Posts Tagged With: આદિ શંકરાચાર્ય
યોગતારાવલી – આદિ શંકરાચાર્ય
યોગતારાવલી સ્તોત્ર શ્લોકાર્થ તથા ટીકા સાથે વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો :
યોગતારાવલી
યોગ તારાવલી (૧૮ થી ૨૨ / ૨૯) – આદિ શંકરાચાર્ય
યોગ તારાવલી (૧૨ થી ૧૭ / ૨૯) – આદિ શંકરાચાર્ય
યોગ તારાવલી (૬ થી ૧૧ / ૨૯) – આદિ શંકરાચાર્ય
યોગ તારાવલી (૧ થી ૫ / ૨૯) – આદિ શંકરાચાર્ય
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય
શ્રી હરિમીડે સ્તોત્ર PDF Format માં Download કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.
શ્રી હરિમીડે સ્તોત્ર
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૩૭ થી ૪૦ / ૪૪)
ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૩૭ |
सत्तामात्रं केवलविज्ञानमजं सत् सूक्ष्मं नित्यं तत्त्वमसीत्यात्मसुताय । साम्नामन्ते प्राह पिता यं विभुमाद्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३७॥ |
સત્તામાત્ર, કેવલ વિજ્ઞાનરુપ, અજન્મા, સદરૂપ, સુક્ષ્મ ને નિત્ય તે તું છે તેમ પોતાના પુત્રને સામવેદની છંદોગ્યોપનિષદમાં પિતા જે વ્યાપક તથા આદ્યને કહેતા હતા તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૩૮ |
मूर्तामूर्ते पूर्वमपोह्याथ समाधौ दृश्यं सर्वं नेति च नेतीति विहाय । चैतन्यांशे स्वात्मनि सन्तं च विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३८॥ |
પ્રથમ સાકારને ને નિરાકારને દૂર કરીને પછી બ્રહ્મમાં સર્વ દૃશ્યને આ નહિ, ને આ નહિ, એમ ત્યજીને ચેતન સ્વભાવવાળા પોતાના આત્મામાં રહેલા જેને વિદ્વાનો જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૩૯ |
ओतं प्रोतं यत्र च सर्वं गगनान्तं योऽस्थूलाऽनण्वादिषु सिद्धोऽक्षरसंज्ञः । ज्ञाताऽतोऽन्यो नेत्युपलभ्यो न च वेद्य- स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३९॥ |
આકાશ સુધી સર્વ જેમાં ઓતપ્રોત છે, જે અસ્થૂલ તથા અનણુ આદિમાં અક્ષર નામથી પ્રસિદ્ધ છે, આનાથી અન્ય જ્ઞાતા પ્રાપ્ત થવા યોગ્ય નથી તે સંસારાંધકારની નિવૃત્તિ – બાધ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. |
૪૦ |
तावत्सर्वं सत्यमिवाभाति यदेतद् यावत्सोऽस्मीत्यात्मनि यो ज्ञो न हि दृष्टः । दृष्टे यस्मिन्सर्वमसत्यं भवतीदं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥४०॥ |
જ્યાં સુધી તે હું છું એમ દેહમાં જે જ્ઞાતા છે તેનો સાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી જે આ સર્વ છે તે સત્યના જેવું જણાય છે, અને તેનો સાક્ષાત્કાર થયે સતે આ સર્વ અસત્ય થાય છે તે સંસારાંધકારની નિવૃત્તિ – બાધ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું. |
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૩૩ થી ૩૬ / ૪૪)
ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૩૩ |
कोऽयं देहे देव इतीत्थं सुविचार्य ज्ञाता श्रोताऽऽनन्दयिता चैष हि देवः । इत्यालोच्य ज्ञांश इहास्मीति विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३३॥ |
શરીરમાં આ કોણ દેવ છે? એ પ્રમાણે અહીં સારી રીતે વિચારીને જાણનાર, સાંભળનાર અને આનંદ આપનાર આ જ દેવ છે, આ પ્રમાણે વિચાર કરીને અહીં જ્ઞાનના અંશરૂપ હું છું એમ જેને જાણે છે તે સંસારાંધકારના વિનાશક – બાધક પ્રભુની હું સ્તુતિ કરું છું. |
૩૪ |
