સુખીયા સબ સંસાર હૈ
ખાયે ઔર સોયે
દુ:ખીયા કબીર દાસ હૈ
જાગે ઔર રોયે
કબીર પરમ તત્વને પામી ગયેલા સંત હતા. તેઓ સંસારીઓને જોતા અને વિચાર કરતાં કે વાહ બધા કેવા ખાય છે, પીવે છે અને જલસા કરે છે.
આ જોઈને કબીરજીને રડવું આવતું. કેટલાંક લોકોનું અરણ્ય રુદન હોય છે જ્યારે સંતોનું કારુણ્ય રુદન હોય છે.
અને તેમને દોહરો સ્ફુર્યો હશે કે:
ચલતી ચક્કી દેખકે, દીયા કબીરા રોય
દો પાટન કે બીચમેં, સાબુત બચા ન કોય
શંકરાચાર્યજી પણ કહે છે કે :
દિનમપિ રજની, સાયં પ્રાત:
શિશિર વંસતો પુનરાયાત
કાલ ક્રીડન્તિ ગચ્છતિ આયુ
તદપિ ન મુન્ચતિ આશાવાયુ
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે
ભગવદગીતા કહે છે કે :
યા નિશા સર્વ ભુતાનિ તસ્યાત જાગર્તિ સંયમિ
અને તેનો સરળ અનુવાદ કરતાં યોગેશ્વરજી સરળ ગીતા દ્વારા કહે છે કે :
વિષયોમાં ઉંઘે બધા, યોગી વિષય ઉદાસ
પ્રભુ પ્રકાશથી દૂર સહુ, યોગી પ્રભુની પાસ
આવા સંતો કે જેમને દુનિયાએ પાગલ ગણ્યાં તે જ ખરા અર્થમાં શાણા હતા અને જેમને આપણે દુન્યવી રીતે સફળ ગણીએ છીએ તેવા સીકંદરો જીવનભર રક્તપાત કરીને છેવટે ખાલી હાથે ચાલ્યા જાય છે.