વિચારસાગર

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


અપાર મિથ્યા જગતનો આધાર અને અધિષ્ઠાન તું પોતે છે.

શિષ્ય ઉવાચ |

દોહા

યહ મિથ્યા પરતીત વ્હૈ, જામૈં જગત અપાર |
સો ભગવન મો કૂં કહો, કો યાકો આધાર || ૫૧ ||

શિષ્ય – આ જગત જેમાં મિથ્યા પ્રતીત થાય છે તે શી વસ્તુ છે; અર્થાત્ આ મિથ્યા જગતનો આધાર કોણ છે, તે મને કહો. (૫૧)

શ્રી ગુરુરુવાચ |

તબ નિજરુપ અજ્ઞાનતૈ, મિથ્યા જગભાન |
અધિષ્ઠાન આધાર તૂં, રજ્જુ ભુજંગ સમાન || ૫૨ ||

ગુરુ કહે છે કે, જે અજ્ઞાનને લીધે તું પોતાના બ્રહ્મ રૂપને જાણતો નથી, એ અજ્ઞાન વડે જ મિથ્યા જગત પ્રતીત થાય છે; માટે મિથ્યા જગતનો આધાર અને અધિષ્ઠાન તું પોતે જ છે. જેમ દોરડીના અજ્ઞાનથી મિથ્યા સર્પ પ્રતીત થાય છે; ત્યાં સર્પનું અધિષ્ઠાન અને આધાર દોરડી જ છે. (૫૨)

તમામ કલ્પિત વસ્તુનું અધિષ્ઠાન એ જ તેનો દ્રષ્ટા છે

શિષ્ય ઉવાચ |

ભગવન્ મિથ્યા જગતકો, દ્રષ્ટા કહિયે કૌન |
અધિષ્ઠાન આધાર જો, દ્રષ્ટા હોય ન તૌન || ૫૩ ||

શિષ્યઃ હે ભગવન્ ! આ મિથ્યા જગતનો જોનારો કોણ હશે? જે જગતનો આધાર અને અધિષ્ઠાન હોય, તે તો દ્રષ્ટા થઈ શકે નહિ; કેમ કે મિથ્યા સર્પનો આધાર અને અધિષ્ઠાન રજ્જુ છે; તે સર્પની દ્રષ્ટા થતી નથી પણ તેનાથી ભિન્ન એવો પુરુષ સર્પનો દ્રષ્ટા થાય છે. (૫૩)

શ્રી ગુરુરુવાચ

ચૌપાઈ

મિથ્યા વસ્તુ જગતમેં જે હૈ, અધિષ્ઠાનમેં કલ્પિત તે હૈં |
અધિષ્ઠાન સો દ્વિવિધ પિછાનહુ, ઈક ચેતન દૂજો જડ જાનહુ || ૫૪ ||
અધિષ્ઠાન જડ વસ્તુ જહાં હૈ, દ્રષ્ટા તાતે ભિન્ન તહાં હૈ |
જહાં હોય ચેતન આધારા, તહાં ન દ્રષ્ટા હોવે ન્યારા || ૫૫ ||

દોહા

ચેતન મિથ્યા સ્વપ્નકો, અધિષ્ઠાન નિર્ધાર |
સોઈ દ્રષ્ટા ભિન્ન નહિ, તૈસે જગત વિચાર || ૫૬ ||

ગુરુ કહે છે કે જગતમાં જેટલી મિથ્યા વસ્તુઓ હોય છે, તે સઘળી અધિષ્ઠાનમાં કલ્પિત હોય છે. અધિષ્ઠાન બે પ્રકારનાં છેઃ (૧) ચેતન અધિષ્ઠાન (૨) જડ અધિષ્ઠાન (૫૪)

(૧) જ્યાં જડ વસ્તુ અધિષ્ઠાન હોય, ત્યાં દ્રષ્ટા અધિષ્ઠાનથી ભિન્ન હોય છે (૨) જ્યાં ચેતન અધિષ્ઠાન હોય, ત્યાં અધિષ્ઠાન જ દ્રષ્ટા હોય છે – અધિષ્ઠાનથી ભિન્ન કોઈ હોતો નથી. જેમ સ્વપ્નનું અધિષ્ઠાન સાક્ષી-ચેતન છે તે જ સ્વપ્નનો દ્રષ્ટા છે, તેમ જગતનું અધિષ્ઠાન આત્મા છે; માટે આત્મા જ જગતનો દ્રષ્ટા છે. (૫૫,૫૬)

મિથ્યા સંસારની નિવૃત્તિની ઈચ્છા સંભવતી નથી

ઈમ મિથ્યા સંસાર દુઃખ વ્હૈ, તોમૈં ભ્રમ ભાન |
તાકી કહાં નિવૃત્તિ તૂ, ચાહે શિષ્ય સુજાન || ૫૭ ||

ગુરુઃ- હે શિષ્ય! આ રીતે તારે વિષે સંસારદુઃખ ભ્રાંતિથી મિથ્યા જ પ્રતીત થાય છે; તે મિથ્યા દુઃખની નિવૃત્તિની ઈચ્છા તું ડાહ્યો છતાં કેમ કરે છે? અર્થાત્ મિથ્યા દુઃખની નિવૃત્તિની ઈચ્છા સંભવતી નથી. જેમ કોઈ બાજીગરે કોઈ માણસને મંત્રબળથી મિથ્યા શત્રુ બનાવ્યો હોય, તો પણ તે મિથ્યા શત્રુને મારવાનો ઉધ્યોગ તે પુરુષ કરતો નથિ, તેમ મિથ્યા સંસારની નિવૃત્તિની ઈચ્છા પણ સંભવે નહિ. (૫૭)

જન્માદિક સંસારની નિવૃત્તિ આત્મજ્ઞાનથી થાય છે

શિષ્ય ઉવાચ |

ચૌપાઈ

જગ યદ્યપિ મિથ્યા ગુરુદેવા, તથાપિ મૈ ચાહૂં તિહિ છેવા |
સ્વપ્ન ભયાનક જાકૂં ભાસૈ, કરિ સાધન જન જિમિ તિહિ નાસૈ || ૫૮ ||
યાતૈં વ્હૈ જાતે જગ હાના, સો ઉપાય ભાખો ભગવાના |
તુમ સમાન સતગુરુ નહિ આના, શ્રવણ ફૂંક દે બંચક નાના || ૪૯ ||

શિષ્ય – હે ભગવન્ ! આપે કહ્યું, કે જગત તારામાં મિથ્યારૂપે ભાસે છે, સત્યરૂપે નથી. એ વાત જો કે સાચી છે, તો પણ હે ભગવન્ ! તે મિથ્યારૂપે કરીને અથવા જે ઉપાય કરીને મરણાદિક સંસાર મારામાં ન જણાય એવો ઉપાય આપ કહો.

શ્રી ગુરુરુવાચ |

સોરટા

સો મૈં કહ્યો બખાનિ, જો સાધન તૈ પૂછિયો |
નિજ હિય નિશ્ચય આનિ, રહૈ ન રંચક ખેદ જગ || ૬૦ ||

ગુરુઃ- જગતરૂપી દુઃખની નિવૃત્તિનો ઉપાય તો અમે તને પ્રથમથી જ (આ પ્રકરણના આરંભમાં જ) કહી દીધો છે. તેનો જ દ્રઢ નિશ્ચય કર, જેથી તારા મનમાં જગતરૂપી દુઃખ રહેશે નહિ. (૬૦)


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


આત્માના અજ્ઞાનથી જન્માદિ દુઃખ પ્રતીત થાય છે.

શિષ્ય ઉવાચ |

ચૌપાઈ

હે પ્રભુ! પરમાનન્દ બખાન્યો, મેરો રુપ સુ મૈં પહિચાન્યો |
નહિ તોમૈં ભવબંધન લેશા, કહ્યો આપ પુનિ યહ ઉપદેશા || ૪૩ ||
યામૈં શંકા મુહિ યહ આવે, જાતૈં તવ વચ હિય ન સુહાવે |
નહિ મોમૈં યહ બંધપસારો, કહો કૌન તૌ આશ્રય ન્યારો || ૪૪ ||

શિષ્ય કહે છે કે ભગવન્ આપે કહ્યું કે તું પરમાનંદસ્વરૂપ છે, તે મેં સારી રીતે જાણ્યું; પણ આપે કહ્યું કે, જન્મમરણ વગેરે સંસારદુઃખ તારામાં નથી. માટે તેની નિવૃત્તિ સંભવતી નથી તેમાં મને એક શંકા થાય છે, જેથી આપનાં વચન હ્રદયમાં ઊતરતાં નથી. મરામાં (એટલે આત્મામાં) જન્માદિક દુઃખ નથી, ત્યારે તે જેનામાં હોય એવો મારાથી જુદો આશ્રય કૃપા કરી બતાવો, કે જેથી સંસારદુઃખ જાણીને હું મારા પોતાનામાં માનું નહિ. (૪૩,૪૪)

