી વાર અંદર રોકાયો તે બધી વાતોનું માનસિક અવલોકન કરીશું.

શ્વાસ લઈશું ત્યારે એક પગના પંજાને દૂર સુધી લઈ જવાની કોશિશ કરીશું, જાણે કોઈ પગ પકડીને ખેંચતું હોય તે પ્રમાણે ખેંચાણ આપીશું, પંજાને વાળી ઉપર સુધી લઈશું, પંજાને નીચે તરફ પણ લઈ જઈશું. શ્વાસ થોડી વાર અંદર રોકી એ ખેંચાણનો પૂર્ણ અનુભવ લેવાનો છે. ત્યાર બાદ શ્વાસ બહાર કાઢીએ ત્યારે સ્નાયુઓને ઢીલા છોડીશું. પંજા પર તથા ગોઠણથી નીચેના ભાગમાં આરામ મેહસૂસ થશે. ત્યાર બાદ આ જ પ્રક્રિયા ગોઠણ પર અને સાથળ પર કરવાની છે. એક પગ પર આ પ્રક્રિયા કર્યા બાદ બીજા પગ પર પણ આ જ પ્રમાણે કરવાનું છે.

પગ બાદ શિવની(Perineum) એટલે કે બંને પગ જ્યાં જોઈન થાય છે તે ભાગના સ્નાયુઓ આ પ્રમાણે ખેંચી, થોડી વાર ખેંચાણ અનુભવ્યા બાદ છોડવાના છે. આ ક્રિયાને યોગશાસ્ત્રની ભાષામાં મૂલબંધ કહે છે.

આ પછી હાથનો વારો. એક પછી એક બંને હાથની આંગળીઓ, અંગૂઠા, મુઠ્ઠી, કાંડાં, કોણી, હાથનો ઉપરનો ભાગ અને ખભાને ક્રમશ: કડક કરીને ઢીલાં છોડીશું.

આ પ્રકારની જ પ્રક્રિયા નાભિથી નીચેના પેટના ભાગ પર કરીશું. ખેંચીશું અને ઢીલું મુકીશું. ત્યાર બાદ છાતીનો વારો. શ્વાસ ભરી છાતી પહોળી કરીશું અને પછી ઢીલી છોડીશું.

હવે પહોંચ્યા ચહેરા પર. એક પછી એક સ્નાયુઓને ખેંચાણ આપીને છોડવાનો પ્રયાસ કરીશું. ખ્યાલ આવશે કે અજાણતાં જ અને અર્થહીન રીતે આ સ્નાયુઓ કેટલા બધા કડક રાખીએ છીએ. દિવસ દરમ્યાન પણ જયારે યાદ આવે ત્યારે ચહેરાના સ્નાયુઓ પર ધ્યાન લઈ જઈશું તો ખ્યાલ આવશે કે અકારણ જ આ સ્નાયુઓને કેટલા તંગ રાખીએ છીએ.

આ સંપૂર્ણ પ્રક્રિયા બાદ શરીર અત્યંત રાહત અનુભવશે. મન પણ હળવું થઈ જશે. ધ્યાનનો આ માત્ર તૈયારીઓનો તબક્કો છે. સાચું ધ્યાન તો હવે શરૂ થશે. એક વખત પહેલા તબક્કાનો સાર અત્યંત ટૂંકમાં અહીં સમજી લઈએ.

આપણે શું કર્યું?

વહેલી સવારનો સમય પસંદ કર્યો.

કપડાં ન પહેર્યાં અથવા બને તેટલાં ઓછાં પહેર્યા,

કડક સપાટી પર શરીર એ સ્થિતિમાં ગોઠવ્યું કે જે પ્રમાણે મૃત્યુ વખતે શરીર રાખવામાં આવે છે.

થોડા ધીરા શ્વાસ સાથે શરીરને શાંત કર્યું.

ઊંડા શ્વાસ લઈ સાથે-સાથે વિવિધ સ્નાયુઓ ખેંચ્યા, શ્વાસ થોડી વાર રોકી ખેંચાણ અનુભવ્યું અને શ્વાસ છોડતી વખતે સ્નાયુઓને ઢીલા કર્યા.

* આ સ્થિતિમાં થોડી વાર રહ્યા.*

અહીં આજનો લેખ પૂરો કરું છું. બીજા તબક્કો થોડો વિગતે ચર્ચા માંગી લે તેવો છે જે

આ પછીના લેખમાં જોઈશું.

ક્રમશ:

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

ભાગ 37 – ધ્યાન/કુંડલિની જાગૃતિ દરમ્યાનના અનુભવો – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ધ્યાન દરમ્યાન થતા અનુક અનુભવો વિષે આપણે લેખ 28 અને 36માં ચર્ચા કરી.  તે ચર્ચા હવે આગળ વધારીએ.

ધ્યાન / કુંડલિની જાગૃતિ દરમ્યાનના અનુભવો (લેખ 36નાં અનુસંધાનમાં ):

1.  શરીર કડક થઈ જાય:

કોઈએ હુકમ કર્યો હોય કે ‘કમર સીધી, શરીર ટટ્ટાર’ અને પછી સંમોહન કરી દીધું હોય કે કમર પછી નીચે આવી જ ન શકે તેવો આ અનુભવ છે.   કમર એટલી બધી કડક થઈ જાય કે તેને વધુ ઉપર ખેંચવી શક્ય જ ન હોય, કમરને ઉંચી લીધા પછી ત્યાં લાકડું ફિટ કરી દીધું હોય તે પ્રમાણેનો આ અનુભવ હોય છે. ધારીએ તો પણ જે પ્રમાણે 10  મિનિટ પણ બેસી શકાતું ન હોય તેવી આ સ્થિતિમાં ધ્યાનમાં 1 કલાક અથવા તેથી પણ વધુ સમય પસાર થઈ જાય તેમ પણ બને.  કુંડલિની શક્તિ તેની જગ્યાએથી ઉપર ચડી ગઈ છે તેની આ નિશાની છે.

2. આસન, મુદ્રા અને પ્રાણાયામ: 

ધ્યાન દરમ્યાન અનેક પ્રકારના આસનો, પ્રાણાયામ અને મુદ્રા સ્વયંભૂ થઈ શકે.  સ્વપ્ને પણ વિચાર્યું ન હોય  અથવા  જિંદગીમાં કોઈ દિવસ ન કર્યા  હોય તેવા મુશ્કેલ આસનો પણ થઈ શકે.  એક સમયે રાજકોટમાં મારા ઘરે જ ચાલતા ધ્યાનકેન્દ્રમાં એક યુવક જેણે કોઈ દિવસ યોગાસન કરેલ નહિ તે અચાનક શીર્ષાસન કરવા લાગતો અને એ શીર્ષાસન 10 મિનિટ જેટલા લાંબા સમય સુધી પણ ચાલું રહેતું.

આ જ પ્રમાણે પ્રાણાયામ પણ સ્વાભાવિક રીતે જ ચાલુ થઈ શકે.  ભસ્ત્રિકા જેવો પ્રાણાયામ કે જેમાં અત્યંત ઝડપી શ્વાસોચ્છવાસની પ્રક્રિયા હોય છે તે પણ થઈ શકે અને પ્લાવિની જેવો મુશ્કેલ પ્રાણાયામ પણ થઈ શકે જેમાં શ્વાસ પેટમાં છેક ઊંડે સુધે ભરાઈ જાય અને પેટ પ્રસૂતા સ્ત્રી જેટલું ફૂલી જાય અને પછી એમ લાગે કે શ્વાસ અટકી ગયો છે.

વિવિધ પ્રકારની મુદ્રાઓ થઈ શકે, અભય મુદ્રા એટલે કે કોઈને આશીર્વાદ આપતા હોઈએ તેવી મુદ્રા પણ થઈ શકે અને તે મુદ્રામાં જ થાક્યા વગર હાથ બહુ લાંબા સમય સુધી રહે તેમ પણ બને.  ધ્યાનકેન્દ્ર પર ધ્યાન કરતા હોઈએ અને આવું થાય તો બીજા એવું માને કે ‘ભાઈ (કે બહેન) વહેમમાં આવી ગયા છે.’ 

3. આભાસી રોગ – સ્યુડો ડિસીઝ:

શુદ્ધિકરણની  પ્રક્રિયા દરમ્યાન શરીરમાં અનેક જગ્યાએ ઊર્જા કાર્ય  કરતી હોય છે.  વર્ષોથી શરીરમાં ઘર કરી ગયેલ રોગો અને લાગણીઓને બહાર ધકેલતી હોય છે.  તે સમયે એવો આભાસ થઈ શકે કે ‘મને કોઈ રોગ થઈ ગયો’, જેમ કે કાલ્પનિક હાર્ટ એટેક આવી શકે, શ્વાસ અટકી ગયો હોય તેમ લાગે (ખરેખર અટકી પણ ગયો હોય),  પાચનતંત્રમાં ગરબડ થતી હોય તેવું લાગે, અચાનક ઉધરસ આવે જે ધ્યાન પછી બંધ થઈ જાય.  આ બધું જ બાદમાં કોઈ ટ્રીટમેન્ટ વગર જ દૂર  થઈ જાય. 

4. દૃષ્ટિ વિષયક અનુભવો:

અનેક પ્રકારના અનુભવો આ શ્રેણીમાં આવી શકે. 

1) બંધ આંખે તીવ્ર પ્રકાશ દેખાય.  હજારો સૂર્ય એક સાથે પ્રકાશિત થતા હોય તેવું લાગે.  સમજણ ન પડે કે શું થઈ રહ્યું છે કારણ કે જિંદગીમાં આટલો પ્રકાશ કદી જોયો જ ન હોય.  તેમાં પણ  આંખ તો વળી બંધ હોય.

2) આંખ સામે દિપક પ્રજ્વલિત થયો હોય તેવું દેખાય.

3 ) દેવી-દેવતાઓના દર્શન થાય.

4) એવી વ્યક્તિઓ દેખાય કે જે ભવિષ્યમાં જીવનમાં આવનારી હોય.  ૨૦૦૧માં એક દિવસ ધ્યાનમાં  જે વિદેશી વ્યક્તિઓ મને દેખાઈ હતી અને મને સમજણ પડી ન હતી કે આ પ્રકારના પાત્રો મને શા માટે દેખાય  તે પાત્રો  મારા જીવનમાં ત્યાર બાદ પ્રવેશ્યા છે,  હાલમાં નજીકથી સંકળાયેલ છે.  મતલબ કે ધ્યાનનું તે સેશન ‘પ્રીવ્યુ’ સમાન હતું.

5) ભવિષ્યમાં જે સ્થળોની મુલાકાત લેવાના હોઈએ (જેના વિષે અત્યારે કોઈ આયોજન ન હોય) તેવા સ્થળો દેખાઈ જાય.

6) ભવિષ્યમાં જે ઘરમાં રહેવાના હોઈએ તે મકાન દેખાઈ જાય.

7) ભવિષ્યમાં બનનારી ઘટનાઓના સંકેત અનેક વખત મળે છે.  તે દ્રશ્ય દેખાય જાય કે જે ભવિષ્યમાં બનવાનું હોય, જેમ કે ધરતીકંપ અથવા પૂર જેવી ઘટનાઓ.

8)  ભવિષ્યમાં બનનાર સામાન્ય ઘટનાઓ  જેમ કે કોઈની સાથે થતો સંવાદ પણ શબ્દસહઃ  ધ્યાન દરમ્યાન જ થઈ ગયો હોય તેવું પણ બને.   એ સંવાદ જયારે ખરેખર થાય ત્યારે ખ્યાલ આવે કે આ ઘટના તો બીજી વાર આકાર લે છે.

9) પ્રકાશ અને ધ્વનિ  માટે અતિ સંવેદનશીલ બની જઈએ તેવું પણ બને.  આ તબક્કો સામાન્ય રીતે કામચલાઉ હોય છે જે અમુક દિવસોથી લઈ ને અમુક મહિનાઓ સુધી ચાલે છે.   તે સિવાય પણ શરીર અને ચક્રો એટલા સંવેદનશીલ બની જાય કે પાણી, ખોરાક, આબોહવા વિગેરેની અસર સંવેદનશીલ ચક્ર પર થાય; સહસ્રારચક્ર વધુ સંવેદનશીલ બની જાય તો પાણી ઠંડુ છે કે ગરમ, ખોરાકમાં મરચું વધારે હોય તો તેની અસર, આબોહવા બદલવાની હોય, ગરમી વધવાની હોય તો તે વધ્યા પહેલાં જ આ બધી અનુભૂતિ એ ચક્ર પર એટલે કે માથાનાં તાળવાંમાં થાય.

10) દરેક રંગ વધુ ચમકતા – Brighter દેખાય તેમ પણ બને. 

11) આંખોમાં બળતરા, આંખમાં પાણી આવવું તે પણ બને કારણ કે આંખ પણ નવી પ્રાપ્ત થયેલી ઊર્જા સાથે એડજસ્ટ થતી હોય.

12) ધ્યાન દરમ્યાન અથવા ઊંઘમાં પણ સર્પ દેખાય, શરીર પર પણ એક અથવા એક કરતાં વધુ સર્પ ફરતા હોય તેવી અનુભૂતિ થઈ શકે.  કુંડલિનીને ઇંગ્લીશમાં  Serpentine Power જ કહે છે. શાસ્ત્રોમાં કુંડલિની શક્તિનું વર્ણન પણ એ પ્રકારે જ છે કે કરોડરજ્જુના છેડે તે સર્પાકારે ગૂંચળું વળીને પડેલી છે. Iઅલગ-અલગ પ્રાચીન સંસ્કૃતિઓમાં પણ સર્પનાં પ્રતીક સાથે જ તેને દર્શાવવામાં આવેલી છે.

