શિક્ષણ

વાત એકની એક પણ દૃષ્ટિકોણ અલગ

એક વિદ્યાર્થીએ પુછ્યું કે મને ૧૨મા ધોરણના છ વિષયો પાસ કરવા માટે સાત માર્કશીટની જરુર પડી આને શું કહેવાય?

બધાએ એકી અવાજે કહ્યું કે ’નિષ્ફળતાની કરુણ કહાની.’

તે વિદ્યાર્થીએ મૃદુ સ્મિત કરતાં કહ્યું કે ના હું તેને ’પુરુષાર્થની પ્રેરક ખુમારી’ તરીકે વર્ણવવાનું પસંદ કરીશ.

શું તમે પેલી ’કરતા જાળ કરોળીયો’ વાળી ઉક્તિ નથી સાંભળી?

જાળું બનાવતા બનાવતાં તે અનેક વખત ભોંયે પછડાયો પણ છેવટે જાળું બનાવીને જ રહ્યો. બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કર્યો તેવો આપણે સામાન્ય જીવનના સુખ સગવડો મેળવવા માટે ય ક્યાં કર્યો છે?

તો દોસ્તો, આ વાત યાદ રાખજો કે જ્યારે તમે નિષ્ફળ જાવ છો ત્યારે નાસીપાસ થઈને બેસી રહેશો તો તમારી સફર ત્યાં જ પુરી થઈ જશે પણ જો તમે ફરી પાછા પ્રયાસ કરશો, બેઠા થશો, ઉભા થશો અને ચાલવા લાગશો તો એક દિવસ મંઝીલે અવશ્ય પહોંચી જશો.


स्वाध्यायान्मा प्रमद:


Categories: ચિંતન, વ્યક્તિત્વ વિકાસ, શિક્ષણ | Tags: , , | Leave a comment

ધાડપાડુએ ભરી અદાલતમાં તેની માનું નાક કરડી ખાધું

ભરી અદાલતમાં એક વૃદ્ધા બુમો પાડી રહી હતી, બચાવો બચાવો. એક આરોપીએ તે વૃદ્ધાનું નાક કરડી ખાધુ હતુ અને વૃદ્ધા તેનાથી જાન છોડાવવા માટે મદદની ચીસો પાડી રહી હતી. મહા મહેનતે સુરક્ષાકર્મીઓએ તે વૃદ્ધાને પેલા નરપીશાચના હાથમાંથી છોડાવી.

ઘટના એવી બની હતી કે ચોરી, લુંટફાંટ, બેંકની ધાડ અને ધાડ પાડતી વખતે પકડાઈ ન જવાય તે માટે કરાયેલી હત્યાના અનેક ગુન્હાઓ સબબ એક કુખ્યાત ધાડપાડુના આરોપો સાબિત થઈ ચૂક્યાં હતા અને તેના પાશવી ગુન્હાઓ માટે વિરોધી વકીલે મૃત્યુદંડની સજાની માંગણી કરી હતી. અનેક દલીલો અને પુરાવાઓના અધારે ન્યાયાધીશે તે માંગણી માન્ય રાખી અને તેને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો.

અદાલતે તેને પુછ્યું હતું કે તારે કાઈ કહેવું છે? તેણે કહ્યું કે હા, મારી મા ને મારી સમક્ષ હાજર કરો, હું તેને એક વખત મળવા માંગુ છું. અદાલતે તેની મા ને તેને મળવાની અમુમતિ આપી. જેવી તેની મા તેને મળવા ગઈ કે તરત જ આ દુષ્ટે તેની માનું નાક કરડી ખાધું. લોહીલુહાણ વૃદ્ધા સુરક્ષા કર્મીની મદદથી મહા મહેનતે તેનાથી જાન બચાવી શકી.

અદાલતે તેને પુછ્યું કે હે દૂષ્ટ તારા અનેક ગુન્હાઓ તો તને તું નરપીશાચ હોવાનું ઠરાવે જ છે પણ તારા આ અત્યારના કૃત્યે તો લાજ અને શરમની બધી જ હદ વળોટી નાખી છે.

