Posts Tagged With: અનટુ ધિસ લાસ્ટ

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૧0)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ

કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.

તેમાં કુલ ૫૧ ફકરા છે.

આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૧૨૦ થી ૧૨૬ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું. આ સાથે દ્વિતિય નિબંધનો સાર પૂર્ણ થશે. આ નિબંધો વિસ્તારથી વાંચવા માટે પોસ્ટને અંતે આપેલ લિંક પરના સરનામા પરથી આ પુસ્તક મંગાવી શકશો.

૧૨૦. તોલમાપ હોય તેનું મૂલ્ય થાય તે સાચું છે, એટલું એ પણ સાચું છે કે જેનું તોલમાપ હોય છતાં મૂલ્ય નિરર્થક બને એવું તુચ્છ હોય. તેમ જ એ પણ એટલું સાચું છે કે જેનું તોલમાપ ન હોય છતાં મૂલ્ય સર્વાધિક મહત્વનું હોય, એ બહુમૂલ્ય હોય, અને જે મેળવનારના ત્યાગ, સત્ય, પ્રેમ, પ્રામાણિકતા વડે વ્યક્ત થાય.

૧૨૧. સ્થૂળ નાણું એકઠું કરવા માટે જીવાતું સ્વાર્થી જીવન નહીં પણ વ્યાપક ન્યાય માટે સમર્પિત જીવન મૂલ્યવાન છે.

૧૨૨. ન્યાય માટે આગ્રહ સામે નાણાંની સત્તા ચાલતી નથી. ત્યાં ધનસંપત્તિની અધિપત્ય જમાવનરી સત્તા નિષ્ફળ પુરવાર થાય છે.

૧૨૩. અપોષણ ભૂખમરાથી પીડાતા સમાજને બચાવવા માટે ધનપતિ પાસે રહેલ નાણું ધનપતિના હાથમાંથી સરી શકતું નથી, એ સંચિત નાણાંની મર્યાદા છે.

૧૨૪. માણસ પર પ્રભુત્વ બતાવવામાં નાણાંની મર્યાદા ધ્યાન પર લેતાં જણાશે કે પૈસાનો ચળકાટ એ સાચી પ્રભાવશાળી સંપત્તિ નથી. એ સંપત્તિ જો કોઈ છે તો તે સ્વયં માનવજીવન છે, જે સાચી મૂળભૂત સંપત્તિ છે.

૧૨૫. વિશાળ સંખ્યામાં માનવી ભૂખ્યાં, કંગાળ બની જાય, જેથી ધનના ઢગલા વડે તેમના પર અધિકાર ચાલે; તેવી સમૃદ્ધિ માટે મૂડીવાદે, આ અર્થશાસ્ત્રીઓએ વિચાર કર્યો.

૧૨૬. સંપત્તિનો અધિકારવાદી સ્વામિત્વનો ખ્યાલ ભૂલ છે. એ સંપત્તિના ઢગ એક જગ્યાએ બનાવે છે તે સાથે આજુબાજુના સમાજ માટે ગરીબીની ખાઈ સરજે છે. ચારિત્ર્યના ગુણ વડે સમૃદ્ધ જીવન રાષ્ટ્ર માટે સંપત્તિ છે, તે આજનું અર્થશાસ્ત્ર લક્ષ પર લેવાનું ચૂકે છે.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૯)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ

કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.

તેમાં કુલ ૫૧ ફકરા છે.

આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૧૧૫ થી ૧૧૯ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૧૧૫. સંપત્તિ સાથે ભૌતિકવાદી-ઉપયોગિતાવાદી-મૂડીવાદી માનસનું વલણ નુકસાનકારી છે.

૧૧૬. સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજની આર્થિક પાયમાલી સર્જે છે.

૧૧૭. નફો મહત્તમ કરનાર પેઢીની સમતુલાના અર્થશાસ્ત્રીય સિદ્ધાંત રાષ્ટ્ર માટે નુકસાન કરનાર છે. મોંઘુ વેચનાર સસ્તું ખરીદીને નફો કરે તે સંપત્તિ છે એમ આ સિદ્ધાંત શીખવે છે, તે ભૂલ છે.