13) પ્રકાશના ગોળા (Orbs):

જ્યાં ઊર્જા વધી જાય ત્યાં કેમેરામાં વિવિધ રંગના પ્રકાશના ગોળા નજરે ચડે છે જેને Orbs  કહેવામાં આવે છે.  ધ્યાન દરમ્યાન ઘણી વખત આવા ઓર્બ્સ દેખાય છે.   સાથેના ચિત્ર પરથી ખ્યાલ આવશે કે ઓર્બ્સ કેવા દેખાઈ શકે.  વધુ ચિત્રો માટે આ આલ્બમ જોઈ શકો છો.    

14)  ઊર્જાના કણો:

વાતાવરણમાં ઊર્જાના કણો ફરતા હોય છે, નાના-નાના તારાની જેમ ચમકતા હોય છે  અને જે સ્થળો પર ઊંજા વધુ હોય ત્યાં અનેક વખત ખુલ્લી આંખે જોવા મળે છે.   આવા ઊર્જાના કણો ધ્યાન દરમ્યાન બંધ આંખે પણ અનેક વખત જોવા મળે છે કારણ કે આ સમયે ઊર્જા વધી ગઈ હોય છે.

15)  સ્વદર્શન:

બંધ આંખો  સામે પોતાનું જ શરીર દેખાય.  ધ્યાન કરતું શરીર સ્પષ્ટ રીતે સામે પોતાને જ જોઈ શકે.  કોઈ વખત સંપૂર્ણ શરીર, તો કોઈ વાર ફક્ત ચહેરો અને કોઈ-કોઈ વાર ફક્ત પોતાની આંખો જ દેખાય.

5. હવે થોડા ગહન અનુભવો વિષે જાણીએ.  

લેખમાળાના પ્રારંભે  કુંડલિની  વિષે ચર્ચા કરતી વખતે એ સમજેલું છે કે દરેક વ્યક્તિમાં યીન અને યાંગ એટલે કે મેસ્ક્યુલાઇન અને ફેમિનાઈન બંને પ્રકારની ઊર્જા હોય છે.  અર્ધનારી નટેશ્વરનો ખ્યાલ આ જ વસ્તુ દર્શાવે છે.  આ ખ્યાલ કેટલો બધો સાચો છે અને આપણા પ્રાચીન ઋષિ-મુનિઓને કેટલું બધું જ્ઞાન હતું તે ધ્યાનના અમુક અનુભવો પરથી સમજાય છે.  અલબત્ત, આ અનુભવો જેને થયા ન હોય તેમને માટે આશ્ચર્યજનક લાગે.

1. ધ્યાન દરમ્યાન એવું બની શકે કે પુરુષને અચાનક એવું લાગે કે તે સ્ત્રી છે, તેના શરીરના અવયવો પણ બંધ આંખે તેને સ્ત્રી જેવા જ દેખાય.  એ જ પ્રમાણે સ્ત્રીને એવું લાગે કે તેનું શરીર પુરુષનું શરીર થઈ ગયંઆ છે.  કોઈ વખત એમ પણ બને કે અડધું શરીર પુરુષનું અને અડધું સ્ત્રીનું હોય તેવું લાગે.  તેમાં પણ કોઈ વખત એવી અનુભૂતિ રહે કે ઉપરનું અડધું શરીર સ્ત્રીનું છે જયારે નીચેનું અડધું શરીર પુરુષનું છે.  આનાથી વિપરીત, ધ્યાનનાં  બીજા કોઈ સેશન દરમ્યાન એમ લાગે ઉપરનું શરીર પુરુષનું છે જયારે નીચેનું સ્ત્રીનું છે.  કોઈ વખત એવું પણ બને કે શરીરનો અમુક જ ભાગ બંધ આંખે દેખાય અને તે વિપરીત લિંગનો હોય.

2. તાંત્રિક અનુભવ:

તંત્ર શબ્દ વિષે સમાજમાં સામાન્ય રીતે ઓછી અથવા ગેરસમજણ જોવા મળે છે.  આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે તંત્ર અત્યંત ઝડપી યંત્ર છે તેમ કહી શકાય.  તંત્રસાધના એકલાં પણ થઈ શકે, જોડીદાર સાથે પણ.  તેમાં જે જાતીય સંપર્ક બને  તેનો હેતુ ઉચ્ચ આધ્યાત્મિક પ્રગતિનો હોય.  શબ્દો, સ્પર્શ અને અમુક વિશેષ આસનો દ્વારા કુંડલિની શક્તિ ત્વરિત રીતે નીચેના ચક્રો પરથી સહસ્ત્રારચક્ર પર  લઈ જવામાં આવે.  એક સંકુચિત માનસિકતાને પરિણામે ઘણી વખત લોકો આ વિષે ચર્ચા કરવાનું ટાળે છે.  પરંતુ ગૃહસ્થીઓ માટે તો તંત્ર આધ્યાત્મિક સાધનાનું એક અતિ શક્તિશાળી શસ્ત્ર છે.   ધ્યાન દરમ્યાન તંત્રસાધનાનો અનુભવ પણ થઈ શકે.  એ અનુભવ પુરુષને સ્ત્રી તરીકે પણ થઈ શકે અને સ્ત્રીને પુરુષ તરીકે પણ.   એ જરૂરી ન હોય કે આ અનુભવ દરમ્યાન સામેની વ્યક્તિનો ચહેરો નજર સમક્ષ આવે.   એ ચોક્કસ છે કે એ સમયે સહસ્ત્રારચક્રમાં ઊર્જાનો બૉમ્બ ફૂટે.

3. સોલ મેટ અનુભવ: 

અત્યંત ટૂંકમાં આ સમજવાની કોશિશ કરીએ.  એક સામાન્ય અનુભવ બધાનો હશે કે કોઈ વ્યક્તિને જોતાંની સાથે જ આંખો હસી ઉઠે, દિલ ડોલી ઉઠે, તેની સાથે વાત કરવાનો ઉમળકો આવે, જાણે જન્મો-જન્મોનો સંબંધ હોય તેવી લાગણી થાય.  આ લાગણી રૉમેન્ટીક જ હોય તેવું આવશ્યક નથી, હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે.  સામેની વ્યક્તિની ઉંમર કોઈ પણ હોઈ શકે, લિંગ કોઈ પણ હોઈ શકે, દેશ કોઈ પણ હોઈ શકે,  અન્ય અનેક પ્રકારે ભિન્નતા હોઈ શકે.  છતાં એક વિશેષ ખેંચાણ એ વ્યક્તિ તરફ થાય. એ  જરૂરી નથી કે તે વ્યક્તિનું વ્યક્તિત્વ ચુંબકીય હોય;  એમ બની શકે કે તે વ્યક્તિ સાથે આપણૉ કોઈ ‘એનર્જી કોર્ડ’ હોય.  દરેક વ્યક્તિ અન્ય અનેક વ્યક્તિ સાથે વિવિધ રીતે ‘એનર્જી કોર્ડ’ દ્વારા બંધાયેલી હોય છે જે કોર્ડ આ જન્મનો પણ હોઈ શકે અને પૂર્વજન્મનો પણ હોઈ શકે.  એક પ્રકારનું કાર્મિક  જોડાણ આ વ્યક્તિ સાથે હોય.   ઇંગલિશમાં આ આત્મિક સંબંધોવાળી વ્યક્તિ વિષે સોલ મેટ શબ્દ વાપરવામાં આવે છે.  ધ્યાન દરમ્યાન આવા સોલ મેટનું મિલન ઘણી વાર થઈ શકે છે.  ત્યાર બાદ એ વ્યક્તિ જિંદગીમાં ખરેખર મળે અથવા ન પણ મળે.  તેની પાસેથી જે માર્ગદર્શન મળવાનું હતું અથવા લાગણીઓના આટાપાટા પૂર્ણ કરવાના હતા તે ધ્યાન દરમ્યાન થઈ જાય તેમ બની શકે.

આ વિષયના અનુભવો અસીમિત હોઈ શકે.   દરેકનો આનંદ નિરાળો છે, અવર્ણનીય  છે.  દરેકની ચર્ચા સ્થળસંકોચને કારણે શક્ય ન હોવાથી અનુભવોની વાત અહીં પુરી કરીશું.  અંતમાં  નમ્ર સૂચન તો એ જ રહેશે કે ‘જાણ્યાં કરતાં જોયું ભલું અને જોયાં  કરતાં અનુભવ્યું ભલું’  તે સિદ્ધાંત અનુસાર  આ શાબ્દિક જ્ઞાનને જો અત્યાર સુધી અનુભવની સરાણે ન ચડાવ્યું હોય તો ચડાવીએ, આ આનંદ મેળવીએ અને અને એ આનંદની સાથોસાથ જે મબલખ ફાયદા છુપાયેલા છે તે મેળવીએ.

ક્રમશઃ

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

ભાગ 36 – ધ્યાન/કુંડલિની જાગૃતિ દરમ્યાનના અનુભવો – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ધ્યાન દરમ્યાન શરૂઆતમાં થતા અમુક અનુભવો વિષે આપણે લેખ 28માં ચર્ચા કરી. જેમ-જેમ ધ્યાનમાં આગળ વધતાં જઈએ તેમ અનુભવોનું ક્ષેત્ર વિશાળ થતું જાય છે. એક સ્વતંત્ર પુસ્તક ફક્ત આ વિષય પર લખી શકાય. અહીં થોડા અન્ય અનુભવો જાણીએ.

લેખમાળાની શરૂઆતમાં જાણેલું કે કોઈ પણ પ્રકારની સાધના જાણતાં-અજાણતાં થતી ચક્રશુદ્ધિની પ્રક્રિયા છે. બધી જ સાધના અંતમાં કુંડલિની જાગૃતિ તરફ દોરી જાય છે. ધ્યાન દરમ્યાન તે પ્રક્રિયા ઝડપી બને છે, ચક્ર આધારિત ધ્યાન પદ્ધતિ અપનાવી હોય તો તે વિશેષ ઝડપી બને છે. આ સંજોગોમાં ધ્યાનના અનુભવોને કુંડલિની જાગૃતિનાં લક્ષણો કહી શકાય.

આ અનુભવો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે, શરીરમાં જે નવી ઊર્જા આવી રહી છે તેને અનુકૂળ બનવા માટે શરીરના કોષોમાં ફેરફાર થઈ રહ્યા હોય છે. પૂર્વજન્મની સાધનાનો પ્રભાવ પણ તેમાં હોય છે. પહેલાં અનુભવેલ ન હોય અને જેના વિષે કદાચ ખ્યાલ ન હોય તેવા સંજોગોમાં કોઈ વાર એ અનુભવો બુદ્ધિગમ્ય ન લાગે, વ્યક્તિ મૂંઝવણ અનુભવે, કોઈ સાથે ચર્ચા ન કરે અને કોઈ વાર ધ્યાન છોડી દે તેવું પણ બને. એક શિક્ષકને સ્વાભાવિક રીતે જ ધ્યાન દરમ્યાન યોગાસન-પ્રાણાયામ થવાના ચાલુ થયા. તે ગભરાઈ ગયા કે “હું મારા શરીર પરનો અંકુશ ગુમાવી રહ્યો છું.” અહીં એ જ ખ્યાલ રાખવાનો રહે કે જયારે કોઈ પણ પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે તેનો મતલબ જ એ છે કે ધ્યાનની અસર થઈ રહી છે, શરીર અને મનમાં આવશ્યક ફેરફારો થઈ રહયા છે, એ અનુભવોનો આનંદ લેવાનો છે. આ અનુભવો થવા જ જોઈએ તે જરૂરી નથી, કોઈને થાય, કોઈને ન થાય, કોઈને જુદા અનુભવો થાય.

ધ્યાન / કુંડલિની જાગૃતિ દરમ્યાનના અનુભવો:

1. વિદ્યુતપ્રવાહ:

હાથમાં, પગમાં અથવા શરીરના કોઈ પણ ભાગમાં વિદ્યુત દોડતી હોય તેવી અનુભૂતિ થાય. હથેળી, તેનો બહારનો ભાગ, પગના તળિયાં વિગેરેમાં વિશેષ થઈ શકે. પગના તળિયાંમાંથી વિદ્યુત ઉપર ચડતી હોય તેવી અસર પણ થાય. કોઈ વખત આ વિદ્યુતનો ફોર્સ એટલો બધો હોય કે ગળું લાલ થઈ જાય. આ પ્રમાણે વિદ્યુતનો પ્રવાહ ફરે તેને બહુ સારો અનુભવ અને પ્રાણોંત્થાન એટલે કે કુંડલિની જાગૃતિનો શરૂઆતનો તબક્કો કહી શકાય.

2. ગરમ/ઠંડો પ્રવાહ:

મોઢાં પર કે શરીરના અન્ય કોઈ પણ ભાગમાં ગરમ અથવા ઠંડો પ્રવાહ વહેતો હોય તેવું લાગી શકે. મેનોપોઝ દરમ્યાન સ્ત્રીઓને જે ‘હોટ ફ્લેશ’ અનુભવાય છે તે પ્રકારનો આ અનુભવ હોય છે. આ પ્રકારના પ્રવાહનો શરીરના કોઈ પણ ભાગમાં અને કોઈ પણ સમયે અનુભવ થઈ શકે.

3. લાગણીઓના ચડાવ-ઉતરાવ:

દરેક વ્યક્તિ વિવિધ અવ્યક્ત લાગણીઓનો સંગ્રહ કરીને બેઠી હોય. આ લાગણીઓનો ઉભરો આવી શકે. અકારણ હસવું, રડવું, ઉદાસીનતા, ગુસ્સો, ખુશી – કંઈ પણ થઈ શકે. ઉપર ઉઠતી ઊર્જા હોર્મોન્સના સ્ત્રાવમાં ફેરફારો લાવે જેને કારણે આ ભાવનાઓ અંદરથી બહાર આવવા કૂદાકૂદ કરે. લાગણીની આ ઉથલપાથલ દર્શાવે છે કે ઉર્જાના ઉત્થાનની, કુંડલિની જાગૃતિની પ્રક્રિયા ચાલી રહી છે, અવરોધો દૂર થઈ રહ્યા છે.

