વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી

ધ્યાનના પ્રયોગો (૨)

કોઈ પણ વિષયને સમજવો હોય તો તે વિષયના જ્ઞાતા પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ. ઈન્ટરનેટના યુગમાં આપણને મહાપુરુષોના વિચારો વેબસાઈટ પરથી પણ ઉપલબ્ધ થતાં હોય છે. તો આજે મહામના શ્રી યોગેશ્વરજી પાસે નમ્રતાપૂર્વક પ્રણિપાત કર્યા પછી તેમને વિનમ્ર ભાવે જીજ્ઞાસાથી થોડા પ્રશ્નો પુછીએ અને તેમની અનુભવસિદ્ધ વાણીનો લાભ મેળવીએ :

પ્રશ્ન : ધ્યાન કેવી રીતે કરવું જોઈએ ?

ઉત્તર : એક ઠેકાણે શાંતિપૂર્વક અનુકૂળ આસન પર બેસીને, મનમાં ઉત્પન્ન થતા સંકલ્પવિકલ્પ કે વિચારોને શાંત કરીને વૃત્તિને અંતર્મુખ કરીને બેસી રહેવું તે ધ્યાનનો એક પ્રકાર છે. પરંતુ એવું શાંત ધ્યાન સૌને માટે શક્ય નથી હોતું. ધ્યાનમાં બેસતી વખતે ભાતભાતના ને જાતજાતના વિચારો ઊઠે છે તથા મન દોડાદોડ કરે છે. એટલા માટે જ, મનને સ્થિર કરવાના એક અકસીર સાધન રૂપે, કોઈ મંત્ર કે રૂપ સાથે ધ્યાન કરવાની ભલામણ કરવામાં આવી છે. એને સાકાર ધ્યાનના નામે ઓળખવામાં આવે છે. આરંભમાં કોઈક અનુભવી માર્ગદર્શકની સલાહ પ્રમાણે એવું ધ્યાન કરવાથી આગળના ધ્યાનમાં મદદ મળે છે.

પ્રશ્ન : ધ્યાન કેવી રીતે કરવું જોઈએ – ઈશ્વર આપણી સામે રહેલા છે અને આપણા પર કૃપા વરસાવી રહ્યા છે એવું માનીને કરવું કે તે આપણા હૃદયમાં વિદ્યમાન છે, એવી ભાવના સાથે કરવું ?

ઉત્તર : ધ્યાન કરવાની પદ્ધતિઓ અનેક છે, એ હકીકતનું સ્પષ્ટીકરણ મેં પહેલા પણ કરી દીધું છે. એ બધી જ પદ્ધતિઓનો સમાવેશ મુખ્યત્વે બે વિભાગમાં કરી શકાય છે. સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન, કોઈ પણ પ્રકારનાં ચિંતન મનન વિના ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કહ્યા પ્રમાણે, ધ્યાનમાં બેસીને મનને ધીરે ધીરે કે ક્રમે ક્રમે શાંત કરવાની કોશિશ કરવી તે નિર્ગુણ ધ્યાન છે. અથવા તો આત્મસ્વરૂપનું ચિંતન કરવું કે પછી કોઈક જપનો આધાર લઈને મનને એકાગ્ર અને શાંત કરવાનો અભ્યાસ કરવો તે પણ નિર્ગુણ ધ્યાન કહેવાય છે. સગુણ ધ્યાનમાં ઈશ્વરના કોઈ રૂચિપૂર્વકના રૂપમાં મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો પડે છે. એ બધા પ્રકારની અને એવી જ બીજી પદ્ધતિઓમાંથી કોઈ પણ એક અનુકૂળ પદ્ધતિનો આધાર લઈને ધ્યાનની સાધનામાં આગળ વધી શકાય છે. પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન કે સુખાસનમાંથી કોઈ પણ આસન ધ્યાનને માટે અનુકૂળ ગણાય છે. એમાંથી અનુકૂળ આસન પસંદ કરીને ધ્યાન કરવું જોઈએ. ઈશ્વર હૃદયમાં રહેલા છે અને એમની કૃપા નિરંતર વરસી રહી છે એવું એકસાથે માનીને ધ્યાન કરવાથી તમને વિશેષ લાભ થશે, એવો અભિપ્રાય તમારી ભાવનાને લક્ષમાં લેતા આપી શકાય છે.

