જાણવા જેવું

સ્મરી લેજો જરી પળ એક નાની – વિષ્ણુ પંડ્યા

શહીદ દિવસ: વિસ્મૃતિ અને ઉપેક્ષાનું દુર્ભાગ્ય?

આજે ત્રીસમી જાન્યુઆરી છે. દિવ્યભાસ્કરના વાચકોએ તો આ લેખ ગઈ કાલે જ વાંચ્યો હશે તેમને માટે આજે પુનરાવર્તન. કેટલાક એમ માને છે કે તે માત્ર ગાંધીજીની પૂણ્યતિથિ છે, પણ જે દિવસથી તેને ‘શહીદ દિવસ’ તરીકે ઓળખાવાયો છે, તે બ્રિટિશ સામ્રાજ્યની સામે ફાંસી, ગોળી અને આંદામાનની કાળ કોટડીમાં છેલ્લો શ્વાસ લેનારા તમામને યાદ કરવાનો અવસર છે.

૧૮પ૭ના વિપ્લવમાં અઢીથી ત્રણ લાખ નાગરિકોને મોતને ઘાટ ઉતારાયા હતા તે પછી બંગાળમાં અનુશીલન સમિતિ, પંજાબ અને કેનેડામાં ‘ગદર’ પાર્ટી‍, બર્મામાં સૈનિકી વિદ્રોહ, અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપની આઝાદ સરકાર, લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’, બર્લિ‌નમાં ‘બર્લિ‌ન કમિટી’, જર્મનીમાં આઝાદ સરકાર અને પછી શ્યોનાન (સિંગાપોર)થી કોહિ‌મા-ઇમ્ફાલ સુધીની આઝાદ હિ‌ન્દ ફોજમાં મોતને ભેટેલા હજારો સૈનિકો, છેવટનો નૌસેના બળવો… આની ગણતરીમાં સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, ભગવતીચરણ વોરા અને હિ‌ન્દુસ્તાન પ્રજાતાંત્રિક સંઘના યુવકો પણ આવી જાય, તો બીજા અઢી – ત્રણ લાખ ક્રાંતિકારોનાં બલિદાન નોંધાયાં છે.

વધુ વાંચો :

Categories: જાણવા જેવું, વિચારે ગુજરાત | Tags: , , | Leave a comment

कैवल्य दर्शनम ( भूमिका ) – श्री श्री स्वामी श्री युक्तेश्वर गिरि























Categories: અધ્યાત્મ / યોગ, જાણવા જેવું, સાહિત્ય | Tags: , , , | 3 Comments

ફ઼ાધર્સ ડે

તા.૧૯ જુન ૨૦૧૧

ત્રીજો રવિવાર

મિત્રો,

શું આપણે જાણીએ છીએ કે આજે U.S.A, Canada અને U.K. ફ઼ાધર્સ ડે ઉજવી રહ્યાં છે? દર જુન મહિનાના ત્રીજા રવિવારે આ ૩ દેશોમાં ફ઼ાધર્સ ડે ઉજવવામાં આવે છે. ઓસ્ટ્રેલીઆ અને ન્યુઝીલેન્ડમાં દર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ રવિવારે ફ઼ાધર્સ ડે ઉજવવામાં આવે છે. બાકીના દેશોમાં રોજ ફ઼ાધર્સ ડે ઉજવવામાં આવે છે.

તો U.S.A, Canada અને U.K. માં રહેતા ફ઼ાધરોને આજે ખુબ ખુબ આદર અને સન્માન આપીને વિરમું છું.

Happy Fadhers Day for U.S.A, Canada અને U.K.

Categories: ઊજવણી, જાણવા જેવું | Tags: , | Leave a comment

જ્ઞાનવિજ્ઞાન યોગ – સરળગીતા – અધ્યાય ૭ (યોગેશ્વરજી

શ્રી ભગવાન કહે છેઃ

મારામાં આસક્ત થૈ આશ્રય મારો લે,
જાણે મુજને કેમ તે હવે કહું છું તે. ॥૧॥

જ્ઞાન કહું તુજ ને વળી પૂર્ણ કહું વિજ્ઞાન,
જેને જાણી જાણવું રહે નહીં કૈં આન. ॥૨॥

હજારમાં કોઈ કરે સિધ્ધિકાજ પ્રયાસ
કરતાં યત્ન હજારમાં કોઈ પહોંચે પાસ.
મારી પાસ પહોંચતા કોઈ પામે જ્ઞાન,
સાંભળ, જો તુજને કહું ઉત્તમ મારું જ્ઞાન. ॥૩॥

