આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર

બળાત્કાર – ચાબખા કે બુદ્ધિનું પ્રદર્શન?

દિલ્હીની બસમાં નરાધમોએ નીર્લજ્જ બળાત્કાર કર્યો તે ઘટના ઘણી ધૃણાસ્પદ છે. તેનો વિરોધ થઈ રહ્યો છે. આક્રોશ છે. સાચો છે. સરકારે કડક કાયદો બનાવવો જોઈએ અને બનાવવો પડશે નહીં તો તેને રાજ્ય ચલાવવાનો કશો અધિકાર નથી.

સામાન્ય બુદ્ધિ ધરાવતા સ્વસ્થ માનવીઓને મારે થોડાક પ્રશ્નો પુછવા છે કે આ ઘટનાને નીચેની બાબતો સાથે શું સંબંધ હશે?

૧. પ્રમુખ સ્વામી સ્ત્રીઓનું મોઢું ન જુવે તેનાથી શું આવા બળાત્કાર થાય છે?

૨. ગાંધીજીએ બ્રહ્મચર્યના વિચિત્ર પ્રયોગો કર્યાં તેનાથી શું આવા બળાત્કાર થાય છે?

૩. રાવણ સીતાને ઉપાડી ગયો. રામના ચરણ સ્પર્શથી શલ્યા અહલ્યા બની ગઈ પણ સીતાને તેણે વનમાં મોકલી દીધા અને તે ધરતીમાં સમાઈ ગયાં તેને લીધે શું આવા બળાત્કાર થાય છે?

૪. શ્રી રામકૃષ્ણ પરમહંસ: પ્રત્યેક સ્ત્રીઓને માતૃ સ્વરુપે જોતા અને તેમના ધર્મપત્નિ શારદામણીને સાક્ષાત જગદંબા સ્વરુપ માનતા તથા તેમની શોડષી પૂજા પણ કરેલી. તેમને કામ કરવા કે ઢસરડો કરવા નહીં પણ નારીઓને આધ્યાત્મિક મદદ મળી શકે તે માટે તેમને શિક્ષિત કર્યા અને તેમના દ્વારા શ્રી રામકૃષ્ણ મઠ અને મીશનના ઘણાં સંન્યાસી તથા સ્ત્રી – પુરુષો ઉચ્ચ આધ્યાત્મિક શિક્ષા તરફ વળ્યા તેને લીધે શું આવા બળાત્કાર થાય છે?

જે ઘટનાને બીજી ઘટના સાથે સીધો કે આડકતરો કશોએ સંબંધ ન હોય તેવા તેવા દાખલા દલીલો અને વાતો મનઘડન રીતે લખવી તેને ચાબખા માર્યા કહેવાય કે બુદ્ધિનું પ્રદર્શન કર્યું કહેવાય?


વિશ્વમાં થતાં બળાત્કારનાં આંકડાઓ નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે.

http://en.wikipedia.org/wiki/Rape_statistics

http://www.nationmaster.com/graph/cri_rap-crime-rapes

Categories: આઘાત/શોક/દુ:ખ, આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર | Tags: , , | 6 Comments

ખાનગી મંડળીઓના સભ્યો જાણીતા અને અજાણ્યાં લેખોની ઉઠાંતરી કરીને ખુલ્લેઆમ મંડળીમાં પોતાને નામે છાપે છે ! શું કોઈ પુછનાર નથી?

મીત્રો,

આજે મારા ઈ-મેઈલ ના ઈન બોક્ષમાં THE INDIANS મંડળનો એક મેઈલ આવ્યો. આમ તો હું આવા મંડળના લેખ વાંચતો નથી હોતો કારણ કે તેના સભ્યો જ્યાં ત્યાંથી લેખની ઉઠાંતરી કરીને પછી પોતાના નામે રજુ કરી દેતાં હોય છે.

આજના મેઈલનું શીર્ષક વાંચીને હું ચોંક્યો.

શું આપણે આઝાદ થયા છીએ?

મારા સ્મૃતિપટમાં ઝણઝણાટી થઈ. થયું કે આ શિર્ષક તો ક્યાંક વાંચેલુ છે. યાદ આવ્યું કે આ તો કુરુક્ષેત્રના આપણાં વહાલા બાપુ શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલના લેખનું શિર્ષક છે. તરત જ પહોંચ્યો તે લેખ વાંચવા. જોયું તો શ્રી ઘનશ્યામભાઈ જાનીએ આખે આખો લેખ પોતાના નામે મંડળીમાં ઠપકારી દીધેલો.

http://theindians.co/profiles/blog/show?id=3499594%3ABlogPost%3A992513&xgs=1&xg_source=msg_share_post



સારા વિચારો ફેલાય તે સારી વાત છે પણ તે માટે મુળ લેખકનું નામ રદ કરીને પોતાનું નામ લખવું કેટલે અંશે વ્યાજબી છે? આ પ્રકારે ઉઠાંતરી કરનારાઓને શું કોઈ પુછનાર નથી?


મુળ લેખ આપને નીચેની લિંક પરથી વાંચવા મળશે.
શું આપણે આઝાદ થયા છીએ?


Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, પ્રશ્નાર્થ, હેલ્લારો | Tags: | 4 Comments

આપણે શા માટે અપરાધનો દંડ આપતાં નથી?

કેટલીયે વાર મને વિચાર આવે છે કે આપણાં દેશમાં અપરાધ કરવાની બધાને છુટ છે જ્યારે દંડ ભાગ્યે જ કોઈકને થાય છે.

આના કારણો શું હોઈ શકે?

* દંડ કરનારા પાસે પુરતી સત્તા ન હોય.

* અપરાધ થયો છે તેમ સાબીત કરતાં વર્ષોના વર્ષો નીકળી જાય.

* દંડ કરવાનો અધિકાર જેમને છે તેઓ વધારે મોટા અપરાધી હોઈ તેથી તેનો અંતરાત્મા ડંખતો હોય કે આ સામાન્ય અપરાધી કરતાં તો હું ક્યાંયે વિશેષ અપરાધી છું તેથી તેને દંડ કરવાવાળો હું કોણ.

૧.૭૬ લાખ કરોડના અપરાધીને સજા કેવી રીતે કરી શકાય? ૧.૭૬ કરતાં તો ૧.૮૬ લાખ કરોડ વધારે ન કહેવાય?

Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, પ્રશ્નાર્થ, ભ્રષ્ટાચાર સામે લડત | Tags: , , | 3 Comments

એક પ્રસ્તાવિત કાળો કાયદો

Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, ચેતવણી/સાવધાન, દેશપ્રેમ, પ્રશ્નાર્થ, બળતરા/કકળાટ, ભ્રષ્ટાચાર સામે લડત, લોકમત, વિવાદ/પડકાર, હેલ્લારો | Tags: , , , | Leave a comment

ભૂલો,બેદરકારી અને ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ

મિત્રો,

આજે એક અરજી ક્યાં પહોંચી છે તેની માહિતિ મેળવવાના સંદર્ભે તાલુકા પંચાયતની ઓફીસે જવાનું થયું. હવે માહિતિ અધિકાર હેઠળ આપણે કોઈ પણ સરકારી કાર્યવાહીની મહિતિ મેળવી શકીએ છીએ જે એક આનંદની વાત છે. ફોર્મ ભરીને તેની ફી ભરવા ગયો તો ફી લેનારા કેશીયર સાહેબ બહાર ચાલ્યા ગયાં હતાં. એક સેવાભાવી સહકાર્યકરે વળી સેલફોનથી વાત કરીને પુછ્યું કે તમે ક્યારે આવશો? અહિં એક ભાઈ ફી ભરવા આવ્યાં છે. પેલા ભાઈએ કહ્યું મને આવતાં વાર લાગશે પણ આમેય તેમનું કામ નહિં થાય કારણ કે મોટા સાહેબની સહી જોઈશે અને તે તો ગેર-હાજર છે માટે તેમને કહો કે કાલે આવે.મારા મનમાં થોડાં પ્રશ્નો થયાં (મને પણ પ્રશ્નો થાય છે).

૧. ઓફીસના સમયે પોતાની ખુરશી પર બેસવાની કેશીયરની ફરજ નથી?

૨. વહિવટી કામ ન અટકે તે માટે ઉપરી અધિકારી ન હોય તો તેમની અવેજીમાં ઈન્ચાર્જ ઓફીસર ન હોવા જોઈએ?

ત્યાંથી બહાર નીકળ્યો તો દિવાલ પર ઠેર ઠેર સુવાક્યો લખેલા જોયા. એક સુવાક્ય વાંચીને મારું ધ્યાન ખેંચાણું અને તરત જ ખીસ્સાવગો મોબાઈલ કાઢીને તેની છબી ઉતારી લીધી.

મને થયું કે હું પેઈન્ટર નથી, મેં કદી સુવાક્યો દિવાલમાં લખ્યાં નથી તો પછી મારી જેવી ભૂલો કરનાર વળી આ ક્યો પેઈન્ટર હશે? હું તો બ્લોગમાં ઘણી વખત ’જય’ નું ’જાય’ લખી નાખું છું પણ આ તો દિવાલ પર ’ઉદારતા’ નું ’ઉદારાતા’ લખી નાખ્યું છે.

Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, ટકોર, પ્રશ્નાર્થ, સમાચાર | Tags: , , | 3 Comments

ઊલટી રમત – તસલીમા નસરીન (અનુ. સોનલ પરીખ)

મેં જોયો
બજારમાં એક પુરુષને, એક સ્ત્રી ખરીદતાં
મારે પણ ખરીદવો છે, એક પુરુષ
સાફ દાઢીમૂછ, ચોખ્ખા કપડાં, ઓળેલા વાળ
શરીર અને સ્નાયુઓ દેખાય એમ મુકાયો હોય જે
મુખ્ય માર્ગ પર, વેચાવા
તેને કોલરથી ખેંચી
રિક્ષામાં ફેંકવો છે


વધુ આગળ વાંચો: ઊલટી રમત – તસલીમા નસરીન (અનુ. સોનલ પરીખ)


પ્રતિભાવો અચૂક વાંચશો:



Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.