Posts Tagged With: જીવન

जीवनसूत्राणि (Tips for Happy Living) – સ્વામી તેજોમયાનંદ

जीवनसूत्राणि

Tips for Happy Living

સ્વામી તેજોમયાનંદ

 

પ્રકરણ (૧) – પોતાના જીવનની જવાબદારી અપનાવો

अथ जीवनसूत्राणि प्रस्तूयन्ते હવે જીવન વિષે સૂત્રો રજૂ કરવામાં આવે છે.
यज्ज्ञात्वाभ्यस्य च जीवनं सुखाय भवति જે જાણીને અને અભ્યાસ કરવાથી જીવન સરળ અને સુખી થાય છે.
जीवने द्विविधं कार्यं प्राप्तपरिस्थितिप्रतिकार: स्वभविष्यनिर्माणं च જીવનમાં બે કરણીય કાર્યો હોય છે. પ્રાપ્ત પરિસ્થિતિનો સામનો કરવો અને પોતાનું ભવિષ્ય ઘડવું.
तत्रान्यस्यान्येन जीवनं जीवितुं न शक्यते ત્યાં બીજાનું જીવન બીજા વડે જીવવું શક્ય નથી.
परस्परं साहाय्यं तु संभवति જો કે એકબીજાને મદદ કરવી શક્ય છે.
साहाय्यस्य स्वीकरणे प्रदाने वाहंकारो न करणीय: મદદ લેતી વખતે અથવા કરતી વખતે અહંકાર ન કરવો જોઈએ.
जीवनं विनयेनैव शोभते જીવન નમ્રતાથી જ શોભે છે.
तस्मात्स्वजीवनभारं स्वीकृत्य सर्वप्रयत्नेन तत्सफलीकुर्यात् તેથી જ આપણા જીવનની બધી જ જવાબદારીઓનો સ્વીકાર કરીને, આપણા બધા જ પ્રયત્નોથી, એને સફળ બનાવીએ.

 પ્રકરણ (૨) – પૂર્ણ ક્ષમતાનો વિકાસ

सर्वेजना: सफळतामाप्तुं योग्या: समर्थाश्च બધા જ લોકો સફળતા મેળવવા માટે યોગ્ય અને સમર્થ હોય છે.
यस्मात्स्वतन्त्रता मनुष्यजन्मनो विशेषता કારણ કે સ્વાતંત્ર્ય એ માનવ જન્મની વિશેષતા છે.
अत्र कर्मज्ञानेच्छादिस्वातन्त्र्यमुपलब्धम् અહીં કર્મ-જ્ઞાન-ઈચ્છા વગેરેમાં સ્વાતન્ત્ર્ય મળેલું છે.
तच्चोत्कर्षार्थं योक्तव्यं न तु स्वपरविनाशाय એનો ઉપયોગ પોતાની ઉન્નતિ માટે કરવો જોઈએ, પોતાના કે બીજાના વિનાશ માટે નહીં.
तदर्थमपेक्षिता: सर्वशक्तय: स्वस्मिन्नेव निहिता: એના માટે જરૂરી બધી જ ક્ષમતા પોતાનામાં જ રાખેલી છે.
शक्तयस्तु कायवाग्मनोबुद्धिस्थिता बहि: साधनभूताश्च શરીર, વાણી, મન, બુદ્ધિ અને બાહ્ય ઉપકરણોમાં આ ક્ષમતાઓ હોય છે.
तासामभिव्यक्त्यर्थं तु जीवने श्रेष्ठं लक्ष्यमावश्यकम् એમની અભિવ્યક્તિ માટે, જીવનમાં ઉતમ ધ્યેય હોવો આવશ્યક છે.
द्विविधं हि लक्ष्यं प्राथमिकं चरमं च ખરેખર, આ ધ્યેય, તાત્કાલિક અને અંતિમ એમ બે પ્રકારનાં હોય છે.
एतयोर्मध्ये सामंजस्यमावश्यकम् એમની વચ્ચે સામંજસ્ય હોવું જ જોઈએ.
૧૦ यथा मोक्षप्राप्तये चित्तशुद्धि: જેવી રીતે મોક્ષની પ્રાપ્તિ માટે ચિત્તશુદ્ધિની આવશ્યકતા છે.