પૃથ્વી પાણી તેજ ને વાયુ ચિત્ત આકાશ,
અહંકાર બુધ્ધિ કહી મારી પ્રકૃતિ ખાસ.
બીજી જીવરૂપે રહી મારી પ્રકૃતિ છે,
તેનાથી જગને રચું, ઉત્તમ પ્રકૃતિ તે. ॥૫॥

આ બંને પ્રકૃતિ થકી પ્રાણી સર્વે થાય,
સર્જન તેમ વિનાશનું સ્થાન મને સૌ ગાય.
ઉત્તમ મુજથી કો’ નથી, મારા વિણ કૈં ના,
જગ મુજમાં છે, જેમ આ મણકા દોરામાં.

રૂપનું વર્ણન

પાણીમાં રસ હું થયો, સૂર્યચંદ્રમાં તેજ,
વેદમહીં ઓમકાર છું, પૌરૂષ નરમાં સહેજ.
પૃથ્વીમાં છું ગંધ ને તપ છું તાપસમાં,
જીવન પ્રાણીમાત્રનું, શબ્દ થયો નભમાં.
બીજ સર્વ પ્રાણીતણું મને સદાયે જાણ,
બુધ્ધિ તેમજ વીરતા વીરલોકમાં માન. ॥૧0॥

બળ બનતાં સેવા કરું બળવાનોમાં હું,
અધર્મથી પર કામના જીવમાત્રમાં છું.
સત્વ અને રજ તમ તણાં ઉપજે મુજથી ભાવ,
તે મુજમાં છે, હું નથી તે ભાવોની માંહ્ય.
ત્રણ ગુણવાળી છે કહી મારી જે માયા,
તેનાથી મોહિત થયા રંક અને રાયા.
માયા મારી છે ખરે તરવી આ મુશ્કેલ,
તરી જાય છે તે જ જે મારું શરણ ગ્રહેલ.
મૂઢ મને પામે નહિં, અધમર્થી ભરિયા,
માનવરૂપે તે ફરે તોય જાણ મરિયા. ॥૧૫॥

ચાર જાતના ભક્ત

દુ:ખી તેમ જ જ્ઞાનની ઈચ્છાવાળા લોક,
સંસારી આશાભર્યા, જ્ઞાની તેમ જ કો’ક.
ચાર જાતના માનવી મને ભજે છે તે,
તેમાં જ્ઞાની ભક્તને શ્રેષ્ઠ કહ્યો છે મેં.
મહાન છે બીજા છતાં જ્ઞાની મારો પ્રાણ,
જ્ઞાની સંધાઈ ગયો મારી સાથે જાણ.
ઘણાય જન્મ પછી મને જ્ઞાની પામે છે,
પ્રભુ પેખે જગમાં બધે, સતં સદુર્લભ તે.
કામનાભર્યા કૈં જનો, નિયમ ઘણાં પાળી,
અન્ય દેવતાને ભજે, સ્વભાવને ધારી. ॥૨૦॥

શ્રદ્ધાપૂર્વક દેવને ભક્ત ભજે છે જે,
તેની શ્રદ્ધા હું કરું દૃઢ દેવમહીં તે.
શ્રધ્ધાપૂર્વક તે પછી તેની ભક્તિ કરે,
મારી દ્વારા કામના-ફળને પ્રાપ્ત કરે.
અલ્પબુદ્ધિ એ ભક્તના ફળનો થાય વિનાશ,
દેવ ભજ્યે દેવો મળે, મને ભજ્યે મુજ પાસ.
અજ્ઞાની મુજ રૂપની મયાર્દા માને,
વિરાટ ઉત્તમ રૂપ ના મારું તે જાણે.
માયાથી ઢંકાયેલું મારું પૂર્ણ સ્વરૂપ,
મૂઢ ઓળખે ના કદી મારું દિવ્ય સ્વરૂપ. ॥૨૫॥