4. પ્રાણીઓના અવાજ અથવા હાવભાવ:

બહુ વિચિત્ર અનુભવ છે આ. વિવિધ પ્રાણીઓ જેવા અવાજ આપમેળે નીકળે, ભાવ-ભંગિમા પ્રાણીઓ જેવી થવા લાગે, કોઈ વખત ભેંસ જેવો અવાજ નીકળે તો કોઈ વખત ઘુરઘુરાટી તો કોઈ વાર સિંહ જેવી ત્રાડ. આ પ્રક્રિયા પણ ઊર્જાના અવરોધ દૂર થવાની જ પ્રક્રિયાનો એક હિસ્સો છે.

5. હાથ-પગ કે શરીરનું કોઈ અંગ બહેર મારી જાય અથવા તેનું અસ્તિત્વ જ ન હોય:

શરીરમાં બધે વિદ્યુત દોડતી હોય તેનાથી તદ્દન વિરુદ્ધનો આ અનુભવ છે. હાથ, પગ કે શરીરનું કોઈ અંગ જડ થઈ ગયું હોય, ઈચ્છા હોય તો પણ તે ભાગને હલાવી જ ન શકાય તેવી આ અનુભૂતિ હોય છે. કોઈ-કોઈ વાર તો એવું લાગે કે શરીરનો કોઈ હિસ્સો, જેમ કે માથાંનાં ટોચના હિસ્સા સિવાયનો બધો ભાગ હોય જ નહિ. શરીરની સંપૂર્ણ ઊંજા બહાર જતી રહી હોય અને શરીર જ ન હોય તેવું પણ ઘણી વાર લાગે.

6. પ્રાચીન અને પવિત્ર સ્થળો:

આ એક બહુ સામાન્ય રીતે જોવા મળતો અનુભવ છે. વર્ષો સુધી જે સ્થળોએ ફરવા જવાની આદત હોય તે સ્થળોની પસંદગી અચાનક બદલે. વિવિધ પ્રાચીન અને પવિત્ર સ્થળો જોવાની, યાત્રા કરવાની તીવ્ર ઈચ્છા થાય. ઘણી વાર તો આવા સ્થળોની ધ્યાનમાં જ યાત્રા થઈ જાય.

7. વધેલી સર્જનાત્મકતાના તબક્કા:

ધ્યાન દરમ્યાન અથવા ત્યાર બાદ સંગીત, લેખન, ચિત્રકલા કે અન્ય કોઈ પણ પ્રકારે સર્જનાત્મકતા બહાર આવે. કોઈ દિવસ ગીત લખ્યું ન હોય અને ગીત લખાઈ જાય; કોઈ દિવસ ગાયું ન હોય અને અચાનક ગાવાની ઈચ્છા થાય, સારું ગવાય પણ જાય; કોઈ દિવસ પીંછી ન પકડી હોય અને અચાનક ચિત્ર દોરવાનું મન થાય, દોરાય પણ જાય; જો આવું કંઈ પહેલેથી કરતાં હોઈએ તો તેમાં અચાનક બહુ મોટા બદલાવ આવે અને કંઈ અપ્રતિમ બહાર આવે; લોકો ‘અદભૂત, અદભૂત’ કહે કારણ કે હવે જે રચના બહાર આવી તેમાંથી ઊર્જા પ્રવાહિત થતી હોય.

સ્વાધિષ્ઠાન ચક્રમાં અવરોધો દૂર થવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે આ પ્રકારના આવ-જા કરતા તબક્કા જોવા મળે. અચાનક સર્જનાત્મકતા શાંત થઈ જાય જયારે બીજા કોઈ ચક્ર પર કાર્ય શરૂ થાય. જયારે બીજા ચક્રોની શુદ્ધિ પણ એક હદ સુધી થઈ જાય ત્યારે ફરીથી આ વધેલી સર્જનાત્મકતા વિવિધ ક્ષેત્રમાં જોવા મળે.

8. શરીરના ઉષ્ણતામાનમાં ફેરફાર:

કુંડલિની જાગૃતિ દરમ્યાનનો આ બહુ વ્યાપક રીતે જોવા મળતો અનુભવ છે. કોઈ વાર હથેળીમાં, કરોડરજ્જુના છેલ્લા ભાગ પર અથવા શરીરમાં અન્યત્ર – ખાસ કરીને ચક્રોના સ્થાન પર અત્યંત ગરમીનો અનુભવ થાય, પસીનો જાય, શરીરમાં બળતરા થતી હોય તેવો અનુભવ થાય, રાત્રે અચાનક ઊંઘમાંથી જાગી જવાય અને જોઈએ તો શરીર ભીનું થઈ ગયું હોય.

આનાથી તદ્દન વિપરીત રીતે બર્ફીલા ઠંડા મોજાં લહેરાતાં હોય, શરીરની અંદરથી ઠંડી ઉઠે અને ઠંડીના લખલખાં આવે, કોઈ વખત બહારથી ઠંડો પવન આવતો હોય તેવી લહેરો ઉઠે.

આ બંનેથી જુદો એક અનુભવ થઈ શકે. હથેળી અથવા શરીરનો એક ભાગ અત્યંત ઠંડો અને એક ભાગ અત્યંત ગરમ હોય – ખાસ કરીને ડાબો ભાગ ગરમ અને જમણો ભાગ ગરમ હોય. આ આંતરિક લાગણી નહિ પરંતુ વાસ્તવમાં બને. કોઈને સ્પર્શ કરીએ તો તેને પણ ખ્યાલ આવે કે એક હથેળી અત્યંત ઠંડી છે જયારે બીજી અત્યંત ગરમ છે.

9. અન્ય શારીરિક અનુભવો:

અમુક અનુભવો એવા હોય છે જેમાં તન-મનમાં આનંદ વ્યાપી જાય. સાથે-સાથે અમુક અનુભવો એવા પણ હોય કે આનંદને બદલે મૂંઝવણ વ્યાપી જાય; જે તે વ્યક્તિ તો ખરી જ પરંતુ ડોક્ટર પણ મૂંઝાઈ જાય, તેને ખબર ન પડે કે ક્યા રોગની દવા કરવી કારણ કે વ્યક્તિ જે લક્ષણને રોગ સમજીને ડોક્ટર પાસે દોડી હોય તે લક્ષણ રોગનાં ન હોય પરંતુ કુંડલિની જાગૃતિનાં હોય. થોડાં એવા લક્ષણ જોઈએ.

વધેલો હાર્ટ રેઈટ – ઘણી વાર તો ધબકારા બહાર સાંભળી શકાય

ખુલ્લા ઇલેક્ટ્રિકલ પોઇન્ટને સ્પર્શ કરી લીધો હોય તેવી અનુભૂતિ કોઈ પણ વસ્તુમાં થઈ શકે, લાકડાં અને છોડને કે મનુષ્યને અડવાથી પણ કોઈ-કોઈ વાર શોક લાગતો હોય તેવું થઈ શકે

શરીર આગળ વળી જાય, નાક છેક જમીનને અડી જાય, મોટું પેટ હોય તો પણ નડે નહિ

ઉબકા, પેટનો દુખાવો

પીઠનો દુખાવો, ખાસ કરીને કરોડરજ્જુના નીચેના ભાગ પાસે તીક્ષ્ણ પીડા. શરીરની વિદ્યુત સર્કિટ આ જગ્યાએથી ઉપર ઉઠવામાં થોડી વાર લાગે છે માટે આ અનુભવ થાય

કળતર, ખંજવાળ જેવી લાગણી

હૃદયચક્રના અવરોધ દૂર થતા હોય ત્યારે છાતીમાં દુખાવો

માથામાં વજન જાણે ટોપી પહેરી હોય, ખોપરી ઉપરની ચામડી પર ખંજવાળ અથવા ઇંગ્લીશમાં જેને ગૂઝ બમ્પ્સ કહે છે તેવો અનુભવ, ત્યાં વિદ્યુત દોડતી હોય અથવા કીડીઓ ફરતી હોય તેવી સંવેદના, ખોપરી ખુલી ગઈ હોય તેવી અનુભૂતિ

કાનમાંથી ગરમ પ્રવાહ બહાર આવતો હોય, બાજુમાં કોઈ ઉભું રહે તો તેને પણ ખ્યાલ આવે

માથાંના વાળ ઉભા થઈ જાય

મોઢું ખુલી જાય અને હવા પી રહ્યા હોઈએ તેમ ફેફસાંમાં હવા ભરાય

ડોક પાછળ તરફ વળી જાય, આકાશ તરફ દ્રષ્ટિ થઈ જાય

ડોક આગળ વળી ગળા સાથે ચોંટી જાય – યોગની ભાષામાં જાલંધરબંધ કહેવાય

મોઢામાં થૂંક આવી જાય

આંખ ખુલી જાય, કિકી ઉપર ચડી જાય અને નજર કોઈ જગ્યાએ ત્રાટક કરતાં હોઈએ તેમ સ્થિર થઈ જાય

ધ્યાન બાદ આંખની કિકી એકદમ સફેદ થઈ જાય, આંખ ખોલવાની ઈચ્છા જ ન થાય, આંખમાં એક વિશિષ્ટ ચમક આવી જાય

આંખમાંથી પાણીની ધાર થાય, કોઈ વાર એક આંખમાંથી તો કોઈ વાર બંનેમાંથી

જીભ બહાર નીકળી જાય, બહાર નીકળી ડાબી જમણી તરફ ફરે

કપાળની વચ્ચેના ભાગમાં એટલે કે આજ્ઞાચક્ર પર કોઈ સ્ક્રુડ્રાયવર ફેરવતું હોય, જીવડું ત્યાં ઘુસી અંદર હલનચલન કરતું હોય તેમ લાગે. કપાળનો વચ્ચેનો ભાગ આપમેળે જ ઉપર-નીચે થાય જે બીજા લોકો જોઈ પણ શકે તેટલો સ્પષ્ટ ખ્યાલ આવે

કોઈ વાર બહુ ઓછું બોલવાની ઈચ્છા થાય, કોઈ વાર બોલ-બોલ જ કરીએ

શરીરના કટકા થઈ ગયા હોય, અલગ-અલગ ભાગમાં અને આકારમાં શરીર વહેંચાઈ ગયું હોય, શરીરનું કદ એક ઇંચથી પણ નાનું અથવા 500/1000 ફિટ જેટલું વિશાળ થઈ ગયું હોય તેવું લાગે. સ્વપ્નમાં જેમ બધું સાચું લાગે તેમ બંધ આંખોથી આ દ્રશ્ય એકદમ વાસ્તવિક લાગે

તીવ્ર જાતીય ઉત્તેજના અનુભવાય. આ અનુભૂતિ વિશેષતઃ જાતીય અવયવોને બદલે તેનાથી થોડે જ ઉપર એટલે કે સ્વાધિષ્ઠાન ચક્રના સ્થાન પર અનુભવાય. અત્યંત સીમિત માત્રામાં જે કુંડલિની શક્તિનો ઉપયોગ થતો હતો ત્યાંથી આ ઊર્જા ઉર્ધ્વગામી થાય તે દરમ્યાન વધેલી ઊર્જા જાતીય અવયવો પર પણ પહોંચે તેને કારણે આ પ્રકારના અનુભવ થાય. જયારે ઊર્જા હંમેશ માટે સ્વાધિષ્ઠાન ચક્રથી ઉપર રહેવા માંડે ત્યારે આ તબક્કો પૂરો થાય. શરીરના અન્ય ભાગ પર પણ જયારે આ વધેલી ઊર્જા પહોંચે ત્યારે સમગ્ર શરીરમાં ઉત્તેજનાનો અનુભવ થઈ શકે જેને ઇંગ્લીશમાં Whole Body Orgasm કહેવામાં આવે છે

જેમ શરૂઆતમાં જાણ્યું તેમ અનુભવો અસીમિત છે. દરેકનો આનંદ નિરાળો છે, અવર્ણીય છે. વિસ્તૃત ચર્ચા તો અહીં શક્ય નથી. પરંતુ થોડા વધુ અનુભવો હવે પછીના લેખમાં જાણીશું.

ક્રમશઃ

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

ભાગ 35 – ધ્યાનના લાભ – મગજ પર અસર – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

લેખમાળાના પહેલા તબક્કામાં (લેખ 21 સુધી) કુંડલિની, નાડી, ચક્રો વિગેરે વિષે સમજ્યા. હવે લેખ 22થી ધ્યાન વિષે વિસ્તૃત ચર્ચા ચાલુ કરી છે.

હજારો વર્ષ પહેલાંથી ભારતમાં ધ્યાનનો પ્રચાર થતો આવ્યો છે. ન સંદેશવ્યવહારના આધુનિક સાધનો હતાં કે ન પરિવહનના. છતાં ‘ધ્યાન’ હંમેશા જીવિત રહ્યું. હવે તો દેશ-વિદેશમાં ફેલાઈ ગયું. એ જ બતાવે છે કે તેનું મહત્ત્વ કેટલું હશે. ઋષિ-મુનિઓ જે હજારો વર્ષોથી જાણતા હતા અને જણાવતા હતા તે જ્ઞાનને સમજવા માટે આધુનિક વિજ્ઞાન પ્રયત્નો કરી રહ્યું છે, થોડું ઘણું સમજી શક્યું છે અને વધુ પ્રયત્નો કરી રહ્યું છે.

લેખ 23 અને 24માં ધ્યાનના અમુક વૈજ્ઞાનિક ફાયદાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. લેખ 31 માં મગજના તરંગો પર થતી તેની અત્યંત હકારાત્મક અસરો તપાસી. આ વિષે થોડું વિશેષ જાણીએ.

ધ્યાનથી શું થાય?