થોડી વાર માટે પેલો પાશવી ગુન્હેગાર અતીતમાં સરી ગયો. ધીરેથી તેણે તેનું બયાન શરુ કર્યું. નાનપણમાં અમે ઘણાં ગરીબ હતાં. હું શાળામાં જતો પણ ફી ભરવાનાયે મારી પાસે પૈસા નહોતા રહેતા. હું ધીરે ધીરે અન્ય વિદ્યાર્થીઓના કંપાસમાંથી પેન્સીલ અને રબ્બર ચોરવા લાગ્યો. ત્યાર બાદ પાઠ્યપુસ્તકો અને નોટબુકોની ઉઠાંતરી કરવી તે મારે માટે રમત વાત બની ગઈ હતી. જ્યારે જ્યારે હું ચોરી કરીને વસ્તુ ઘરે લાવીને મારી માને બતાવતો ત્યારે તે હરખાતી અને કહેતી કે શાબાશ બેટા. ધીરે ધીરે હું પૈસા અને મોટી ચીજ વસ્તુઓ ચોરવા લાગ્યો. જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મારી ચોરી કરવાની ફાવટ અને અન્ય લોકોની કીંમતી વસ્તુ પડાવી લેવાની લાલચ વધતી ગઈ. છેવટે આ છેલ્લી બેંક ધાડમાં મારા હાથે લૂંટ ઉપરાંત હત્યા પણ થઈ અને તેના પરીણામે હું ફાંસીની સજા પામ્યો.

જે દિવસે મેં પહેલ વહેલી ચોરી કરી તે જ દિવસે જો મારી માએ મને એક તમાચો ઝીંકી દીધો હોત તો હું ગરીબ હોવા છતાએ પ્રમાણીકતાથી મહેનત કરીને કમાતા શીખ્યો હોત. તો આજે મારી આ હાલત ન થઈ હોત. આપ નામદારની કોર્ટમાં હું કહેવા માંગુ છું કે આવી કુમાતાઓ કરતાં ધન્ય છે તેવી માતાઓને કે જે તેમના દિકરા દિકરીઓ સગવડથી વંચિત રહે તો ભલે પણ તેમની અંદર કુટેવો અને દુર્ગુણોનો પ્રવેશ કરવા નથી દેતી.

જુની કહેવત : રોગ અને શત્રુને ઉગતાં ડામો
નવી કહેવત : દુર્ગુણો અને કુટેવોને ઉગતી ડામો

છિદ્રેષુ અનર્થા બહુલીભવન્તિ ||

Categories: કથા કોર્નર, કેળવણી, ચિંતન, ટુંકી વાર્તા, શિક્ષણ | Tags: , , , , | Leave a comment

પાડાઓની લડાઈ

એક વખત મારે અમારા એક સ્વજનની અંતીમયાત્રામાં જવાનું થયું. શબને લઈ જવાને થોડી વાર હતી. બહાર શેરીમાં કુટુંબીજનો અને અન્ય સગા વહાલાઓ આવી રહ્યાં હતા. એકાએક બે પાડા લડતા લડતા શેરીમાં આવી પહોંચ્યાં. કેટલાક લોકો ગભરાઈ ગયાં. એક બે જુવાનીયાઓ તેમને શેરીની બહાર કાઢવા માટે લાકડીઓ લઈને પાછળ પડ્યાં. તેઓ લડતા લડતા બહાર ગયા. થોડી વાર થઈ ત્યાં ફરી પાછા લડતા લડતા શેરીમાં આવ્યાં. ફરી પાછા હિમંતવાન જુવાનીયાઓ તેમને હાંકી કાઢવા માટે પ્રયત્નશીલ થયાં. એક શાણા વડીલે સલાહ આપી કે તેમને બંનેને એક જ બાજુ તગેડશો તો તે સાથે જ રહેશે અને ફરી પાછું તેમનામાં રહેલું ખુન્નસ બહાર આવશે તેથી તે લડવા લાગશે. જુવાનીયાઓએ પુછ્યું કે તો શું કરવું? વડીલે કહ્યું કે બંનેને શેરીના જુદા જુદા છેડે હાંકી કાઢો. જેથી બંને છુટા પડી જશે. તેવી રીતે બંનેને હાંકી કાઢ્યા તેથી તેઓ શાંત થઈ ગયા અને શેરીમાં એકઠા થયેલા લોકોએ હાશકારો અનુભવ્યો.

