સાહિત્ય

ગુજરાતી સાથે નિસબત ધરાવતા તમારા મિત્રવર્તુળમાં આનો પ્રસાર કરવા વિનંતી.

લંડનથી પ્રગટ થતાં ગુજરાતી સામયિક અને વિચારપત્ર ઓપિનિયન (તંત્રી:વિપુલ કલ્યાણી)નો માર્ચ 2013નો અંક પ્રકાશિત થઈ ગયો છે. જે આ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકાશે.

http://www.gujaratilexicon.com/magazine/opinion/84/download

આશરે 15000થી વધુ વાચકોને PDF ઓપિનિયન દર મહિને એમના inbox માં મળે છે.

માર્ચ 2013નો અંક એ ઓપિનિયનનો ‘આખરી’ અંક છે. 1995થી 2010 સુધીનાં 15 વરસો મુદ્રિત સ્વરૂપે અને ત્યાર બાદ 3 વરસો સુધી ડિજિટલ (PDF) સ્વરૂપે એમ 18 વરસોની સફર પછી ‘ઓપિનિયન’ દર મહિને પ્રગટ થતા અંક સ્વરૂપનો સંકેલો કરે છે. જો કે ઓપિનિયન એની વેબસાઈટ

http://us-mg6.mail.yahoo.com/neo/www.opinionmagznine.co.uk

દ્વારા જીવંત રહેશે અને સર્જકો દ્વારા મળતી કૃતિઓ આ વેબસાઈટ પર પ્રગટ થયાં કરશે.

વિલાયતના ગુજરાતી ડાયસ્પોરામાં, રોજિંદા જીવન અને વાણીવ્યવહારમાં અંગ્રેજીના વાવંટોળ વચ્ચે આ એકલવીરે ગુજરાતી ભાષાનો દીવડો પંડની આડશે આટલાં વરસો સુધી સુધી ટમટમતો રાખ્યો છે. આ માટે આપણા સૌની આ એકલવીરને સલામ. ‘પરદેશમાં ગુજરાતી ભાષા/સાહિત્ય’ની વાત નીકળે ત્યારે ઓપિનિયનનું નામ લીધા વગર ન જ ચાલે. આ બાબતે ઇતિહાસમાં પણ એનું એક આગવું સ્થાન હશે જ. ઓપિનિયનની અનેક દેણગીઓ વચ્ચે આટલી બાબતો ઊડીને આંખે વળગે એવી છે:

– એક પણ જાહેરાત લીધા વગર અઢાર-અઢાર વરસ સામયિક ચલાવવું.

– એકે હજારા શી ખમતી: તંત્રી, સંપાદક, પ્રૂફરીડર, વિતરકથી માંડી જે ગણો તે એક જ વ્યક્તિ અને એના પરિવારની નિષ્ઠા.

– અનેક નવા સર્જકો પહેલીવાર આ સામયિક દ્વારા ગુજરાતી ભાષાને મળ્યા.

– લેખકો અને પ્રતિભાવકોનો, સામયિકમાં છપાતાં ઠામ-ઠેકાણાં દ્વારા, સીધો સંપર્ક.

– ગમે તેવા આકરા પ્રતિભાવો/મંતવ્યોનો સ્વીકાર અને સામયિકમાં સ્થાન.

– તળ ગુજરાતના કોઈ પણ સામયિકમાં પણ દુર્લભ એવી ઊંચા સ્તરની જાગતિક, શિષ્ટ, પ્રકીર્ણ, સાહિત્યિક અને વૈચારિક સામગ્રીનું મૂલ્યનિષ્ઠ પીરસણ.

– ગુજરાતી ડાયસ્પોરા દ્વારા વિલાયત, અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આક્રિકા જેવા દેશોમાં રચાતા સાહિત્યનો અવિરત પ્રચાર-પ્રસાર અને એને તળ ગુજરાતના મુખ્યપ્રવાહના સાહિત્ય સાથે જોડવાનો અપૂર્વ પુરુષાર્થ.

