Posts Tagged With: જ્ઞાન

ધ્યાનના પ્રયોગો (૧૦)

ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकांचनः || ભ.ગી.૬.૮ ||

जिसका अन्तःकरण ज्ञान-विज्ञान से तृप्त है, जिसकी स्थिति विकाररहित है, जिसकी इन्द्रियाँ भलीभाँति जीती हुई हैं और जिसके लिए मिट्टी, पत्थर और सुवर्ण समान हैं, वह योगी युक्त अर्थात भगवत्प्राप्त है, ऐसे कहा जाता है॥

જેનું અંત:કરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ વિકારરહિત છે, જેની ઈન્દ્રિયો સારી પેઠે જિતાયેલી છે તેમજ જે માટી, પથ્થર અને સુવર્ણમાં સમબુદ્ધિ છે. એવો યોગી યુક્ત (યોગારૂઢ) કહેવાય છે.

આત્મસંયમ યોગનું બીજું નામ ધ્યાન યોગ છે. ગૃહસ્થ જ્યારે આ બધું વાંચે ત્યારે તેને ખ્યાલ આવે કે સામાન્ય મનુષ્ય અને યોગી વચ્ચે બાહ્ય રીતે નહીં પણ તેની આંતરીક મનોદશા અને ચિત્તની વૃત્તિમાં કેટલો બધો તફાવત હોય છે.

જેમનું અંત:કરણ જ્ઞાન એટલે કે પરમાત્માની જાણકારી અને વિજ્ઞાન એટલે પરમાત્માનો અનુભવ કરવા માટેના પ્રયોગો, અભ્યાસ તથા અનુભુતીમાં લીન રહે છે તેવો યોગી સતત જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત રહે છે.

કૂટ એટલે એરણ. લુહારની કોઢમાં એક લોખંડની મજબૂત એરણ હોય છે તેની ઉપર અનેક ઓજારો ઘડાય પણ એરણન સ્વરુપમાં કશો ફેરફાર ન થાય. સોનીને ત્યાંયે એરણ હોય છે. તેની ઉપર કેટલાયે દાગીના ઘડાય પણ એરણ નીર્વીકાર રહે. તેવી રીતે જે કૂટસ્થ એટલે કે સાક્ષી ચૈતન્યમાં સ્થિત છે તેના અંત:કરણમાં અનેક વૃત્તિઓ આવે અને જાય પણ તે વૃત્તિઓ સાથે તાદાત્મ્ય સાધવાને બદલે યોગી નિર્વિકાર રહીને ચૈતન્યમાં જ સ્થિત રહે છે.

કઠોપનિષદમાં આપણે જોયું છે કે શરીરને રથની ઉપમા આપવામાં આવી છે અને ઈન્દ્રિયોને ઘોડાની ઉપમા આપવામાં આવી છે. જો રથ સાથે જોડાયેલા ઘોડાઓ યથેચ્છ વિહાર કરે તો રથને જરુર ખાડામાં નાખે. તેવી રીતે જેમનો ઈન્દ્રિયો પર કાબુ નથી તેમની ઈન્દ્રિયો દુર્દશા કર્યા વગર રહેતી નથી. યોગી તે છે કે જેમણે તેમની ઈન્દ્રિયોને સારી રીતે જીતી લીધી છે.

માટી, સોનું અને પથ્થરમાં જેમની દૃષ્ટી સમાન છે. વાસ્તવમાં માટી, સોનું અને પથ્થર ત્રણેય પ્રાકૃતિક પદાર્થો છે. ઉત્પતિ-વિનાશ ધર્મવાળા છે. તેમની વચ્ચે ભેદ માત્ર વ્યવહારીક મૂલ્યનો છે. જે યોગી છે તેમની દૃષ્ટી સર્વ પદાર્થો પ્રત્યે સમાન જ હોય છે. તે તેનું વ્યવહારિક મૂલ્ય જાણતા હોય છે પણ આધ્યાત્મિક દૃષ્ટીએ કે પારમાર્થિક દૃષ્ટીએ તો તે સઘળાં ભૌતિક પદાર્થો જ છે.

આમ પરમાત્મામાં રત, સાક્ષીભાવમાં સ્થિત, ઈન્દ્રિયોને સારી રીતે જીતેલો તથા સર્વ ભૌતિક પદાર્થો પ્રત્યે સમાન બુદ્ધિવાળો યોગી યોગારૂઢ ગણાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , , , , , | Leave a comment

જીજ્ઞાસા વગર જ્ઞાન આપવું જોઈએ નહીં

મહાપુરુષોને સત્ય પ્રાપ્ત થાય અને જીજ્ઞાસુઓને કે જેમને જાણવામાં રસ હોય તેમને શીખવે તો શીખવવાનો અને શીખવાનો બંનેને આનંદ થાય. ગમે તેવું સત્ય હોય પણ જો જીજ્ઞાસા ન હોય અને પરાણે શીખવવામાં આવે તો તે કહેનારને કે સાંભળનારને કોઈને ય માટે લાભપ્રદ નથી થતું.

શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપ્યાં પછી કહે છે કે જે કોઈ મારો ભક્ત હોય અને જ્ઞાનની જીજ્ઞાસા વાળો હોય તેને જો તું આ રહસ્ય કહેશે તો તેનું કલ્યાણ થશે પણ જે કોઈ મારો નિંદક હોય અને આ વાત સાંભળવા ન ઈચ્છતો હોય તેને તું આ જ્ઞાન કહીશ નહીં.

આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે જો જાણવાની ઈચ્છા ન હોય તો કહેવામાં આવેલી વાત ગમે તેટલી ઉપયોગી હોય તો યે તેનો કશો અર્થ સરતો નથી પણ જો જીજ્ઞાસા હોય તો યોગ્ય અનુભવીએ આપેલ માર્ગદર્શન ઉપયોગી થાય છે.

Categories: ચિંતન | Tags: , , , | 1 Comment

જ્ઞાન ક્યાંથી મેળવવું?

કારણ વગર કાર્ય સંભવી શકે નહીં.

કારણને દૂર કરવામાં આવે તો કાર્ય ટકી શકે નહીં.

કારણો અપ્રગટ હોય છે કાર્ય પ્રગટ હોય છે.

કોઈ કાર્ય અન્ય કાર્ય માટે કારણરુપ હોઈ શકે.

કાર્ય સ્વીકાર્ય ન હોય અને કારણ જાણતા ન હોઈએ તે પરિસ્થિતિમાં થતી અકળામણ અજ્ઞાન જન્ય અકળામણ છે.

કારણ જાણતા હોઈએ અને કાર્ય સ્વીકાર્ય ન હોય તે પરિસ્થિતિમાં થતી અકળામણ દૂર કરવા માટે કારણને દૂર કરવાનો પુરુષાર્થ થતો હોય છે.

કાર્ય સ્વીકાર્ય ન હોય અને ખોટા કારણને સાચું કારણ સમજતા હોઈએ તો તે પરિસ્થિતિમાં થતો કારણને દૂર કરવાનો પ્રયાસ એટલે વૃથા શ્રમ. આવા વૃથા શ્રમથી કારણ દૂર થવાને બદલે વિપરિત કાર્ય પણ ઉત્પન્ન થઈ શકે.

જીવ અને જગત કાર્ય છે. તેનું કારણ જાણવા માટે અનેક લોકોએ પ્રયાસ કર્યો છે. દરેક લોકો તેવો દાવો કરતાં હોય છે કે તેઓ જાણે છે તે તેનું સાચું કારણ છે અને અન્ય લોકો જેને કારણ માને છે તે સત્યથી વેગળા છે. જે લોકો જેવું માને છે તેવું વર્તે છે. જેવું વર્તે છે તેવું જીવન બને છે. જેવું જીવે છે તેવી આગળની ગતી પામે છે.

જીવ અને જગતનું સાચું કારણ જાણી શકવાની અસમર્થતાને અજ્ઞાન કહે છે. એવું કહી શકાય કે અત્યારની સઘળી ગડમથલ અને સંઘર્ષોના મુળમાં અજ્ઞાન રહેલું છે. અજ્ઞાન ગમે તેટલા કર્મો કરવામાં આવે તો દૂર થઈ ન શકે. અજ્ઞાન માત્ર જ્ઞાનથી દૂર થાય.

જ્ઞાન ક્યાંથી મેળવવું?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ, વિચાર વિમર્શ | Tags: , | Leave a comment

જ્ઞાનવિજ્ઞાન યોગ – સરળગીતા – અધ્યાય ૭ (યોગેશ્વરજી

શ્રી ભગવાન કહે છેઃ

મારામાં આસક્ત થૈ આશ્રય મારો લે,
જાણે મુજને કેમ તે હવે કહું છું તે. ॥૧॥

જ્ઞાન કહું તુજ ને વળી પૂર્ણ કહું વિજ્ઞાન,
જેને જાણી જાણવું રહે નહીં કૈં આન. ॥૨॥

હજારમાં કોઈ કરે સિધ્ધિકાજ પ્રયાસ
કરતાં યત્ન હજારમાં કોઈ પહોંચે પાસ.
મારી પાસ પહોંચતા કોઈ પામે જ્ઞાન,
સાંભળ, જો તુજને કહું ઉત્તમ મારું જ્ઞાન. ॥૩॥

પૃથ્વી પાણી તેજ ને વાયુ ચિત્ત આકાશ,
અહંકાર બુધ્ધિ કહી મારી પ્રકૃતિ ખાસ.
બીજી જીવરૂપે રહી મારી પ્રકૃતિ છે,
તેનાથી જગને રચું, ઉત્તમ પ્રકૃતિ તે. ॥૫॥

આ બંને પ્રકૃતિ થકી પ્રાણી સર્વે થાય,
સર્જન તેમ વિનાશનું સ્થાન મને સૌ ગાય.
ઉત્તમ મુજથી કો’ નથી, મારા વિણ કૈં ના,
જગ મુજમાં છે, જેમ આ મણકા દોરામાં.