શ્રી ગુરુરુવાચ |

સોરટા

સુનહુ શિષ્ય મમ બાનિ, જાતૈં તવ શંકા મિટૈ |
હૈ જગકી અતિ હાનિ, તો મોમૈં નહિ ઔર મૈં ||૪૫||

ગુરુ કહે છે કે હે શિષ્ય! મારી વાત સાંભળ કે જેથી તારી શંકા નાશ પામે. જન્માદિ દુઃખરૂપ સંસાર તારામાં, મારામાં કે કોઈનામાં પણ નથી (કેમ કે જગત થયું નથી ને છે પણ નહિ; તો તેનાથી થતું દુઃખ શી રીતે હોય? (૪૫)

તત્વદૃષ્ટિરુવાચ |

દોહા

હે ભગવન્ કહું કે નહીં જન્મમરણ જગખેદ |
વ્હૈ પ્રત્યક્ષ પ્રતીતિ ક્યોં? કહો આપ યહ ભેદ || ૪૬ ||

શિષ્ય પૂછે છે, હે ભગવન્! જ્યારે જન્મમરણ વગેરે સંસારદુઃખ મારામાં કે બીજા કોઈનામાં નથી, ત્યારે દુઃખની પ્રત્યક્ષ પ્રતીતિ કેમ થાય છે એ ભેદ સમજાવો. (૪૬)

શ્રીગુરુરુવાચ |

આત્મરુપ અજ્ઞાનતૈં, વ્હૈ મિથ્યા પરતીતિ |
જગત સ્વપ્ન નભનીલતા, રજ્જુભુજંગકી રીતિ || ૪૭ ||

ગુરુ કહે છેઃ જેમ સ્વપ્નના પદાર્થ, આકાશમાં નીલતા અને દોરડીમાં સાપ વસ્તુતઃ છે જ નહિ, તથાપિ મિથ્યારૂપે દેખાય છે ખરાં (અને તેથી સુખદુઃખ પણ ઊપજે છે); તેમ જ જન્મમરણ વગેરે જગત વસ્તુતઃ છે જ નહિ, તથાપિ આત્માના ખરા સ્વરૂપના અજ્ઞાનને લીધે મિથ્યા પ્રતીત થાય છે અને મિથ્યા જગતથી ઊપજતાં સુખદુઃખ પણ મિથ્યા જ પ્રતીત થાય છે. (૪૭)

રજ્જુસર્પ – દૃષ્ટાંતમાં રહેલું રહસ્ય

તત્વદૃષ્ટિરુવાચ |

ચૌપાઈ

મિથ્યા સર્પ રજ્જુમૈં જૈસે, ભાસ્યો ભવ આતમમૈં તૈસે |
કૈસે સર્પ રજ્જુમૈં ભાસે, યહ સંશય મનબુદ્ધિ વિનાસે || ૪૮ ||

તત્વદૃષ્ટિ પૂછે છે કે જેમ દોરડીમાં સાપ મિથ્યા ભાસે છે, તેમ આત્મામાં સંસાર મિથ્યા ભાસે છે, એમ આપે કહ્યું. (હવે દૃષ્ટાંત સારી રીતે સમજાયા વિના સિદ્ધાંતનું જ્ઞાન થાય નહિ; માટે હું પૂછું છું કે) દોરડીમાં સાપ શી રીતે ભાસે છે, એ મને સમજાવો; કેમ કે એ સંશય મારા મનને તથા બુદ્ધિને ગૂંચવી નાખે છે. (૪૮)

અધ્યાસ વિષે ચાર મત અથવા ચાર ખ્યાતિઓ

અસતખ્યાતિ પુનિ આતમખ્યાતિ, ખ્યાતિ અન્યથા અરુ અખ્યાતિ |
સુને ચારિમત ભ્રમકિ ઠૌરા, માનૂં કૌન કહૌ યહ બ્યૌરા || ૪૯ ||

દોરડીમાં સાપ, છીપમાં રૂપું ઈત્યાદિ ભ્રમ જ્યાં જ્યાં થાય છે, ત્યાં ત્યાં તે થવા વિષે ચાર પ્રકારના મત મેં સાંભળેલા છે; એટલે અસત્ ખ્યાતિ, આત્મખ્યાતિ, અન્યથાખ્યાતિ અને અખ્યાતિ એ ચારમાંથી હું (ભ્રમના સંબધમાં) ક્યો મત શ્રેષ્ઠ માનું.

અખ્યાતિ-મતખંડન

શ્રીગુરુરુવાચ |

દોહા

ખ્યાતિ અનિર્વચનીય લખિ, પંચમ તિનતૈં ઔર |
યુક્તિહીન મત ચારિ યે, માનહુ ભ્રમકી ઠૌર ||૫૦ ||

ગુરુઃ- હે શિષ્ય! પાછળ જે ચાર ખ્યાતિઓ કહિ, તેનાથી પાંચમી એક અનિર્વચનીય ખ્યાતિ છે; તેને સઘળાં ભ્રમનાં ઠેકાણાંમાં સમજવી અને અસતખ્યાતિ, આત્મખ્યાતિ, અન્યથાખ્યાતિ અને અખ્યાતિ એ ચારે મત યુક્તિહીન હોવાથી તજવા જેવા છે. (૫૦)


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


વિષયના યોગથી આનંદ કેમ ભાસે છે?

તત્વદૃષ્ટિરુવાચ |

વિષયસંગ ક્યૂં ભાન વ્હૈ, જો મૈં આનન્દરુપ |
અબ ઉત્તર યાકો કહૌ, શ્રીગુરુ મુનિવરભૂપ || ૩૩ ||

શિષ્યઃ હું (આત્મા) જો આનંદરૂપ હોઉં, તો મને વિષયના સંગથી આનંદ કેમ ભાસે છે? હે ગુરો! હે મુનિવરોમાં શ્રેષ્ઠ! એનો ઉત્તર મને કહો (૩૩)

અંતર્મુખ વૃત્તિમાં આનંદ, વિષયમાં નથી.

શ્રીગુરુરુવાચ |

ચૌપાઈ

આતમવિમુખ બુદ્ધિજન જોઈ, ઈચ્છા તાહિ વિષયકી હોઈ |
તાસૂ ચંચલ બુદ્ધિ બખાની, સુખ આભાસ હોઈ તહં હાનિ || ૩૪ ||
જબ અભિલષિત પદારથ પાવૈ, તબ મતિ છનક વિછેપ નશાવૈ |
તામેં વ્હૈ આનંદપ્રતિબિંબા, પુનિ છનમૈં બહુ ચાહ વિડંબા || ૩૫ ||
તાતે વ્હૈ થિરતાકી હાનિ, સો આનંદપ્રતિબિંબ નશાની |
વિષસંગ આનંદજુ હોઈ, બિન સતગુરુ યહ લખૈ ન કોઈ || ૩૬ ||

જે માણસની બુદ્ધિ આત્માથી વિમુખ હોય છે, તેને વિષયની ઈચ્છા થાય છે; તેથી તેની બુદ્ધિ ચંચળ થાય છે અને એ ચંચળ બુદ્ધિમાં સુખરૂપ આભાસ નાશ પામે છે. (૩૪) જ્યારે તે માણસ પોતાના ઈચ્છેલા પદાર્થ પામે છે, ત્યારે ક્ષણવાર તેની બુદ્ધિમાંથી વિક્ષેપ નાશ પામવાથી બુદ્ધિ સ્થિર થાય છે અને તેમાં આનંદનું પ્રતિબિંબ પડે છે, એટલે તેને વિષયથી સુખ મળ્યું હોય, એમ ભ્રાંતિ થાય છે; તેથી તે વિષયોની ફરી ઈચ્છા કરે છે. (૩૫) એમ થવાથી તેની બુદ્ધિની સ્થિરતા વળી નાશ પામે છે અને તે વખતે તે આનંદનું પ્રતિબિંબ પણ નાશ પામે છે. એવી રીતે વિષયના સંગથી આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે સદગુરુ વિના કોઈ જાણતું નથી.

દોહા

વિષયસંગતે વ્હૈ પ્રગટ, આતમ આનંદરુપ |
શિષ્ય સુનાયો તોહિ મૈં, યહ સિદ્ધાંત અનૂપ || ૩૭ ||

સોરઠા

સો તૂં નોહિ વ ભાખ, જો યામૈ શંકા રહી |
નિજ મતિ મૈં મતિ રાખ, મૈં તાકો ઉત્તર કહું || ૩૮ ||

ગુરુ કહે છે કે, હે શિષ્ય! વિષયના સંગથી આત્માનું આનંદરૂપ શી રીતે પ્રકટ થાય છે, તેનો અનુપમ સિદ્ધાંત મેં તને સંભળાવ્યો. (૩૭) જો તને એમાં કાંઈ શંકા રહી હોય, તો હવે તારા મનમાં ને મનમાં ન રાખતાં મને કહિ દે, કે જેથી હું તેનો ઉત્તર તને કહું. (૩૮)

જ્ઞાનીને વિષયનાસંબધથી આનંદનું ભાન થાય કે નહિ?