વેબસાઈટ અને સોશિયલ મીડિયા દ્વારા ઓપિનિયન વૈશ્વિક ગુજરાતી કોમમાં કોઈ પણ જાતના વાડા/સિમાડા વગર હજી વધુ પ્રસરે અને ગુજરાતી લખતી – વાંચતી – બોલતી – જીવતી પેઢીઓને પોતીકું વાંચતી, વિચારતી અને લખતી કરે એવી શુભેચ્છાઓ.

વિપુલભાઈ અને ઓપિનિયનને તમારા સંદેશાના એક-બે વેણ આ લિન્ક પર જઈ પાઠવશો તો આભારી થઈશું.

https://www.facebook.com/groups/glauk/permalink/409971089101450/


શ્રી પંચમ શુક્લના ઈ-મેઈલ પરથી સીધું પ્રસારણ


Categories: ગુજરાતી, સમાચાર, સાધના, સાહિત્ય | Tags: , , , | 1 Comment

પ્રેમની અદભુત શક્તિ – સ્વામી જગદાત્માનંદ

નોંધ: આ લેખ શ્રી રામકૃષ્ણ જ્યોત મે-૨૦૧૨ ના અંકમાંથી લેવામાં આવેલ છે.


Categories: શ્રી રામકૃષ્ણ મીશન, શ્રીરામકૃષ્ણ જ્યોત, સાહિત્ય | Tags: , , , | Leave a comment

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

મિત્રો,

ગુજરાતે આજે તેના અનુભવના ભાથામાં એક વર્ષનો વધારો કર્યો છે. કેટલાંક લોકો જીવનમાં વર્ષો ઉમેરતાં હોય છે અને કેટલાક લોકો વર્ષોમાં જીવન ઉમેરતાં હોય છે. ગુજરાતે તેના વર્ષોમાં જીવનને ઉમેર્યું છે અને તેના જીવનની ફીફ્ટી ક્યારનીયે પુરી કરીને હવે તો વન-મહોત્સવ ઉજવી રહ્યું છે. ગુજરાત તે કોઈ સીમાડામાં બંધ પ્રદેશનું નામ નથી. ગુજરાત એટલે એવું સ્થળ કે જ્યાં એક ગુજરાતી વસે છે. પૃથ્વીના કોઈ પણ પટ ઉપર કે જ્યાં એક પણ ગુજરાતી વસતો હોય તો ત્યાં ગુજરાત જય જય ગરવી ગુજરાતનો શંખ ધ્વની ફુંકીને ખડું થઈ જશે. ગાંધી હવે માત્ર ગુજરાતના નથી રહ્યાં તે વિશ્વમાનવી બની ચૂક્યાં છે. તેવી રીતે સરદારને ય માત્ર ગુજરાત સાથે બાંધી ન શકાય તે સમગ્ર ભારતના છે. મારે આજે વાત કરવી છે એક એવા ગુજરાતીની કે જે માત્ર ગુજરાતના નહી, ભારતના નહી, દુનીયાના નહીં પણ સમગ્ર બ્રહ્માંડના છે. આપણે તેમનો રસાસ્વાદ તેમની એક રચના દ્વારા માણવાનો પ્રયાસ કરીએ :

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

આ ભક્ત કવિ નરસિંહ મહેતા વામનમાંથી વિરાટ બનેલા વામન અવતાર કરતાયે જાણે વિરાટ હોય તેમ તેમના પદની પ્રથમ પંક્તિની શરુઆતમાં જ આખાયે બ્રહ્માંડને આવરી લે છે.

જાણે કે ઈશોપનિશદનો મંત્ર ભણતાં હોય કે :

ઈશાવાસ્યમ ઈદં સર્વં યત્કિંચિત જગત્યાં જગત

આ જે કાઈ છે તે ઈશ તત્વથી આચ્છાદિત કરવા લાયક છે. એક માત્ર શ્રી હરિ અખીલ બ્રહ્માંડમાં વીલસી રહ્યો છે અને જુદા જુદા રુપે જાણે કે તેનો અંત જ ન હોય તેવો અનંત ભાસે છે. શ્રી હરિનો ભાસ દેહમાં બીરાજેલ દેવથી શરુ કરીને સુર્ય ચંદ્ર અને તારાઓમાં યે જે તેજ ભરે છે ત્યાં સુધી વિસ્તાર પામે છે અને છેવટે શુન્યમાં થી પ્રગટ થતાં પરમાત્માના નિ:શ્વાસ જેવી વેદની ઋચાઓમાં પ્રગટ થતો અનુભવે છે.