શેરીમાં માણસો શા માટે એકઠા થયા હતા તેમની સાથે તે પાડાને કશુ લાગતું વળગતું નહોતું. તે પાડાઓને લડવું હતુ અને શેરી તો તેમને લડવાનું માત્ર માધ્યમ હતી.

પાડાઓને શક્ય હોય તો લડતા અટકાવવા અને જો શક્ય હોય તો શેરીની બહાર કાઢી મુકવા પણ શેરીને લડાઈનું માધ્ય્મ ન બનવા દેવું જોઈએ.

આ જગતમાં કેટલાયે પાડાઓ મનુષ્યરુપે ઝગડ્યા કરતાં હોય છે. આપણાં મનની શેરીમાં આવા પાડાઓની લડાઈને દાખલ ન થવા દેવી તેમાં જ શાણપણ રહેલું છે.

Categories: કેળવણી, ચિંતન, ટકોર, લઘુકથા, શિક્ષણ | Tags: , , | 9 Comments

સજ્જનમીટર કેવી રીતે બનાવશો?

મિત્રો,

શું તમે સજ્જન છો? તે પોસ્ટમાં આપણે સજ્જનમીટર વીશે વાત કરેલી. તેમાં કેવા કેવા પ્રશ્નો અને કેવા કેવા ઉત્તરો આપી શકાય તેને વીશે થોડી પૂર્વભુમિકા બાંધેલી. શ્રી અશોકભાઈએ આમાં વિકલ્પોને ભારાંક આપવાનું સૂચન કર્યું છે. સજ્જનમીટર દરેકે પોત પોતાનું બનાવવાનું છે. મારું સજ્જનમીટર તમને નહીં માપે અને તમારું સજ્જનમીટર મને નહીં માપે. જે વ્યક્તિ જે પ્રકારનું જીવન જીવતા હોય કે કાર્ય પદ્ધતિ ધરાવતા હોય તે પ્રમાણે સજ્જનમીટર બનાવવું જોઈએ.

સજ્જનમીટરમાં બે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવો જોઈએ.

૧. કેવી કેવી બાબતોથી ધીક્કાર જન્મતો હોય છે.
૨. કેવી કેવી બાબતોથી વિસંગતતા જન્મતી હોય છે.

જેટલી જેટલી બાબતોએ આપણાં મનમાં ધિક્કાર જન્મતો હોય તેટલી બાબતોને નોંધીને તેના પ્રશ્નો બનાવો આ ઉપરાંત જેટલી જેટલી બાબતે સમાજમાં વિસંગતતા ફેલાતી જણાય તેવા પ્રશ્નો બનાવો.

આ પ્રશ્નોના શક્ય તેટલા વિકલ્પ આપો.

ઉત્તમ અથવા તો આદર્શ વિકલ્પને ૧ અને અન્ય દરેક વિકલ્પને ૦ ગુણ આપો.

૫, ૧૦, ૨૦, ૨૫, ૫૦ કે ૧૦૦ પ્રશ્નો રાખો.

પ્રત્યેક પ્રશ્નને ૧૦૦/પ્રશ્નોની સંખ્યા જેટલો ભારાંક આપો.

કુલ જેટલા ગુણ મળ્યાં હોય તેને ભારાંક વડે ગુણો.

જે જવાબ મળશે તે સજ્જનઆંક થશે.

જેટલા પ્રશ્નમાં ૦ ગુણ મળે તે ગુણ વધારવાનો પ્રયાસ કરવાનો છે.

આ ઉપરાંત નવા નવા પ્રશ્નો સમયાંતરે ઉમેરતા રહો.

સજ્જનમીટરમાં દર અઠવાડીએ સ્વ-મૂલ્યાંકન કરો.

જ્યારે સજ્જનઆંક ૧૦૦ થઈ જાય ત્યારે નવા વધારે જટીલ પ્રશ્નો ઉમેરીને સજ્જનમીટર અપડેટ કરો.