 પ્રકરણ (3) – સામર્થ્ય વૃદ્ધિ

मानवपुरुषार्थ: सीमित: મનુષ્યના પ્રયત્નો સીમિત હોય છે.
सर्वशक्तिमदीश्वरस्यानुग्रहेण तु स लक्षगुणो भवति સર્વશક્તિમાન ઈશ્વરના અનુગ્રહથી, એ લાખગણો (અસરકારક) થાય છે.
तस्मात्तमेवाश्रित्य पुरुषार्थ: कर्तव्य: તેથી, એનો એકલાનો જ આધાર લઈને પ્રયત્ન કરવા જોઈએ.
तेनैव जीवनं वस्तुत: शोभनं दिव्यं सुखमयं च भवति તેનાથી જ, જીવન સાચે જ સુંદર, દિવ્ય અને સુખમય બને છે.
श्रेयांसि बहुविघ्नानीति प्रसिद्धम् મહાન ધ્યેય પ્રાપ્ત કરવા માટે ઘણાં વિઘ્નો નડે છે, એ સુવિખ્યાત છે.
तदा निराशानिरुत्साहादिदोषानुत्सृज्य धैर्यं चात्मविश्वासं च दृढीकुर्वन् साधनमार्गे अग्र एव प्रस्थितव्यम् પછી નિરાશા, નિરુત્સાહ વગેરે દોષોને ત્યજીને, ધૈર્ય અને આત્મવિશ્વાસ દૃઢ કરીને સાધના માર્ગ પર આગળ જ વધતા રહેવું જોઈએ.
भवतु लौकिकसमस्यानां समाधानं तु आध्यात्मिकदृष्टयैव ખરેખર, બધી જ સાંસારિક સમસ્યાઓનું સમાધાન આધ્યાત્મિક દૃષ્ટિ દ્વારા જ થવું જોઈએ.
एवं कर्म निरतोऽवश्यमेव सफलतां प्राप्नोति આવી રીતે કર્મમાં પ્રવૃત્ત (માણસ) ચોક્કસ સફળતા મેળવે છે.
व्यष्टिसमष्टिरुपेण सफलतापि द्विविधा વ્યક્તિ અને સમષ્ટિ દૃષ્ટિએ સફળતા પણ બે પ્રકારની હોય છે.
૧૦ तयोर्मध्ये सामन्जस्यमस्तु એમની વચ્ચે સામંજસ્ય હોવું જોઈએ.
૧૧ अन्यथानर्थ: નહીંતર અનર્થ થાય છે.
૧૨ भवतु सर्वभूतहितकरा सफलता સફળતા બધાં જ ભૂતમાત્રને કલ્યાણકારી થાઓ.

પ્રકરણ () – જીવન ઉપયોગી સૂચનો

विश्रामं विना परिश्रमो न करणीयस्तथैव च कार्यं विना विश्राम: વિશ્રામ લીધા વગર કાર્ય કરતા ન રહેવું જોઈએ તેમજ કામ કર્યા વગર વિશ્રામ ન કરવો જોઈએ.
विचारहीनं कर्म तथा कर्महीनो विचारश्च विफलताया: कारणम् વિચાર કર્યા વગરનું કર્મ અને કર્મ વગરનો વિચાર એ નિષ્ફળતાનું કારણ છે.
प्राप्तस्योपेक्षायां तथाअप्राप्तस्यापेक्षायां दु:खस्य सुरक्षा પ્રાપ્તની ઉપેક્ષા અને અપ્રાપ્તની અપેક્ષામાં દુ:ખની સુરક્ષા છે.
ग्रहदशापेक्षाया मनोदशा समीक्षणीया ગ્રહ-દશા કરતાં પણ મનની સ્થિતિ ઠીક કરવી યોગ્ય છે.
कर्मभाग: स्वाधीन: फलभागस्तु प्रकृतिवश ईति विजानीयात् કાર્ય કરવું એ પોતાને આધીન છે પણ મળતું ફળ પ્રકૃતિને આધીન છે એમ જાણવું જોઈએ.
तस्माद्यत्स्वाधीनं तत्स्वेनैव कृत्वाअन्यस्य चिन्ता परिहर्तव्या તેથી જે આપણા આધીન છે તે બધું કરીને, બાકીનાં પરિબળોની ચિંતા ન કરવી જોઈએ.
यथा भोजनं स्वेनैव क्रियते पाचनं तु प्रकृत्या જેવી રીતે ભોજન કરવાનું કામ પોતે કરીએ છીએ અને પાચન કરવાનું કામ નિસર્ગ કરે છે.