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

પંચ તત્વોમાં તેની તો સત્તા છે. પવન, પાણી, ભૂમિ, આકાશ અને સમગ્ર વનરાજી સર્વમાં તું જ તો છો. એકલા એકલાં તને મજા નહોતી આવતી તો થયું કે લાવને અનેક રુપે અનેક પાત્રોમાં વિભાજીત થઈને અનેક રસ માણું. તેથી તો તે પ્રકૃતિના ત્રણ ગુણોને લઈને તેમાં તારા સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડના જીવોની અને બ્રહ્માંડની રચના કરી. શિવમાંથી જીવ થવાનો તારો હેતું તો અનેક પ્રકારના રસનો આનંદ માણવાનો જ હતો ને? એટલે તો તને રસોવૈસ: કહે છે ને?

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

સોનાના દાગીનામાં સોનું ક્યાં છે તેવું જો કોઈ પુછે તો હસવું ન આવે? કોઈ કહે કે અરે આ તો કુંડળ છે, આ હાર છે, આ ઝાંઝર છે, આ નથડી છે, આ વાળી છે પણ આમાં સોનું ક્યાં છે? આવું કોઈ પુછે તો સોની શું કહે? કહે કે અરે ભાઈ આ બધું સોનું જ છે. આ તો સોનાને જુદા જુદા ઘાટ આપ્યાં છે. તેવી રીતે કોઈ કહે કે હું હિંદુ છું, મુસલમાન છું, ઈસાઈ છું, બુદ્ધ છું, જૈન છું, પારસી છું તો હવે મારે આ જગતમાં કેવી રીતે વર્તવું? તેને કહેવું પડે કે ભાઈ આ બધું ભુલી જા અને પહેલા તો સમજી લે કે તું માણસ છો. તારામાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે. પાંચ પ્રાણ છે. તારી અંદર લાલ લોહી વહે છે તેવું જ બધાના શરીરમાં વહે છે. તું ખોરાકમાંથી શક્તિ મેળવે છો તેવી રીતે બધા ખોરાકમાંથી શક્તિ મેળવે છે. તું જેવી રીતે મનથી વિચારે છે તેવી રીતે બધા મનથી વિચારે છે. તું ઓક્સીજન શ્વાસમાં લે છે તેવી રીતે બધાં શ્વાસમાં ઓક્સીજન લે છે. તું જેમ પ્રાણોને ટકાવી રાખવા માટે પાણી પીવે છે તેમ બધાં પાણી પીવે છે. જેવી રીતે ઘરેણાના આકારને લીધે તને સોનાને બદલે ઘરેણાં દેખાય છે તેવી રીતે તારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હોવાને લીધે તને મનુષ્યોને બદલે હિંદુ, મુસલમાન, ઈસાઈ, બુદ્ધ, પારસી, જૈન અને બીજા અનેક પ્રકારથી વિભાજીત થયેલ મનુષ્ય દેખાય છે. સોની પાસે કોઈ ઘરેણાનું મુલ્ય કરાવો તો તે ઘરેણાનો ઘાટ જોઈને નહીં પણ સોનાનું વજન જોઈને મૂલ્ય કરશે તેવી રીતે માણસનું મુલ્ય કરવું હોય તો તેનો ધર્મ, જાતી, વેપાર, ઘન સંપત્તિ, પદવી કે સિદ્ધિઓ વગેરે જોઈને નહીં પણ તેનામાં કેટલી માણસાઈ છે તેને આધારે મૂલ્ય થાય.