સ્વ-મૂલ્યાંકન કરવાનું હોવાથી પ્રશ્નોના જવાબ પ્રામાણીકતાથી સાચા આપો. તેને લીધે જે તે બાબતે ઉત્પન્ન થતો ધિક્કાર દૂર કરવામાં મદદ મળશે અન્યને જોવાના દૃષ્ટીકોણમાં સુધારો થશે.

જેમ જેમ સજ્જન આંક વધતો જશે તેમ તેમ આપણું મન ઘૃણારહિત થતું જશે અને અન્ય સજીવો પ્રત્યે આત્મિયતા વધતી જશે. આમ અંત:કરણ શુદ્ધ થવાથી પ્રસન્નતા પ્રાપ્ત થશે.

તો બોલો.. ક્યારે તમારું સજ્જનમીટર બનાવો છો?

Categories: કેળવણી, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વ્યક્તિત્વ વિકાસ, શિક્ષણ | Tags: , | Leave a comment

ત્રણ ગુણો અને જીવની ગતી

ઈશ્વર રચિત સૃષ્ટિ એટલે કે નિહારિકાઓ, સૂર્યમંડળ, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, પૃથ્વી, સમુદ્ર, પહાડ, વનસ્પતિ, હવા, પાણી, આકાશ, પ્રકાશ આ સઘળું દિવ્ય છે. આ દિવ્ય સૃષ્ટિને માણવા અને જાણવા માટે એકનું એક ચૈતન્ય અનેક જીવ રુપે વિલસી રહ્યું છે. જીવ પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજ અને તમ થી ઘેરાયેલો છે. આ ત્રણ ગુણોનું જેટલું પ્રાધાન્ય હોય તેવા પ્રકારનો જીવ બને. તમો ગુણ પ્રધાન હોય તો પશુ, પક્ષી, કીટ, પતંગ, સરિસૃપ વગેરે પ્રકારનો જીવ બને. રજોગુણ પ્રધાન હોય તો મનુષ્યરુપે જન્મ ધારણ કરે. સત્વગુણ પ્રધાન હોય તો ઉર્ધ્વ લોકમાં હોય.

મનુષ્યમાંયે સત્વગુણ પ્રધાન મનુષ્યની પ્રકૃતિ દિવ્ય હોય છે. રજોગુણ પ્રધાન મનુષ્ય વધુ પડતો ઉદ્યમી અને ક્રીયાશીલ હોય છે. જ્યારે તમોગુણ પ્રધાન મનુષ્ય પર પીડામાં રાજી, વ્યસની, ક્રોધી, કામી, જડ અને આળસુ હોય છે.

અંત સમયે જેવો ભાવ લઈને શરીર છુટે તેવા પ્રકારનો પુનર્જન્મ થાય. આખી જીંદગી જેવા કર્મો કર્યા હોય અંત સમયે મોટા ભાગે તેવો ગુણ પ્રધાન બનતો હોય છે. મનુષ્ય મૃત્યું સમયે જે ગુણની પ્રધાનતા ધરાવતો હોય તેવી તેની નવા જન્મે ગતી થતી હોય છે. જો સત્વગુણ પ્રધાન હોય અને મૃત્યું થાય તો ઉર્ધ્વ લોકમાં જાય છે. રજો ગુણ પ્રધાન હોય અને મૃત્યું થાય તો ફરી પાછો મનુષ્યલોકમાં જન્મે છે. તમો ગુણ પ્રધાન હોય અને મૃત્યું થાય તો પશુ યોનિમાં જાય. અત્યંત નીમ્ન કર્મો કરનારો અધો લોકમાં જાય.