૧) ન્યુરોપ્લાસ્ટિસિટી હકારાત્મક બને:

કોઈ પણ વિચાર, અનુભવ, મૂડનો બદલાવ, લાગણીના ઉભરા કે કાર્ય એમ ને એમ ન થાય. આવા સમયે મગજમાં અનેક રસાયણોની ઉથલપાથલ થાય, વિવિધ રીતે વિદ્યુત તરંગો ભટકે. આવું કંઈ પણ થાય ત્યારે મગજમાં જાત-જાતના ફાયરિંગ થાય, બધું ઊંધું-ચત્તું થઇ જાય, અનેક બદલાવ આવે, મગજના માળખામાં (Structural) અને કદમાં પણ બદલાવ આવે. આવું ઘણું બધું બને અને આપણને તો ખ્યાલ પણ ન આવે. મગજ સતત બદલાતું રહે. આ પ્રક્રિયાને ‘ન્યુરોપ્લાસ્ટીટી’ કહેવાય.

જયારે-જયારે કોઈ પણ વિચાર કે લાગણી રિપીટ થાય ત્યારે મગજના જ્ઞાનતંતુઓ નવા રસ્તા(Pathways) તૈયાર કરે. આ રસ્તાઓ નક્કી કરે કે હવે મગજ કઈ રીતે કાર્ય કરશે. શા માટે સકારાત્મક વિચારો અને લાગણીઓ પર ભાર મુકાય છે તે આ પરથી સમજાશે.

શરીરનો જે ભાગ વધારે ઉપયોગમાં લઈએ તે મજબૂત બને, ત્યાં મસલ્સ બને; જે ભાગનો ઉપયોગ ન કરીએ તે ધીરે-ધીરે નબળો થતો જાય, નકામો થતો જાય. મનુષ્યને પૂંછડી હતી, કાળક્રમે લુપ્ત થઈ ગઈ કારણ કે તેનો ઉપયોગ ન હતો. સ્નાન કરતી વખતે પીઠ પર સાબુ લગાડવા માટે મોટા ભાગના લોકો એક હાથ લઈ જાય. એક ઉંમર પછી બીજો હાથ તેની પ્લાસ્ટિસિટી ખોઈ બેસે. બીજા હાથથી એ જ કાર્ય કરવા જાય તો પણ એ હાથ એક હદથી વધુ ઊંચો ન થઈ શકે. ન્યુરોપ્લાસ્ટિસિટી મગજના મસલ્સ બનાવે. કોઈ પણ વિચાર કે કાર્ય વારંવાર કરવામાં આવે ત્યારે તે પ્રકારની શક્તિ વધે. આ પ્રક્રિયા ધીરે-ધીરે ઓટોમેટિક થઈ જાય. ‘જે વિચારીએ તે બનીએ’ આ માટે જ કહેવાય.

ન્યુરોપ્લાસ્ટિસિટીની પ્રક્રિયા જિંદગીભર ચાલતી રહે. વિચારોના પ્રકાર મુજબ મગજ નબળું કે મજબૂત બન્યા કરે, તેના માળખામાં ફેરફાર થયા કરે. નાની ઉંમરે લોકો જલ્દી બદલાવ લાવી શકે કારણ કે મગજ ત્યારે વધારે ઇલાસ્ટીક હોય. ઉંમર વધવા સાથે મગજની આ ક્ષમતા થોડી ઘટતી જાય સિવાય કે વિચારો પ્રત્યે સભાન હોઈએ, વિચારોના નિરીક્ષણની આદત હોય. આ સભાનતા ધ્યાન દ્વારા આવે.

2) જનરેશન ગેપ ઘટે – પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ જલ્દી વિકસે:

જનરેશન ગેપ સદીઓથી ચાલતો આવ્યો છે. આજના વડીલો નાનાં હતાં ત્યારે કદાચ તેમની વ્યક્ત કે અવ્યક્ત લાગણી હતી કે વડીલો તેમને સમજતા નથી. હવે જયારે પોતે વડીલ થયા છે ત્યારે અનેક વાર તેમને એમ લાગે કે તેમના કિશોર કે યુવાન બાળકો તેમને સમજતા નથી. ‘તમારો જમાનો જુદો હતો’ તે કદાચ સદીઓથી ચાલતો ડાયલોગ હશે.

જનરેશન ગેપ તો ઘટે કે જો બે પેઢીનું પ્રતિનિધત્વ કરતા પાત્રોમાંથી કમ સે કમ એક બદલાવ માટે તૈયાર હોય. ‘ધ્યાન’ દ્વારા આ બે રીતે શક્ય બને. પહેલું તો એ કે પોઇન્ટ ૧ માં જોયું તેમ મગજ વધુ ઇલાસ્ટીક બને, વ્યક્તિ બદલાવ સરળતાથી લાવી શકે, બીજાના મંતવ્યને માન આપી શકે, તે માટે જરૂરી બદલાવ પોતાની વિચારસરણીમાં લાવી શકે.

બીજો મુદ્દો ખાસ સમજવા જેવો છે.

મગજનો અતિ અગત્યનો ભાગ એટલે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ – Prefrontal Cortex(PFC). મગજના આગળના ભાગમાં આવેલ આ હિસ્સો સૌથી છેલ્લે વિકસે. કિશોરાવસ્થા સુધી તો અહીં વિકાસ બહુ ઓછો હોય. મોટા ભાગનો વિકાસ 25-3૦ વર્ષ સુધીમાં થઈ જાય. પછી પણ વર્ષોના વહાણાં વીતે તેમ થોડો- થોડો વિકાસ થતો રહે.

PFCને મગજનો Chief Executive Officer (CEO) કહી શકાય. કોઈ પણ જાતના નિર્ણય અહીંથી લેવાય, પ્લાનિંગ અહીંથી થાય, હજારો વિચારોનો જમાવડો થતો હોય તેમાંથી ક્યા રાખવા અને ક્યા ફેંકી દેવા તે નક્કી પણ અહીં થાય, જે કામ કરીએ તેના પરિણામો શું આવશે તે નક્કી પણ PFC કરે, ક્યા કાર્યો સામાજિક મર્યાદામાં રહી કરવા તે પણ અહીં નક્કી થાય, લાગણીઓના ઉભરા બહાર કાઢવા કે નહિ અને કાઢવા તો કેટલા કાઢવા તેનો નિર્ણય પણ અહીં લેવાય. સંપૂર્ણ વર્તણુકનો આધાર PFC પર. જેમ કોર્પોરેટ ઓફિસમાં બધા પોતાને ભાગે આવેલી ફાઈલ જરૂરી પ્રક્રિયા કરી CEO પાસે મોકલે અને અંતિમ નિર્ણય CEO લે તેમ મગજના બીજા બધા ભાગ પોતાનું કામ છેલ્લે અહીં મોકલે અને શું કરવું તે અહીં જ નક્કી થાય.

ટીનેજરના મગજને એવી ઓફિસ સાથે સરખાવી શકાય કે જ્યાં સ્ટાફ તો પૂરતો છે પણ નિર્ણય લઈ શકે તેવા ઉપરી અધિકારીની ગેરહાજરી છે. કામ કરવા બધા ઉત્સાહી છે પણ શું કરવું તે ખબર નથી. પરિણામે ટીનેજર કે યુવાન પણ ઉતાવળિયા નિર્ણયો લે. સમાજ સ્વીકારે નહિ તેવા પગલાં પણ ભરી લે. દૂરોગામી અસર વિષે વિચાર્યા વિના કોઈ કાર્ય કરી નાખે (જેમ કે અયોગ્ય પાત્ર સાથે લગ્ન). આડેધડ વાહન ચલાવે એ વિચાર્યા વિના કે પોતાને અને બીજા કેટલાંને તકલીફમાં મુકીશ. વડીલોને માથાંમાં હથોડા વાગે તેવા વિચારો પણ કોઈ વાર વ્યક્ત કરે. એલફેલ લાગે તેવું બોલી પણ લે. PFC વિષે સમજતા હોઈએ અને ધ્યાન કર્યા બાદ ન્યુરોપ્લાસ્ટિસિટીને કારણે બદલાવ આવ્યો હોય તો આવા સમયે ગુસ્સો ઓછો આવે અથવા અકળામણ ઓછી થાય. 3 ઇડિયટ્સમાં પરીક્ષિત સહાની તેના દીકરા પર ગુસ્સે થાય છે તેમ ન થાય. એ સમજી શકાય કે યંગસ્ટરનો કોઈ વાંક નથી, કોઈ જમાનામાં આપણે પણ આવું કંઈ કર્યું જ હશે.

‘તડકામાં વાળ ધોળા નથી કર્યા’ તેવું માનતા હોઈએ તો આ પરથી ખ્યાલ આવશે કે પરિપક્વતા બાયોલોજીકલ પ્રક્રિયા છે, તેમાં જે તે વ્યક્તિએ કંઈ વિશિષ્ટ સિદ્ધિ મેળવી નથી.

આ વાત થઈ વડીલોની સમજણની, જો તેઓ ધ્યાન કરે તો તેમની વધુ ઇલાસ્ટીક થતી ન્યુરોપ્લાસ્ટિસિટીની અને પરિણામે બદલાવ સ્વીકારવાની તેમની વધેલી ક્ષમતાની. બીજા પક્ષનું એટલે કે કિશોર અથવા યુવાવસ્થામાં હોય તે વ્યક્તિનું શું? જો તે લોકો ધ્યાન કરે તો શું થાય? વૈજ્ઞાનિક પ્રયોગો એમ બતાવે છે કે ધ્યાન દરમ્યાન આરામ સાથેની સતર્કતા (Restful Alertness) વધે છે, PFC નો વિકાસ ઝડપી થાય છે. PFC અને મગજના બાકીના હિસ્સા સાથેની સર્કિટ વધુ મજબૂત થાય છે. મગજનો પૂરેપૂરો ઉપયોગ (Total Brain Functioning) થાય છે. અંતમાં એવું થાય તો આરામ સાથેની સતર્કતાની ધ્યાનની સ્થિતિ બાકીની પ્રવૃત્તિ દરમ્યાન પણ ચાલુ રહે. સરળ ભાષામાં નિષ્કર્શ એ નીકળે કે વ્યક્તિ જલ્દી પરિપક્વ થાય, તેની કાર્યક્ષમતામાં વધારો થાય, તેના તણાવમાં ઘટાડો થાય. પરિપક્વતા વધે તો સ્વાભાવિક છે કે તે વડીલોનું દ્રષ્ટિબિંદુ વધુ સારી રીતે સમજી શકે, યોગ્ય નિર્ણયો પણ લઈ શકે અને જનરેશન ગેપ ઘટે.

3. ધ્યાનથી PFC સક્રિય અને ઘટ્ટ બને:

ડો. સારા લઝાર હાર્વર્ડના એક પ્રખ્યાત ન્યુરો વૈજ્ઞાનિક છે. તેમના પ્રયોગમાં સાબિત થયું છે કે નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિનો PFC વધુ ઘટ્ટ હોય છે. ત્યાંનાં ‘ગ્રે મેટર’ (Grey Matter)ની ઘટ્ટતા પણ વધુ જોવા મળી છે. આ એ ભાગ છે કે જેને કારણે વ્યક્તિ કોઈ પણ આયોજન કરી શકે, નિર્ણય લઈ શકે, સમસ્યાને હલ કરી શકે અને લાગણીઓ પર અંકુશ રાખી શકે.

4. યાદશક્તિ સુધરે, ઉંમર વધવા સાથે પણ યથાવત રહે:

વધતી ઉંમરની સાથે મનુષ્ય ઘણી વધી વસ્તુ ભૂલી જાય. કોઈ-કોઈ વાર તો નજીકના મિત્રોના નામ, સંબંધીઓના નામ પણ ભૂલી જાય. શા માટે? કારણ કે વધતી ઉંમર સાથે PFC સાંકડો થતો જાય.

ડો. સારા લઝારના પ્રયોગોમાં 25 વર્ષની વ્યક્તિ અને નિયમિત ધ્યાન કરતી 50 વર્ષની વ્યક્તિના PFCમાં એક સરખી ગ્રે મેટર જોવા મળી. મતલબ બંનેના મગજની યાદ રાખવાની ક્ષમતા એક સરખી જ હતી.

5. ખુશી વધે:

જીવનનું અંતિમ ધ્યેય શું છે? નોકરી અથવા વ્યવસાય કરીએ છીએ કારણ કે અર્થોપાર્જન કરવું છે. નાણાં શા માટે જોઈએ છે? કારણ કે સગવડતા જોઈએ છે, કુટુંબને ખુશી આપવી છે etc., etc. આ બધું શા માટે કરવું છે? કારણ કે ખુદને જાણતાં-અજાણતાં આંતરિક ખુશી જોઈએ છીએ.

બે ભાગમાં PFC વહેંચાયેલ છે. જયારે મનુષ્ય ખુશ હોય ત્યારે ડાબા ભાગમાં વધુ પ્રક્રિયા જોવા મળે, દુઃખી હોય ત્યારે જમણા ભાગમાં. અમેરિકામાં 1887માં સ્થપાયેલી યુનિવર્સીટી ઓફ વીસકોન્સિન છે જે રિસર્ચ માટેની જ યુનિવર્સીટી છે. ત્યાં થયેલા વૈજ્ઞાનિક પ્રયોગોમાં સ્પષ્ટ રીતે ઉભરી આવ્યું છે કે ધ્યાન દરમ્યાન આ ડાબા ભાગમાં વધુ પ્રક્રિયા થઈ રહી હોય છે. બીજા અર્થમાં કહીએ તો એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે ધ્યાન ખુશીની લાગણીને બળવત્તર કરે છે.

ડો. મેથ્યુ રિચાર્ડ નામના એક ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે જે વર્ષોથી બૌદ્ધ સાધુ થઈ ગયા છે અને નેપાળમાં રહે છે. તેમને “વિશ્વના સૌથી સુખી વ્યક્તિ” તરીકે ઓળખવામાં આવે છે. વર્ષોથી નિયમિત ધ્યાન કરવાને કારણે તેમના PFCના ડાબા હિસ્સામાં જે પ્રચુર માત્રામાં પ્રક્રિયા જોવા મળી તેમને કારણે આ ટાઇટલ તેમને આપવામાં આવ્યું છે.