કબીરા કુવા એક હૈ
પનિહારી અનેક
બરતન સબ ન્યારે ભયે
પાની એક કા એક

બ્રહ્માંડ રુપી કુવામાં ચૈતન્ય રુપી જળ એકનું એક છે. જુદા જુદા મનુષ્યો,પ્રાણીઓ અને વૃક્ષો પનિહારીની જેમ અનેક છે તેમના અંત:કરણ રુપી બરતન અલગ અલગ છે પણ તે સર્વની અંદર જીવરુપે વિલસી રહેલું ચૈતન્ય એકનું એક છે.

ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

જુદા જુદા મહાપુરુષોને જુદા જુદા સમયે તે એક માત્ર ચૈતન્યનો અનુભવ થયો અને તે અનુભવની વાતો પછી ગ્રંથરુપે પ્રગટ થઈ. લોકો આ ગ્રંથને પ્રમાણ માનીને લડાઈ કરી રહ્યાં છે. હિંદુઓ કહેશે કે મારા વેદને માને તો જ તે આસ્તિક અને નહીં તો નાસ્તિક. મુસલમાનો કહેશે કે જે ઈસ્લામના સિદ્ધાંતો માનશે તે જ સાચો અલ્લાહનો બંદો અને નહીં તો તે કાફર છે. ઈસાઈઓ કહેશે કે ઈસુ ખ્રીસ્તને ન માનો તો તમારું કલ્યાણ નહીં થાય. તેવી રીતે સહુ કોઈ મહાપુરુષના અનુયાયીઓ પોત પોતાના ગ્રંથો લઈને વાદ વિવાદ કર્યાં કરશે. આમ ગ્રંથો સઘળા ગરબડ કરનારા છે. સહુ કોઈ પોતાના મન થી માની લે છે કે તેમના ગ્રંથો જ સાચા છે, તે જે કહે છે તે જ સાચું છે તે જે કાઈ કરે છે તે જ સાચું છે અને બીજા બધા જે કાઈ કરે છે તે ગપ ગોળા છે. ખરેખર તો જેને જે ગમે છે તેને પુજ્યાં કરતા હોય છે. વૈજ્ઞાનિકો કોઈ મહાન વૈજ્ઞાનિક ને આદર્શ બનાવશે, વેપારી કોઈ સફળ વેપારીને આદર્શ બનાવશે, યોદ્ધો કોઈ સેનાપતિને આદર્શ બનાવશે. જેને આદર્શ બનાવશે તેના વિચારો સમજીને જીવનમાં ઉતારે તો કલ્યાણ થાય પણ તે તો માત્ર તેની મુર્તીની કે છબીની પુજા કર્યા કરશે. આમ આદર્શો અને ગ્રંથો ગરબડ ઉભી કરે છે અને સર્વની અંદર જે એક માત્ર શ્રી હરિ વિલસી રહ્યાં છે તેની અનુભુતી થવામાં વિક્ષેપરુપ થાય છે.

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

હવે નરસૈંયો કહે છે કે જો આ પ્રભુને પામવા હોય તો ગ્રંથને પડતાં મુકો, તમારી માન્યતાઓને કોરાણે મુકો અને આ પ્રકૃતિનું અવલોકન કરો. વૃક્ષમાં બીજ રુપે અને બીજમાં વૃક્ષ રુપે તે જ તો સંતાકુકડી રમી રહ્યો છે. બાહ્ય પ્રકૃતિમાં અવલોકન કરવાથી સમગ્ર બ્રહ્માંડમાં તેનો રાસ અને વિલાસ અનુભવાશે અને પોતાના અંત:કરણમાં ધ્યાન દ્વારા પ્રેમપૂર્વક તેનો અભ્યાસ કરવાથી પોતાની અંદર પણ તે જ શ્રી હરિ બ્રહ્માનંદ રુપે પ્રગટ થશે.

તો આવા એક બ્રહ્માંડ માનવી ભક્ત કવિ નરસિંહ મહેતાને આજે યાદ કરીને આપણાં મનમાં રહેલી સર્વ સંકુચિતતા અને કટ્ટરતાનો ત્યાગ કરીને, ભ્રષ્ટાચારથી દૂર રહીને, શિષ્ટાચાર અપનાવીને, વધુ ને વધુ કર્તવ્ય કર્મો કરતાં કરતાં આપણાં વ્યક્તિત્વના, કુટુંબના, સમાજના, ગુજરાતના, ભારતના અને સમગ્ર વિશ્વના વિકાસમાં અને આંતર જીવો પ્રત્યે પરસ્પર પ્રેમ અને સદભાવ ટકાવી રાખવામાં આપણો યથામતિ અને યથાશક્તિ ફાળો આપવાનો પ્રયાસ કરીએ.