તત્વદૃષ્ટિરુવાચ |

ચૌપાઈ

ભો ભગવન્ તુમ દીનદયાલા, મેટ્યો મમ સંશય તતકાલા |
યામૈં કછુક રહી આશંકા, સો ભાખું અબ વ્હૈ નિર્બકા || ૩૯ ||
આતમવિમુખ બુદ્ધિ અજ્ઞાની, તાકી યહ સબ રીતિ બખાની |
જ્ઞાની જનકો કહૈ વિચારા, કોઉ ન તુમ સમ ઔર ઉદારા || ૪૦ ||

શિષ્ય કહે છે કે હે ભગવન્ આપ તો દીનદયાળ છો; તેથી આપે મારો સંશય તત્કાળ દૂર કર્યો છે, પણ એમાં કંઈક શંકા મને રહી છે, તે હું આપને નમ્રપણે વિદિત કરું છું. (૩૯) જે લોકો આત્માને જાણતા નથી, એટલે જેમની બુદ્ધિ આત્મા તરફ નથી, પણ આત્માથી વિરુદ્ધ દિશાએ એટલે બહારના વિષયો તરફ છે, તેમને તો આત્મામાંથી મળતો આનંદ વિષયોમાંથી મળે છે, એવા ભ્રમથી તેઓ વિષયની ઈચ્છા કરે છે; પણ જેઓ જ્ઞાની છે, તેમને વિષયોની ઈચ્છા થતી હશે કે નહિ? અને તેમને પણ વિષયોમાંથી આનંદ મળતો હશે કે નહિ? હે ભગવન્ તમારા સમાન ઉદાર બીજા કોઈ નથી. (૪)

બે પ્રકારના આત્મવિમુખ વિષયાનંદ સ્વરુપાનંદથી જુદા નથી

શ્રી ગુરુરુવાચ |

દોહા

સુનહુ શિષ્ય ઈક બાત મમ, સાવધાન મન કાન |
હૈં વિધ આતમવિમુખ, અજ્ઞાની રુ સુજાન || ૪૧ ||
વ્હૈ વિસ્મૃત વ્યવહારમેં, કબહુક જ્ઞાની સંત |
અજ્ઞાની વિમુખ હિ રહૈ, યહ તૂ જ્ઞાન સિદ્ધંત || ૪૨ ||

હે શિષ્ય! મન અને કાનને સાવધ રાખીને મારી એક વાત સાંભળ. આત્મવિમુખ બે પ્રકારના છેઃ (૧) અજ્ઞાની અને (૨) જ્ઞાની. (૪૧) જ્ઞાની સંત પુરુષ પણ કોઈક વખત વ્યવહારમાં આત્મસ્વરૂપને ભૂલી જાય છે; પણ અજ્ઞાની તો સદૈવ આત્મસ્વરૂપથી વિમુખ જ હોય છે, એવો સિદ્ધાંત તારે જાણી લેવો.


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


તત્વદૃષ્ટિ અને ગુરુનું સંભાષણ

દોહા

ભો ભગવન્ | હમ બ્હ્રાત તિહું, શુભસંતતિ સંતાન |
લખ્યો ચહૈં બહુ મેવ હિય, દીન નવીન અજાન || ૨૩ ||
જો આજ્ઞા વ્હૈ રાવરી, તો વ્હૈ પૂછિ પ્રવીન |
આપ દયાનિધિ કલ્પતરુ, હમ અતિ દુઃખિત અધિન || ૨૪ ||

તત્વદૃષ્ટિ – હે મહારાજ! અમે ત્રણ ભાઈઓ છીએ અને શુભસંતતિ રાજાના પુત્રો છીએ. અમે દીન છીએ, નવીન છીએ અને અજ્ઞાની હોઈ જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. જો આપની આજ્ઞા હોય, તો અમે અમારી શંકા આપને પૂછીને પ્રવીણ થઈએ. આપ તો કલ્પવૃક્ષના જેવા દયાના ભંડાર છો અને અમે તો અતિ દુઃખિયારા તથા પરાધીન છીએ. (૨૩,૨૪)

શ્રીગુરુરુવાચ |

સોરટા

સુનહુ શિષ્ય મમ બાત, જો પૂછહુ તુમ સા કહૂં |
લહો હિયે કુશલાત, સંશય કોઉ ના રહૈ || ૨૫ ||

ગુરુ – હે શિષ્ય! સાંભળ; તું જે પૂછીશ તે બધું હું તને કહીશ. તરા મનમાં કોઈ જાતનો સંશય રહી જશે નહિ અને તેથી તારા મનમાં શાંતિ થશે. (૨૫)

દોહા

ગુરુકી લખી દયાલુતા, શિષ્ય હિયે ભો ચૈન |
કાર્ય સિદ્ધ નિજ માનિ હિય, ભાષે સવિનય બૈન || ૨૬ ||

ગુરુનું દયાળુપણું જોઈને શિષ્યના હ્રદયમાં આનંદ થયો અને પોતાનું કાર્ય સિદ્ધ થયું એમ માની તે વિનય સહિત બોલ્યો (૨૬)

તત્વદૃષ્ટિના ત્રણ પ્રશ્નો

તત્વદૃષ્ટિરુવાચ |

ચૌપાઈ

ભો ભગવન! તુમ કૃપાનિધાના, હો સર્વજ્ઞ મહેશસમાના |
હમ અજાનમતિ કછૂ ન જાનૈ, જન્માદિકસંસૃતિ ભય માનૈ || ૨૭ ||

હે ભગવન્ ! આપ તો કૃપાના ભંડાર છો અને મહાદેવજીના જેવા સર્વજ્ઞ છો. હે મહારાજ! અમે અજ્ઞાની છીએ અને કાંઈ પણ જાણતા નથી. જન્મમરણરૂપ સંસારથી અમે ડરીએ છીએ. (૨૭)

કર્મ ઉપાસન કીને ભારી, ઔર અધિક જગપાશી ડારી |
આપ ઉપાય કહૌ ગુરુદેવા, વ્હૈ જાતે ભવદુઃખકો છેવા || ૨૮ ||

હે ગુરો! અમે કર્મ તથા ઉપાસના ઘણી કરી, પણ તેનાથી અમને ઈચ્છિત ફળ ન મળ્યું; એટલું જ નહિ, પણ સંસાર એથી ઊલટો વધતો ગયો; માટે એવો ઉપાય બતાવો કે જેથી અમારા સંસારરૂપી દુઃખનો નાશ થાય. (૨૮)

પુનિ ચાહત હમ પરમાનન્દા, તાકો કહો ઉપાય સુછંદા |
જબહિં કૃપા કરી કહિહૌ તાતા, તબ વ્હૈ હૈ હમરે કુશલાતા || ૨૯ ||

વળી અમને પરમાનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે; માટે તેનો પણ ઉપાય કહો. હે ગુરો! કૃપા કરીને જ્યારે અમને તે કહેશો, ત્યારે અમારું કલ્યાણ થશે. (૨૯)

મોક્ષની ભ્રાંતિજન્ય ઈચ્છા; મોક્ષ સદા પ્રાપ્ત જ છે.

દોહા

મોક્ષકામ ગુરુ શિષ્ય લખિ, તાકો સાધન જ્ઞાન |
વેદૌક્ત ભાષન લગે, જીવબ્રહ્મ ભિદ ભાન || ૩૦ ||

દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિને મોક્ષ કહે છે. શિષ્યના મનમાં એવા મોક્ષની ઈચ્છા સમજીને તેનું સાધન જે વેદોક્તજ્ઞાન તે કહેવાનો ગુરુએ આરંભ કર્યો, જેથી જીવ અને બ્રહ્મના ભેદનો નાશ થાય.

