Posts Tagged With: જ્ઞાનયોગ

શું આપણે સફળ અભીનેતા છીએ?

પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં અનેક ભૂમિકા ભજવવાની હોય છે. જન્મ થાય એટલે આપણે બાળક હોઈએ છીએ. બાળક તરીકેની ભુમિકા આપણે સહુ સરળતાથી અને સહજતાથી ભજવીએ છીએ. તેમાં આપણે જેવા હોઈએ તેવા પ્રગટ થઈએ છીએ. રડવું આવે ત્યારે રડી લઈએ છીએ, હસવું આવે ત્યારે ખીલખીલાટ હસી લઈએ છીએ. ભુખ લાગે ત્યારે ખાવા પીવા માટે ધમ પછાડા કરીએ છીએ અને ભુખ ન હોય તો ખાવાનો ઈન્કાર કરી દઈએ છીએ. ઉંઘ આવે ત્યારે સુઈ જઈએ છીએ અને શક્ય તેટલા સ્વૈર વિહારી રહીએ છીએ. કપડાનું બંધન ફગાવી દેવા તત્પર હોઈએ છીએ.

જેમ જેમ મોટા થતાં જઈએ છીએ તેમ તેમ કુટુંબ અને સમાજ આપણને કેળવવાનું શરુ કરે છે અને ત્યારથી આપણી પનોતીની શરુઆત થઈ જાય છે. માતા, પિતા, દાદા, દાદી, શિક્ષકો, સગાં વહાલાઓ અને જે કોઈ વડીલો આપણને મળે તે બધા જ આપણને કેળવવા માટે તત્પર હોય છે. જેમ જેમ આપણે કેળવાતા જઈએ છીએ તેમ તેમ આપણે સ્વાભાવિકતા ગુમાવતા જઈએ છીએ.નીયંત્રણો તથા કેળવણીના બોજ હેઠળ વધુ ને વધુ યાંત્રિક બનતા જઈએ છીએ.

માતા-પિતા અને કુટુંબ દ્વારા આપણી ધર્મ, જાતી, કુળ, રીતી રીવાજો વગેરેની અનેક ભ્રામક માન્યતાઓ અનાયાસે અને અનિચ્છાએ પ્રવેશ પામી જાય છે. આપણે આપણું મનુષ્યત્વ ગુમાવીને હિંદુત્વ, મુસ્લિમત્વ, ઈસાઈત્વ, બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, ઉચ્ચત્વ, નિચ્ચત્વ, શૈવત્વ, વૈષ્ણવત્વ વગેરે વગેરે અસ્વાભાવિક લેબલોનો આપણી જાત પર આરોપ કરીએ છીએ. ધીરે ધીરે આપણાંમાં પ્રાંતિયતા, ભાષાનું અભીમાન, રાષ્ટ્રીયતા વગેરે અભીમાનો પ્રવેશે છે. જેમ જેમ આપણે વિકસતા જવાનો દંભ મોટો કરતાં જઈએ છીએ તેમ તેમ આપણે જુદી જુદી વિશેષતાઓને આધારે આપણાં અન્ય માનવ સમૂહોથી વીખુટા પડતા જઈએ છીએ અને આપણે મર્યાદિત મનુષ્યોના સમાન આચાર વિચાર ધરાવતાં જૂથોમાં વહેંચાઈ જઈએ છીએ.

શિક્ષણ અને વ્યવસાયને આધારે આપણે ડોક્ટર, એંજીનીયર, શિક્ષક, મેનેજર, કર્મચારી, વેપારી, વકીલ, સરકારી ઓફીસર વગેરે અનેક પ્રકારે કાર્યના આધારે વિભાજીત થઈ જઈએ છીએ. દરેકના કાર્યો જુદા, જવાબદારીઓ જુદી, લાભાલાભ જુદા, સવલતો જુદી, સમસ્યાઓ જુદી.

નાગરીક તરીકે આપણાં કર્તવ્યો જુદા હોય છે. માતા-પિતા તરીકે આપણાં કર્તવ્યો જુદા. સંતાન તરીકે આપણાં કર્તવ્યો જુદા, કાર્યક્ષેત્રને આધારે આપણાં કર્તવ્યો જુદાં, પતિ કે પત્નિ તરીકે આપણાં કર્તવ્યો જુદા. જુદા જુદા સંબધો અને જુદા જુદા વ્યવહારો દરમ્યાન આપણે સતત જુદી જુદી ભૂમિકા ભજવવાની હોય છે.