Categories: ચિંતન, પ્રેરણાદાયી સાહિત્ય, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભારતિય સંસ્કૃતિ, રાષ્ટ્રનો વિકાસ, સાહિત્ય | Tags: , , , , , , | Leave a comment

कैवल्य दर्शनम ( भूमिका ) – श्री श्री स्वामी श्री युक्तेश्वर गिरि























Categories: અધ્યાત્મ / યોગ, જાણવા જેવું, સાહિત્ય | Tags: , , , | 3 Comments

બાળકો અને વાચન – ગીજુભાઈ બધેકા

પ્રિય બ્લોગજનો,

આજે બાળ શિક્ષણના પ્રણેતા અને બાળ શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરનાર શ્રી ગીજુભાઈ બધેકાનો જન્મ દિવસ છે. બાળકો અને વાચન વિશે તેમનું મંતવ્ય શું છે તે જોઈએ :



Categories: શિક્ષણ, સાહિત્ય | Tags: , , | 2 Comments

આજની કહેવત

એક નનૈયો સો દુ:ખને હણે.

Categories: સાહિત્ય | Tags: , | 2 Comments

જ્ઞાનવિજ્ઞાન યોગ – સરળગીતા – અધ્યાય ૭ (યોગેશ્વરજી

શ્રી ભગવાન કહે છેઃ

મારામાં આસક્ત થૈ આશ્રય મારો લે,
જાણે મુજને કેમ તે હવે કહું છું તે. ॥૧॥

જ્ઞાન કહું તુજ ને વળી પૂર્ણ કહું વિજ્ઞાન,
જેને જાણી જાણવું રહે નહીં કૈં આન. ॥૨॥

હજારમાં કોઈ કરે સિધ્ધિકાજ પ્રયાસ
કરતાં યત્ન હજારમાં કોઈ પહોંચે પાસ.
મારી પાસ પહોંચતા કોઈ પામે જ્ઞાન,
સાંભળ, જો તુજને કહું ઉત્તમ મારું જ્ઞાન. ॥૩॥

પૃથ્વી પાણી તેજ ને વાયુ ચિત્ત આકાશ,
અહંકાર બુધ્ધિ કહી મારી પ્રકૃતિ ખાસ.
બીજી જીવરૂપે રહી મારી પ્રકૃતિ છે,
તેનાથી જગને રચું, ઉત્તમ પ્રકૃતિ તે. ॥૫॥

આ બંને પ્રકૃતિ થકી પ્રાણી સર્વે થાય,
સર્જન તેમ વિનાશનું સ્થાન મને સૌ ગાય.
ઉત્તમ મુજથી કો’ નથી, મારા વિણ કૈં ના,
જગ મુજમાં છે, જેમ આ મણકા દોરામાં.

રૂપનું વર્ણન

પાણીમાં રસ હું થયો, સૂર્યચંદ્રમાં તેજ,
વેદમહીં ઓમકાર છું, પૌરૂષ નરમાં સહેજ.
પૃથ્વીમાં છું ગંધ ને તપ છું તાપસમાં,
જીવન પ્રાણીમાત્રનું, શબ્દ થયો નભમાં.
બીજ સર્વ પ્રાણીતણું મને સદાયે જાણ,
બુધ્ધિ તેમજ વીરતા વીરલોકમાં માન. ॥૧0॥