6. ભાવનાત્મક રીતે વ્યક્તિ વધુ મજબૂત બને.

એમીગ્ડાલા નામનો મગજનો એક ભાગ છે. લાગણીઓ પર અંકુશનું કામ તેને સર્જનહારે આપ્યું છે. આ અંકુશ તે બરાબર તો જ રાખી શકે જો તેનું જોડાણ PFC સાથે બરાબર હોય. PFCને એમીગ્ડાલાનું મૉડરેટર કહી શકાય. PFC જો મોડરેટ ન કરે તો મનુષ્ય પ્રાણીની જેમ લાગણીઓની અભિવ્યક્તિ કરે.

રિસર્ચ એમ જણાવે છે કે ધ્યાનને કારણે PFC અને એમીગ્ડાલા વચ્ચેનું જોડાણ મજબૂત બને છે. પરિણામે ભાવનાઓના ચડાવ-ઉતારની અસર ધ્યાન કરનાર વ્યક્તિ પર ઘણી ઓછી થાય, લાગણીઓનો ઉભરો આવે તો પણ ઘણો જલ્દી શમી જાય, વ્યક્તિ પ્રતિક્રિયાને બદલે પ્રતિભાવ આપતી થઈ જાય. ધીરજ, શાંતિ અને સ્થિતિસ્થાપકતા જેવા આંતરિક હકારાત્મક ગુણ વિકસે.

અંતમાં, લાભ તો આ સિવાય પણ અનેક છે. પરંતુ મળે તો જ જો યાહોમ કરીને પડો મેદાને. પહેલું પગલું ઉઠાવીશું તો બીજું આપોઆપ ઉઠશે.

ક્રમશ:

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

લેખ 34 ધ્યાન ભ્રામક માન્યતાઓ – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ભ્રમણાઓનું જગત હંમેશા વિશાળ હોય છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો જગત આખું ભ્રમણા જ છે. જેમ સ્વપ્નમાં જોઈએ તે તમામ વાત અત્યંત વાસ્તવિક લાગે અને સ્વપ્ન તૂટે ત્યારે જ ખ્યાલ આવે કે એ સ્વપ્નશ્રુષ્ટિ અલગ હતી તેમ કદાચ એવું પણ બની શકે કે જીવન જ એક સ્વપ્ન હોય અને મૃત્યુ પછી ખ્યાલ આવે કે ખરેખર તો આપણે કોઈ બીજા વિશ્વમાં હતા અને આ પૂરું જીવન એક લાબું સ્વપ્ન હતું. આ જ રીતે ‘ધ્યાન’ અંગે પણ અસંખ્ય ભ્રમણાઓ પ્રવર્તે છે. તેમાંથી અમુક ભ્રામક ખ્યાલો લેખ 22 અને 24માં આપણે વિગતથી જોયા. તે ‘અમુક’ જ હતા. તે સિવાય પણ અનેક ભ્રામક માન્યતાઓ ધ્યાન અંગે પ્રવર્તમાન છે. તેમાંથી થોડી હવે જોઈએ.

લેખ 22 અને 24 દરમ્યાન ચર્ચેલી ભ્રામક માન્યતોને જરા યાદ કરી લઈએ.

1) “ધ્યાન એ કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયેલી વાત છે.”

2) “ધ્યાન તો સાધુ કરે, જો ગૃહસ્થી કરે તો વહેલોમોડો સાધુ થઈ જાય (સંસારમાંથી રસ ઊડી જાય).”

3) “અરે ભાઈ, ધ્યાનના ફાયદા મેળવવા માટે તો વર્ષો વીતી જાય.”

4) “સમયનો વ્યર્થ બગાડ છે.”

5) “ધ્યાન એ ભાગેડુ વૃત્તિ છે, શાહમૃગ વૃત્તિ છે, સમસ્યાઓથી ભાગવાનો પ્રયાસ છે.”

6) “ધ્યાન મોટી ઉંમરની વ્યક્તિઓએ કરવાની વસ્તુ છે.”

7) “પદ્માસનમાં બેસવું પડે, નીચે બેસવું પડે, ધ્યાનમાં હલનચલન ન કરાય. (મારે તો પગ ઊંચાનીચા કરવા પડે, નહીંતર જકડાય જાય.)”

8) “ધ્યાન કંટાળાજનક/બોરિંગ છે.”

9) “ધ્યાન અને ઊંઘ બંને સરખાં.”

હવે અન્ય ભ્રામક ખ્યાલો તપાસીએ.

1૦) “ધ્યાનથી વ્યક્તિ ભાવહીન બની જાય.”

આ ભ્રમણા ફેલાવાનું કારણ કદાચ એ છે કે ધ્યાન પછી વ્યક્તિ તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે, રિએક્ટ કરવાને બદલે શાંતિથી પ્રતિભાવ આપે છે, રિસ્પોન્સ આપે છે.

તણાવનું લેવલ ઓછું થાય એટલે ઘણી વખત અન્યને એમ લાગે કે વ્યક્તિને જે તે વાતનું મહત્ત્વ નથી અને તે ભાવહીન થઈ ગઈ છે. હકીકત એ હોય છે કે ધ્યાનથી વ્યક્તિને ભાવનાઓની ગુલામીમાંથી મુક્તિ મળી હોય છે. ભાવહીન થવું અને ભાવનાઓની ગુલામીમાંથી મુક્ત થવું તે તો જુદી વાત થઈ. એ તબક્કો ધીરે-ધીરે આવ્યો હોય કે વ્યક્તિ ખુદની લાગણીઓના ચડાવ-ઉતારને એક દ્રષ્ટા તરીકે જોઈ શકતી હોય, લાગણીઓ વધુ સ્પષ્ટ થઈ હોય અને તેમાં કેટલી હદે તણાવું તે પર વ્યક્તિ અંકુશ મૂકી શકી હોય. એક આંતરિક મુક્તિ થઈ આ તો.

11) “ધ્યાનથી આનંદદાયક અથવા શાંતિપ્રદ લાગણીઓ જ જન્મે.”

આ એક બહુ જ વ્યાપક ખ્યાલ છે જે ખોટો છે. સામાન્ય રીતે અને લાંબે ગાળે આ વાત સાચી ખરી પણ તેનાથી વિરુદ્ધ સ્થિતિ પણ કોઈ-કોઈ વાર ઉદ્ભવે. મનુષ્યની બાહ્ય શાંતિના કવચની અંદર અનેક દુઃખદ લાગણીઓ પણ છુપાયેલી હોય છે, ખુદ વિષે જ ન ગમતી વાતો પણ છુપાયેલી હોય છે, પોતાના ભૂતકાળના કોઈ-કોઈ કાર્યોનો રંજ પણ હોય, કોઈ ને કોઈ કારણોસર ન બજાવી શકેલ ફરજોની ગ્લાનિ પણ હોય. વ્યક્તિ આ બધી જ વાતોને ઊંડે ધરબી તેના પર પ્લાસ્ટર કરી જીવતી હોય તેમ પણ બને. ધ્યાન શરુ થતાં જ મન શાંત થાય, દ્રષ્ટિ સ્પષ્ટ થાય, દબાવેલી લાગણીઓ બહાર નીકળવા માટે તાકાત લગાવે, પ્લાસ્ટર તોડીને બહાર નીકળે તેમ પણ બને. અલબત્ત, આ એક વચગાળાનો – ટેમ્પરરી તબક્કો હોય અને ત્યાર બાદ એ લાગણીઓ દ્વારા અવરોધિત ઊર્જા બહાર નીકળી ગયા બાદ વ્યક્તિ વધુ ને વધુ શાંત અને સંતુલિત થતી જાય. ત્યાર બાદ ફરી પાછો કોઈ તબક્કો એવો પણ આવે કે ખૂણેખાંચરે ભરાયેલો કચરો પણ સાફ થાય અને કોઈ-કોઈ વાર ન ગમતી લાગણીઓ એક સાથે બહાર આવવાને બદલે તબક્કામાં બહાર આવે. હિમાલયના ઉત્તુંગ શિખર બહારથી એકદમ ઊંચા દેખાતા હોય પરંતુ એ ચડાણ સીધું હોતું નથી, થોડા ચડાણ પછી નીચે તરફ ઢાળ આવે, ફરી પાછું ચડાણ આવે, એક વધુ ઊંચાઈ સુધી પહોંચીએ, થોડું ફરી નીચે ઉતરીએ, ફરી ચડાણ કરીએ તેમ ઝિગઝાગ ચડાણ કરતાં-કરતાં એક ઊંચાઈ પ્રાપ્ત કરીએ. ધ્યાનમાં પ્રગતિ પણ તે પ્રકારે હોય.

12) “ધ્યાન કર્યા બાદ વિશેષ કઈ કરવાની જરૂર રહેતી નથી.”

નિયમિત ધ્યાન કરનારી અનેક વ્યક્તિ આ ભ્રમણાની શિકાર થાય છે. ધ્યાનના ગણ્યા ગણાય નહિ અને અનુભવ્યા વગર મનાય નહિ તેવા શારીરિક, માનસિક, ભૌતિક, સામાજિક, આધ્યાત્મિક – તમામ પ્રકારના ફાયદાઓ છે જેના વિષે બેમત નથી. ધ્યાન અનિવાર્ય જ છે તેમ કહી શકાય જયારે સમગ્ર દુનિયા ડિપ્રેસન તરફ ધકેલાય રહી છે અને જયારે સમગ્ર વિશ્વ આ અંગે જાગૃત થયું છે. પરંતુ એમ માનીને બેસી જવું કે ધ્યાન મારી બધી જરૂરિયાત પૂર્ણ કરશે તે યોગ્ય નથી. શારીરિક વ્યાયામ પણ જરૂરી છે, યોગ્ય આહાર પણ જરૂરી છે, નિયમિત ઊંઘ પણ જરૂરી છે, આરોગ્ય જાળવવા માટેની તમામ દરકાર જરૂરી છે, પાછલે બારણેથી અહમ પ્રવેશ ન કરી લે તે માટેની જાગૃતિ પણ આવશ્યક છે, ધ્યાનને કારણે શરીરમાં ઊર્જા અત્યંત વધી જાય તો તેનું ગ્રાઉન્ડિંગ કરવું પણ અનિવાર્ય છે અને આવી ઘણી વાતોનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે.

1૩) “ધ્યાનમાં મગજ ખાલી કરવું પડે, વિચારો આવવા જોઈએ નહિ.”

કદાચ સૌથી મોટી ભ્રમણા આ છે. લોકો ધ્યાન કરવાનું શરૂ કર્યાં બાદ અનુભવે કે વિચારો તો ચાલુ છે. માટે ધ્યાન થતું નથી. ખરેખર ધ્યાનમાં વિચારો આવે તો તેને રોક્યા વગર પસાર થવા દેવાના છે, નિહાળવાના છે, તેની સાથે તણાઈ જવાનું નથી એટલે કે એટેચ થવાનું નથી. દિવસમાં 60000 વિચાર આવતા હોય ત્યારે તેનું પ્રમાણ ઘટે તેને પણ પ્રગતિ જ કહેવાય. સભાનતા વધે એટલે વિચારો પર વધુ ધ્યાન જાય. માટે એમ લાગે કે વિચારો વધારે આવે છે. ખરેખર પરિસ્થિતિ ઉલ્ટી હોય.

14) “ધ્યાનથી મારી તમામ સમસ્યાઓનું સમાધાન તાત્કાલિક થઇ જશે.”

ઘણા લોકો ધ્યાન શરુ કરે, એક-બે મહિના ધ્યાન કરે અને પછી મનવાંછિત પરિણામ ન મળે એટલે ધ્યાન છોડી દે. અહીં ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે ‘ઉતાવળે આંબા ન પાકે.’ સામાન્ય વાઇરલ તાવની દવા લઈએ તો પણ દવાની પૂરી અસર થવામાં એક સપ્તાહ નીકળી જાય છે. અહીં તો બીજી કહેવત યાદ રાખવી પડે કે ‘ધીરજના ફળ મીઠાં.’ બદલાવ રાતોરાત ન પણ આવે. બદલાવ આવતો હોય આંતરિક રીતે અને તેના પર ધ્યાન ન પડે તેવું પણ બને. શાશ્વત બદલાવ અનુભવવા માટે થોડી રાહ તો જોવાની રહે અને ત્યાર બાદ જે બદલાવ આવશે તે જે તે વ્યક્તિ કરતાં પણ બીજાને ખ્યાલ આવશે. લોકો કહેશે કે આ ભાઈ કે બહેન તો તદ્દન બદલી ગયા.

15) “કોઈ-કોઈ વાર ધ્યાન કરીએ તો પણ ફાયદા તો મળે જ, એક દિવસ ન કર્યું હોય અને બીજે દિવસે લાબું ધ્યાન કરી લઈએ તો ચાલે.”

આ મોટો ભ્રમ છે. લાભ એટલો જ મળે કે ભવિષ્યમાં કોઈ દિવસ નિયમિત ધ્યાન કરવાની શક્યતા રહે. ધ્યાનના લાભ લેવા માટે સાતત્ય અનિવાર્ય છે. કોઈ દિવસ સમય ઓછો હોય અને ટૂંકું ધ્યાન કરીએ તે બરાબર છે પણ એક-બે દિવસ ધ્યાન કરીએ જ નહિ, સમય હોય ત્યારે લાબું ધ્યાન કરી લઈએ તેવી આદત ધારેલ ફાયદા આપે નહિ.

16) “ધ્યાન શીખવા માટે કોઈને ગુરુ માનવા અનિવાર્ય છે.”