શ્રીગુરુરુવાચ |

પરમાનંદ મિલાપ તૂ, જો શિષ ચહૈ સુજાન |
જન્માદિક-દુઃખ નાશપુનિ, ભ્રાંતિજન્ય તિહિં માન || ૩૧ ||
પરમાનન્દ સ્વરૂપ તૂ, નહિ તોમૈં દુઃખલેશ |
અજ અવિનાશી બ્રહ્મ ચિત્ , જિન આનૈ હિય ક્લેશ || ૩૨ ||

ગુરુ કહે છેઃ ‘હે શિષ્ય! પરમાનંદ પ્રાપ્તિ માટે તથા જન્મમરણ આદિક જે સંસાર છે, તેની નિવૃત્તિ માટે તને જે ઈચ્છા થઈ છે, તે ભ્રાંતિથી થયેલી છે, એમ તારે જાણવું. તું પોતે જ પરમાનંદસ્વરૂપ છે. તારામાં લગાર પણ દુઃખ નથી. તારો જન્મ નથી, તેમ નાશ પણ નથી; પણ તું કેવળ ચૈતન્ય બ્રહ્મ છે. (૩૧,૩૨)


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


દોહા

કરહુ રાજ ઈમ ભિન્ન તિહું, પાલહુ નિજ નિજ દેશ |
બિન વિભાગ ભ્રાતાન કો, ભૂમિ કાજ વ્હૈ ક્લેશ || ૧૧ ||

તમે ત્રણ તે પ્રમાણે જુદા જુદા દેશમાં રાજ્ય કરજો અને પોતપોતાના દેશનું રક્ષણ કરજો. પૃથ્વી માટે ભાઈઓમાં ટંટો ન થાય, માટે આ રીતે મેં વહેંચણી કરી આપી છે. (૧૧)

સવૈયા

રાજસમાજ તર્જૌ સબ મૈં અબ, જાન હિયે દુઃખ તાહિ અસારા |
ઔર તુ લોક દુઃખી અપને દુઃખ, મૈં ભુગત્યો જગક્લેશ અપારા ||
જે ભગવાન પ્રધાન અજાન, સમાન દરિદ્રન તે જન સારા |
હેતુ વિચાર હિયે જગકે ભગ, ત્યાગિ લખું નિજરુપ સુખારા || ૧૨ ||

હવે રાજકાજ વગેરેમાં જે અનેક દુઃખ રહ્યાં છે, તે જાણીને તથા તેને અસાર સમજીને હું તેને છોડી દેવા ઈચ્છું છું; કેમ કે બીજા લોકો તો માત્ર પોતપોતાનાં દુઃખથી દુઃખી હોય છે, પણ હું તો મારા પોતાના તથા આખા જગતના દુઃખે દુઃખી થઈ રહ્યો છું. જે મનુષ્ય મોટા ઐશ્વર્યવાન છતાં પણ અજ્ઞાની હોય તે માણસો દરિદ્રી માણસોના જેવા જ જાણવા. આવો વિચાર કરીને જગતનું ઐશ્વર્ય છોડીને હવે સુખરૂપ આત્માનો જ અનુભવ કરવા હું ઈચ્છું છું. (૧૨)

ત્રણે રાજપુત્રોનો વિચાર

વાક્ય અનંત કહૈ ઈમ તાત, સુને તિહું ભ્રાત સુબુદ્ધિ નિધાના |
બૈઠી ઈકંત વિચાર અપાર, ભનૈ પુનિ આપસમાંહિ સુજાના ||
દે દુઃખમૂલ સમાજ હમૈ યહ, આપ ભયો ચહ બ્રહ્મ સમાના |
સો જન નાગર બુદ્ધિકસાગર, અગર દુઃખ તજૈ જુ જહાના || ૧૩ ||

આવી રીતે પિતાશ્રીએ અનંત વાતો કહી, તે ત્રણે પુત્રોએ સાંભળી અને તેઓ મોટા બુદ્ધિમાન હતા, તેથી તે ત્રણે જણ એકાંતમાં વિચાર કરવા ગયા; અને વિચાર કરીને એકબીજાને કહેવા લાગ્યા કે, પિતાશ્રી આ દુઃખના મૂળરૂપ સંસાર આપણને આપીને પોતે બ્રહ્મરૂપ થવા ઈચ્છે છે; માટે જે માણસ આ દુઃખની ખાણરૂપ સંસાર છોડી દે, તે જ માણસ ચતુર અને બુદ્ધિનિધાન સમજવો. (૧૩)

ત્રણે રાજપુત્રોનો ગૃહત્યાગ તથા ગુરુ-સમાગમ

દોહા

યાતૈં તજિ દુઃખ મૂલ યહ રાજ, કરૌ નિજકાજ |
કરિ વિચાર ઈમ ગેહેતૈં, નિકસ્યો ભ્રાતસમાજ || ૧૪ ||
તિહું ખોજત સદગુર ચલે, ધારી મોક્ષ હિય કામ |
અર્થ સહિત કિય તાતકો, શુભસંતતિ યહ નામ || ૧૫ ||

માટે આ દુઃખના મૂળરૂપ રાજ્યને છોડી, આપણે આપણું કામ કરવું, એ જ ઉત્તમ છે, એવો વિચાર કરી ત્રણે ભાઈઓ ઘરેથી ચાલી નીકળ્યા અને મનમાં મોક્ષ મેળવવાની ઈચ્છાથી કોઈ સદગુરુની શોધ કરતા કરતા પ્રવાસ કરવા લાગ્યા. તેઓ આવા સુપુત્ર હોવાથી તેમણે પોતાના પિતાના શુભસંતતિ (સારી સંતતિવાળા) એ નામને સાર્થક કર્યું. (૧૪, ૧૫)

ખોજત ખોજત દેશ બહુ, સુર સરિ તીર ઈકંત |
તરુપલ્લવ શાખા સઘન, બન તામૈ ઈક સંત || ૧૬ ||
બૈઠ્યો બટબિટપહિં તરૈ, ભદ્રામુદ્રા ધારિ |
જીવ બ્રહ્મકી એકતા, ઉપદેશત ગુન ટારી || ૧૭ ||

ઘણાં દેશ શોધતાં શોધતાં એક વખતે ગંગા નદીના કાંઠા ઉપર એકાંતમાં એક વન હતું, ત્યાં તેઓ આવી પહોંચ્યા. તે વનમાં ઘણાં વૃક્ષો હોવાથી તે વન શોભી રહ્યું હતું; વૃક્ષોને અનેક ડાળાં-ડાળીઓ હોવાથી વૃક્ષો શોભી રહ્યાં હતાં. એવા સઘન વનમાં એક વડના ઝાડ નીચે એક સંત ભદ્રામુદ્રા કરીને બેઠા હતા તથા પાસે બેઠેલા શિષ્યોને જીવ-બ્રહ્મની એકતાનો ઉપદેશ કરી રહ્યા હતા અને ત્રિગુણાત્મક માયાનું મિથ્યાત્વ સમજાવી રહ્યાં હતા. (૧૬, ૧૭)

શિષ્યના દસ દોષ

દોષ રહિત એકાગ્રચિત્ત, શિષ્યસંઘપરિવાર |
લખિ દૈશિક ઉપદેશ હિય, ચહુધા કરત વિચાર || ૧૮ ||
મનહુ શંભુ કૈલાસમૈં, ઉપદેશત સનકાદિ |
પેખિ તાહિ તિહિં લહિ શરન, કરી દંડવત્ આદિ || ૧૯ ||
કિયો માસ ષટમાસ પુનિ, શિષ્યરીતિ અનુસાર |
કરી અધિક ગુરુસેવ તિહું, મોક્ષ કામ હિય ધાર || ૨૦ ||
વ્હૈ પ્રસન્ન શ્રી ગુરુ તબૈ, તે પુછે મૃદુ બાનિ |
કિહિં કારણ તુમ તાત તિહું, બસહુ કૌન કહ આનિ || ૨૧ ||
તત્વદૃષ્ટિ તબ લખિ હિયે, નિજ અનુજનકી સૈન |
કહૈ ઉભય કર જોરી નિજ, અભિપ્રાય કે બૈન || ૨૨ ||

તેમની પાસે બેઠેલા શિષ્યો બધા દોષરહિત હતા; એટલે કે નૃસિંહતાપિની ઉપનિષદમાં જે દસ દોષ કહ્યા છે, તે દોષો તેમનામાં નહોતા.

તે દોષો આ પ્રમાણે છેઃ
(૧) ચોરી, જારી, હિંસા – આ ત્રણ શરીરના દોષ છે.
(૨) નિંદા, જૂઠ, કઠોર ભાષણ અને વાચાળતા – આ ચાર વાણીના દોષ છે.
(૩) તૃષ્ણા, ચિંતા અને બુદ્ધિની મંદતા – એ ત્રણ મનના દોષ છે.

આવા દોષરહિત અને એકાગ્ર ચિત્તવાળા શિષ્યોના સમૂહ તથા ગુરુનો ઉત્તમ ઉપદેશ જોઈને ત્રણે રાજપુત્રોને એમ લાગ્યું કે, કૈલાસમાં વડના ઝાડ નીચે દક્ષિણામૂર્તિ મહાદેવજી બેઠા છે અને સનકાદિક શિષ્યોને ઉપદેશ કરી રહ્યા છે.