બળ બનતાં સેવા કરું બળવાનોમાં હું,
અધર્મથી પર કામના જીવમાત્રમાં છું.
સત્વ અને રજ તમ તણાં ઉપજે મુજથી ભાવ,
તે મુજમાં છે, હું નથી તે ભાવોની માંહ્ય.
ત્રણ ગુણવાળી છે કહી મારી જે માયા,
તેનાથી મોહિત થયા રંક અને રાયા.
માયા મારી છે ખરે તરવી આ મુશ્કેલ,
તરી જાય છે તે જ જે મારું શરણ ગ્રહેલ.
મૂઢ મને પામે નહિં, અધમર્થી ભરિયા,
માનવરૂપે તે ફરે તોય જાણ મરિયા. ॥૧૫॥

ચાર જાતના ભક્ત

દુ:ખી તેમ જ જ્ઞાનની ઈચ્છાવાળા લોક,
સંસારી આશાભર્યા, જ્ઞાની તેમ જ કો’ક.
ચાર જાતના માનવી મને ભજે છે તે,
તેમાં જ્ઞાની ભક્તને શ્રેષ્ઠ કહ્યો છે મેં.
મહાન છે બીજા છતાં જ્ઞાની મારો પ્રાણ,
જ્ઞાની સંધાઈ ગયો મારી સાથે જાણ.
ઘણાય જન્મ પછી મને જ્ઞાની પામે છે,
પ્રભુ પેખે જગમાં બધે, સતં સદુર્લભ તે.
કામનાભર્યા કૈં જનો, નિયમ ઘણાં પાળી,
અન્ય દેવતાને ભજે, સ્વભાવને ધારી. ॥૨૦॥

શ્રદ્ધાપૂર્વક દેવને ભક્ત ભજે છે જે,
તેની શ્રદ્ધા હું કરું દૃઢ દેવમહીં તે.
શ્રધ્ધાપૂર્વક તે પછી તેની ભક્તિ કરે,
મારી દ્વારા કામના-ફળને પ્રાપ્ત કરે.
અલ્પબુદ્ધિ એ ભક્તના ફળનો થાય વિનાશ,
દેવ ભજ્યે દેવો મળે, મને ભજ્યે મુજ પાસ.
અજ્ઞાની મુજ રૂપની મયાર્દા માને,
વિરાટ ઉત્તમ રૂપ ના મારું તે જાણે.
માયાથી ઢંકાયેલું મારું પૂર્ણ સ્વરૂપ,
મૂઢ ઓળખે ના કદી મારું દિવ્ય સ્વરૂપ. ॥૨૫॥

ભૂત ભાવિ જાણું, વળી વતર્માન જાંણું,
જાણું હું સૌને, મને કોઈ ના જાણ્યું.
વેર ઝેર તૃષ્ણાથકી ભવમાં ભટકે લોક,
જેનાં પાપ ટળી ગયાં, ભજે મને તે કો’ક.
મોત થકી છૂટવા વળી ઘડપણને હરવા,
ભજે શરણ મારું લઈ દુઃખ દૂર કરવા.
દૃઢ નિરધાર કરે અને દ્વંદ્વમુક્ત તે થાય,
પુણ્યવાન તે તો મને જાણી રસમાં ન્હાય.
બ્રહ્મકર્મ અધ્યાત્મ ને અધિભૂત ને અધિયજ્ઞ,
જે જાણે તે થાય છે મારામાં સલંગ્ન. ॥૩૦॥

॥ અધ્યાય સાતમો સમાપ્ત ॥

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, જાણવા જેવું, ભગવદ ગીતા, શિક્ષણ, સાહિત્ય | Tags: , , , , , , | 2 Comments