૧૧૮. સરાસરી ઉત્પાદન ખર્ચ કરતાં બજાર કિંમત નીચી હોય તે રીતે વ્યાપાર વડે સામાજિક નુકસાન-ગેરલાભ સરજાય છે. દરેક વ્યક્તિગત લાભ તેને પેદા કરનાર સામાજિક ખર્ચ વિના સંભવતો નથી. બંનેને સરભર સરખાં કર્યા વિના જે નફો થાય તેમાં માલની સામાજિક નુકસાનની કિંમત ચૂકવાઈ નથી તેથી તે સસ્તો થાય છે. તે જ રીતે સસ્તું ખરીદનાર વ્યાપારી નીચી સરાસરી પડતર કિંમત કરતાં જેટલા પ્રમાણમાં ઊંચી સીમાંત એકમની વેચાણ કિંમત વડે મૂલ્ય વસૂલ કરે અને એમ નફો કરે તેટલા પ્રમાણમાં વ્યક્તિગત લાભ કુલ સામાજિક ખર્ચ કરતાં વધે. તેમાં અસમાનતા પેદા થાય તે સામાજિક ગરીબી બને છે.

૧૧૯. વ્યવસાય કરનાર વ્યક્તિગત લાભ માટે કોઈ પણ સામાજિક લાભનો ઘટાડો કરે નહીં પણ તે સાચવીને અને વધારીને પોતાનો વ્યક્તિગત લાભ મેળવે તો સમાજમાં ન્યાય પ્રવર્તે.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૮)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ

કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.

તેમાં કુલ ૫૧ ફકરા છે.

આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૯૧ થી ૧૧૪ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૯૧ થી ૧૦૫. અસમાનતા અન્યાયપૂર્વક ઠોકી બેસાડીને રાષ્ટ્રને અર્થશાસ્ત્રએ ઈજાગ્રસ્ત બનાવી દીધું છે.

૧૦૬. વર્ગસંઘર્ષનાં મૂળ વ્યાપારી અર્થશાસ્ત્ર સંપત્તિની અસમાનતાથી સર્જે છે.

૧૦૭ થી ૧૧૦. વર્ગસંઘર્ષમાં અન્યની સંપત્તિ પર અધિકાર આપનાર વ્યાપારીના નફાની સંપત્તિ વડે સરજાતી અસમાનતા રહેલી છે. તે રાષ્ટ્રમાં વાસ્તવિક ઉત્પાદન ઘટાડનાર નીવડે છે. એથી કુલ સામાજિક વાસ્તવિક સંપત્તિ ઘટે છે. એ સામાજિક નુકસાન છે અને ન્યાયનો ભંગ છે.

૧૧૧. બીજાને ગરીબ બનાવી ધનવાન બનવાની આજના અર્થશાસ્ત્રની રીત વડે સમાજમાં કુલ સંપત્તિ ઘટે છે. જ્યારે ન્યાયપૂર્વક વર્તન વડે કુલ સંપત્તિ વધે તે આ અર્થશાસ્ત્ર બતાવતું નથી, એ તેની ભૂલ છે.

૧૧૨ થી ૧૧૪. સામાજિક ન્યાયના ભોગે વ્યક્તિગત લાભ રાષ્ટ્રીય હિતમાં નથી.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૭)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ

કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.

તેમાં કુલ ૫૧ ફકરા છે.

આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૮૪ થી ૯૦ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૮૪. ધનસંગ્રહ વડે અલ્પહસ્તકના વ્યક્તિગત સમૃદ્ધિ અને રાષ્ટ્રની ગરીબીનું શાસ્ત્ર વાણિજ્ય અર્થશાસ્ત્ર છે.

૮૫. અન્યની મજૂરી પર હક્ક ને હુકમની આર્થિક સત્તા એટલે નાણું.

૮૬, ૮૭. સંપત્તિ અન્યના શ્રમ પર હક્ક-જોહુકમી આપી શકે તેમ ન હોય તો તે વાણિજ્ય અર્થશાસ્ત્રના સિદ્ધાંત માટે નકામી છે.

૮૮. તે અર્થશાસ્ત્ર અન્યનાં કામ પર સત્તાની મુન્સફી ચલાવી શકાય તે માટે રાષ્ટ્રમાં જેમ ગરીબ લોકોની સંખ્યા વધુ તેમ તે સારું ગણશે.