આ જે કાઈ કહ્યું છે તે માત્ર શાસ્ત્રના આધારે કહ્યું છે. મને મારો પૂર્વજન્મ યાદ નથી અને જન્મ પછીના બાળપણના થોડા વર્ષોની સ્મૃતિએ નથી. જો કે એવા મનુષ્યોને મળવાનું સદભાગ્ય થયું છે કે જેમણે પોતાના પૂર્વજન્મ વિશે જાણ્યું હોય. આ ઉપરાંત ઘણાં મહાપુરુષો અને સામાન્ય વ્યક્તિઓના જીવનમાંયે પૂર્વજન્મની સ્મૃતિઓના દાખલા જોવા મળે છે. પૂર્વજન્મ અને પૂનર્જન્મમાં માનવા કે ન માનવાથી કશો ફેર પડે કે ન પડે પણ એટલું તો જાણવું જ જોઈએ કે સત્કાર્ય કરવાથી આ જન્મે સુખ થાય છે. વધુ પડતી ક્રીયાશીલતાથી લોભ અને તૃષ્ણા વધે છે. જ્યારે પ્રમાદ અને આળસથી જડતા અને મૂઢતા વધે છે અને આ લોકમાંયે તેવી વ્યક્તિ ધૃણાસ્પદ બને છે. સત્વગુણીને સમાજમાં આદર મળે છે, રજોગુણીને જાત જાતની પ્રવૃત્તિનો વહીવટ સંભાળવા મળે છે જ્યારે તમોગુણી સમાજ પર બોજારુપ બની જાય છે.

કેટલાંક વિરલા એવા હોય છે કે જેઓ આ ત્રણે ગુણથી મુક્ત થઈ જાય છે તેઓ પોતાના સ્વરુપમાં સ્થિત હોય છે. તેમનું વ્યક્તિત્વ દિવ્ય હોય છે અને તેઓ સ્વનામ ધન્ય હોય છે. તેવી વ્યક્તિઓને લોકો પાસેથી કશુંએ મેળવવાનું હોતું નથી તો પણ તેઓ પોતાના સ્વભાવ અનુસાર જ્યાં સુધી તેમનું શરીર ચાલે છે ત્યાં સુધી લોકહિતાર્થે જીજ્ઞાસુઓને ત્રિગુણાતિત થવા માટે માર્ગ દર્શન આપતાં રહે છે.


નોંધ: આ લેખમાં જોડણી ભૂલો હશે. જો કોઈને સાર્થ જોડણી પ્રમાણે સુધારી આપવાની ઈચ્છા થાય તો આ લેખની કોપી કરીને જોડણી સુધારીને મને atuljaniagantuk@gmail.com પર મોકલી આપવા વિનંતી.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ચિંતન, વાંચન આધારિત, શિક્ષણ | Tags: , , , , | Leave a comment

બાળકો અને વાચન – ગીજુભાઈ બધેકા

પ્રિય બ્લોગજનો,

આજે બાળ શિક્ષણના પ્રણેતા અને બાળ શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરનાર શ્રી ગીજુભાઈ બધેકાનો જન્મ દિવસ છે. બાળકો અને વાચન વિશે તેમનું મંતવ્ય શું છે તે જોઈએ :



Categories: શિક્ષણ, સાહિત્ય | Tags: , , | 2 Comments

જ્ઞાનવિજ્ઞાન યોગ – સરળગીતા – અધ્યાય ૭ (યોગેશ્વરજી

શ્રી ભગવાન કહે છેઃ

મારામાં આસક્ત થૈ આશ્રય મારો લે,
જાણે મુજને કેમ તે હવે કહું છું તે. ॥૧॥

જ્ઞાન કહું તુજ ને વળી પૂર્ણ કહું વિજ્ઞાન,
જેને જાણી જાણવું રહે નહીં કૈં આન. ॥૨॥

હજારમાં કોઈ કરે સિધ્ધિકાજ પ્રયાસ
કરતાં યત્ન હજારમાં કોઈ પહોંચે પાસ.
મારી પાસ પહોંચતા કોઈ પામે જ્ઞાન,
સાંભળ, જો તુજને કહું ઉત્તમ મારું જ્ઞાન. ॥૩॥

પૃથ્વી પાણી તેજ ને વાયુ ચિત્ત આકાશ,
અહંકાર બુધ્ધિ કહી મારી પ્રકૃતિ ખાસ.
બીજી જીવરૂપે રહી મારી પ્રકૃતિ છે,
તેનાથી જગને રચું, ઉત્તમ પ્રકૃતિ તે. ॥૫॥

આ બંને પ્રકૃતિ થકી પ્રાણી સર્વે થાય,
સર્જન તેમ વિનાશનું સ્થાન મને સૌ ગાય.
ઉત્તમ મુજથી કો’ નથી, મારા વિણ કૈં ના,
જગ મુજમાં છે, જેમ આ મણકા દોરામાં.

