Posts Tagged With: ઉત્સવ

વિક્રમ સંવંત ૨૦૬૮ નું સ્વાગત છે

મીત્રો,

મધુવનમાં વિક્રમ સંવત ૨૦૬૮ના સ્વાગતની એક ઝલક આપણે છબીઓ દ્વારા માણશું. એકલા એકલા ઉત્સવો માણવાનો આનંદ ન આવે. ઉત્સવોની મજા તો સમૂહમાં આવે. છબીઓમાં આપને રંગોળી, ફટાકડા (સોરી – મીઠાઈ અને ફરસાણ) અને અબાલવૃદ્ધોના ભાવ જોવા મળશે. ગાય પણ મધુવનમાં પોતાની બેઠક રાખે છે. મને ક્યાંય શોધશો નહીં – હું તો આપ સહુના હ્રદયમાં છું. છુ ને? તો ચાલો જીવીએ – 🙂



Categories: ઉત્સવ, ઊજવણી, કુટુંબ, ભારતિય સંસ્કૃતિ, ભાવનગર, મધુવન | Tags: , , , , | Leave a comment

રક્ષાબંધન – આગંતુક

તા.૨૩.૦૮.૨૦૧૦
ભાવનગર

બહેનો અને માતાઓ,

આવતી કાલે તા.૨૪.૦૮.૨૦૧૦ ના રોજ શ્રાવણી પૂનમ, બળેવનો પવિત્ર તહેવાર છે. આપ સહુ બહેનોની શુભેચ્છાઓ અને માતાઓના આશીર્વાદથી જ આ બ્લોગ-જગતમાં હું હજુ સુધી જીવંત રહી શક્યો છું. તેથી આ ખાસ દિવસે આપ સહુ બહેનો અને માતાઓને સ્નેહ અને આદરપૂર્વક પ્રણામ કરીને આપ સહુનો અમે સજોડે ઋણસ્વિકાર કરીએ છીએ. આ ખાસ પ્રસંગે આપ સહુ કોમેન્ટ બોક્ષમાં શબ્દ-રાખડી બાંધવા અને શુભેચ્છા તથા આશીર્વાદ આપવા જરૂર પધારશો. સંજોગવશાત આપ ન આવી શકો તો આપની શુભેચ્છા અને આશીર્વાદ અમારી સાથે છે તેવું માની લેશું અને તે બદલ મનોમન આભાર સ્વીકાર કરશો. અને હા આસ્થા અને હંસ: ને આશીર્વાદ આપવાનું ન ભુલશો.

સસ્નેહ અતુલ અને કવિતા

Categories: ઉત્સવ, ભારતિય સંસ્કૃતિ | Tags: , , | Leave a comment

ભાવનગરમાં વરસાદ અને રથયાત્રાની ચાલી રહેલી તડામાર તૈયારી

તા.૪/૭/૨૦૧૦
ભાવનગર.

ભાવનગરમાં ગઈ કાલે રાત્રે થોડા પવન અને વીજ ચમકાર સાથે શરુ થયેલ વરસાદ આખી રાત ધીમી ધારે ધરતીને ભીંજવતો રહ્યો. સવારે ઉઠીને જોયું તો ચારે બાજુ ખુશનુમા વાતાવરણ અને માટીમાંથી આવતી મહેકથી દિશાઓમાં ઉલ્લાસ વ્યાપી ગયો છે.

ચાર દિવસ પહેલાં જ અમદાવાદથી ભાવનગરમાં નવો રથ રથયાત્રા માટે આવી ગયો છે. આ રથયાત્રાનું ભાવનગરમાં ખુબ જ મહત્વ છે. તેમાં શ્રી કૃષ્ણ, બલરામજી તથા બહેન સુભદ્રા એક જ રથમાં સાથે બેસીને નગરચર્યા કરીને લોકોને દર્શન આપશે. શ્રીકૃષ્ણ તથા બલરામ ની સાથે સાથે સુભદ્રાજીનું બહુમાન કરતો આ ઉત્સવ ઘણો જ વિરલ ગણાય છે. આ રથયાત્રા ગુજરાતમાં અમદાવાદ પછીની સહુથી મોટી રથયાત્રા હોય છે. નગરજનો સહુ પોતાના ઘરમાંથી બહાર આવીને આ બંધુઓ અને ભગીનીના દર્શન કરવા ઉમટી પડે છે. તેમના દર્શન કરીને અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. વાતાવરણ “જય રણછોડ – માખણ ચોર”, “હાથી,ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી” વગેરે જયઘોષથી ગાજી ઉઠશે.

અષાઢી બીજના દીવસે નીકળનારી આ રથયાત્રા માટે આયોજકો તનતોડ મહેનત કરી રહ્યાં છે.

Categories: ભારતિય સંસ્કૃતિ | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.