આ નાનકડો લેખ ‘સ્વાસ્થ્ય સુધા’ નામની નાનકડી પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે. જેના લેખક શ્રી ડો.રમેશ કાપડિયા છે તથા પ્રકાશક આર.આર.શેઠની કંપની છે. ડો.રમેશ કાપડિયા, એમ.આર.સી.પી. (કાર્ડિયોલોજી) એફ.આર્.સી.પી. (એડીન) નો જન્મ વલસાડમાં ૧૯૩૪ની ૨૬મી ઓક્ટોબરે થયો. એમણે શિક્ષણ દેશમાં અને વિદેશમાં લીધું છે. હ્રદયરોગના લબ્ધપ્રતિષ્ઠ નિષ્ણાત, સફળ પ્રાધ્યાપક અને ડોક્ટર છે એટલું જ નહીં પણ એમનામાં પૂર્વના અને પશ્ચિમના શાણપણનો અદભુત સમન્વય થયો છે. તેઓ ૧૯૯૧ની ગાંધીજયંતિથી અમદાવાદમાં ‘યુનિવર્સલ હીલિંગ’ ના કાર્યક્રમનું સંચાલન કરે છે. ડો.રમેશ કાપડિયાનાં પત્ની ડો.કોકિલાબહેન બાળરોગનાં નિષ્ણાત છે અને આ કાર્યમાં સુંદર સહકાર અને પ્રેરણા આપે છે.
ડો.કાપડિયા શવાસન અને ધ્યાનના પ્રખર હિમાયતી અને અભ્યાસુ છે. તેમને અતૂટ શ્રદ્ધા છે કે માનવજીવનની ઉન્નતિમાં શવાસન અને ધ્યાન અત્યંત ઉપકારક બની રહેશે. તેથી વિના મૂલ્યે મળતું આ અમૃત સમાજને ખૂણે ખૂણે પહોંચાડવા તેમણે ભેખ લીધો છે.
તાજેતરમાં અમેરિકાના એક અહેવાલ પ્રમાણે એન્જિયોપ્લાસ્ટી કરાવેલ પાંચસો દર્દીઓમાંથી સવાસો જેટલા દર્દીઓની કોરોનરી ધમનીઓ માત્ર છ જ મહિનામાં ફરીથી સાંકડી બની ગઈ હતી. તે દરેકની એન્જિયોપ્લાસ્ટીમાં જે સ્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવેલ તે ખાસ પ્રક્રિયા કરેલ અધ્યતન ઉપકરણ હોવા છતાં આમ બન્યું. સંશોધનને અંતે એમ સમજાયું કે ધમનીઓ ફરીથી સાંકડી બનવાનું મુખ્ય કારણ એ દર્દીઓમાં સ્વભાવની ઉગ્રતાનું પ્રમાણ અતિશય હતું. સ્વભાવની ઉગ્રતાથી રક્તવાહિનીમાં થતા રાસાયણિક ફેરફારોને લીધે રક્તવાહિનીઓ સાંકડી બને છે અને સંકોચાય છે.
સ્વભાવની ઉગ્રતામાં અતિશય ચીડિયો સ્વભાવ, આક્રમક વર્તન, તીવ્ર અસહિષ્ણુતા, નિરર્થક અણગમો, તિરસ્કાર અને વક્રદૃષ્ટિનો સમાવેશ થાય છે. અળગાપણાની ભાવનામાંથી દ્વેષભાવ જન્મે છે અને દ્વેષભાવ અળગાપણાને વધારે છે. દ્વેષી લોકો અતડા રહે છે. આવા લોકોને પાર્ટીઓમાં જાય તો પણ બીજા માણસો સાથે મુક્ત રીતે ભળવામાં એમનો સ્વભાવ આડે આવે છે. દ્વેષી વ્યક્તિ પોતાના જ વિચારોમાં મગ્ન રહે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના એક અભ્યાસ પ્રમાણે વ્યક્તિ વાતચીતમાં ‘હું, મારું, મને’ એવા સ્વલક્ષી શબ્દોનો વધારે પડતો ઉપયોગ કરે તો એમનામાં હ્રદયરોગ થવાની શક્યતા ઘણી વધી જાય છે.