૮૯. પાસે પૈસો હોવાથી પૈસાદાર બની જવાતું નથી.

૯૦. રાષ્ટ્ર માટે અસમાનતા હિતમાં છે એમ અર્થશાસ્ત્ર કહે છે.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૬)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ

કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.

તેમાં કુલ ૫૧ ફકરા છે.

આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૭૬ થી ૮૩ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૭૬ થી ૭૯ : વાણિજ્ય અર્થશાસ્ત્રના નિયમો અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખાવીને ન્યાય અને નીતિ સાથે સંબંધરહિત, મનોવૈજ્ઞાનિક તથ્ય વિના રજૂ કરે છે.

૮૦ : અર્થશાસ્ત્રની ધનવાન બનવાની કલા બીજાને ગરીબ બનાવી રાખનાર નીવડે છે.

૮૧ : સમાજ જેમ વધુ ને વધુ ગરીબ બને તેમ ધનવાનની સંપત્તિનું મૂલ્ય વધુ થાય. અને આવી સંપત્તિ કારખાનેદાર માલિકનો અલ્પ સંખ્ય સમુદાય આખા રાષ્ટ્રના સમાજને ભોગે કેમ એકઠી કરી શકે, તે વાણિજ્ય અર્થશાસ્ત્ર શીખવે છે.

૮૨ : રાષ્ટ્ર માટે રાજનૈતિક અને વ્યક્તિ માટે વાણિજ્ય-વેપાર વિશેનાં બે અલગ ક્ષેત્ર ધરાવનાર અર્થશાસ્ત્રમાં ભેદ છે.

૮૩ : રાષ્ટ્રીય સુખાકારીનાં હિતનું શાસ્ત્ર રાજનૈતિક અર્થશાસ્ત્ર છે.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૫)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ

કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.

તેમાં કુલ ૭૫ ફકરા છે.

આજે આપણે પ્રથમ નિબંધના ૩૭ થી ૭૫ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૩૭ થી ૪૪.  ડોક્ટરની ફીના દરનો આધાર મહેનતાણાની માંગ પર નથી, એ બજારભાવ વડે વધઘટ પામે નહીં, તેમજ તેના ભાવ ઘટે નહીં. તે પ્રમાણે શ્રમિકના વેતન પણ ઘટવાં જોઈએ નહીં.

૪૫. ઊંચા દરની છૂટક રોજી પવિત્ર શ્રમને બજારભાવની ચીજ બનાવે તે કરતાં નીચા દરની બાંધ્યા વેતનની કાયમી નિયમિત રોજી વધારે સારી.

૪૬. કાયમી નીચા દરની નિયમિત રોજી વધુ સારી એવી સમજણ તૃષ્ણાને સ્થાને સંતોષ માગે છે. સ્વાર્થમય રસ્તે ધનના સંગ્રહને સ્થાને સ્વાર્થનાં ત્યાગ-બલિદાન વડે મળતી સંતોષરૂપી સંપત્તિની સમૃદ્ધિ સમાજમાં કોઈ પણ વ્યવસાયની પ્રતિષ્ઠાનાં મૂળમાં છે.

૪૭ થી ૬૧. કોઈ આર્થિક પ્રવૃત્તિ સમાજને ભલે ઉપયોગી હોય તેમ છતાં તે વ્યક્તિગત લાભ કે નફા માટે હોય તો લોકનજરમાં પ્રતિષ્ઠા પામી શકતી નથી.

૬૨ થી ૬૯. વ્યાપારીની સાચી ભૂમિકા ત્યાગમાં છે.

૭૦ થી ૭૩. કર્મચારી-મજૂર શ્રમિક સાથે કારખાનેદાર માલિકે વડીલ-પિતા જેવા વાલી તરીકે વર્તવાનું છે.

૭૪ થી ૭૫. નફાલક્ષી મૂડીવાદી આર્થિક સિદ્ધાંત અને તે મુજબના વ્યવહાર રાષ્ટ્ર માટે વિઘાતક વિનાશની દીવાલ જેવા બને છે.