રૂપનું વર્ણન

પાણીમાં રસ હું થયો, સૂર્યચંદ્રમાં તેજ,
વેદમહીં ઓમકાર છું, પૌરૂષ નરમાં સહેજ.
પૃથ્વીમાં છું ગંધ ને તપ છું તાપસમાં,
જીવન પ્રાણીમાત્રનું, શબ્દ થયો નભમાં.
બીજ સર્વ પ્રાણીતણું મને સદાયે જાણ,
બુધ્ધિ તેમજ વીરતા વીરલોકમાં માન. ॥૧0॥

બળ બનતાં સેવા કરું બળવાનોમાં હું,
અધર્મથી પર કામના જીવમાત્રમાં છું.
સત્વ અને રજ તમ તણાં ઉપજે મુજથી ભાવ,
તે મુજમાં છે, હું નથી તે ભાવોની માંહ્ય.
ત્રણ ગુણવાળી છે કહી મારી જે માયા,
તેનાથી મોહિત થયા રંક અને રાયા.
માયા મારી છે ખરે તરવી આ મુશ્કેલ,
તરી જાય છે તે જ જે મારું શરણ ગ્રહેલ.
મૂઢ મને પામે નહિં, અધમર્થી ભરિયા,
માનવરૂપે તે ફરે તોય જાણ મરિયા. ॥૧૫॥

ચાર જાતના ભક્ત

દુ:ખી તેમ જ જ્ઞાનની ઈચ્છાવાળા લોક,
સંસારી આશાભર્યા, જ્ઞાની તેમ જ કો’ક.
ચાર જાતના માનવી મને ભજે છે તે,
તેમાં જ્ઞાની ભક્તને શ્રેષ્ઠ કહ્યો છે મેં.
મહાન છે બીજા છતાં જ્ઞાની મારો પ્રાણ,
જ્ઞાની સંધાઈ ગયો મારી સાથે જાણ.
ઘણાય જન્મ પછી મને જ્ઞાની પામે છે,
પ્રભુ પેખે જગમાં બધે, સતં સદુર્લભ તે.
કામનાભર્યા કૈં જનો, નિયમ ઘણાં પાળી,
અન્ય દેવતાને ભજે, સ્વભાવને ધારી. ॥૨૦॥

શ્રદ્ધાપૂર્વક દેવને ભક્ત ભજે છે જે,
તેની શ્રદ્ધા હું કરું દૃઢ દેવમહીં તે.
શ્રધ્ધાપૂર્વક તે પછી તેની ભક્તિ કરે,
મારી દ્વારા કામના-ફળને પ્રાપ્ત કરે.
અલ્પબુદ્ધિ એ ભક્તના ફળનો થાય વિનાશ,
દેવ ભજ્યે દેવો મળે, મને ભજ્યે મુજ પાસ.
અજ્ઞાની મુજ રૂપની મયાર્દા માને,
વિરાટ ઉત્તમ રૂપ ના મારું તે જાણે.
માયાથી ઢંકાયેલું મારું પૂર્ણ સ્વરૂપ,
મૂઢ ઓળખે ના કદી મારું દિવ્ય સ્વરૂપ. ॥૨૫॥

ભૂત ભાવિ જાણું, વળી વતર્માન જાંણું,
જાણું હું સૌને, મને કોઈ ના જાણ્યું.
વેર ઝેર તૃષ્ણાથકી ભવમાં ભટકે લોક,
જેનાં પાપ ટળી ગયાં, ભજે મને તે કો’ક.
મોત થકી છૂટવા વળી ઘડપણને હરવા,
ભજે શરણ મારું લઈ દુઃખ દૂર કરવા.
દૃઢ નિરધાર કરે અને દ્વંદ્વમુક્ત તે થાય,
પુણ્યવાન તે તો મને જાણી રસમાં ન્હાય.
બ્રહ્મકર્મ અધ્યાત્મ ને અધિભૂત ને અધિયજ્ઞ,
જે જાણે તે થાય છે મારામાં સલંગ્ન. ॥૩૦॥

॥ અધ્યાય સાતમો સમાપ્ત ॥

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, જાણવા જેવું, ભગવદ ગીતા, શિક્ષણ, સાહિત્ય | Tags: , , , , , , | 2 Comments