 પ્રકરણ () – સંબંધોમાં માધુર્ય

जना आदरणीया विश्वसनीया न तु शंकनीया: લોકો પર આદર અને વિશ્વાસ રાખો, નહીં કે શંકા કરો.
स्वदोषान्प्रति कठोरोऽन्येषां प्रति तु कोमलो भवेत् પોતાના દુર્ગુણો પ્રત્યે કઠોર પરંતુ બીજાના (દોષો) પ્રત્યે મૃદુ હોવું જોઈએ.
पारस्परिकस्नेहविश्वासे वर्तमाने विधिनियमा अनावश्यका: જો પરસ્પર પ્રેમ અને વિશ્વાસ હોય તો નિયમો અને કાયદાઓની આવશ્યકતા રહેતી નથી.
अविद्यमानेऽपि अनावश्यका यतो निष्फला: એ (પ્રેમ અને વિશ્વાસ) ન હોય તો પણ એમની (વિધિ-નિયમોની) આવશ્યકતા રહેતી નથી કારણ કે તે કામ કરતા નથી.
कस्यचिदपि संबन्धस्याधारो यदि लौकिकस्तर्हि स बन्धनकारक आध्यात्मिकस्तु मुक्तिदायको भवति જો કોઈપણ સંબંધનો આધાર લૌકિક હોય તો તે બંધન કરનારો બને છે, પણ જો તે આધ્યાત્મિક હોય તો તે મુક્તિ આપનારો બને છે.
आत्मवल्लोकान्पश्येन्न तु तथा भावयेत् લોકોને પોતાના આત્માની જેમ જોવા જોઈએ, પણ પોતાના જેવા નહી માનવા જોઈએ.
सुखदु:खादिविषयकस्वकल्पनामन्यस्मिन्नारोपयेत् સુખ-દુ:ખ આદિના વિષયમાં બીજાપર પોતાની માન્યતાઓ ન આરોપવી જોઈએ.
तेभ्य: स्वातन्त्र्यं प्रयच्छेत् તેમને સ્વતંત્રતા આપવી જોઈએ.

પ્રકરણ (૬) – વસ્તુઓ સાથેના સંબંધ

जडपदार्थेभ्यश्चेतनप्राणिन: श्रेष्ठतरा: જીવો, અચેતન-જડ પદાર્થો કરતાં શ્રેષ્ઠ છે.
तस्माज्जडपदार्थानां कृते प्राणिनो न विनाशयितव्या: જીવંત પ્રાણીઓનો નાશ ન કરવો જોઈએ.
मूल्यवत्पदार्थेभ्यो जीवनमूल्यानि श्रेष्ठतराणि જીવનમૂલ્યો કીમતી વસ્તુઓ કરતાં વધારે શ્રેષ્ઠ છે.
तै: सम्पन्न: पुरुष एव सम्माननीयो न तु केवलो धनसम्पन्न: તેમનાથી (જીવનમૂલ્યોથી) સંપન્ન વ્યક્તિ જ આદરણીય છે, નહીં કે ફક્ત ધનસમ્પન્ન.
आदर्शहीन: प्रलोभते पतति नश्यति च આદર્શવિહીન વ્યક્તિ પ્રલોભનમાં આવી પતન પામે છે અને નાશ પામે છે.
आवश्यकतानुसारेणैव जडपदार्थेभ्यो महत्वं स्थानं च दद्यात् વસ્તુઓને જરૂરી હોય તેટલું જ મહત્વ અને યોગ્ય સ્થાન આપવું જોઈએ.