ક્રોધ, ઘૃણા, વેરવૃત્તિ, ઈર્ષા, સંવેદનશૂન્યતા જેવી નકારાત્મક લાગણીઓથી HRV ક્ષીણ અને અસ્થિર બને છે. નિઃસ્વાર્થ પ્રેમ, કરુણા, સમભાવ અને સહાનુભૂતિ જેવી હકારાત્મક લાગણીઓથી HRV વધે છે અને સ્થિર અને લયબદ્ધ બને છે. HRV ની અસ્થિરતા મન અને શરીરની અસ્વસ્થતા સૂચવે છે. એટલું જ નહીં, પણ તેથી રોગપ્રતિકાર શક્તિ પણ ઘટે છે.
હાર્ટ રેઈટ વેરિયેબિલિટી (HRV)
હાર્ટ રેઈટ વેરિયેબિલિટી એટલે હ્રદયની તેના ધબકારામાં અતિ સુક્ષ્મ રીતે ફેરફાર કરવાની ક્ષમતા. નિયમિત રીતે ધબકતું હ્રદય એક અને બીજા ધબકારાની વચ્ચેનું અંતર અતિ સુક્ષ્મ રીતે બદલતું રહે છે પણ દર મિનિટે સરેરાશ ધબકારાનું પ્રમાણ ચોક્કસ રહે છે. નાડીપરીક્ષા કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં HRV માં આલેખાતા ધબકારાના ફેરફારનું માપ અતિ સુક્ષ્મ હોવાથી પારખી શકાતું નથી. આ ફેરફાર અતિ અદ્યતન કોમ્પ્યુટરની મદદથી જોઈ શકાય. હ્રદયની આ ફેરફાર કરવાની ક્ષમતા એ સામાન્ય રીતે સમજાતી હ્રદયના ધબકારાની અનિયમિતતા નથી.
હ્રદયના ધબકારામાં અતિ સૂક્ષ્મ ફેરફાર કરવાની હ્રદયની ક્ષમતા લાંબા અને સુખી આયુષ્ય માટે ઘણું અગત્યનું પરિબળ છે એમ તાજેતરનાં અનેક સંશોધનોમાં જણાયું છે.
શવાસન અને ધ્યાન હ્રદયની HRV ની ક્ષમતા વધારવા અને લયબદ્ધ કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે.
ડૉ. રમેશ કાપડિયાનાં પ્રકાશિત પુસ્તકો
ગુજરાતી
૧. હ્રદયરોગનો પાયાનો ઉપચાર (રૂ.૩૫)
યુનિવર્સલ હીલિંગ કાર્યક્રમની ફળશ્રૂતિરૂપે આ પુસ્તક છે. આ પુસ્તકમાં વર્ણવવામાં આવેલા શવાસન અને ધ્યાનની પદ્ધતિ અત્યંત સરળ છતાં પણ ખૂબ અસરકારક છે. પરીણામે જે સ્વાસ્થ્યલાભ પ્રાપ્ત થાય છે તે ફક્ત કૉરોનરી ધમનીઓ પૂરતો મર્યાદિત ન રહેતાં વ્યક્તિમાં સમગ્રપણે નવચેતના પ્રગટાવે છે. આ પુસ્તક હિંદીમાં પણ ઉપલબ્ધ છે.
૨. આહારનો ઉપભોગ તો પણ હ્રદય નીરોગ (રૂ.૨૦)
આ પુસ્તક હ્રદયરોગના દર્દીઓ માટે પરેજી અંગેની પરંપરાગત વિચારધારાથી એક નવો જ માર્ગ બતાવે છે કે જેમાં ભોજનના આનંદને સહેજ પણ ગુમાવ્યા વગર તંદુરસ્તી માણી શકાય છે.