આ સઘળું જોઈને તે રાજપુત્રો એ જ ગુરુને શરણે ગયા તથા તેમને દંડવત્ પ્રણામ આદિ કરીને ત્યાં જ છ માસ પર્યંત શિષ્યની રીતિ પ્રમાણે રહ્યા. તેમણે મોક્ષ મેળવવાની ઈચ્છા મનમાં રાખીને ગુરુની ઘણી ઘણી સેવા કરી. એક વખત શ્રી ગુરુ પ્રસન્ન થઈને તેમને પૂછવા લાગ્યાઃ હે પુત્રો! તમે અહીં કેમ આવી રહ્યા છો? તમે કોણ છો? અને તમે કોના પુત્ર છો? (૧૮ – ૨૨)


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


તરંગ ચોથો

ઉત્તમાધિકારી ઉપદેશ – નિરૂપણ

શુભ સંતતિ અને તેના ત્રણ પુત્રોની કથા

દોહા

ગુરુ શિષકે સંવાદકી, કહૂં વ ગાથ નવીન |
પેખિ જાહિ જિજ્ઞાસુ જન, હોત વિચાર પ્રવીન || ૧ ||

ગુરુ – શિષ્યના સંવાદ દ્વારા ગ્રંથ સારો સમજાય છે; માટે તે વિષે હું એક કલ્પિત નવીન કથા કહું છું એ વાત સાંભળવાથી જિજ્ઞાસુ મનુષ્યો વિચાર કરવામાં પ્રવીણ થશે. (૧)

તીન સહોદર બાલ સુભ, ચક્રવર્તી સંતાન |
શુભસંતતિ પિતુ તિહિંનમૈ સ્વર્ગપતાલ જહાન || ૨ ||

એક ચક્રવર્તી રાજાના ત્રણ સારા પુત્રો સગા ભાઈઓ હતા. તેમના પિતાનું નામ શુભસંતતિ હતું અને સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના લોક તેને નમતા હતા; અર્થાત્ તે ત્રણે લોકમાં તેનું રાજ્ય હતું. (૨)

તત્વદૃષ્ટિ ઈક નામ અહિ, દૂજો કહત અદૃષ્ટ |
તર્કદૃષ્ટિ પુની તીસરો, ઉત્તમ, મધ્ય, કનિષ્ટ || ૩ ||

તે ત્રણ બાળકનાં નામઃ સૌથી મોટાનું નામ તત્ત્વદૃષ્ટિ હતું, બીજાનું નામ અદૃષ્ટ હતું અને ત્રીજાનું નામ તર્કદૃષ્ટિ હતું. તેઓ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ અધિકારી હતા. (૩)

ચૌપાઈ

બાલપનો સબ ખેલત ખોયો, તરુણ પાય પુનિ મદન બિગોયો |
ધારિ નારિ ગૃહ માર પ્રકાશી, ભોગ લહૈં તુહું સબ સુખરાશી || ૪ ||

તે રાજાએ પોતાનું બાળપણ રમતાં રમતાં ગુમાવ્યું. તે જુવાન થયો ત્યારે કામદેવે તેને સતાવવા માંડ્યો; તેથી તેણે સ્ત્રીનું પાણિગ્રહણ કર્યું અને કામદેવનો પ્રકાશ અનુભવ્યો. એવી રીતે ગૃહસ્થાશ્રમી થઈ સર્વ સુખ ભોગવવા લાગ્યો. (૪)

શુભસંતતિનો વૈરાગ્ય

દોહા

સ્વર્ગભૂમિ પાતાલ કે, ભોગહિં સર્વ સમાજ |
શુભસંતતિ નિજ તેજબલ, કરત રાજકે કાજ || ૫ ||

આ રીતે ત્રણ લોકનું રાજ્ય વૈભવ, સારાં સંતાન વગેરે પામીને શુભસંતતિ રાજા સુખ ભોગવતાં ભોગવતાં પોતાના પ્રતાપ વડે રાજ્યકાજ કરતો હતો. (૫)

લહિ અવસર ઈક તિહિં પિતા, નિજ હિય રચ્યો વિચાર |
સુખસ્વરુપ અજ આતમા, તાસૂં ભિન્ન અસાર || ૬ ||
ઇહિં કારન તજિ રાજ યહ, જાનૂં આતમરુપ |
સ્વર્ગભૂમિ પાતાલકે, તિહું પુત્રહિં કરિ ભૂપ || ૭ ||

એક દિવસ શુભસંતતિના મનમાં વિચાર આવ્યો કે, સુખરૂપ તો ફક્ત આત્મા છે; આત્માથી ભિન્ન તમામ વસ્તુઓ તુચ્છ (સાર વગરની) છે, આટલા માટે મારા ત્રણ છોકરાઓને ત્રણ લોકનું રાજ્ય વહેંચી આપીને હું આ રાજ્ય તજીને ચાલ્યો જઉં અને આત્માના સ્વરૂપનો અનુભવ કરું. (૬,૭)

અસ વિચાર શુભસંતતિ કીના, મંત્ર પેખિ તિહું પુત્ર પ્રવીના |
દેશ ઈકંત સમીપ બુલાયે, નિજ વિરાગકે બચન સુનાયે || ૮ ||
ભાખ્યો પુનિ યહ રાજ સંભારહુ, ઈક પતાલ ઈક સ્વર્ગ સિધારહુ |
અપર બસહુ કાશી ભુવિ સ્વામી, રહત જહાં શિવ અંતરયામી || ૯ ||
જિહિં મરતહિં સુનિ શિવ ઉપદેશા, અનયાસહિં તિહિં લોક પ્રવેશા |
ગંગ અંગ મનુ કીર્તિ પ્રકાશૈ, ઉત્તર વાહિની અધિક ઉજાસૈ || ૧૦ ||

આવો વિચાર કરીને પોતાના મંત્રીને એ વાત સમજાવી અને પછી ત્રણે પુત્રોને એકાંતમાં બોલાવી કહ્યું કે મને સંસાર ઉપરથી વૈરાગ્ય થયો છે; માટે હવે તમે ત્રણે જણ આ રાજ્ય સંભાળી લોઃ એક જણ સ્વર્ગનું, એક જણ પાતાળનું અને એક જણ કાશીનગરમાં રહીને ભૂલોકનું (મૃત્યુલોકનું) રાજ્ય કરજો.

કાશી નગરી અતિ ઉત્તમ છે. તેમાં અંતર્યામી મહાદેવજી નિવાસ કરી રહ્યા છે. એ નગરીમાં જે મરણ પામે છે, તેને મહાદેવજી મૃત્યુ વખતે તારકમંત્રનો ઉપદેશ કરે છે; તેથી અનાયાસે મહાદેવના લોક (કૈલાસ)માં જાય છે. ત્યાં આગળ ઉત્તર ભણી વહેનારી ગંગાનદીનાં શ્વેત પાણી, તે જાણે એ નગરીની કીર્તિનો પ્રકાશ ન કરી રહ્યાં હોય, તેવાં શોભે છે. (૮ – ૧૦)


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


આચાર્ય-સેવાની આવશ્યકતા

બાની જાકી વેદ સમ, કીજૈ તાકી સેવ |
વ્હૈ પ્રસન્ન જબ સેવતૈં, તબ જાનૈ નિજ ભેદ || ૧૧ ||

બ્રહ્મવેતા આચાર્યની વાણી વેદ સમાન છે, માટે તેની જિજ્ઞાસુએ સેવા કરવી; કેમ કે જ્યારે સેવાથી આચાર્ય પ્રસન્ન થાય છે, ત્યારે જ પોતાના સ્વરૂપનું જ્ઞાન શિષ્ય ગુરુ પાસેથી મેળવી શકે છે. (૧૧)

આચાર્ય-સેવાનો પ્રકાર

સોરટા

વ્હૈ જબહી ગુરુ સંગ, કરૈ દંડ જિમ દંડવત |
ધારૈ ઉત્તમ અંગ, પાવન પાદસરોજરજ || ૧૨ ||

જ્યારે ગુરુની મુલાકાત થાય, ત્યારે તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા અને તેમના ચરણની પવિત્ર રજ માથે ચડાવવી. (બે પગ, બે ઘૂંટણ, બે હાથ, છાતી અને માથું = એ આઠ અંગ પૃથ્વીને અડકાડી, લાકડીની પેઠે લાંબા પડી નમસ્કાર કરવો, તેને ‘સાષ્ટાંગ દંડવત્ પ્રણામ’ કહે છે.) (૧૨)

ચૌપાઈ

ગુરુ સમીપ પુનિ કરિયે વાસા, જો અતિ ઉત્કટ વ્હૈ જિજ્ઞાસા |
તન મન ધન વચ અર્પી દેવૈ, જો ચાહૈ હિય બંધન છેવૈ || ૧૩ ||

જો શિષ્યની જિજ્ઞાસા (જ્ઞાન મેળવવાની ઈચ્છા) અતિશય ઉત્કટ હોય, તો તેણે ગુરુની પાસે જ નિવાસ કરવો; અને જો હ્રદયમાં રહેલો સંસારરૂપી બંધ કાપી નાખવો હોય, તો શરીર, મન, ધન અને વાણી ગુરુને અર્પણ કરવાં. (૧૩)