પ્રશ્ન : પોતાની જાતને કેવી રીતે ઓળખાય ? પોતાની જાતને ઓળખવી એટલે શું ?

ઉત્તર : પોતાની જાતને ઓળખવી એટલે પોતાના શરીરમાં રહેલી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ અનુભવ કરવો, એનું દર્શન કરવું. એને સ્વરૂપનું દર્શન પણ કહેવાય છે. ધ્યાનથી એ શક્ય બને છે. ધ્યાન કરતાં મન શાંત થાય છે ત્યારે આત્મતત્વનો અનુભવ કરી લે છે.

પ્રશ્ન : મોક્ષનું સ્વરૂપ કેવું છે ?

ઉત્તર : મોક્ષનું સ્વરૂપ ઘણું વિશાળ છે. સ્વરૂપના દર્શનથી આત્માના અપરોક્ષ જ્ઞાનનો ઉદય થાય છે. તેથી ભેદભાવની નિવૃત્તિ થાય છે તથા અશાંતિ ટળી જાય છે. તે મોક્ષનું મુખ્ય સ્વરૂપ છે. એના અનુભવને માટે બધી જાતનાં વ્યસનો, દુર્ગુણો, દુર્વિચારો, દુષ્કર્મો તથા દુન્યવી મમતા, અહંતા અને આસક્તિમાંથી મુક્તિ મેળવવી જોઈએ.


ઈશ્વરનું ધ્યાન કેવી રીતે કરવું – યોગેશ્વરજી સાથે પ્રશ્નોત્તરી


Categories: અધ્યાત્મ / યોગ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , , | Leave a comment

શું તમે ગુજરાતના નાગરીક છો?

શું તમે ગુજરાતના નાગરીક છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે ૧૮ વર્ષથી વધુ વય ધરાવો છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે મતદાન કરવું જોઈએ તેમ માનો છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે કોને મત આપવો જોઈએ તેને માટે બીજાને પુછો છો?
હા
તો આગળ ન વાંચશો.

તમે મતદાન કરવા જવાના છો?
ના
તો આગળ ન વાંચશો.

જો તમે અહીં સુધી પહોચ્યા હો તો તમે ગુજરાતના એક પુખ્ત વયના કે જેનું મગજ હજુ સાબુત છે તેવા નાગરીક છો.

અલ્યા ભૈ કે બુન નાગરીકત્વ તમારું, મત તમારો, તો વિચાર કરીને તમને જે ઉમેદવાર યોગ્ય લાગે ઈને મત આપી આવજોને . . .

કોને મત આપવો કે કોને નહીં એની પંચાત કરવાને બદલે શું તમારી પાંહે બીજા કોઈ અગત્યના કામ નથી?

Categories: ગુજરાત, ગુજરાતી, જીવે ગુજરાત, લોકમત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વિચારે ગુજરાત | Tags: | Leave a comment

શ્રમીક અને ભગવાનનો કાલ્પનિક સંવાદ

શ્રમીક ભગવાન સન્મુખ ઉતાવળે ઉતાવળે આવીને કહે છે કે હે ભગવાન હું ખુબ કામમાં છું મારે ખુબ મજુરી કરવાની હોય છે. દિવસ રાત તનતોડ મહેનત કરુ ત્યારે જ માંડ હું પેટિયું રળી શકું તેમ છું. હે પ્રભુ મને જલદી જલદી બતાવો કે મારે તમારું ભજન ક્યારે કરવુ? મને તો સમય જ નથી મળતો.

ભગવાન હસીને કહે કે વત્સ હું ધન્ય થઈ ગયો કે આજે તને ઉતાવળે ઉતાવળેય મારી સાથે વાત કરવાનો સમય મળ્યો. સાંભળ આ જગતમાં મે કોઈનેય એટલું કામ નથી આપ્યું કે તે મારા માટે એટલે કે પોતાને માટે સમય ન કાઢી શકે. સૂઈને ઉઠો ત્યારે એક વખત મને સંભારી લ્યો અથવા તો જમતા જમતા મને સ્મરી લ્યો. સુવા જતા પહેલા મારુ સ્મરણ કરો.