પ્રકરણ (૭) મન પર મનન

कामक्रोधादिविकाराणां न वशमागच्छेत् ઈચ્છા, ક્રોધ વગેરે વિકારોના વશમાં ન આવવું જોઈએ.
मन:शान्तिविवेकनिधेर्नाशकत्वात् (તેઓ) મનની શાંતિ અને વિવેકરૂપી ખજાનાનો નાશ કરનારા હોવાથી
परेषां चेतसि च तान्नोत्पादयेत् બીજાના મનમાં પણ તેમને (કામ-ક્રોધાદિ) પેદા ન કરવા જોઈએ.
श्रद्धाभक्त्यादिगुणान् संवर्धयेद् अन्येषां ह्रदि च जनयेत् વ્યક્તિએ પોતાનામાં શ્રદ્ધા, ભક્તિ જેવાં ગુણો વિકસાવવા જોઈએ અને બીજામાં પણ પ્રેરવા જોઈએ.
विविधानुभवै: सर्वदा स्वात्मानं शिक्षयेत्यस्मात्तेऽर्थपूर्णा: કાયમ, વિવિધ અનુભવો થકી પોતે શીખવું જોઈએ, કારણ કે તેનાથી જીવન અર્થપૂર્ણ બને છે.
न केनाप्यनुभवेन कटुभवेदपितु मधुरतरो हि भवेत् કોઈપણ અનુભવના લીધે કડવાશ ઉભી ન થવી જોઈએ, પણ વધારે મીઠાશ જ પેદા થવી જોઈએ.
पीडाहीनो लाभस्तथा लाभहीना पीडा नास्ति પીડા વગરના લાભ તેમજ લાભ વગરની પીડા હોતી નથી.
प्राय: सर्वेषां जीवने यत्किश्चिदपूर्णत्वं द्रश्यते સામાન્ય રીતે બધાના જ જીવનમાં થોડીક તો અપૂર્ણતા દેખાય છે.
तस्य पूर्तिलौकिक परिच्छित साधनेन न साध्या किन्तु पूर्णपरमात्मनैव એની પરિપૂર્ણતા, પરિછિન્ન લૌકિક સાધનો વડે શક્ય નથી ફક્ત પૂર્ણ પરમાત્મા વડે જ શક્ય છે.
૧૦ पूर्णद्रष्टिमाश्रित्य पूर्णमेव जीवनं जीवेत् પૂર્ણતાની દ્રષ્ટિનો આધાર લઈને પૂર્ણ જીવન જીવવું જોઈએ.
૧૧ नान्तोऽस्ति जीवनसूत्राणाम् જીવનસૂત્રોનો કોઈ અંત હોતો નથી.
૧૨ यस्मादपारोऽगाधो हि विद्यासागर: કારણ કે વિદ્યાનો સાગર ખરેખર અપાર અને ગહન છે.
૧૩ न कदापि कुत्रापि कस्याश्चिद् अवस्थायामपि भगवन्तं तस्य कृपां च विस्मरेत् કોઈપણ સમયે, સ્થાને કે અવસ્થામાં પરમેશ્વરને અને એની કૃપાને નહીં ભૂલવાં જોઈએ.
૧૪ सर्वोत्तमं हीदं सूत्रम् આ ખરેખર સર્વશ્રેષ્ઠ સૂત્ર છે.
૧૫ अनेन सर्वात्मको भगवान्सदगुरुश्च प्रियेतां तदनुग्रहेण सर्वे सुखिनो भवन्तु આનાથી, સર્વમાં આત્મરૂપસ્થિત પરમેશ્વર અને સદગુરુ પ્રસન્ન થાઓ અને એમની કૃપાથી બધાં જ સુખી થાઓ.

 

  • સ્વામી તેજોમયાનંદ

 

Categories: અધ્યાત્મ / યોગ | Tags: , , , | 1 Comment

જીવન ઘડતરની કળા – સ્વામી જગદાત્માનંદ

This slideshow requires JavaScript.


પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન


પૃષ્ઠ સંખ્યા: 217
File Size: 15.8 MB


Categories: પ્રેરણાદાયી સાહિત્ય, વ્યક્તિત્વ વિકાસ, શ્રી રામકૃષ્ણ મીશન, eBook | Tags: , , , | Leave a comment

જીવન ઘડતરની કળા – (૨/૪૯-૫૦)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , , | Leave a comment

જીવન ઘડતરની કળા – (૨/૪૭-૪૮)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , , | Leave a comment

જીવન ઘડતરની કળા – (૨/૪૬)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , , | Leave a comment

જીવન ઘડતરની કળા – (૨/૪૫)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , , | Leave a comment

જીવન ઘડતરની કળા – (૨/૪૩-૪૪)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , , | Leave a comment

જીવન ઘડતરની કળા – (૨/૪૨)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , , | Leave a comment

જીવન ઘડતરની કળા – (૨/૪૧)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , , | Leave a comment

જીવન ઘડતરની કળા – (૨/૪૦)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , , | 2 Comments

Create a free website or blog at WordPress.com.