પ્રથમ નિબંધનો સંક્ષિપ્ત સાર પૂર્ણ થયો. જેમને વધુ વાચવાની જીજ્ઞાસા થઈ હોય તેમણે મુળ પુસ્તક નીચે આપેલ લિંક પરથી સરનામુ મેળવીને મંગાવી લેવા અનુરોધ છે. હવે પછી આપણે અનુકુળતા મુજબ બીજા નિબંધનો સાર જોવાના છીએ તો આવતા રહેશો…


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૪)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ

કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.

તેમાં કુલ ૭૫ ફકરા છે.

આજે આપણે પ્રથમ નિબંધના ૨૧ થી ૩૬ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૨૧ થી ૨૩. પ્રેમનો નિયમ વિશ્વવ્યાપી છે.

૨૪-૨૫. પ્રેમભાવ આર્થિક વ્યવહારમાં પણ પ્રેરક-ચાલક છે.

૨૬ થી ૨૮. સૈન્યમાં પ્રેમસંબંધ જીવંત હોય છે.

૨૯-૩૦. નફા માટેની વ્યાપારી ગણતરીમાં પ્રેમ નથી.

૩૧. પ્રેમનું વ્યવહાર વડે આચરણ શક્ય છે. શ્રમિકને જીવનધોરણની સલામતી આપનાર સિદ્ધાંત આપવાને બદલે અર્થશાસ્ત્રીઓએ નીચામાં નીચા વેતન વ્યાજબી ઠેરવનાર અનૈતિક મૂડીવાદનો સમર્થક ’વેતનનો લોખંડી સિદ્ધાંત’ આપ્યો. તેથી સમાજમાં પ્રેમભાવને સ્થાને સંઘર્ષની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

૩૨ થી ૩૬. વેતનમાં શ્રમિકના ન્યાયનું સર્વોપરિ મૂલ્ય બનવું જોઈએ, માલિકના નફાનું નહીં.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૩)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ

કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.

તેમાં કુલ ૭૫ ફકરા છે.

આજે આપણે પ્રથમ નિબંધના ૧૧ થી ૨૦ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૧૧. અર્થશાસ્ત્રનો વેતનનો લોખંડી સિદ્ધાંત માનવીય ન્યાયથી વિરુદ્ધ છે. તેમ જ હડતાળ વખતે અનુચિત માગણી પણ સમાજના આર્થિક હિતમાં નથી.

૧૨. માપદંડ છે ન્યાયનો. કેમ કે એ જ સર્વોપરિ મૂલ્ય છે. બજારમાં ઊંચા ભાવ મળે તે રીતે નફા માટે ઉપયોગી પ્રવૃત્તિની વિચારણા કરવા જતાં અનેક પ્રકારના પરસ્પર આધારિત સંકુલ પ્રવૃત્તિઓ વચ્ચે સંબંધ ગોઠવણીના સવાલ પેદા થાય છે. તેના નિયમનું જડ માળખું એકને બચાવવા જતાં અન્યને કચડે. અર્થશાસ્ત્ર વડે સિદ્ધાંતોની રચના બજારમાં ભાવ વધુ મેળવવા માટે નહીં પણ માનવ-માનવ વચ્ચેના સંબંધમાં ન્યાય વધારવા માટે કરવામાં આવે તે જરૂરી છે.

૧૩. મુક્ત અર્થતંત્રમાં સ્પર્ધા વડે નફાની સંપત્તિ મળશે જ એ કોઈ જાણી શકતું નથી, સમાજ માટે તો તે વડે વિનાશ જ મળે છે. જ્યારે ન્યાય બીજાને અને પોતાને શાથી મળશે તેમાં અનિશ્ચિતતા નથી. તેથી ન્યાય માટે વિચાર હિતકર છે.

૧૪ થી ૧૮. ન્યાયનો સિદ્ધાંત પ્રેમ છે. અન્યને ન્યાય મળે તે વલણ અન્ય વ્યક્તિ પ્રતિ પ્રેમ વડે પ્રગટે છે. મૂડીવાદના આર્થિક સિદ્ધાંત બતાવે છે કે શ્રમિકના વેતનદર બજારભાવ મુજબ નીચામાં નીચા હોય તેથી સમાજને વધારે લાભ થશે, તેમાં ન્યાયનો અભાવ છે.