શરીર તથા મન – અર્પણના પ્રકાર

તન કરિ બહુ સેવા વિસ્તારૈ,આજ્ઞા ગુરુકી કબહુ ન ટારૈ |
મનમૈં પ્રેમ રામસમ રાખૈ, વ્હૈ પ્રસન્ન ગુરુ ઈમ અભિલાખૈ || ૧૪ ||
દોષદૃષ્ટિ સ્વપનૈ નહિ આનૈ, હરિ હર બ્રહ્મ ગંગ રવિ જાનૈ |
ગુરુમૂરતિકો હિયમૈં ધ્યાના, ધારૈ ચાહૈ જો કલ્યાના || ૧૫ ||

શરીર વડે ગુરુની ઘણી સેવા કરવી અને તેમની આજ્ઞાનો કદી લોપ ન કરવો, એ શરીર અર્પણ કર્યું કહેવાય. પોતાના મનમાં ગુરુ ઉપર પરમેશ્વર જેવી પ્રીતિ રાખવી અને ગુરુ શી રીતે પ્રસન્ન થાય એ જ ઈચ્છામાત્ર મનમાં રાખવી; વળી ગુરુના દોષ કદાપિ જોવા નહિ અથવા તેમના આચરણમાં દોષદૃષ્ટિ કરવી નહિ; પણ ગુરુને વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, ગંગાજી કે સૂર્યદેવ જેવા જાણવા. જે શિષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, તેણે ગુરુની મૂર્તિનું હ્રદયમાં ધ્યાન કરવું. (૧૪,૧૫)

ધન – અર્પણ પ્રકાર

ચૌપાઈ

પત્ની પુત્ર ભૂમિ પશુ દાસી, દાસ દ્રવ્ય ગ્રહ વ્રીહિ વિનાસી |
ધનપદ ઈન સબહિનકું ભાખૈ, વ્હૈ ગુરુ સરન દૂરિ તિહિ નાખૈ || ૧૬ ||

સોરટા

ધન અર્પનકો ભેવ, એક કહ્યો સુન દૂસરો |
વ્હૈ ગૃહસ્થ ગુરુદેવ, યાજ્ઞવલ્ક્ય સમ દેહ તિહિં || ૧૭ ||

સ્ત્રી, પુત્ર, પૃથ્વી, પશુ, દાસ, દાસી, દ્રવ્ય, ઘર, અનાજ – એ સઘળી નાશવંત વસ્તુઓને ધન કહે છે. તે સર્વનો ત્યાગ કરીને ગુરુને શરણે જવું, તેને ધન – અર્પણ કહે છે; કેમ કે ગુરુ તો ત્યાગી હોવાથી, તે સઘળાનો ગુરુ પોતે તો અંગીકાર કરે નહિ; પણ એવા ત્યાગી ગુરુની પ્રાપ્તિ માટે ધનનો ત્યાગ કર્યો હોય, તો તે પણ ગુરુને અર્પણ કર્યું કહેવાય. ધન-અર્પણનો એક એ પ્રકાર કહ્યો. બીજો સાંભળઃ ગુરુ જો ગૃહસ્થાશ્રમી હોય, તો તે સઘળું ધન ગુરુને આપી દેવું. એ ધન-અર્પણનો બીજો પ્રકાર છે. (૧૬,૧૭)

વાણી – અર્પણનો પ્રકાર

છંદ

ભાખત ગુનગન ગુરુકે બાની સુદ્ધ |
દોષ ન કબહુ અર્પણ કરિ ઇમ બુદ્ધ || ૧૮ ||

વાણી વડે ગુરુના ગુણોનું વર્ણન કરવું, પણ દોષ કદાપિ બોલવા નહિ; એ ગુરુને વાણી અર્પણ કરવાનો પ્રકાર છે. (૧૮)

શિષ્યનો ગુરુના સંબધમાં વ્યવહાર

સોરટા

જો ચાહૈ કલ્યાન, તનમનધનવચ અરપિ ઈમ |
વસૈ બહુત ગુરુસ્થાન, ભિચ્છા તૈ જીવન કરૈ || ૧૯ ||

જે માણસ પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, તેણે પાછળ કહ્યું તેમ ગુરુને શરીર, મન, ધન અને વાણી અર્પણ કરીને ઘણા કાળ સુધી ગુરુ હોય ત્યાં અથવા સમીપમાં રહેવું; અને બ્રહ્મચારી કે ત્યાગી શિષ્ય હોય તો તેણે ભિક્ષા માગી જીવન ચલાવવું. (૧૯)

ચૌપાઈ

સો ભિક્ષા ધરિ દૈશિક આગે, નિજ ભોજનકું નહીં પુનિ માગે |
જો ગુરુ દેહ તુ જાઠર ડારૈ, નહીં દૂજે દિનવૃત્તિ સંભારૈ || ૨૦ ||

શિષ્યે જે ભિક્ષા માગી આણી હોય, તે પોતેજ ખાઈ લેવી નહિ, પણ તે ગુરુની પાસે મૂકી દેવી. જો ગુરુ તેમાંથી કાંઈ આપે તો તે શિષ્યે લઈને ખાઈ લેવું; ન આપે તો બીજે દિવસે પણ એ જ પ્રમાણે ભિક્ષા માગી લાવીને ગુરુને આપવી. એક દિવસમાં બે વખત ભિક્ષા માગવા જવું નહિ. (૨૦)

દોહા

પુનિ ગુરુકે આગે ધરૈ, ભિક્ષા શિષ્ય સુજાન |
નિર્વેદ ન જિયમૈં કરૈ, જો નિજ ચૈ કલ્યાન || ૨૧ ||

બીજે દિવસે પણ શિષ્ય-ધર્મને સારી રીતે જાણનારો તે શિષ્ય ભિક્ષા માગી લાવીને ગુરુની પાસે મૂકે; જો તે પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, તો તેણે તેમ કરતાં મનમાં કોચવાવું નહિ. (૨૧)

ચૌપાઈ

ઈમ વ્યવહૃત અવસર જબ પેખૈ, મુખ પ્રસન્ન સન્મુખ લેખૈ |
વિનતિ કરે દોઉ કર જોરી, ગુરુ આજ્ઞાતૈ પ્રશ્ન બહોરી || ૨૨ ||

આ રીતે વ્યવહાર કરતાં કરતાં જ્યારે ગુરુને અવકાશ છે એમ માલૂમ પડે અને ગુરુ પ્રસન્ન મુખથી પોતાના તરફ જુએ, ત્યારે હાથ જોડી ગુરુની સ્તુતિ કરી વિનતિ કરવી કે, હે ભગવન્ | મારે કાંઈક પૂછવાની ઈચ્છા છે. પછી ગુરુ પૂછવાની આજ્ઞા કરે તો પ્રશ્ન કરવો. (૨૨)

દોહા

તનમનધનબાની અરપિ, જિહિં સેવત ચિત લાય |
સકલરુપ સા આપ હૈ, દાદુ સદા સહાય || ૨૩ ||

જે પુરુષ પાછળ કહ્યા પ્રમાણે તન, મન, ધન અને વાણીને અર્પણ કરીને ગુરુની ખરા ભાવથી (એક ચિત્તથી) સેવા કરે છે, તે પોતે જ સર્વ જગતરૂપ છે અને દાદુ સદા તેને સહાય કરે છે. (૨૩)

તરંગ ત્રીજો સમાપ્ત


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


તરંગ ત્રીજો

ગુરુશિષ્ય લક્ષણ અને ગુરુભક્તિફળ

(૧) ગ્રંથારંભની પ્રતિજ્ઞા

દોહા

પેખ ચારિ અનુબન્ધયુત, પઢૈ સુનૈ યહ ગ્રન્થ |
જ્ઞાનસહિત ગુરુસે જુ નર, લહૈ મોક્ષકો પન્થ || ૧ ||

ચારે અનુબંધ સહિત ગ્રંથને જાણી જ્ઞાની ગુરુ પાસેથી જે આ ગ્રંથ ભણે અથવા એકાગ્ર ચિત્ત કરી સાંભળે, તેને મોક્ષનો માર્ગ જે જ્ઞાન તે પ્રાપ્ત થાય છે. (૧)

દોહા

અનાયાસ મતિ ભૂમિમૈં જ્ઞાન ચિમન આબાદ |
વ્હૈ ઈહિ કારન કરત હૂં, ગુરુશિષ્યસંવાદ || ૨ ||

શ્રોતાની બુદ્ધિરૂપી પૃથ્વીમાં જ્ઞાનરૂપી બાગ વિના પ્રયાસે આબાદ થાય (અર્થાત્ ગ્રંથનો બોધ શ્રોતાને સુખથી થાય) માટે ગુરુશિષ્યના સંવાદરૂપે આ ગ્રંથનો આરંભ કરીએ છીએ. (૨)