को ह्येवान्यादात्मनि न स्यादयमेष ह्येवानन्दः प्राणिति चापानिति चेति । इत्यस्तित्वं वक्त्युपपत्त्या श्रुतिरेषा तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३४॥ |
જો આ આનંદરુપ પ્રસિદ્ધ આત્મા શરીરમાં ન હોત તો કોણ પ્રાણની ચેષ્ટા કરત? આ આનંદરુપ પ્રસિદ્ધ આત્માં જ પ્રાણની ચેષ્ટા કરે છે, અને અપાનની પણ ક્રિયા કરે છે. આ પ્રમાણે આ શ્રુતિ, યુક્તિ અને દૃષ્ટાંત વડે આનંદરુપ આત્માનું અસ્તિત્વ કહે છે. તે સંસારરુપ અંધકારનો વિનાશ બાધ કરનાર હરિની (આત્માની) હું સ્તુતિ કરું છું. |
૩૫ |
प्राणो वाऽहं वाक्श्रवणादीनि मनो वा बुद्धिर्वाहं व्यस्त उताहोऽपि समस्तः । इत्यालोच्य ज्ञप्तिरिहास्मीति विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३५॥ |
હું પ્રાણ છું? અથવા વાણી છું? અથવા શ્રવણાદિ છું? અથવા મન છું? અથવા બુદ્ધિ છું? અથવા હું તેમાંથી કોઈ એક છું? અથવા શું સમસ્તરુપ છું? એ પ્રમાણે વિચારીને હું આમાં જ્ઞાનસ્વરુપ જ છું એમ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૩૬ |
नाहं प्राणो नैव शरीरं न मनोऽहं नाहं बुद्धिर्नाहमहंकारधियौ च । योऽत्र ज्ञांशः सोऽस्म्यहमेवेति विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३६॥ |
હું પ્રાણ નથી, હું શરીર નથી જ, હું મન નથી, હું ચિત્ત નથી, હું અહંકાર ને બુદ્ધિ નથી, અહીં જ્ઞાનના અંશરુપ છે તે હું જ છું. એમ જેને જ્ઞાનીઓ જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. |
શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૨૯ થી ૩૨ / ૪૪)
ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૨૯ |
एकीकृत्यानेकशरीरस्थमिमं ज्ञं यं विज्ञायेहैव स एवाशु भवन्ति । यस्मिँल्लीना नेह पुनर्जन्म लभन्ते तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२९॥ |
અનેક શરીરમાં રહેલા જે આ આત્માને એકરૂપ સમજીને અને અનુભવીને વિદ્વાનો શીઘ્ર અહીં જ તે જ રૂપ થાય છે, જેમાં અભેદ ભાવે લીન થયેલા અહીં પુનર્જન્મ પામતા નથી તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનારા પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૩૦ |
द्वन्द्वैकत्वं यच्च मधुब्राह्मणवाक्यैः कृत्वा शक्रोपासनमासाद्य विभूत्या । योऽसौ सोऽहं सोऽस्म्यहमेवेति विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३०॥ |
મધુ બ્રાહ્મણનાં વાક્યો વડે જે દ્વંદ્વનું એકપણું કરીને, અને ઐશ્વર્ય વડે ઈંદ્રની પૂજાને પ્રાપ્ત કરીને, જે આ તે હું, ને તે હું જ છું એમ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૩૧ |
योऽयं देहे चेष्टयिताऽन्तःकरणस्थः सूर्ये चासौ तापयिता सोऽस्म्यहमेव । इत्यात्मैक्योपासनया यं विदुरीशं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३१॥ |
જે આ અંત:કરણમાં રહેલો શરીરમાં ચેષ્ટા કરાવનાર છે, ને જે આ સૂર્યમાં તપાવનારો છે, તે હું જ છું, આ પ્રમાણે આત્માના એકપણાની ઉપાસના વડે જે ઈશ્વરને વિદ્વાનો જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું |
૩૨ |
विज्ञानांशो यस्य सतः शक्त्यधिरूढो बुद्धिर्बुध्यत्यत्र बहिर्बोध्यपदार्थान् । नैवान्तःस्थं बुध्यति तं बोधयितारं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३२॥ |
જે સદ્રૂપ વિજ્ઞાનનો અંશ અવિદ્યામાં પ્રતિબિંબિત અહીં બુદ્ધિને તથા જાણવા યોગ્ય બાહ્ય પદાર્થોને જાણે છે, જે અંતરમાં રહેલા જાણનારને બુદ્ધિ જાણતી નથી જ તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું. |