મારો વહાલો કબીર તો તેનું કપડા વણવાનું કામ કરતાં કરતાં મારુ સ્મરણ કરી લેતો હતો. મારો આત્મીય રૈદાસ જોડા સીવતા સીવતાયે મને કદી ભૂલતો ન હતો. જ્યારે તારી પાસે દિવસમાં એકાદ વખત પણ મને સ્મરવા જેટલો સમય નથી?

શ્રમીક કહે અરે બાપજી તમે જાણતા નથી કે મારે મારા પાંચ છોકરાને પાળી પોષીને મોટા કરવાના છે. એ બધાનું પુરુ કરવા તો હુ ને મારી બૈરી દિવસ રાત મજુરી કરીએ છીએ, દારુએ અઠવાડીયામાં બે જ વાર પીવાનું રાખ્યું છે અને ચોરી ચપાટી તો રામ રામ, બહુ ભીડ પડે ત્યારે વરહમાં એકાદ વાર કરી લઉ છું. હવે આટલી બધી ઉપાધીમાં હું ક્યાં તમને યાદ કરવા બેસું?

ભગવાન મરક મરક હસતા કહે અરે મારા વ્હાલા જો પુરુ પડે એમ નહોતું તો પગભર થયા વગર પરણ્યો શું કામ? પરણ્યો તો પછી મહેનત કરીને સક્ષમ થતા પહેલા છોકરા શું કામ જણવા લાગ્યો? એકાદ છોકરાથી ન ચાલ્યું તો પાંચ પાંચ છોકરા શું કામ જણવા પડ્યા? વળી દારુ પીવા માટે સમય અને પૈસો બગાડે છે એટલી ઘડી મારું સ્મરણ કર તો તને શું વાંધો આવે છે?

શ્રમીક કહે બાપજી દારુ એ તો અમારું મનોરંજન અને છોકરાં જણવા એ જ તો અમારો આનંદ. તમને ભજીને અમે શું કાંદો કાઢી લેવાના?

ભગવાન કહે જો ભાઈ તું થોડું ઘણુંએ મારું સ્મરણ કર તો તારી બુદ્ધિ શુદ્ધ થાય અને પછી તને સમજાય કે શું સાચું ને શું ખોટું. આમા તો તું તારી ઈચ્છા પ્રમાણે મનફાવે તેમ જીવે છે અને દુ:ખ પડે તો વાંક મારો કાઢવા બેસે છે. મેં તો આ જગતની રચના બધાની સગવડતાને ધ્યાનમાં રાખીને કરી છે. આ સૃષ્ટિમાં મેં ક્યાંયે દુ:ખ કે સુખનું સર્જન કર્યું નથી. દુ:ખ અને સુખ તો જીવે ઉભા કરેલા છે.

મેં મારા વિષે, તારા વિષે (એટલે કે જીવ વિષે) અને આ સૃષ્ટિ વિષે બધું ભગવદગીતામાં સાર રુપે કહી દીધું છે. તેમ છતાં તારી સરળતા માટે તને સરળ ગીતાના સાર રુપ આ છ શ્લોક સંભળાવી દઉ છું.

દેહત્યાગ પહેલાં જ જે કામ ક્રોધનો વેગ,
સહન કરે તે શ્રેષ્ઠ છે, સુખી થાય છે તે જ.

આત્મ જુએ સૌમાં અને અનુભવ કરે સમાન,
જાણે પરની પીડ તે યોગી માન મહાન.

મનથી ભજ મુજને અને તનથી કર સેવા,
કર્મ મને અર્પણ કરી માણી લે મેવા.

જગમાં જોઈને મને વંદન કર હરરોજ,
મને પામશે એમ તું કરતાં મારી ખોજ.

મન વાણીથી ભક્ત થા મારો કેવળ તું,
શાંતિ તેમ સુખ પામશે, સત્ય કહું છું હું.

ચિંતા સઘળી છોડ ને મારું શરણું લે,
પાપ બધાં ટાળીશ હું, શોક તું તજી દે.