ડસ્ટરથી નહીં ચોકથી આગળ વધો – આગંતુક

મિત્રો,

એક વખત એક શિક્ષકે બોર્ડ ઉપર એક લીટી દોરી અને વિદ્યાર્થીઓને કહ્યું કે આ લીટીને હાથ લગાડ્યાં વગર નાની કરી દ્યો. વિદ્યર્થીઓ તો મુંજવણમાં પડ્યા – કેટલાંક દોઢ ડાહ્યાં આગળ આવ્યાં અને ડસ્ટર ઉપાડ્યું અને લીટી ભુંસવાની કોશીશ કરવા લાગ્યાં. તરત શિક્ષકે અટકાવ્યા – લીટીને કોઈ પણ રીતે તમારે અડવાનું નથી. એક વિદ્યાર્થી શાંતિથી બેસીને બધું જોતો હતો – ધીરે ધીરે અને મક્કમ પગલે તે આગળ આવ્યો અને શિક્ષકને કહ્યું કે સર મને ચોક આપો. શિક્ષકે તેને ચોક આપ્યો. તેણે તેનાથી થોડેક દૂર એક વધારે મોટી લીટી કરી અને કહ્યું કે સર જોઇ લ્યો – હવે આ લીટી નાની દેખાય છે કે નહીં? શિક્ષકે તેને શાબાશી આપી.

આપણે પણ જીવનમાં એવું જ કરીએ છીએ ને? હંમેશા બીજાની ટીકા, નિંદા, કુથલી કરી કરીને બીજાની લીટિ નાની કરવાનો પ્રયાસ કરીએ છીએ – પરીણામે આપણે વામણાં દેખાઈએ છીએ. તેને બદલે બીજા જેવા છે તેવા સ્વીકારી લઈએ અને જો આપણે તેના કરતાં વધારે ઉજળાં દેખાવું હોય તો આપણી લીટી મોટી કરીએ – આપણે સારા કાર્યો કરીએ, આપણે વિકાસ કરીએ. આપોઆપ બીજી લીટી નાની થઈ જશે.

ગુજરાતમાં અત્યારે એવું જ ચાલે છે ને? વિરોધીઓ આખો દિવસ બસ મોદિજીની ટીકાઓ કર્યા કરે – તેમને વામણાં બતાવવાનો પ્રયાસ કરે – પરંતુ તેઓ તો સતત કાર્યરત રહે છે, સતત વિકાસ માટે પુરુષાર્થ કરે છે – તે કેવી રીતે પાછા પડે? આવું કરવાને બદલે જો વિરોધીઓ ગુજરાતના વિકાસમાં લાગી જાય, મોદીજીની ટિકા કરવાને બદલે ગુજરાતનો વિકાસ તે જ મહામંત્ર તેવા સૂત્ર અપનાવે અને દંભ નહીં પણ ગુજરાતની જનતા માટે કાર્ય કરે તો આપોઆપ તેમની લીટિ મોટી થઈ જાય.

મુળ વાત છે કે કામ કરનારને નીચા ન પાડો પરંતુ એવા કામ કરો કે તમે ઉંચા દેખાવ.

Categories: કેળવણી, ચિંતન, રાષ્ટ્રનો વિકાસ, શિક્ષણ | Tags: , , , , | 1 Comment

બાળ કેળવણી આજના સંદર્ભમાં – માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

મીત્રો,

ભાવનગર શહેરની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા શ્રી દક્ષિણામૂર્તિના શતાબ્દી મહોત્સવ નીમીત્તે “બાળ કેળવણી આજના સંદર્ભમાં” વિષય પર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મનનીય પ્રવચન આપેલ જે અત્રે સાંભળીશું ને?


https://madhuvan1205.files.wordpress.com/2011/04/bal_kelavani_ajana_sandarbhama.jpg
Categories: કેળવણી, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શિક્ષણ | Tags: , | 2 Comments

જ્ઞાન – પ્રકિર્ણ





Categories: પ્રેરણાદાયી સાહિત્ય, શિક્ષણ | Tags: , | 2 Comments

Create a free website or blog at WordPress.com.