ગુરુકૃપા થાય તો ધ્યાનમાં પ્રગતિ ત્વરિત થાય તે સત્ય છે પરંતુ ગુરુ કર્યા વિના ધ્યાન શીખી ન શકાય કે કરી ન શકાય તે માન્યતા ભૂલભરેલી છે. વાંચન દ્વારા, વિડિઓ દ્વારા, કોઈ ધ્યાનશિબિરમાં ભાગ લઈને પણ ધ્યાન શીખી જ શકાય અને સમૂહમાં અનુકૂળ ન હોય તો એકલાં પણ કરી જ શકાય. એ વસ્તુ ચોક્કસ છે કે ધ્યાનસાધના ગંભીરતાથી આગળ વધારવા માંગતા હોઈએ તો ગુરુકૃપા અત્યંત ઝડપી ગતિ આપી શકે અને તે જ પ્રમાણે સામુહિક ધ્યાનમાં પ્રગતિ વધુ સારી રીતે થઈ શકે.

17) “ધ્યાનમાં આંખો બંધ રાખવી આવશ્યક છે.”

એમ માનવામાં આવે છે કે ફક્ત આંખ બંધ કરીને બેસવાથી 2૦% જેટલી ઊર્જાની બચત થાય છે. માટે મોટા ભાગની ધ્યાન પદ્ધતિઓમાં આંખ બંધ રાખવાનું કહેવામાં આવે છે જેથી કરીને ઊર્જાનું બાહ્યગમન આંશિક રીતે રોકી શકાય. પરંતુ ધ્યાનપદ્ધતિઓ અનેક છે અને તેમાં કોઈ-કોઈ થિયરી અલગ-અલગ હોઈ શકે. માટે અમુક પદ્ધતિમાં ખુલ્લી આંખથી ધ્યાન કરવાનું હોય છે.

18) “ધ્યાન માટે ખાસ સ્થાન, ખાસ પોશાક, ચોક્કસ સમય જોઈએ.”

આ કોઈ જ વસ્તુ અનિવાર્ય નથી, વિશેષ લાભદાયક ચોક્કસ છે.

સ્થળ એક જ હોય તો એ જગ્યાએ ઊર્જાના આંદોલનો જમા થતા જાય અને દિન-પ્રતિદિન વધતાં જાય જેથી ધ્યાનની સ્થિતિમાં સરી પડવામાં સહાય મળે. પરંતુ ધ્યાન કરવાં માટે આ પૂર્વશરત નથી. ધ્યાન પોતાને અનુકૂળ હોય તેવા કોઈ પણ સ્થળે થઈ શકે.

કોઈ વિશેષ પોશાકની જરૂર નથી. થોડા ઢીલાં કપડાં હોય તો અનુકૂળતા રહે. ખરેખર તો ધ્યાન દરમ્યાન જો અનુકૂળ હોય તો પોશાકને જ તિલાંજલિ આપવી વિશેષ લાભદાયક રહે કારણ કે દરેક પોશાકમાં વિચારોની ઊર્જા હોય છે જે ધ્યાનમાં થોડો-ઘણો અવરોધ ઉભો કરે. માટે જ અનેક સંતો દિગંબર અવસ્થામાં રહેવું પસંદ કરે છે. વર્તમાન સમયમાં દિગંબર અવસ્થામાં સામુહિક ધ્યાન પણ લોકો કરે છે. વિદેશમાં તો આ પ્રકારના કેન્દ્રો ઘણા સમયથી શરુ થયેલાં જ હતાં અને હવે દિલ્હી જેવા મહાનગરોમાં પણ આ પ્રકારના કેન્દ્રો સ્થપાયા છે.

ચોક્કસ સમય હોય તો વિશેષ લાભદાયક જરૂર છે. પરંતુ ચોક્કસ સમય સિવાય ધ્યાન ન થઈ શકે તે માન્યતા ખોટી છે. અનુકૂળ કોઈ પણ સમયે ધ્યાન થઈ શકે.

19) “સ્નાન કાર્ય બાદ જ ધ્યાન કરવું જોઈએ.”

એમ લાગે છે કે પૂજા કરતાં પહેલાં સ્નાન કરવાની પ્રથાને કારણે આ માન્યતા પ્રચલિત થઈ હશે. ધ્યાન માટે સ્નાન પૂર્વશરત નથી. સવારે ઊંઘ ઉડ્યા બાદ જેટલું જલ્દી ધ્યાન થઇ શકે તેટલું વધુ ફાયદાકારક છે. માટે સ્નાનનો સમય બચાવીને ધ્યાનને પ્રાથમિકતા આપી શકાય.

આ સિવાય પણ અનેક ભ્રામક માન્યતા આ વિષયમાં પ્રવર્તે છે. ધ્યાન કરવાની થોડી-ઘણી ઈચ્છા હોય છતાં આવી કોઈ માન્યતા ધ્યાન કરવામાં વિઘ્ન બનતી હોય તો તે અંગે ખુલ્લા મનથી કોઈ અનુભવી પાસેથી માર્ગદર્શન મેળવવાથી આવું વિઘ્ન દૂર થઈ શકશે.

ક્રમશ:

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

લેખ 30 ધ્યાનમાં સફળતાનાં સૂત્રો – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો વિગેરે વિષે લેખમાળાના પહેલા તબક્કામાં (લેખ ૨1 સુધી) સમજ્યા પછી આપણી ચર્ચા ધ્યાનને લગતાં વિવિધ પાસાંઓ પર ચાલી રહી છે. વાત કરીએ થોડા એવા મુદ્દાઓની કે જે ધ્યાનમાં રાખવાથી ધ્યાનના વધુ લાભ ઉઠાવી શકાશે.

1. યોગ્ય માર્ગદર્શન:

‘ધ્યાન’ કરવું એકદમ સરળ હોવા છતાં શરૂઆતમાં યોગ્ય માર્ગદર્શન ખૂબ જ લાભદાયી નીવડી શકે. કોઈ શિબિર કે રિટ્રીટ દ્વારા અથવા તો કોઈ ધ્યાન કેન્દ્ર પર શરૂઆત કરીએ તો આ માર્ગદર્શન મળી શકે. કોઈ અનુભવી મિત્રોને પૂછી પણ શકાય. ‘પૂછતા પંડિત થવાય’ તે સૂત્ર યાદ રાખીને સંકોચ વગર મનમાં જે કંઈ શંકા-કુશંકા કે જિજ્ઞાસા હોય તે બહાર લાવવાથી ફાયદો જ થશે. એ ખ્યાલ રાખવાનો કે જે કોઈ પણ માધ્યમ દ્વારા માર્ગદર્શન મેળવીએ છીએ તેની વિશ્વસનીયતા કેટલી છે.

2. યોગ્ય પદ્ધતિ:

અહીં કહેવાનું તાત્પર્ય એ નથી કે કોઈ પદ્ધતિ અન્ય પદ્ધતિઓની સરખામણીમાં શ્રેષ્ઠ છે અને માટે તે જ યોગ્ય છે અને તે જ અપનાવવી જોઈએ. * ‘યોગ્ય પદ્ધતિ’ મતલબ મારા જીવનની આ ક્ષણે, એ પદ્ધતિ કે જે મારા માટે શ્રેષ્ઠ છે.’*

સામાન્ય રીતે જોવા મળે છે કે કોઈના કહેવાથી ઘ્યાન શરૂ કરીએ, કોઈ એક પદ્ધતિ અપનાવી લઈએ અને એ જ પદ્ધતિ ચાલુ રાખીએ. થોડા ફાયદા પણ થાય. પછી લગે રહો મુન્નાભાઈ ! વર્ષો ના વર્ષો એ જ ઘરેડથી ઘ્યાન કરતા રહીએ.

ખરેખર તો ધ્યાનની ઘણી શૈલીઓ છે, દરેકની પોતાની વિશિષ્ટતા છે; કોઈ એક વ્યક્તિને માટે એક અસરકારક નીવડે, બીજાને બીજી અને ત્રીજાને ત્રીજી. ડિપ્રેશનમાં હોય તે વ્યક્તિને જૂદી પદ્ધતિ અસર કરે, બહુ ચિંતાતુર રહેનારી વ્યક્તિને અલગ. એ મુજબ જ ધારો કે કોઈ શારીરિક રીતે સક્ષમ વ્યક્તિને સક્રિય ઘ્યાન બહુ ફાવ્યું (જેમાં ઘણી શારીરિક ક્રિયા હોય) અને તે જ પદ્ધતિ કોઈ અતિ વૃદ્ધ વ્યક્તિ કે નબળા સ્વાસ્થ્ય સાથેની વ્યક્તિ અપનાવે તો ફાયદાને બદલે કદાચ ગેરફાયદો પણ થઈ શકે.

3. નિયમિત ધ્યાનની આદત:

કોઈનું માર્ગદર્શન કે પ્રોત્સાહન એક નવા રાહ પર ચડાવી શકે, એ રાહ પર ચાલવું તો ખુદને જ પડે. ગોરમહારાજ ફક્ત પરણાવી શકે ! કોઈ પણ નવી સારી આદત પાડવામાં સૌથી મોટો વિરોધ નોંધાવે છે “આળસ” નામની આદત જેને બધી જ ખરાબ આદતોની માતા કહી શકાય. કોઈ પણ વિકાસ રોકાતો હોય તો આ આદતને કારણે. બે વિકલ્પ રહે. એક એ કે આ આદતને બદલીએ. બીજો એ કે આ આદત ચાલુ રાખીએ એમ માનીને કે “માતાનું તો માન રાખવું જોઈએ ને !” ધ્યાનના માર્ગે ખરેખર આગળ વધવું હોય તો પહેલો વિકલ્પ જ રાખવો પડે.

જેટલું શારીરિક સ્નાન જરૂરી તેટલું જ, તેનાથી પણ વધુ આવશ્યક છે માનસિક સ્નાન એટલે કે ઓરાનું સ્નાન. કડકડતી ઠંડીમાં શારીરિક સ્નાનની આળસ આવશે તો કદાચ ચાલશે, માનસિક સ્નાન એટલે કે ધ્યાનમાં આળસ ન કરી શકાય. ઉઠીને જેમ તરત જ બ્રશ કરવાની આદત બચપણથી કેળવાઈ ગયેલી હોય છે તેમ ધ્યાન કરતા થયા ત્યારથી દરરોજ અને શક્ય હોય ત્યાં સુધી તો નિશ્ચિત સમયે જ કરી લેવાશે તો તન-મનને આદત પડી જશે, આળસ પણ દૂર રહેશે અને બધા ફાયદા પણ મળશે.

સવાલ એમ ઊઠે કે ધ્યાન દરરોજ શા માટે? કારણો ઘણાં છે, જેમ કે:

દૈનિક ધોરણે વધતો-ઓછો માનસિક તણાવ.

દૈનિક ધોરણે મન નકારાત્મક વિચારોમાં જાય છે, માત્રા અલગ-અલગ હોઈ શકે.

દરેકનો અહંકાર પણ દૈનિક રીતે કાર્યરત છે. એવી સ્થિતિ હોય છે કે “વ્હેંચતા વ્હેંચતા છેલ્લે,’હું’ જ વધ્યો; કોઈએ ના લીધો,બધા પાસે હતો.”

વિચારો નોન-સ્ટોપ મગજમાં ફર્યા કરે છે, ન રવિવાર તેમને નડે છે કે ન તહેવાર કે ન વેકેશન.

દરરોજ અનેક લોકોને મળીએ છીએ, ફોન પર વાત કરીએ છીએ અને જાણ્યે-અજાણ્યે તેમની ઊર્જા ગ્રહણ કરીએ છીએ.

આમ અનેક કારણોસર ઊર્જા શુદ્ધિકરણની આવશ્યકતા દરરોજ ઉત્પન્ન થાય છે. માટે દૈનિક ધ્યાન કરવાની પણ જરૂર છે. પ્રશ્ન એ ઉઠે કે સમયની અનુકૂળતા કોઈ દિવસ ઓછી હોય તો? તો એ દિવસે ઓછા સમય માટે ધ્યાન કરવું જોઈએ પરંતુ કરવું તો જોઈએ જ.

4. આસપાસનું વાતાવરણ:

જે. ક્રિશ્નમૂર્તિજીએ કહેલું: “To understand the immeasurable, the mind must be extraordinarily quiet, still.” આ શક્ય બનાવવા માટે યોગ્ય વાતાવરણ જરૂરી છે. શાંતિ, સ્વચ્છતા તો આવશ્યક છે જ પરંતુ સાથે-સાથે જો ફૂલો, ધૂપ, દીવો, મીણબત્તીઓથી વાતાવરણમાં એક જુદો જ એહસાસ ઊભો કરી શકાય તો અતિ ઉત્તમ. જગ્યા અને આસન પણ એક જ રાખવાથી વધુ ફાયદો ચોક્કસ થાય કારણ કે એ જગ્યાની ઊર્જા બદલી જાય, આસન પણ ધ્યાનની ઊર્જા ગ્રહણ કર્યા પછી થોડી તેમાં સાચવી રાખે. બીજા દિવસે ધ્યાન શરૂ કરીએ ત્યારે તે સચવાયેલી ઊર્જા ધ્યાનના ઊંડાણમાં લઇ જવામાં સહાયક બને.

5. વિક્ષેપ થાય નહિ તે વ્યવસ્થા:

જયારે કુટુંબમાં છીએ, સમાજમાં છીએ ત્યારે કોઈ વ્યક્તિ કોઈ વખત રૂબરૂ અથવા ફોન દ્વારા આપણો સંપર્ક કરવા ઈચ્છે તેવી શક્યતા તો રહે જ. વિક્ષેપ ન આવે તે વ્યવસ્થા તો આપણે જ કરવી પડે ને ! ફોન સાઇલન્ટ મોડ પર મુકવો, કુટુંબીજનોને કહેવાનું કે અમુક નિશ્ચિત સમય સુધી કોઈ વિક્ષેપ ન પહોંચાડે વિગેરે જરૂરી છે. આથી પણ વધુ આવશ્યક છે કે જો તકેદારી રાખવા છતાં વિક્ષેપ પડે તો માનસિક શાંતિ જાળવી રાખવી. ‘પરિસ્થિતિનો સ્વીકાર’ તે પણ ધ્યાનનો જ એક પ્રકાર થયો.