આ સાર રુપ શ્લોકનું તું તારુ જે કાર્ય હોય તે કાર્ય કરતાં કરતાં મનન કરજે, ચોક્કસ તારું કલ્યાણ થશે.

ૐ તત સત

Categories: ચિંતન, ભગવદ ગીતા, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વિચાર વિમર્શ | Tags: , , | Leave a comment

સજ્જનમીટર કેવી રીતે બનાવશો?

મિત્રો,

શું તમે સજ્જન છો? તે પોસ્ટમાં આપણે સજ્જનમીટર વીશે વાત કરેલી. તેમાં કેવા કેવા પ્રશ્નો અને કેવા કેવા ઉત્તરો આપી શકાય તેને વીશે થોડી પૂર્વભુમિકા બાંધેલી. શ્રી અશોકભાઈએ આમાં વિકલ્પોને ભારાંક આપવાનું સૂચન કર્યું છે. સજ્જનમીટર દરેકે પોત પોતાનું બનાવવાનું છે. મારું સજ્જનમીટર તમને નહીં માપે અને તમારું સજ્જનમીટર મને નહીં માપે. જે વ્યક્તિ જે પ્રકારનું જીવન જીવતા હોય કે કાર્ય પદ્ધતિ ધરાવતા હોય તે પ્રમાણે સજ્જનમીટર બનાવવું જોઈએ.

સજ્જનમીટરમાં બે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવો જોઈએ.

૧. કેવી કેવી બાબતોથી ધીક્કાર જન્મતો હોય છે.
૨. કેવી કેવી બાબતોથી વિસંગતતા જન્મતી હોય છે.

જેટલી જેટલી બાબતોએ આપણાં મનમાં ધિક્કાર જન્મતો હોય તેટલી બાબતોને નોંધીને તેના પ્રશ્નો બનાવો આ ઉપરાંત જેટલી જેટલી બાબતે સમાજમાં વિસંગતતા ફેલાતી જણાય તેવા પ્રશ્નો બનાવો.

આ પ્રશ્નોના શક્ય તેટલા વિકલ્પ આપો.

ઉત્તમ અથવા તો આદર્શ વિકલ્પને ૧ અને અન્ય દરેક વિકલ્પને ૦ ગુણ આપો.

૫, ૧૦, ૨૦, ૨૫, ૫૦ કે ૧૦૦ પ્રશ્નો રાખો.

પ્રત્યેક પ્રશ્નને ૧૦૦/પ્રશ્નોની સંખ્યા જેટલો ભારાંક આપો.

કુલ જેટલા ગુણ મળ્યાં હોય તેને ભારાંક વડે ગુણો.

જે જવાબ મળશે તે સજ્જનઆંક થશે.

જેટલા પ્રશ્નમાં ૦ ગુણ મળે તે ગુણ વધારવાનો પ્રયાસ કરવાનો છે.

આ ઉપરાંત નવા નવા પ્રશ્નો સમયાંતરે ઉમેરતા રહો.

સજ્જનમીટરમાં દર અઠવાડીએ સ્વ-મૂલ્યાંકન કરો.

જ્યારે સજ્જનઆંક ૧૦૦ થઈ જાય ત્યારે નવા વધારે જટીલ પ્રશ્નો ઉમેરીને સજ્જનમીટર અપડેટ કરો.

સ્વ-મૂલ્યાંકન કરવાનું હોવાથી પ્રશ્નોના જવાબ પ્રામાણીકતાથી સાચા આપો. તેને લીધે જે તે બાબતે ઉત્પન્ન થતો ધિક્કાર દૂર કરવામાં મદદ મળશે અન્યને જોવાના દૃષ્ટીકોણમાં સુધારો થશે.

જેમ જેમ સજ્જન આંક વધતો જશે તેમ તેમ આપણું મન ઘૃણારહિત થતું જશે અને અન્ય સજીવો પ્રત્યે આત્મિયતા વધતી જશે. આમ અંત:કરણ શુદ્ધ થવાથી પ્રસન્નતા પ્રાપ્ત થશે.