(૨) ગુરુનું લક્ષણ

ચૌપાઈ

વેદ અર્યકૂં ભલે પિછાનૈ, આતમ બ્રહ્મરુપ ઈક જાનૈ |
ભેદ પન્ચમ કી બુદ્ધિ નશાવૈ, અદ્વય અમલ બ્રહ્મ દરશાવૈ || ૩ ||
ભવ મિથ્યા મૃગતૃષા સમાના, અનુલવ ઈમ ભાષત નહિ આના |
સો ગુરુ દે અદ્ભુત ઉપદેશા, છેદક શિખા ન લુન્ચિત કેશા || ૪ ||

જે ગુરુ વેદના અર્થને ભલા પ્રકારે જાણતા હોય તથા આત્મા અને બ્રહ્મને એકરૂપે જાણતા હોય, જે ગુરુ પાંચ પ્રકારના ભેદની બુદ્ધિનો નાશ કરે તથા દ્વૈતરહિત અને નિર્મળ બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવે વળી જે ગુરુ સંસારને મૃગતૃષ્ણા સમાન મિથ્યા છે અને બ્રહ્મભિન્ન બીજું કાંઈ છે નહિ એમ સર્વદા કહ્યા કરે છે, એવો ગુરુ અદ્ ભુત ઉપદેશ આપવાને યોગ્ય છે. તે સિવાય શિષ્યની શિખા કાપનારા અથવા માથાના વાળનો લોચ કરનારા (તોડીને બોડું કરનારા) ગુરુ ઉપદેશ આપવાને યોગ્ય નથી. (૩,૪)

કરત મોક્ષ ભવગ્રાહતે, દે અસિ નિજ ઉપદેશ |
સો દૈશિક બુધ જન કહત, નહિ કૃત ગૈરિકવેશ || ૫ ||

જે પોતાની ઉપદેશરૂપી તલવારથી સંસારરૂપી મગરને મારીને તેનાથી શિષ્યને છોડાવે છે, તેને પંડિતો આચાર્ય કહે છે, માત્ર ભગવાં લૂગડાં ધારણ કરનારને નહિ. (૫)

શિષ્યનાં લક્ષણ

દૈશિક કે લક્ષણ કહે, શ્રુતિ મુનિ વચ અનુસાર |
સો લક્ષણ હૈ શિષ્યકે, વ્હૈ જિતને અધિકાર || ૬ ||

વેદ અને શાસ્ત્રનાં વચનોને અનુસરીને ઉપર ગુરુનાં લક્ષણો કહ્યાં છે. હવે જે સાધનોથી ગ્રંથ સમજવાનો અધિકાર (યોગ્યતા) પ્રાપ્ત થાય, તે સાધનોને શિષ્યનાં લક્ષણો જાણવાં; અર્થાત્ પાછળ પહેલા તરંગમાં વિવેકાદિ અધિકારીનાં લક્ષણો કહ્યાં છે, તે જ લક્ષણોને શિષ્યનાં જાણી લેવાં. (૬)

ગુરુભક્તિના ફળનું વર્ણન

ઈશ્વરતે ગુરુમેં અધિક, ઘોર ભક્તિ સુજાન |
બિન ગુરુભક્તિ પ્રવીણ હૂં, લહૈ ન આતમજ્ઞાન || ૭ ||

શિષ્યે ઈશ્વર કરતાં પણ ગુરુની વધારે ભક્તિ કરવી; કેમ કે કોઈ માણસ સઘળાં શાસ્ત્રોમાં પ્રવીણ હોય, તથાપિ ગુરુભક્તિ વિના આત્મજ્ઞાન મેળવી શકતો નથી. (૭)

વેદ ઉદધિ બિનગુરુ લખૈ, લાગૈ લૌન સમાન |
બાદર ગુરુમુખ વ્હૈ, અમૃતસે અધિકાન || ૮ ||

વેદરૂપી સમુદ્રનું પાન જો ગુરુ વિના કરે, તો તે લવણ સમાન ખારું લાગે છે; પણ તે જ જળ ગુરુમુખરૂપી વાદળને દ્વારે આવે છે, ત્યારે અમૃતથી પણ વધારે મીઠું લાગે છે. (૮)

જ્ઞાની ગુરુ પાસેથી વેદાર્થનાં પાઠ અને શ્રવણની યોગ્યતા

દતિપુટ ઘટ સમ અજ્ઞ જન, મેઘ સમાન સુજાન |
પઢે વેદ ઈહિ હેતુતૈં, જ્ઞાનીપૈ તજિ આન || ૯ ||

અજ્ઞાની માણસો ચામડાની બોખ અથવા મસક જેવા છે. ચામડાની બોખથી સમુદ્રનું પાણી આણીએ, તેમાં કોઈ વિલક્ષણ સ્વાદ આવતો નથી, તેમ અજ્ઞાની માણસ પાસેથી ગ્રહણ કરેલા વેદરૂપી સમુદ્રનું અર્થરૂપી જળ પણ વિલક્ષણ આનંદ આપતું નથી; માટે અજ્ઞાની ગુરુઓ ચામડાની બોખ જેવા છે. જ્ઞાની ગુરુ મેઘ જેવા છે, તે વાત પૂર્વે કહેવાઈ છે; માટે ચર્મપાત્ર જેવા અજ્ઞાની ગુરુઓને છોડીને મેઘ સમાન જ્ઞાનીગુરુ પાસેથી વેદના અર્થ શીખવા અથવા સાંભળવા. (૯)

ભાષાગ્રંથથી પણ જ્ઞાન થાય છે

બ્રહ્મરુપ અહિ બ્રહ્મવિત, તાકી બાની વેદ |
ભાષા અથવા સંસ્કૃત, કરત ભેદભ્રમ છેદ || ૧૦ ||

બ્રહ્મવેત્તા પુરુષ બ્રહ્મરૂપ છે એ વાત શ્રુતિમાં પ્રસિદ્ધ છે; માટે તેની વાણી વેદરૂપ છે; પછી તે પ્રાકૃત ભાષારૂપ હોય કે સંસ્કૃતરૂપ હોય, તથાપિ તે ભેદરૂપી ભ્રમનો નાશ કરે છે; અર્થાત્ આત્માના સ્વરૂપનાં પ્રતિપાદક વાક્યોથી જ્ઞાન થાય છે, પછી તે વેદનાં હોય કે બીજાં હોય; માટે ભાષાગ્રંથથી પણ જ્ઞાન થાય છે. (૧૦)


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ…


વિષય મંડન
સાક્ષી અને જીવમાં તફાવત
દોહા
સાક્ષી બ્રહ્મ સ્વરુપ ઈક, નહીં ભેદકો ગન્ધ |
રાગ દ્વેષ મતિકે ધરમ, તામૈં માનત અન્ધ || ૧૨ ||

સાક્ષી બ્રહ્મસ્વરૂપ છે અને એક છે; તેમાં લગાર પણ ભેદ નથી. રાગ અને દ્વેષ એ બુદ્ધિના ધર્મ છે, તે અજ્ઞાનથી આંધળો થયેલો મનુષ્ય સાક્ષીના ધર્મ માને છે. (૧૨)

પ્રયોજન – મંડન (કાર્યાધ્યાસનું નિરૂપણ)
અધ્યાસનો હેતુ
કવિત્ત
સજાતીય જ્ઞાન સંસકારતૈં અધ્યાસ હોત,
સત્યજ્ઞાન જન્ય સંસકારકો ન નેમ હૈ |
દોષકો ન હેતુતા અધ્યાસ વિષૈ દેખિયત,
પટવિષૈ હેતુ જૈસે તુરી તન્તુ વેમ હૈ |
આતમા દ્વિજાતિ, સન્ગ પીત સીતા કટુ ભાસૈ,
સીપમેં વિરાગી રુપ દેખૈ બિન પ્રેમ હૈ |
નભ નીલ રુપવાન ભાસત કટાહ તમ્બૂ,
જિનકે ન કોઉ પિત્ત પ્રભૃતિ અછેમ હૈ || ૧૩ ||

સજાતીય વસ્તુના જ્ઞાનના સંસકારથી અધ્યાસ થાય છે. અધ્યાસ થવામાં સાચી જ વસ્તુના જ્ઞાનજન્ય સંસ્કાર જોઈએ એવો કોઈ નિયમ નથી; તેમ જ વસ્ત્રના હેતુ જેમ કાંઠલો, તાંતણા અને સાળ છે, તેમ અધ્યાસના હેતુ નેત્રાદિકનો દોષ છે, એમ પણ જોવામાં આવતું નથી. આત્મા જાતિરહિત છતાં તેને બ્રાહ્મણ કહેવામાં આવે છે, શંખ ધોળો છતાં નેત્રદોષથી પીળો જણાય છે, સાકર ગળી છતાં પિત્તાદિના દોષથી તે કડવી ભાસે છે, એવા દોષને અધ્યાસનો હેતુ જણાવનારાં ઉદાહરણો છતાં, તેથી વિરુદ્ધ ઉદાહરણો પણ મળી આવે છે; એટલે જેમ રાગરહિત સંન્યાસીને રૂપામાં પ્રીતિ ન છતાં પણ તેને છીપમાં રૂપું દેખાય છે; વળી જેને પિત્તરોગ આદિક કોઈ વ્યાધિ ન હોય છતાં પણ તેને આકાશ આસમાની રંગનું અને કડાઈ કે તંબૂ જેવા આકારનું ભાસે છે; માટે દોષ પણ અધ્યાસનો હેતુ નથી. (૧૩)