૩. હ્રદયરોગની સમસ્યા એક નવી દિશા (રૂ.૨૦)
આ પુસ્તકમાં અળગાપણાની ભાવના કેવી રીતે કૉરોનરી હ્રદયરોગમાં પરીણમે છે તે ચર્ચવામાં આવ્યું છે અને આપણી પ્રાચીન યોગપદ્ધતિથી અળગાપણાને કેવી રીતે દૂર કરી શકાય તે સમજાવ્યું છે.
૪. હ્રદયરોગમાં વિજ્ઞાન અને અધ્યાત્મ (રૂ.૩૦)
અમેરિકાના ડૉ. લારી ડોસ્સી આ પુસ્તકમાં દર્શાવેલ કાર્યક્રમને બિરદાવતાં લખે છે કે, “શરીર, મન અને આત્માનૉ સંવાદિતા એ માનવસ્વાસ્થ્યનું પરમતત્ત્વ છે. તમારો કાર્યક્રમ સમજદારીપૂર્વક આત્માને સન્માને છે, પરંતુ એ શરીરયંત્રની અવગણના કરતો નથી.” આ પુસ્તક વિજ્ઞાન અને અદ્યાત્મના સંયોગથી થતી સ્વાસ્થ્યપ્રદ અસરો સમજાવે છે.
૫. આરોગ્યનિર્માણ (રૂ.૩૦)
વાચક પોતે જ પોતાની તણ્દુરસ્તીનું નિર્માણ કરવા માટે સક્શમ છે. એવી પ્રતીતિ એને આ પુસ્તકને અનુસરવાથી થશે એવો અમને વિશ્વાસ છે.
૬. હ્રદયની વાત હ્રદયપૂર્વક (રૂ.૧૫)
આ પુસ્તિકા યુ.હી. કાર્યક્રમનાં સઘળાં પાસાંઓને પ્રશ્નોત્તરી રૂપે સમજાવે છે.
૭. હાર્ટ ઍટેક અટકાવો (રૂ.૩૦)
હાર્ટ ઍટેક અટકાવવા સૌએ આ પુસ્તકમાં આપેલ વૈજ્ઞાનિક સંશોધનો વાંચવા રહ્યાં.
૮. સ્વાસ્થ્ય સુધા
શવાસનના અદભુત પરિણામોનાં વૈજ્ઞાનિક તથ્યો આ પુસ્તિકામાં સમજાવવામાં આવ્યાં છે.
English
1. Primer of Universala Healing (Rs.50)
2. Wealth of Food – Health of Heart (Rs.20)
3. Heart Disease – A New Direction (Rs.25)
4. Heart Disease – Science And Spirituality (Rs.25)
5. Spinning One’s Own Health (Rs.30)
6. Heart to Heart (Rs.15)
7. Prevention of Heart Attack (Rs.30)
8. Shavasana – Key to Health and Bliss (Rs.20)
9. Health & Harmony (Rs.10)
हिन्दी
१. ह्रदयरोग का बुनियादी उपचार (रू.६०)
२. शवासन से स्वास्थ्य और परम आनंद (रू.१५)
३. स्वास्थ्य सुधा (रू.१०)
પુસ્તક મેળવવા માટે સંપર્ક
* આર.આર.શેઠની કંપની
૧૧૦/૧૧૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, કેશવબાગ, મુંબઈ – ૪૦૦ ૦૦૨
ટેલિફોન (૦૨૨) ૨૨૦૧૩૪૪૧
* ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમ્દવાદ – ૩૮૦ ૦૦૧
ટેલિફોન (૦૭૯) ૨૫૫૦૬૫૭૩
* બિપીન પારેખ, મુંબઈ – મો.૯૩૨૨૨ ૫૯૩૪૯
* આર.ઍન.શાહ, મુંબઈ – (૦૨૨) ૨૫૮૨ ૦૬૪૨
* જનક દવે, યુ.એસ.એ. – (૦૦૧) ૪૦૨ ૨૯૨ ૩૭૯૦
શવાસન વિશેના ડોક્ટર સાહેબના વિચારો જાણવા અહીં ક્લિક કરો.