મીત્રો,
આજે મારા ઈ-મેઈલ ના ઈન બોક્ષમાં THE INDIANS મંડળનો એક મેઈલ આવ્યો. આમ તો હું આવા મંડળના લેખ વાંચતો નથી હોતો કારણ કે તેના સભ્યો જ્યાં ત્યાંથી લેખની ઉઠાંતરી કરીને પછી પોતાના નામે રજુ કરી દેતાં હોય છે.
આજના મેઈલનું શીર્ષક વાંચીને હું ચોંક્યો.
શું આપણે આઝાદ થયા છીએ?
મારા સ્મૃતિપટમાં ઝણઝણાટી થઈ. થયું કે આ શિર્ષક તો ક્યાંક વાંચેલુ છે. યાદ આવ્યું કે આ તો કુરુક્ષેત્રના આપણાં વહાલા બાપુ શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલના લેખનું શિર્ષક છે. તરત જ પહોંચ્યો તે લેખ વાંચવા. જોયું તો શ્રી ઘનશ્યામભાઈ જાનીએ આખે આખો લેખ પોતાના નામે મંડળીમાં ઠપકારી દીધેલો.
સારા વિચારો ફેલાય તે સારી વાત છે પણ તે માટે મુળ લેખકનું નામ રદ કરીને પોતાનું નામ લખવું કેટલે અંશે વ્યાજબી છે? આ પ્રકારે ઉઠાંતરી કરનારાઓને શું કોઈ પુછનાર નથી?
મુળ લેખ આપને નીચેની લિંક પરથી વાંચવા મળશે.
શું આપણે આઝાદ થયા છીએ?