આ પ્રત્યેક ભૂમિકા આપણે જેટલી યથાર્થ રીતે ભજવીએ તેટલા આપણે સફળ અભીનેતા ગણાઈએ અને જે જગ્યાંએ આપણે આપણી યોગ્ય ભૂમિકા ભજવવામાં ઉણાં ઉતરીએ તે સ્થળે આપણે પરિસ્થિતિ સાથે તાલમેલ ગુમાવ્યો કહેવાય. આવી અનેક ભૂમિકાઓ ભજવતાં ભજવતાં મનુષ્ય ભુલી જાય છે કે ખરેખર તે કોણ છે? અહીં શા માટે આવ્યો છે? છેવટે આવી અનંત ભૂમિકાઓ ભજવતો ભજવતો તે અંતિમ ભૂમિકા મૃત્યું શૈયા પર પોઢવાની ભજવે છે. તેને જવું નથી હોતું છતાં કાળ તેને પોતાની ગોદમાં ઉંચકીને લઈ જાય છે. આ સઘળી ભૂમિકાઓથી મુક્ત કરીને આરામ આપવા માટે.

આ જગતમાં બાળક ધન્ય છે અને બીજો તે કે જેણે જીવનનો અંત આવે તે પહેલાં અભિનેતાનો સ્વાંગ છોડીને સ્વરુપસ્થિતિ કરી લીધી તે જીવ ધન્ય છે.

સ્વરુપસ્થિતિ કરનારા બે પ્રકારના હોય છે. ૧. સ્વરુપસ્થિત કર્મયોગી અને ૨. સ્વરુપસ્થિત જ્ઞાનયોગી.

કર્મયોગી કર્મ કરતો કરતો એટલે કે અભીનય કરતો કરતો આ જગતથી અલિપ્ત હોય છે. જ્યારે જ્ઞાનયોગીએ તો અભીનય પણ છોડી દીધો હોય છે.

આપણે સહુ નટ તો છીએ જ પણ જો નટ થવું હોય તો યોગેશ્વર કૃષ્ણ જેવા કર્મયોગી નટવર કે યોગીરાજ શિવજી જેવા જ્ઞાનયોગી નટરાજ થવું જોઈએ.

શું આપણે સફળ અભીનેતા છીએ?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ, વિચાર વિમર્શ | Tags: , , , , , | Leave a comment

જીવનવ્યવહારમાં વેદાંત – 3 (જ્ઞાનયોગ) – સ્વામી વિવેકાનંદ

gyanyog_7_1
gyanyog_7_2
gyanyog_7_3
gyanyog_7_4
gyanyog_7_5

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | Leave a comment

જીવનવ્યવહારમાં વેદાંત – 2 (જ્ઞાનયોગ) – સ્વામી વિવેકાનંદ

gyanyog_6_1
gyanyog_6_2

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | Leave a comment

જીવનવ્યવહારમાં વેદાંત – ૧ (જ્ઞાનયોગ) – સ્વામી વિવેકાનંદ

gyanyog_5_01
gyanyog_5_02
gyanyog_5_03
gyanyog_5_04
gyanyog_5_05
gyanyog_5_06
gyanyog_5_07
gyanyog_5_08
gyanyog_5_09
gyanyog_5_10
gyanyog_5_11
gyanyog_5_12
gyanyog_5_13
gyanyog_5_14
gyanyog_5_15

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | 1 Comment

સર્વત્ર રહેલો ઈશ્વર (જ્ઞાનયોગ) – સ્વામી વિવેકાનંદ

Gyanyog_4_1
gyanyog_4_2
gyanyog_4_3
gyanyog_4_4
gyanyog_4_5
gyanyog_4_6
gyanyog_4_7
gyanyog_4_8
gyanyog_4_9

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | Leave a comment

માયા અને ભ્રમ (જ્ઞાનયોગ) – સ્વામી વિવેકાનંદ

Gyanyog_3_01
Gyanyog_3_02
Gyanyog_3_03
Gyanyog_3_04
Gyanyog_3_05
Gyanyog_3_06
Gyanyog_3_07
Gyanyog_3_08

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | Leave a comment

યાજ્ઞવલ્કય અને મૈત્રેયી (જ્ઞાનયોગ) – સ્વામી વિવેકાનંદ

Gyanyog_2_01
Gyanyog_2_02
Gyanyog_2_03
Gyanyog_2_04
Gyanyog_2_05
Gyanyog_2_06

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | Leave a comment

આત્માઃ તેનું બંધન અને મુક્તિ (જ્ઞાનયોગ) – સ્વામી વિવેકાનંદ

Gyanyog_1_01

Gyanyog_1_02

Gyanyog_1_03
Gyanyog_1_04
Gyanyog_1_05

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.