ભૂત ભાવિ જાણું, વળી વતર્માન જાંણું,
જાણું હું સૌને, મને કોઈ ના જાણ્યું.
વેર ઝેર તૃષ્ણાથકી ભવમાં ભટકે લોક,
જેનાં પાપ ટળી ગયાં, ભજે મને તે કો’ક.
મોત થકી છૂટવા વળી ઘડપણને હરવા,
ભજે શરણ મારું લઈ દુઃખ દૂર કરવા.
દૃઢ નિરધાર કરે અને દ્વંદ્વમુક્ત તે થાય,
પુણ્યવાન તે તો મને જાણી રસમાં ન્હાય.
બ્રહ્મકર્મ અધ્યાત્મ ને અધિભૂત ને અધિયજ્ઞ,
જે જાણે તે થાય છે મારામાં સલંગ્ન. ॥૩૦॥

॥ અધ્યાય સાતમો સમાપ્ત ॥

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, જાણવા જેવું, ભગવદ ગીતા, શિક્ષણ, સાહિત્ય | Tags: , , , , , , | 2 Comments

જાણકારી અને પ્રયોગ – આગંતુક

A red rose with dewdrops

Image via Wikipedia

મિત્રો,
આજે શ્રી અશોકભાઈના બ્લોગ ઉપર Zementa ટુલ વિશે સરસ આર્ટિકલ વાંચ્યો. કોમ્પ્યુટરની કોઈ પણ ટેકનિકલ બાબત વિશે માહિતિ મળે એટલે તરત જ મને તેનો પ્રયોગ કરવાની ઈચ્છા થાય. એટલે મેં તે પ્રમાણે પ્રયોગ કરી જોયો. અને Zementa ની મદદથી સુંદર લાલ ગુલાબ મળી આવ્યાં.  તો આપ સહુના જિવન પણ કંટક રહિત ગુલાબની જેમ મહેકી ઉઠે તેવી ખૂબ ખૂબ શુભ કામનાઓ.


અને હા, આ જાણકારી બદલ અશોકભાઈ મોઢવાડીયા(વાંચનયાત્રા) નો ખૂબ ખૂબ આભાર.


Categories: જાણવા જેવું | Tags: , , , , , | 2 Comments

શ્રાવણી સરગમ – સૌજન્ય: ચેતનાબહેન શાહ

મિત્રો,
ભારતમાં તો આપણે સદનસીબે લગભગ ત્રણે ઋતુઓ શીયાળો, ઉનાળો અને ચોમાસું માણી શકીએ છીએ. અત્યારે મજાના શ્રાવણના સરવડા પણ પડે છે. બીજા દેશોમાં અત્યારે કેવું વાતાવરણ હશે? ચાલો આજે જોઈએ કે લંડનમાં લોકો વરસાદની અત્યારે કેવી રીતે મજા લેતા હશે. શ્રી ચેતનાબહેન શાહ ના ’સૂર-સરગમ’ પરથી જાણવા મળ્યું કે ત્યાં કેવું વાતાવરણ હશે.

’અહીં લંડનમાં તો ઘણીવાર અનાયસે સૂરજનાં સોનેરી કિરણોની સાથે જ રૂપેરી વરસાદ વરસે છે.. પરંતુ જ્યારે અષાઢી મેહ ગરજે છે, શ્રાવણી સરવડાં વરસે છે ને ભીની માટીની સુગંધથી હૈયું હિલોળા લે છે…ત્યારે મનનો મોરલો વિવિધરંગી લાગણીઓનાં પીંછાઓથી કળા કરે છે, ને એનું પ્રતિબીંબ જ્યારે મેઘથી તરબતર ગગન પર પડે છે ત્યારે રચાય છે મેઘધનુષ..!! આજે એ જ મેઘધનુષમાં રહેલ વિવિધરંગો ભરેલી અંતરની ઉર્મીઓને શ્રાવણી-સરગમમાં સાંભળીએ…’

તો લંડનમાં શ્રાવણી સરગમમાં ભીંજાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.

શ્રાવણી સરગમ

Categories: જાણવા જેવું | Tags: , | Leave a comment

પશુપ્રેમીઓ માટે ખુશ ખબર! (વાઘને અહિંસક બનાવી શકાય છે)

Tiger Temple in Thailand.