બાપુજીની દ્વિતિય પુણ્યતિથિ – શ્રદ્ધાંજલિ

મીત્રો,

પોરબંદરથી ૧૫ કીલોમીટરના અંતરે આવેલા રાણાવાવના નિર્વાણધામ આશ્રમના સંત કે જેમનો જન્મ બખરલા ગામે થયો હતો તેવા સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદજી મહારાજની આજે દ્વિતિય પુણ્યતિથી છે. તેઓ સતત સાધન,ભજન અને ઈશ્વરપ્રેમમાં મસ્ત રહેનાર એક આનંદના ઓઘ સમાન સંત હતાં. માત્ર સાત ચોપડી સુધી ભણ્યાં હોવા છતાં શાસ્ત્રોના અર્થો તે જે રીતે સમજાવી શકતા તે મોટા મોટા વિદ્વાનો કે કથાકારો પણ સમજાવી શકતાં નથી. જામનગરના વિદ્વાન સંસ્કૃતના પ્રોફેસર ભરતભાઈ પણ જ્યારે કોઈ અઘરાં શ્લોક ન સમજાય તો તેનો અર્થ તેમને પુછવાં સવારે ૪ વાગ્યે ફોન કરતાં અને બાપુજી – અરે ભરતીયા તેનો અર્થ તો આમ થાય તેમ હસીને સહજતાથી સમજાવી દેતાં.

તેમની સાથે મને ઘણું રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોવાથી સ્વાભાવિક રીતે તેમની યાદ મને આવે વળી આજે જ્યારે તેમની પુણ્યતિથિ નીમીત્તે ભક્તો રાણાવાવમાં એકત્ર થઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પશે ત્યારે મારે ભાવનગરમાં રહેવું પડે છે તે વાત પણ મારા અંતરમનમાં ખૂંચે છે – પણ તેમણે શિખવ્યા પ્રમાણે “રામ રાખે તેમ રહીએ – ઓધવજી રામ રાખે તેમ રહીએ” કડીને સંભારીને જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં મનને મનાવતા શીખ્યો છું.

તેમણે ખાસ તો ગામડાના ભોળા જીજ્ઞાસુઓ માટે ઘણું બધું સાહિત્ય રચ્યું છે. ભજન તેમને અતિશય પ્રિય હતા તેથી તેમના ગુરુજી સ્વામી શ્રી સત્યમિત્રાનંદજી મહારાજે તેમનું નામ ભજનપ્રકાશાનંદગિરિ રાખેલું.

અહિં “ભજનામૃત વાણી” દ્વારા તેમનું ઘણું સાહિત્ય પ્રગટ કરવામાં આવ્યું છે – રસ ધરાવતાં વાચકોને તેનો આસ્વાદ કરવા હાર્દિક આમંત્રણ છે.

૧. ભાવ ભર્યો ભક્તિમાર્ગ

૨. મૃત્યુની મોજ

૩. વખત વિત્યાની પહેલા

૪. ભજનામૃત વાણી

૫. અજ્ઞાતમાં ડૂબકી

૬. શ્રી ભજન રામાયણ

૭. ગામઠી જ્ઞાનમાળા

૮. પવનનો પ્રકાશ

૯. મૌન શું છે?

Categories: નિર્વાણધામ યોગાશ્રમ, સાહિત્ય | Tags: , | Leave a comment

સત્યના પ્રયોગો – પ્રસ્તાવના

મીત્રો,
આદરણીય વડીલ બ્લોગરશ્રી અરવિંદભાઈએ તેમના પ્રિય જીવનસંગીનીની પુણ્યતિથિ નીમીત્તે ’સત્યના પ્રયોગો’ મીત્રો, સ્નેહીઓ અને સગાં-સંબધીઓને ભેટરુપે આપેલ છે. મને પણ એક કોપી ભેટ મોકલેલ છે. આજે આપણે આ પુસ્તકની પ્રસ્તાવના જોઈશું.







Categories: આત્મકથા, સાહિત્ય | Tags: , , | 4 Comments

*** સદ્‌ભાવના પર્વ-૩ *** – અહેવાલ: ભાવેશ જાદવ – જુનાગઢ

મીત્રો,
મહુવામાં શ્રી મોરારીબાપુના સાનિધ્યમાં ત્રીજું સદ્‌ભાવના પર્વ યોજાયું તેનો સંક્ષિપ્ત અહેવાલ જુનાગઢના શ્રી ભાવેશ જાદવની કલમે વાંચવા તથા પર્વની ઝલક રજૂ કરતા ફોટોગ્રાફ્સ માણવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.

*** સદ્‌ભાવના પર્વ-૩ *** અહેવાલ

ફોટોગ્રાફ દ્વારા ઝલક

Categories: ભારતિય સંસ્કૃતિ, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સાહિત્ય | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.