6. સામુહિક ધ્યાન:

જીવનમાં અનેક જવાબદારીઓ હોય છે. આ જવાબદારીઓ સાથે જ અનેક કાર્ય કરવા માટેની પ્રતિબદ્ધતા આપોઆપ આવી જાય છે અને ધ્યાન શરૂ કરીએ ત્યારે આ બધા કાર્ય ખાસ યાદ આવે છે. પરિણામ એ આવે છે કે ધ્યાનની અવધિ ટૂંકાવી દઈએ છીએ અથવા તો ધ્યાન બાજુએ રાખીને એ કામ કરવાં દોડીએ છીએ. આથી ધ્યાનમાં સાતત્ય જળવાતું નથી અને અપેક્ષિત પરિણામો પણ આવતા નથી. વધારામાં “આજનું ધ્યાન પડ્યું” તે વિચાર આત્મગ્લાનિ ઉત્પન્ન કરે છે.

ઉપરોક્ત પરિસ્થિતિથી દૂર રહેવું જોય તો સરળ ઉપાય એ છે કે મિત્રો સાથે અથવા કોઈ ધ્યાનકેન્દ્ર પર સમૂહમાં ધ્યાન કરવું. એક કરતાં વધુ ફાયદા સામુહિક ધ્યાનના છે.

A) ધ્યાનમાં સાતત્ય જળવાય છે.

B) નિશ્ચિત સમયે ધ્યાન થાય છે.

C) ધ્યાનકેન્દ્ર પરના મિત્રોનો મેળાપ થઈ જાય છે.

D) માર્ગદર્શનની જરૂર હોય તો તે મળી જાય છે.

E) કોઈ દિવસ આપણી સ્થિતિ સારી ન હોય (કોઈ ચિંતા હોય, તણાવ હોય, ઊંઘ બરાબર ન થઈ હોય) અને પરિણામે ધ્યાન સારું ન થવાની સંભાવના હોય તો પણ સમૂહમાં ઉત્પન્ન થતી ઊર્જાના પ્રવાહમાં તણાઈ જવાય છે અને ધ્યાનમાં ઊંડા ઉતરી જવાય છે.

F) ધ્યાનકેન્દ્ર પર વિવિધ ક્ષેત્રમાં કામ કરતા લોકોના સંપર્કમાં આવીએ છીએ જેને કારણે સામાજિક વર્તુળ ઘણું વિસ્તરે છે જે જીવનમાં અન્ય જગ્યાએ પણ લાભ આપે છે.

7) ધ્યાન શિબિર અથવા રિટ્રીટ:

નિયમિત ધ્યાન કરતા હોઈએ તો પણ સમયાંતરે કોઈ ધ્યાનશિબિર અથવા રિટ્રીટમાં ભાગ લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. આંતરિક બેટરી રિચાર્જ થઈ જાય છે. એક તો સામૂહિકતાના ફાયદા મળે છે અને વધુમાં જયારે વિશિષ્ટ હેતુથી મળ્યા હોઈએ ત્યારે આ અંગે ચર્ચા-વિચારણા થતી હોય તેનાથી જ્ઞાનવૃદ્ધિ થાય છે, ધ્યાનમાં આગળ નીકળેલા સાધકોની ઊર્જાનો લાભ મળે છે અને બની શકે કે કોઈ સિદ્ધ મહાત્માનું અમૂલ્ય સાન્નિધ્ય પણ મળી જાય.

8) લાગણીઓનો પ્રવાહ:

જે લોકો ધ્યાન માટે નવા છે તેમને અને જે લોકો વર્ષોથી ધ્યાન કરે છે તેમને પણ લાગુ પડતી એક વાત છે ‘ધ્યાન દરમ્યાન ધસમસતી બહાર આવતી લાગણીઓ.’ ધ્યાન દરમ્યાન ખુશી અને આનંદ તો એક મહામૂલી ભેટ છે જ પરંતુ તેની જગ્યા કરવા માટે, તેને કાયમી સ્થાન આપવા માટે અંદર વર્ષોથી દબાયેલી નકારાત્મક લાગણીઓ, જેવી કે ગુસ્સો, વિષાદ બહાર નીકળે છે જેને કારણે બેચેની જન્મી શકે. આ લાગણીઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરવાને બદલે, તેમનું ફક્ત નિરીક્ષણ કરીએ અને તેમને મુક્ત માર્ગ આપીએ તે જરૂરી છે. આ દ્વારા શરીરના ભવિષ્યમાં થનારા અનેક રોગો પણ બહાર ફેંકાઈ જાય છે.

9 ) ધ્યાનના જ્ઞાનનો ધ્યાન સિવાયના સમયમાં પ્રયોગ:

નિયમિત આદત તરીકે ધ્યાન કરીએ તે સારી વાત છે, પરંતુ તે જ ધ્યાનની સ્થિતિ દિવસના બાકીના સમયમાં પણ જાળવી રાખવાની પ્રેક્ટિસ કરવાથી અનેકગણો વધુ લાભ મળે. ધ્યાન કરતા હોઈએ તેના કારણે કંઈ નવું જાણ્યું હશે, શીખ્યા હશું. તે જ્ઞાનનો પ્રયોગ ધીરે-ધીરે પૂર્ણ દિવસ દરમ્યાન પણ કરવાની આદત કેળવવી જોઈએ. ઉદાહરણ દ્વારા સમજીએ.

A) માનો કે ધ્યાનમાં કોઈ મંત્ર પર અથવા શરીરના કોઈ ભાગ પર કેન્દ્રિત થયા. તો જયારે વિચારોનું આક્રમણ થાય ત્યારે કદાચ તેમાંથી પાછા આવી મંત્ર કે શરીરના ભાગ પર ફરી કેન્દ્રિત થવાની કોશિશ કરી હશે. એ જ પ્રેક્ટિસ દિવસ દરમ્યાન જયારે અણગમતા વિચારો આવે ત્યારે કરવાની છે.

B) ધારો કે ધ્યાન દરમ્યાન સહસ્ત્રાર ચક્ર પર ધ્યાન લઈ જવાની કોશિશ કરી. તો આજ સ્થિતિ દિવસ દરમ્યાન ખુલ્લી આંખે પણ કરવાની છે. રાતોરાત આદત નહિ પડે પરંતુ થોડા સમય પછી જરૂર આ આદત પણ કેળવાશે. પરિણામ એ આવશે કે ધ્યાન દરમ્યાન જે શાંતિનો અનુભવ થતો હતો તેવી જ શાંતિનો અનુભવ નિરંતર ચાલુ રહેશે. જે કોઈ કામ દિવસ દરમ્યાન કરીશું તે સંતુલિત રહી કરી શકીશું.

C) ધ્યાનમાં શું ખ્યાલ રાખીએ છીએ? નિયમિતતા. તો જીવનના દરેક ક્ષેત્રમાં એ ગુણ કેળવીએ. વિચારો સામે લડતા નથી, ફક્ત નિરીક્ષણ કરીએ છીએ, વિચારોનો સ્વીકાર કરીએ છીએ. તે જ પ્રમાણે જીવનમાં પણ દરેક પરિસ્થિતિનો ‘સ્વીકાર’ કરીએ. ધ્યાન દરમયાન સ્વયં વિષે વધુ જાગૃતિ – Awareness આવે છે, રોજબરોજના કાર્યો પણ એ જાગૃતિ સાથે કરીએ; ભોજન કરતાં હોઈએ તો ભોજન પર જ ધ્યાન આપીયે જેમ કે વાનગીનો સ્વાદ કેવો છે, સુગંધ કેવી છે, રંગ કેવો છે, પેટમાં ગયા પછી હળવું લાગે છે કે ભારે લાગે છે – આમ તમામ વસ્તુ પર જાગૃતિપૂર્વક ધ્યાન આપીયે. એ જ રીતે કોઈની વાત સાંભળતી વખતે તેના પર સંપૂર્ણ ધ્યાન આપીયે. આ જ વસ્તુ દરેક ક્રિયાને લાગુ પડે.

ટૂંકમાં રોજબરોજની જિંદગીને ધ્યાનનો એક વિસ્તૃત ભાગ – એક્સટેન્શન બનાવી દઈએ.

ધ્યાન શરૂ કરવાનો થોડોઘણો પણ વિચાર આવતો હોય તો પહેલાં ઝીગ જિગ્લરને યાદ કરીએ : “You don’t have to be great to start, but you have to start to be great.” એ પછી એરિસ્ટોટલને યાદ કરી જાતને અભિનંદન આપીયે કે ” Well begun is half done.” સાથે એ પણ યાદ રાખીએ કે Well begun is ONLY half done. ‘આરંભે શૂરા અને પછી બેસૂરા’ એમ કરવાને બદલે સાતત્ય જાળવીએ અને તમામ લાભ મેળવતાં રહીએ.

ક્રમશ:

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

લેખ 28 : ધ્યાન: શરૂઆતના અનુભવો – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ધ્યાન કરવાનું શરૂ કરે ત્યારે વ્યક્તિને વિવિધ અનુભવો થાય છે.    ‘તુંડે તુંડે ર્મતિર્ભિન્ના’ માફક ‘ધ્યાનીએ-ધ્યાનીએ અનુભવભિન્ના’ તેમ કહી શકાય.   વિસ્તૃત રીતે જાણવા  તો પુસ્તકોની હારમાળાની જરૂર પડે કારણ કે  કોઈ-કોઈને તો એટલા બધા અનુભવ થયા હોય છે કે ફક્ત પોતાના અનુભવ વિષે લખે તો પણ પુસ્તક લખાઈ જાય.   આ અનુભવો મુખ્યત્વે 4 વસ્તુ પર આધારિત હોય છે.

1)  ધ્યાન દરમ્યાન શરીરની સંપૂર્ણ કેમિસ્ટ્રી બદલાય, ચેતાતંત્રમાં બહુ મોટા બદલાવ આવે, ઊર્જાનો પ્રવાહ જે રીતે ચાલતો હોય તે રસ્તો બદલી નાખે, જ્યાં જરૂર હોય ત્યાં વધુ ઊર્જા પહોંચે, કોઈ અવરોધો હોય તો તેને દૂર કરીને પણ  અંતે પોતાનું કામ કરે.  અવરોધો એટલા માટે ઉભા થયા હોય  કે શરીરનું પ્રત્યેક અંગ વિવિધ  લાગણી  દબાવીને બેઠું હોય.  હૃદયમાં લાગણીઓ હોય તે તો બધાને ખ્યાલ છે.  એ સિવાય પણ હાથ,પગ, પેટ, પીઠ, ખભા જેવા બાહ્ય અવયવો અને કિડની, લીવર તેમ જ અન્ય આંતરિક અવયવો પણ જુદી-જુદી લાગણીઓના ભરાવાથી અસરગ્રસ્ત હોય, દા.ત. ગુસ્સો લીવરને અસર કરે, અપરાધભાવની લાગણી પીઠના વચ્ચેના ભાગને અસર કરે, અસલામતીની ભાવના પીઠના નીચેના ભાગમાં દુઃખાવો લાવે વિગેરે.   જ્યાં જરૂર હોય ત્યાં ધ્યાન રીપેરીંગ કરે. તેને કારણે કામચલાઉ રીતે  શરીરમાં  ફેરફારો થતા અનુભવાય.

2) વધેલી જાગૃતિ – Awaremess.   

રોજબરોજની પ્રવૃત્તિમાં અટવાયેલા હોઈએ ત્યારે શરીરમાં અનેક સ્પંદનોની નોંધ લેતા નથી.  આખો દિવસ પ્રવૃત્તિમય હોઈએ તો કંઈ થયું ન હોય અને રાત્રે ઘરે જઈએ, કપડાં બદલીએ અને ધ્યાન પડે  કે શરીરમાં  દુઃખાવો છે, ખંજવાળ આવે છે  વિગેરે.   આ પ્રમાણે ધ્યાનમાં બીજી પ્રવૃત્તિ બંધ થતાં શરીર પર અને વિચારો પર ધ્યાન જાય અને અલગ-અલગ સ્પંદનોનો ખ્યાલ આવે.   શરીર વિરોધ પણ કરે, કોઈ દિવસ આ પ્રમાણે બેસવાની આદત ન હોય માટે.

3) પૂર્વજન્મની સાધના:

હાલના તબક્કે અનેક અભ્યાસોએ સાબિત કરી દીધું છે કે ‘પૂર્વજન્મ છે, છે અને છે.’    પૂર્વજન્મની સાધનાનો પ્રકાર (ભક્તિમાર્ગ/હઠયોગ વિગેરે) ધ્યાનમાં  વિશિષ્ટ અનુભવો આપે છે.

4)  સાત ચક્રોનું શુદ્ધિકરણ:

લેખમાળાના પહેલાં તબક્કામાં ચક્રો વિષે વિગતે વાત થઈ છે.  દરેક ચક્રમાં નાની-મોટી અશુદ્ધિઓ તો સામાન્ય રીતે હોય જ છે.  ચક્રોનું શુદ્ધિકરણ શરૂ થાય છે જે પ્રક્રિયા વિવિધ અનુભૂતિ કરાવે છે.

ધ્યાનના  અનુભવોનો એક અલગ જ આનંદ છે જેનું વર્ણન શક્ય નથી.  પરંતુ ધ્યાન કરવાની શરૂઆતમાં જે  અનુભવો વધુ સામાન્ય રીતે જોવા મળે છે તેની વાત કરીએ કારણ કે આ સમય દરમ્યાન વ્યક્તિ નવી અનુભૂતિને  કારણે અને યોગ્ય માર્ગદર્શનને અભાવે કોઈ વાર અવઢવ અનુભવે છે. 

 થોડા આવા અનુભવો જોઈએ.

1)  શરીરના કોઈ પણ ભાગમાંથી, ખાસ તો હાથમાંથી ગરમ અથવા ઠંડો  પ્રવાહ નીકળે,  ઝણઝણાટી  થાય.