Would you like to visit this place ?? This would be my dream come true to visit this place.

This is extraordinary

The tiger temple in Thailand is a place where an extraordinary bond between man and the world’s biggest cats has been formed. The tigers here are so peaceful its almost as if they have accepted Buddhism as their religion. In fact, they even sit for the meditating sessions with the monks and kneel down in front of them as it they are the gurus. The tigers are so docile that the monks have to sometimes train them to fight otherwise they would lose all their power of self protection.

The link started in 1999 when a sick baby tiger, orphaned after poachers shot its mother, was brought to the monks. Within a few years several other tiger cubs similarly orphaned by poachers had arrived. The most amazing thing is none of the cubs turned out ferocious on growing up. The monks believe that these tigers are none other than the former Buddhist disciples who have taken rebirth in the same place.

( e-Mail of a friend )


મિત્રો,
ઘણાં લોકોના માનવા પ્રમાણે પ્રાણીઓ મનુષ્યો કરતા વધારે ઉમદા હોય છે. કેટલાક લોકોનું માનવું છે કે વાઘ પશુપ્રેમીઓ માટે નંબર વન છે. તો આવા લોકોને માટે ખુશ ખબર છે કે વાઘને અહિંસક બનાવી શકાય છે. નીચેના ફોટોગ્રાફ સ્પષ્ટ દર્શાવે છે કે ’વાઘ’ ખુબ પ્રેમાળ પ્રાણી છે, તો ચાલો થાઈલેન્ડના ટાઈગર ટેમ્પલમાં, વાઘને પ્રેમ કરવા જ સ્તો વળી. અને હા જો તમારે આંગણે વાઘ આંટા મારવા આવે તો તેને કાઢી નહીં મુકતા પણ પ્રેમથી ઘરમાં બોલાવીને ખોળામાં સુવરાવીને વહાલ કરવાનું ન ભુલશો!








Categories: જાણવા જેવું | Tags: , , | 8 Comments

સૂર્યદર્શન પદ્ધતિ (સનગેઝિંગ)





Categories: જાણવા જેવું, સ્વાસ્થ્ય | Tags: , | 2 Comments

પુણ્યનો વેપાર – લોકમિલાપ ટ્રસ્ટ

ખાસ નોંધ: આ પોસ્ટ મારા માતૃતુલ્ય મોટા બહેન શ્રીમતી મીતાબહેન ભુપેન્દ્રકુમાર ભોજકને અર્પણ કરેલ છે.

















Categories: ઉદઘોષણા, જાણવા જેવું, સાહિત્ય | Tags: , , | Leave a comment

પીરમ બેટ – દિપક મેહ્તા

મિત્રો,

ચારે બાજુ પાણી અને વચ્ચે જમીન હોય તો તેને બેટ અથવા ટાપુ કહે છે. નદીઓનાં પાણી જ્યાં ઠલવાય ત્યાં ધીમે ધીમે પુરાણ થાય. કાળે કરીને નાનો કે મોટો અથવા નાના મોટા બેટ પાણીની બહાર ઉપસી આવે.

ખંભાતના અખાતમાં આવેલ અલિયાબેટ, માલબેંક વિગેરે આવા બેટ છે.

બીજો એક પ્રકાર છે. પરવાળાના ટાપુઓ પરવાળાના નાના નાના જીવો બાજુ બાજુમાં રહી કરોડોની સંખ્યામાં પોતાના ઘરો બાંધવા માંડે. કરોડો વર્ષો પછી થર ઉપર ચડતાં તે દરિયાની બહાર ઉપસી આવે.

કચ્છના અખાતમાં આવેલ પીરોટન ટાપુ આ પ્રકારનો બેટ છે.

ત્રીજી એક રીતે પણ ટાપુ બને છે, સમુદ્રના તળીયે કોઈ ઉથલપાથલ થાય અને એવી અનેક ઉથલપાથલોના પરિણામે ટાપુ ઉપસી આવે. એને ગજબેડ પ્રકારના ટાપુ કહે છે.

ભાવનગરની નજીક આવેલો પીરમબેટ આ ત્રીજા પ્રકારનો ટાપુ છે.

Categories: જાણવા જેવું | Tags: | Leave a comment

Blog at WordPress.com.