કારણ – અધ્યાસનું કારણ
સામાન્ય ચૈતન્ય અજ્ઞાનનું વિરોધી નથી
દોહા
ચિત્સામાન્ય પ્રકાશતૈં, નહીં નસૈ અજ્ઞાન |
લહૈ પ્રકાશ સુષુપ્તિમેં, ચેતન તૈ અજ્ઞાન || ૧૪ ||

ચૈતન્ય સામાન્ય પ્રકાશથી અજ્ઞાનનો નાશ થતો નથી; કેમ કે સુષુપ્તિમાં ચૈતન્ય વડે અજ્ઞાન પ્રકાશ પામે છે. (૧૪)

સંબધ મંડન
દાદુ દીનદયાલ જુ, સતસુખ પરમ પ્રકાસ |
જામેં મતિકી ગતિ નહીં, સોઈ નિશ્ચલદાસ || ૧૫ ||

દીન મનુષ્યો ઉપર દયા કરનાર દાદુજી સત્ રૂપ, આનંદરૂપ અને પરમ પ્રકાશ ચિત્ સ્વરૂપે છે; જે સચ્ચિદાનંદરૂપ દાદૂમાં બુદ્ધિની ગતિ પહોંચતી નથી (અર્થાત્ બુદ્ધિની વૃત્તિઓ વડે જે પરમાત્મ ચૈતન્યને જાણી શકાતું નથી) તે સચ્ચિદાનંદસ્વરૂપ એ જ હું નિશ્ચળદાસ છું. (૧૫)

તરંગ બીજો સમાપ્ત


વધુ આવતા અંકે…


Categories: વિચારસાગર | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


તરંગ બીજો

અનુબંધ વિશેષ નિરૂપણ

દોહા

યાકે પ્રથમ તરંગમેં, કિય અનુબંધ વિચાર |
કહું વ દ્વિતીય તરંગમેં, તિનહીકો વિસ્તાર || ૧ ||

પહેલા તરંગમાં ચાર અનુબંધનું નિરૂપણ કર્યું છે. એ જ વિષયને દૃઢ કરવાને આ તરંગમાં તેના જ વિસ્તારરૂપે વિશેષ નિરૂપણ કર્યું છે.

અધિકારી ખંડન

મૂલસહિત જગધ્વંસકી, કોઉ કરત નહિ આસ |
કિંતુ વિવેકી ચહત હૈં, ત્રિવિધ દુખનકો નાસ || ૨ ||

મૂળ અવિદ્યા સહિત જગતની નિવૃત્તિની ઈચ્છા કોઈ કરતું નથી પણ વિવેકી પુરુષો ત્રણ પ્રકારનાં દુઃખનો નાશ ચાહે છે.

કિય અનુભવ જા વસ્તુકો, તાકી ઈચ્છા હોઈ |
બ્રહ્મ નહીં અનુભૂત ઈમ, ચહૈં ન તાકૂ કોઈ || ૩ ||

જે વસ્તુનો અનુભવ કર્યો હોય તે વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે; બ્રહ્મનો એવો અનુભવ પ્રથમ કોઈએ કર્યો નથી, માટે તેને કોઈ ઈચ્છે નહિ.

વૈરાગ્યાદિનો અસંભવ

ચહત વિષય સુખ સકલ જન, નહીં મોક્ષકો પન્થ |
અધિકારી યાતૈં નહીં, પઢૈ સુનૈ જો ગ્રન્થ || ૪ ||

સઘળા લોકો વિષયસુખની ઈચ્છા કરે છે, પણ મોક્ષના માર્ગની કોઈ ઈચ્છા કરતું નથી; તેથી કોઈ અધિકારી જ સંભવતો નથી કે જે ગ્રંથ ભણે કે સાંભળે!

વિષયખંડન

જીવબ્રહ્મકી એકતા, કહ્યો વિષય સો કૂર |
ક્લેશરહિત વિભુ બ્રહ્મ ઈક, જીવ ક્લેશકો મૂર || ૫ ||

તમે પૂર્વે જીવ અને બ્રહ્મની એકતા એ ગ્રંથનો વિષય છે એમ કહ્યું છે તે ખોટું છે; કેમ કે બ્રહ્મ તો પાંચ ક્લેશોથી રહિત, વિભુ અને એક છે; તથા જીવ તો પાંચ ક્લેશોવાળો (પરિચ્છિન્ન અને અનેક) છે.

પ્રયોજન-ખંડન (અધ્યાસવાદ)

પૂર્વપક્ષ- અધ્યાસની સામગ્રી નથી.

બન્ધનિવૃત્તિ જ્ઞાનતૈં, બનૈ ન બિન અધ્યાસ |
સામગ્રી તાકી નહીં, તજો જ્ઞાનકી આસ || ૬ ||

જો બંધ અધ્યાસથી થયો હોય તો જ્ઞાનથી તેની નિવૃત્તિ સંભવે; પણ અધ્યાસ થવાની સામગ્રી જ નથી, તો પછી અધ્યાસ પણ ન હોય; અધ્યાસથી થયેલો બંધ ન હોય અને જ્ઞાનથી તેની નિવૃત્તિ થાય છે એમ પણ ન હોય; માટે બંધની નિવૃત્તિ કરવા માટે જ્ઞાનની આશા છોડી દેવી.

અધ્યાસની સામગ્રી

સત્ય વસ્તુ કે જ્ઞાનતૈં, સંસકાર ઈક જાન |
ત્રિવિધ દોષ અજ્ઞાન પુનિ, સામગ્રી પહિચાન || ૭ ||

સત્ય વસ્તુના જ્ઞાનથી ઊપજેલા સંસ્કાર, ત્રણ પ્રકારના દોષ અને અજ્ઞાન એ અધ્યાસની સામગ્રી છે.

એકભવિકવાદ (એટલે એક જ જન્મમાં એકલા કર્મથી મોક્ષની સિદ્ધિ)

નિત્યકર્મથી મોક્ષ

સત્ય બન્ધકી જ્ઞાનતૈં નહીં નિવૃત્તિ સયુક્ત |
નિત્ય કર્મ સન્તત કરૈં, ભયો ચહૈં જો મુક્ત || ૮ ||

બંધ સત્ય છે. તેની નિવૃત્તિ જ્ઞાનથી માનવી એ યુક્તિસિદ્ધ નથી, પણ અયુક્ત છે; માટે જે પુરુષ યુક્ત થવા ઈચ્છતો હોય, તેણે નિરંતર નિત્યકર્મ કર્યા કરવાં.

પૂર્વપક્ષીના ક્રમથી ઉત્તર અધિકારી મંડન

મૂલસહિત ‘જગહાનિ’ બિન, વ્હૈ ન ત્રિવિધ દુઃખ ધ્વંસ |
યાતૈં જન ચાહત સકલ, પ્રથમ મોક્ષકો અંસ || ૯ ||

જગતના કારણરૂપે અજ્ઞાન સહિત જગતની નિવૃત્તિ થયા વિના ત્રણ પ્રકારનાં દુઃખનો નાશ થતો નથી; માટે સઘળા લોકો મોક્ષના પહેલા અંશ (જે કારણ સહિત જગતની નિવૃત્તિ તે) ને ચાહે છે.

કિય અનુભવ સુખકો સબહિ, બ્રહ્મ સુન્યો સુખરુપ |
બ્રહ્મપ્રાપ્તિ યા હેતુ તૈં, ચહત વિવેકી ભૂપ || ૧૦ ||

સર્વ માણસોએ સુખનો અનુભવ તો કર્યો હોય છે; માટે સુખની ઈચ્છા સર્વને થાય છે અને ‘બ્રહ્મ નિત્ય સુખસ્વરૂપ છે’ એવું સત્ શાસ્ત્રોમાં સાંભળ્યું છે; માટે વિવેકી પુરુષો બ્રહ્મપ્રાપ્તિની ઈચ્છા કરે છે.

કેવલ સુખ સબજન ચહૈ, નહીં વિષયકી ચાહ |
અધિકારી યાતૈ બનૈ, વ્હૈ જુ વિવેકી નાહ || ૧૧ ||

સર્વ લોકો કેવળ સુખ જ ઈચ્છે છે, વિષયો કોઈ ઈચ્છતું નથી; માટે જે મનુષ્ય ઉત્તમ વિવેકી હોય, તે આ ગ્રંથનો અધિકારી હોઈ શકે છે.

ઈતિ અધિકારીનિરુપણમ્ |


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

Create a free website or blog at WordPress.com.