રૂપનું વર્ણન

પાણીમાં રસ હું થયો, સૂર્યચંદ્રમાં તેજ,
વેદમહીં ઓમકાર છું, પૌરૂષ નરમાં સહેજ.
પૃથ્વીમાં છું ગંધ ને તપ છું તાપસમાં,
જીવન પ્રાણીમાત્રનું, શબ્દ થયો નભમાં.
બીજ સર્વ પ્રાણીતણું મને સદાયે જાણ,
બુધ્ધિ તેમજ વીરતા વીરલોકમાં માન. ॥૧0॥

બળ બનતાં સેવા કરું બળવાનોમાં હું,
અધર્મથી પર કામના જીવમાત્રમાં છું.
સત્વ અને રજ તમ તણાં ઉપજે મુજથી ભાવ,
તે મુજમાં છે, હું નથી તે ભાવોની માંહ્ય.
ત્રણ ગુણવાળી છે કહી મારી જે માયા,
તેનાથી મોહિત થયા રંક અને રાયા.
માયા મારી છે ખરે તરવી આ મુશ્કેલ,
તરી જાય છે તે જ જે મારું શરણ ગ્રહેલ.
મૂઢ મને પામે નહિં, અધમર્થી ભરિયા,
માનવરૂપે તે ફરે તોય જાણ મરિયા. ॥૧૫॥

ચાર જાતના ભક્ત

દુ:ખી તેમ જ જ્ઞાનની ઈચ્છાવાળા લોક,
સંસારી આશાભર્યા, જ્ઞાની તેમ જ કો’ક.
ચાર જાતના માનવી મને ભજે છે તે,
તેમાં જ્ઞાની ભક્તને શ્રેષ્ઠ કહ્યો છે મેં.
મહાન છે બીજા છતાં જ્ઞાની મારો પ્રાણ,
જ્ઞાની સંધાઈ ગયો મારી સાથે જાણ.
ઘણાય જન્મ પછી મને જ્ઞાની પામે છે,
પ્રભુ પેખે જગમાં બધે, સતં સદુર્લભ તે.
કામનાભર્યા કૈં જનો, નિયમ ઘણાં પાળી,
અન્ય દેવતાને ભજે, સ્વભાવને ધારી. ॥૨૦॥

શ્રદ્ધાપૂર્વક દેવને ભક્ત ભજે છે જે,
તેની શ્રદ્ધા હું કરું દૃઢ દેવમહીં તે.
શ્રધ્ધાપૂર્વક તે પછી તેની ભક્તિ કરે,
મારી દ્વારા કામના-ફળને પ્રાપ્ત કરે.
અલ્પબુદ્ધિ એ ભક્તના ફળનો થાય વિનાશ,
દેવ ભજ્યે દેવો મળે, મને ભજ્યે મુજ પાસ.
અજ્ઞાની મુજ રૂપની મયાર્દા માને,
વિરાટ ઉત્તમ રૂપ ના મારું તે જાણે.
માયાથી ઢંકાયેલું મારું પૂર્ણ સ્વરૂપ,
મૂઢ ઓળખે ના કદી મારું દિવ્ય સ્વરૂપ. ॥૨૫॥

ભૂત ભાવિ જાણું, વળી વતર્માન જાંણું,
જાણું હું સૌને, મને કોઈ ના જાણ્યું.
વેર ઝેર તૃષ્ણાથકી ભવમાં ભટકે લોક,
જેનાં પાપ ટળી ગયાં, ભજે મને તે કો’ક.
મોત થકી છૂટવા વળી ઘડપણને હરવા,
ભજે શરણ મારું લઈ દુઃખ દૂર કરવા.
દૃઢ નિરધાર કરે અને દ્વંદ્વમુક્ત તે થાય,
પુણ્યવાન તે તો મને જાણી રસમાં ન્હાય.
બ્રહ્મકર્મ અધ્યાત્મ ને અધિભૂત ને અધિયજ્ઞ,
જે જાણે તે થાય છે મારામાં સલંગ્ન. ॥૩૦॥

॥ અધ્યાય સાતમો સમાપ્ત ॥

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, જાણવા જેવું, ભગવદ ગીતા, શિક્ષણ, સાહિત્ય | Tags: , , , , , , | 2 Comments

જ્ઞાન – પ્રકિર્ણ





Categories: પ્રેરણાદાયી સાહિત્ય, શિક્ષણ | Tags: , | 2 Comments

Create a free website or blog at WordPress.com.