૧૯-૨૦. માનવ તે કેવળ વેતન અને તેની શરતો મુજબ કામ આપનાર મજૂર, નોકર કે નિર્જીવ યંત્ર નથી. તેની સાથે આર્થિક સ્વાર્થ ગૌણ રાખીને પ્રેમ વડે તેનાં કલ્યાણની કાળજી લેવાથી તેના જીવનને સુખ આપનારા વ્યવહાર વડે તેના સંબંધ સંઘર્ષરહિત બનશે.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | 1 Comment

અનટુ ધીસ લાસ્ટ – ચાલો વાંચીએ (૨)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ

કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.

તેમાં કુલ ૭૫ ફકરા છે.

આજે આપણે પ્રથમ નિબંધના 6 થી 10 ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૬. અર્થશાસ્ત્રના સિદ્ધાંત વ્યવહારુ નથી. મહત્તમ નફા માટે અર્થશાસ્ત્રે સ્પર્ધા અને પેઢીની સમતુલાના સિદ્ધાંતો આપીને સમાજમાં મૂડીવાદની સ્થાપના કરી, તેમાં માનવીય ગૌરવને પોષક વાતાવરણની આશા રહી નથી.

૭. મુડીવાદના અર્થશાસ્ત્રને પરિણામે સમાજ હિંસામય બન્યો.

૮. વર્ગ સંઘર્ષ સંબંધી માર્ક્સના સમાજવાદની વિચારણા ખોટી છે. અસમાન વચ્ચે સંઘર્ષ કુદરતી નિયમ નથી. સમાજવાદની વિચારણા આ રીતે પાયાથી ભૂલભરેલી છે.

૯-૧૦. માણસના વર્તનમાં સંઘર્ષ જોવા મળે તે પરથી સમાજરચનાને તેને આધારે વિચારવામાં તર્કદોષ છે; કેમ કે સંઘર્ષ સતત સ્થિર એવું પરિબળ નથી, પરિસ્થિતિજન્ય હોવાથી તેને આધારે પ્રતિસિદ્ધાંત તારવવાની સામ્યવાદની નિયતીનો સિદ્ધાંત અતાર્કિક ઠરે છે. શ્રમ-કલ્યાણ વડે પરિસ્થિતિજન્ય સંઘર્ષ નિવારી શકાયો. તેથી મૂદીવાદી ઈગ્લેંડમાં સામ્યવાદની નિયતી સાચી રહી નહીં. પ્રાણીજગતના હિંસક નિયમો જેવા આ સમાજવાદી સિદ્ધાંત માનવ સંસ્કારિતા માટે અપનાવી શકાય તેમ નથી.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધીસ લાસ્ટ – ચાલો વાંચીએ (૧)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ

કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.

તેમાં કુલ ૭૫ ફકરા છે.

આજે આપણે પ્રથમ નિબંધના પ્રથમ પાંચ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૧-૨ : જગતની આર્થિક વિટંબણાનાં મૂળ અર્થશાસ્ત્રમાં છે. ધનવાન બનવા સંપત્તિ એકઠી કરવાના હેતુથી નફાની પ્રેરણા વડે સમાજ ચાલે છે એવું માની અર્થશાસ્ત્ર પ્રેમનાં માનવીય મૂલ્યોના પરિબળને અવગણે છે.

૩: માણસના જીવનના તમામ વ્યવહારમાં પ્રેમ નિરપવાદપણે સતત રહેનાર પરિબળ છે. તેથી તે સ્થિર પરિબળ છે. તેને ગણતરીમાં લઈને પછી જ નફા જેવી અસ્થિર, પ્રેરણાનાં પરિબળ ગણતરીમાં લઈ શકાય.

૪. પ્રેમના સ્થિર પરિબળને આધારે રચાયેલ શાસ્ત્રના સિદ્ધાંત વડે સ્થિર વિકાસ દર ધરાવનારા સમાજની રચના થાય. નફા જેવા, સામાજિક ન્યાયના ભંગ વડે નુકસાનકારક બનેલા સિદ્ધાંત સમાજમાં વિનાશકારી વિષમતાઓ જ પેદા કરે.

૫. માનવી પ્રેમમય જીવન વિકાસની સમાજરચના માગે છે, તેને બદલે આ અર્થશાસ્ત્ર માનવસમાજનું નફાની ગણતરી માટે જડ માળખામાં રૂપાંતર કરે છે.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.