તો બોલો.. ક્યારે તમારું સજ્જનમીટર બનાવો છો?

Categories: કેળવણી, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વ્યક્તિત્વ વિકાસ, શિક્ષણ | Tags: , | Leave a comment

શું તમે સજ્જન છો?

શું સુર્ય કદી કોઈને ય પ્રકાશ આપવાનો ઈન્કાર કરે?

શું નદી કોઈને ય તેનુ જળ આપવાનો ઈન્કાર કરે ખરી?

શું હવા કદી કહે કે ખબરદાર જો મારામાંથી પ્રાણવાયું શ્વસ્યો છે તો?

પૃથ્વી કોઈને કહે છે કે હું આશરો નહીં આપુ?

શું આકાશ કદી કોઈને ય અવકાશ ન આપે તેવું બને ખરું?

ભેદભાવ અને માલીકી ભાવ સહુથી વધુ કોનામાં છે?

આદીવાસી અને જંગલી પ્રજાઓમાં કે પ્રાણીઓમા?

ના તે તો માત્ર તેમના પ્રાકૃતિક સ્વભાવ પ્રમાણે કુદરતી જીવન ગાળે છે.

માણસ ને માણસથી સહુથી વધુ વિભાજીત કરનારું તત્વ હોય તો તે છે બુદ્ધિ. જેમ માણસ વધારે બુદ્ધિશાળી તેમ તે અન્યનું હિત કે અહિત વધારે કરી શકે. આ જગતનું વધારેમાં વધારે હિત બૌદ્ધિકોએ કર્યુ છે અને સાથો સાથ આ જગતની સર્વ વિસંવાદીતાના મુળમાંયે બૌદ્ધિકોનો ફાળો રહ્યો છે.

આદીવાસી તીર કામઠાંથી એક બે પ્રાણીઓનો શીકાર કરશે જ્યારે બુદ્ધિશાળી દેશો વૈજ્ઞાનિકોની મજુરીથી વિઘાતક શસ્ત્રો દ્વારા અન્ય દેશો પર દાદાગીરી કરશે.

અન્યનું અને સ્વનું અહીત કરનારી એક બીજી ખતરનાક વૃત્તિનું નામ છે ધીક્કાર અથવા તો ધૃણા. જગતની સર્વ વિસંવાદીતાના મુળમાં એક તો સંત્તા અને સંપત્તિની પ્રાપ્તિ કે માલિકી ભાવનાનો ફાળો છે અને એટલો જ ફાળો છે અન્ય પ્રત્યે ધૃણા કે ધીક્કારમાં.

ધૃણા કે ધીક્કારના મુળ ધાર્મિક માન્યતાઓ, પૂર્વગ્રહો અને અન્ય સજીવો પ્રત્યે સંવેદન તથા સંવાદીતાના અભાવમાં રહેલાં છે.

સજ્જન તે છે કે જે સર્જનહારની કોઈ પણ કૃતિને ધીક્કારતો નથી કે નથી કોઈની ધૃણા કરતો. જેમ જેમ જગતમાં ધૃણારહિત સજ્જનો વધતા જશે તેમ તેમ જગતમાં સંવાદીતા આવશે અને આનું આ જગત વધારે જીવવા લાયક બનશે. આ જગતમાં સજ્જન વધારવાનો એક જ ઉપાય છે કે જાતે સજ્જન બનવું. સજ્જનતા માપવાનું સજ્જનમીટર તે છે કે તમે કેટલાં ધૃણા રહિત છો તે ચકાસતા રહેવુ. જેટલા તમે ધૃણારહિત તેટલા તમે વધારે સજ્જન.

થોડાક પ્રશ્નના જવાબ તમારી મેળે આપીને ચકાસી લ્યો કે તમે કેટલા સજ્જન છો?