ત્રણ  તબક્કામાં શરીરમાં શુદ્ધિકરણ થાય છે.  જયારે  વધારે અશુદ્ધિઓ બહાર નીકળતી હોય ત્યારે ગરમ પ્રવાહ, ત્યાર બાદના તબક્કામાં ઝણઝણાટી  અને પછી જયારે અશુદ્ધિઓ ઘટી જાય ત્યારે ઠંડો પ્રવાહ બહાર નીકળતો હોય છે. 

2) પૂરી  ઊંઘ લીધી હોય, કોઈ થાક  પણ ન હોય છતાં ઊંઘ આવે.   કોઈ વાર તો નસકોરાંના નગારાં  પણ વાગે.

ધ્યાન દરમ્યાન હળવાશ અનુભવાય;  યોગની ભાષામાં ચંદ્રનાડીનું જયારે શુદ્ધિકરણ થાય છે, ભૂતકાળની અકળાવનારી યાદો ખરી પડતી હોય  ત્યારે આ સ્થિતિ આવે.  થોડા દિવસો ધ્યાન ચાલુ રાખ્યા પછી ઊંઘ આવશે નહિ, સિવાય કે અત્યંત થાકની સ્થિતિમાં કે જમ્યા પછી ધ્યાન કરીએ.

3) શરીર ઠંડુ પડી જાય.

ધ્યાન દરમ્યાન ઊર્જાના સામાન્ય પ્રવાહમાં બદલાવ આવે, જ્યાં વધુ ઊર્જાની જરૂર હોય ત્યાં એ પ્રમાણે ઊર્જા પહોંચે. ઊર્જાની આ ગતિ દરમ્યાન શરીર ઠંડુ પડી જાય છે.  કોઈ વાર ઠંડીની ધ્રુજારી પણ આવે.

4) શરીર કોઈ પણ તરફ – આગળ, પાછળ, ડાબે, જમણે ઢળી પડે.

5) શરીરનો કોઈ ભાગ અચાનક અદ્રશ્ય થઈ ગયો હોય તેમ લાગે, જેમ કે હાથ અથવા પગનું અસ્તિત્વ જ ન હોય તેવું બંધ આંખે લાગે.

6) હાથ-પગમાં ખાલી ચડે.

7) હાથ અથવા માથું આપોઆપ  ઘુમવા માંડે.

8) શરીરના સાંધાઓ/સ્નાયુઓમાં કળતર થાય.

9) કોઈ ગલીપચી કરતું હોય તેવું લાગે.

10) શરીરમાં  ખંજવાળ ઉપડે.

11)  દબાયેલી  લાગણીઓ બહાર આવવાથી હસવું/રડવું આવે.

12) ઊંઘના પ્રકાર અને સમયાવધિમાં ફેરફાર.

શુદ્ધિકરણ દરમ્યાન શરીરની જરૂરિયાત અને ઊર્જાના વધતા પ્રવાહની સાથે ઊંઘ પોતાની ઘડિયાળ જાતે જ ગોઠવી લે.

13) આંખમાંથી પાણી નીકળે.

14) ભોજનની રુચિમાં બદલાવ.

ભૂખ વધુ અથવા ઓછી લાગે, જે ભાવતું હોય તે અચાનક ન ભાવે અને જે આજ સુધી પસંદ ન હતું તે અચાનક પસંદ પડવા લાગે.

15) કોઈ વ્યસન આપોઆપ  છૂટી જાય.

માનો કે મદ્યપાનની આદત હોય.  એવું બને કે અચાનક એમ લાગે કે મદિરા હવે મને માફક આવતી નથી.  એ જ વસ્તુ  સિગારેટ કે પાનને પણ લાગુ પડે.

અમુક અનુભવો અકળાવનારા લાગે,  થયા હોય શુદ્ધિકરણના ભાગ રૂપે,  જે બાદમાં અત્યંત લાભદાયક નીવડે.

16)  ગુસ્સો ફાટી નીકળે: 

સામાન્ય માન્યતા મુજબ વ્યક્તિ ધ્યાન થકી શાંત થવી જોઈએ.  તેનાથી તદ્દન વિરુદ્ધ, વ્યક્તિ અચાનક અકળામણ અનુભવે અને વાત-વાતમાં ગુસ્સે થતી જોવા મળે.  બીજાં પૂછે કે આ તો કેવું ધ્યાન તમારું,  સુધારવાને બદલે બગાડે તેવું?   મગજમાં જે કંઈ ગુસ્સો ભરી રાખેલો હોય તે આજ્ઞાચક્રમાં એટલે કે ત્રીજું નેત્ર કહીએ છીએ તે જગ્યાએ ભરેલો રહે, લાંબા સમયે નર્વસ સિસ્ટમનાં રોગ લઈ આવે.  ધ્યાનમાં શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થતાં જ આ ગુસ્સો બહાર નીકળી શકે જે ભવિષ્યનાં આવા રોગોથી બચાવે.  ધીરે-ધીરે  વ્યક્તિ શાંત થતી જાય.

17) લમણાં દુઃખે. 

બીજા ચક્રો કરતાં આજ્ઞાચક્રના અવરોધ-Blocks વધુ મજબૂત હોય, તૂટતાં થોડી વાર લાગે.   ધ્યાન દરમ્યાન જયારે ઊર્જા ઉર્ધ્વગામી થાય ત્યારે આ જગ્યાએ અટકે.  આજ્ઞાચક્રનું સ્થાન  ત્રીજા નેત્રની જગ્યા છે.  ત્યાં ઊર્જા ભટકાય અને પાછી પણ આવે, આજુબાજુના ભાગમાં દર્દ ઉત્પન્ન કરે.  એક વાર આ અવરોધ થોડા ઓછા થાય એટલે આ દર્દ શમી જાય.

18) બેચેની થાય. 

દરેક વ્યક્તિને  સામાન્ય રીતે થોડીઘણી અકળાવનારી લાગણીઓ અવ્યક્ત રાખવી પડી હોય. શુદ્ધિકરણની પ્રક્રિયામાં શરૂઆતમાં આ લાગણીઓ બહાર આવતાં બેચેની મેહસૂસ થઇ શકે, જે 5 /7 દિવસમાં જ દૂર થઈ  જાય.  

19) કામોત્તેજનામાં વધારો.

પ્રચલિત માન્યતા એવી છે કે ધ્યાન કરો એટલે આટલું કરાય ને આટલું ન કરાય.  માનસિક રીતે એક લાંબુંલચક લિસ્ટ મનમાં આવી જાય.  પહેલી જ વાત આવે કે ધ્યાન કરે એ વ્યક્તિ એ સેક્સ વિષે તો વિચારાય પણ નહિ.  હકીકતમાં, જયારે ધ્યાનની શરૂઆત કોઈ કરે તો ઘણી વાર એવું થાય કે કામોત્તેજના – લીબીડો અચાનક વધી જાય.  ધ્યાન કરનાર વ્યક્તિ મુંજાય કે આ શું થયું !   બહુ  ઓછાં એવાં હોય કે જે ખુલીને આ વિષયમાં કોઈને પૂછી શકે, સંકોચ અનુભવે.   માટે થોડી વિસ્તૃત છણાવટ કરીએ.

બે રીતે સમજીએ – સાંપ્રત વિજ્ઞાનની  દ્રષ્ટિએ તથા યોગિક રીતે પણ. 

હોર્મોન્સ વિષે લેખ 24માં વિગતે વાત કરી .  જયારે તણાવ વધે ત્યારે કોર્ટીઝોલ વધ્યું હોય.  તણાવ સમયે લિબિડોના નામ પર ચોકડી હોય જે બધાએ અનુભવ કરેલું  હશે.  ધ્યાન કોર્ટીઝોલ ઘટાડે એટલે કે તણાવ ઘટાડે,  મૂડ સારો કરતું સેરોટોનિન  વધારે.  ઓક્સિટોસિન પણ વધારે પ્રવાહિત થાય જે લવ હોર્મોન તરીકે જ ઓળખાય છે કારણ કે તેનાથી રોમાન્ટિક બોન્ડ વધે.   મેલાટોનિન વધ્યું હોય જેથી ઊંઘ સારી આવતી થઈ હોય.  DHEA  પણ વધારે પ્રવાહિત થાય જે સેક્સ હોર્મોન એટલે કે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીમાં એસ્ટ્રોજીન વધારે.  આ બધાનાં સંયુક્ત પરિણામ રૂપે કામેચ્છા વધે.  આ તબક્કો કામચલાઉ હોય.  જયારે શરીર અને મન આ સ્થિતિથી ટેવાય જાય ત્યારે ફરીથી બધું સામાન્ય થઈ જાય.

યોગશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ.  કુંડલિની શક્તિનું સ્થાન મૂલાધાર પાસે હોય.  તેમાંથી 5 /7% વાપરીને જીવન વીતતું હોય.  જાતીય જીવન પણ આ જ ઊર્જા  પર આધારિત હોય.  ધ્યાન દરમ્યાન ઊર્જાનું ઉર્ધ્વગમન થાય.  એ પ્રક્રિયાની અસર સ્વાધિષ્ઠાનચક્ર  પર પહેલા થાય, આ ચક્ર વધુ કાર્યરત બને કારણ કે  ઊર્જા આ ચક્રમાં થઈ ઉર્ધ્વગમન કરે.   આ ચક્રનું સ્થાન જાતીય અવયવો પાસે જ છે.  માટે આ અવયવો પણ વધુ કાર્યરત થાય.   પરિણામે  કામેચ્છા વધે.  *થોડા સમયના ધ્યાન પછી જયારે આ અવયવો વધારાની ઊર્જાથી ટેવાય જાય ત્યારે સામાન્ય સ્થિતિ ફરી સ્થાપિત થઈ જાય.

20) વિચારોનો મારો:

કોઈ દિવસ શાંતિથી બેસવાની મગજને આદત ન હતી.  હવે એને કહીએ કે શાંત બેસ તો થોડો સમય તો બળવો કરે ને !  થોડા દિવસ પછી માની જાય.

21) કીડીઓ ચટકા ભરે. 

એમ લાગે કે શરીર પર કીડીઓ ચડી ગઈ છે અને આપણે આજુબાજુમાં કીડીઓ શોધવા લાગીએ.

આ વિષેનો મારો એક અનુભવ.   1૯૯૮માં ધ્યાન કરવાનું મેં શરૂ કર્યું.  અનેક અનુભવ થવા લાગ્યા જે મારા  ત્યારના બૌદ્ધિક મગજની સમજણ બહારના હતા.    સમજાતું ન હતું  કે કેમ થાય છે પરંતુ થાય છે તે અનુભવતો હતો.  તેથી વધુ ને વધુ ધ્યાન કરવા લાગ્યો.  કીડીઓના ચટકાનો અનુભવ કાયમ થતો, ધ્યાન સિવાયના સમયમાં પણ થતો.    માઈક્રો-કોસ્મિક ઓર્બીટ નામની એક ચાઈનીઝ પદ્ધતિથી ધ્યાન કરવાનું શરૂ કર્યું.   પલંગ પર સુઈને આ ધ્યાન કરતો.  અત્યંત અસરકારક આ ઓર્બીટ હોય છે;  શરીરના તમામ ભાગમાં – પગના તળિયાંથી માથાંનાં તાળવાં સુધી, શરીરના આગળ અને પાછળ બંને ભાગમાં  ઊર્જાનો પ્રવાહ ફેરવવાનો હોય.   ઓર્બીટ દરમ્યાન હંમેશા  હાથ, પગ, પીઠ , પેટ વિગેરે જગ્યા પર કીડીઓના ચટકાનો અનુભવ થતો.  એક દિવસ આ પ્રકારે ઓર્બીટ ફેરવતો હતો અને ચટકા પીઠ પર શરૂ થયા, વધ્યા,  ગળાની પાછળ ચાલુ થયા.  એક નવી જગ્યાએ ઊર્જા કામ કરી રહી હતી.  ચટકાની માત્રા રોજ કરતાં વધુ હતી.  થોડી વારમાં સહસ્ત્રારમાં એટલે કે માથાંનાં તાળવાંમાં  ચટકા ચાલુ થયા. આ એકદમ નવો અનુભવ હતો. થોડી વાર મેં  માણ્યો. ત્યાર બાદ  ચટકા એટલા વધી ગયા કે રહી શકાયું નહિ અને હાથ ત્યાં ખંજવાળવા માટે ગયો.  તો……………. હાથમાં અસંખ્ય લાલ કીડીઓ આવી.  તે દિવસે  કીડીઓ મને સાચો અનુભવ કરાવવા પલંગ પર ચડી ગયેલી !!!

અંતમાં, એટલું જ યાદ રાખવાનું છે કે ધ્યાન કરવું હંમેશા ફાયદાકારક રહેશે, જે કંઈ થાય છે તે સારા માટે થાય છે, આ બ્રહ્માંડની ઊર્જા છે જેને ખ્યાલ છે કે શરીર કે મગજમાં ક્યાં મરમ્મત કરવી.  આપણી સામાન્ય બુદ્ધિ કે  આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ કરતાં અનેક ગણી વધુ સમજણ વૈશ્વિક ચેતનાને છે અને તે જે કઈ કરશે તે  યોગ્ય કરશે.  માનસિક શાંતિ અને અપાર ખુશીની સાથે કોઈ અનુભવો અકળાવનારા પણ લાગે પણ એ સમજવાનું છે કે ડોક્ટર ઈન્જેકશન મારે ત્યારે એનો ઈરાદો શરીરને શુદ્ધ કરવાનો છે, ધ્યાનમાં આવું ઈન્જેકશન જરૂર હોય ત્યાં કુદરત મારી આપે છે.  શહેનશાહ પણ એક સમયે નાનું બાળક હોય, ચાલતા શીખે ત્યારે પડ્યો હોય, ભેંકડો પણ તાણ્યો હોય.  તેમ અંતમાં ધ્યાનના શહેનશાહ થઈ શકાય – જો ચાલતા શીખવાનું – ધ્યાન કરવાનું ચાલુ રાખ્યું હોય તો.

ક્રમશ:

*જિતેન્દ્ર પટવારી *

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Blog at WordPress.com.