સવાલ ૧. જો તમે પુરુષ હો તો સ્ત્રીઓને કેવી ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતી ક.ચડીયાતી

અથવા

સવાલ ૧. જો તમે સ્ત્રી હો તો પુરુષને તમારા કરતા કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતો ક.ચડીયાતો

સવાલ ૨. તમે જે ધર્મમાં જન્મ લીધો છે તે અથવા તો તમે જે અપનાવ્યો છે તે ધર્મને અન્ય ધર્મ કરતાં કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ચડીયાતો ક.ઉતરતો ડ. ધર્મ સાથે મારે કશા લેવા દેવા નથી

સવાલ ૩. જો તમે શીક્ષિત હો તો તમે અશીક્ષીત ને કેવા ગણો છો?
વિકલ્પ : અ.જંગલી ૨.અસભ્ય ૩.સમાન ૪.ચડીયાતા ૫.બીચારા ૬.મુર્ખ ૭.અન્ય

સવાલ ૪. જો તમે અશીક્ષીત હો તો શીક્ષીતને કેવા ગણો છો?
વિકલ્પ: અ.સાહેબ બ.મોટા માણસ ૩.બદમાશ ૪.માન આપવા લાયક ૫.તેનો ડર લાગે તેવા ૬.અન્ય

સવાલ ૫. તમે જે દેશમાં રહો છો તે દેશ સીવાયના અન્ય દેશોના નાગરીકોને કેવા ગણો છો?
વિકલ્પ: અ.ચડીયાતા બ.ઉતરતા. ક.કેટલાક દેશોના ચડીયાતા ને કેટલાક ઉતરતા ડ.અન્ય

સવાલ ૬. તમારી સીવાયના અન્ય મનુષ્યોને તમે કેટલુ મહ્ત્વ આપો છો?
વિકલ્પ: અ.તમારા જેટલું બ.તમારાથી વધારે ક.તમારાથી ઓછું ડ.સંજોગો પ્રમાણે વધારે ઓછું

સવાલ ૭. તમે તમારાથી અલગ મત ધરાવનારા પ્રત્યે કેવો ભાવ રાખો છો?
વિકલ્પ: અ.દુશ્મનાવટનો બ.મિત્રતાનો ક.તટસ્થ ડ.કહી ન શકાય

આ તો માત્ર થોડા પ્રશ્નો છે. વિકલ્પ પણ થોડા છે. આવા પ્રશ્નો જાતે બનાવીને તેના જવાબો ચકાસી જોજો. મુલ્યાંકન પણ તમારી જાતે જ કરજો અને સજ્જનમીટરમાં તમારો આંક કેટલો છે તે જાતે માપજો. આ આંક ૪૦ થી ૬૦ આવે તો તમે મનુષ્ય છો. ૪૦ થી ઓછો આવે તો પશુતુલ્ય છો. ૬૦થી વધારે આવે તો સજ્જન છો. ૮૦ થી વધારે આવે તો મહાત્મા છો અને ૧૦૦ આવે તો ખોટાબોલા છો… 🙂

Categories: અવનવું, ચિંતન, પ્રશ્નાર્થ, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, હાસ્ય | Tags: , | 7 Comments

દાદાની વાડીમાંથી મળ્યો પ્રાકૃતિક ખજાનો

અતુ..લ….

બાની બુમ સાંભળીને હું દોડતો આવ્યો અને પુછવા લાગ્યો કે શું બા?

જો અતુલ તને ખબર છે ને કે આપણે સાત-આઠ દિવસ ઘર સંભાળવનું છે. હા બા મને ખબર છે. શું કામ હતુ તે કહો.

જો આગળના ફળીયામાં આંબાનો મ્હોર ખર્યા કરે છે અને કેટલો કચરો પડે છે. હવે મારા પગ ચાલતા નથી તો તું કચરો વાળી નાખીશ?

હા બા તેમાં શું? હમણાં કચરો વાળવા લાગું છું.

હજુ તો કચરો વાળવાનો પુરો થાય ન થાય ત્યાં તો બાએ બુમ પાડી અ..તુ…લ….

ફરી પાછો બા પાસે પહોંચીને પુછવા લાગ્યો કે શું બા?

જો અતુલ હમણાં પાણી આવશે. પીવાનું પાણી તું ભરી લઈશ ને?

હા બા હમણાં ભરી લઉ છુ.

પાણી ભરાવાનું પુરુ થયું ત્યાં તો બાનો ફરી સાદ આવ્યો અ..તુ…લ….

પાછો પહોંચ્યો બા પાસે કે શું બા?

પાણી ભરાઈ ગયું?

હા

તો પાછળના પ્લોટમાં દાદાની વાડીમાં આંટો મારી આવ. ત્યાં આંબામાં મ્હોર કેવોક આવ્યો છે તે જોતો આવ અને ખાસ તો જોજે કે ત્યાં આજે નવા જ ફુલ ખીલ્યાં છે. જા ત્યાં જઈને બધું જોઈ આવ અને થોડા ફોટાએ પાડી લેજે ત્યાં હું લોટ બાંધી રાખું છું એટલે તને ગરમા ગરમ રોટલી જમાડી શકું.

સારુ બા હું હમણાં જ જઈને આવું છું.

અને દાદાની વાડીમાંથી મળ્યો પ્રાકૃતિક ખજાનો…



તમે થોડી વાર આ પ્રાકૃતિક વૈભવ માણો ત્યાં હું બાના હાથની ગરમા ગરમ રોટલીનું ભોજન જમીને આવું હો.. અને હા, ઓડકાર ખાતો ખાતો પાછો આવું ત્યાં સુધી તમે અહીં રહેશો ને?

Categories: કુટુંબ, કુદરત, કેળવણી, પ્રકૃતિ, પ્રશ્નાર્થ, મધુવન, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સૌંદર્ય | Tags: , , | Leave a comment

સંસારી ઈશ્વર ચિંતન કરી શકે?

Man_Ishware


એક વખત શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમના કોઈ ગૃહસ્થ ભક્તે કહ્યું કે તમે તો આખો વખત ઈશ્વર સ્મરણમાં રત રહી શકો પણ અમે તો સંસારી છીએ. સંસારના કેટલાયે કામ કરવાના હોય તેમાં ઈશ્વર ચિંતન કેવી રીતે કરીએ?

શ્રી રામકૃષ્ણ સહમત થતાં કહેવા લાગ્યા કે ગૃહસ્થો ઉપર ઘણી મોટી જવાબદારીઓ હોય છે તેમ છતાં તેઓ ધારે તો ઈશ્વર ચિંતન કરી શકે. થોડા ઉદાહરણો આપતાં તેમણે કહ્યું કે :

તમે શાક બકાલું વેચતી સ્ત્રીને જોઈ છે? તે ઘરાક સાથે ભાવતાલ કરતી જાય, શાક તોળતી જાય અને ખોળામાં છોકરાંને સુવરાવીને ધવરાવતીયે જાય. આ બધા કાર્યમાં ધ્યાન આપતી વખતે તેનું મુખ્ય ધ્યાન તો છોકરામાં જ હોય.

તમે ગામડામાં બેડા લઈને પાણી ભરવા જતી સ્ત્રીઓને જોઈ છે? તે માથા પર બેડા ભરીને પાણી લઈને આવતી હોય, સાથે સાથે બીજી સ્ત્રીઓ સાથે અલક મલકની વાતોએ કરતી જતી હોય પણ તેનું સમગ્ર ચિત્ત માથા પરથી બેડું સરી ન પડે તેમાં જ લાગેલું હોય.

તમે ખાંડણીયામાં અનાજ ખાંડતી સ્ત્રીઓને જોઈ છે? તે એક હાથે અનાજ ઓરતી જાય અને બીજા હાથે સાંબેલાથી ખાંડતી જાય, વચ્ચે વચ્ચે સુચનાઓ દેતી જાય. તેનું સમગ્ર ધ્યાન સાંબેલુ હાથ પર વાગી ન જાય તેમાં જ લાગેલું હોય.

આ રીતે સંસારમાં રહીને ય સંસારના દરેક કાર્ય કરતી વખતે જો મન ઈશ્વર ચિંતનમાં જ લાગેલું રહે તો સંસારમાં રહીને ય ઈશ્વર ભજન થઈ શકે. નહીં તો સંસારમાં રહીને ઈશ્વર ભજન કરવું બહુ કઠણ.


સાધનામાં તમે કેવી રીતે સાધના કરો છો તે મહત્વનું નથી પણ તમારું મન કેટલા ટકા સાધન પરત્વે રાખી શકો છો તે જ મહત્વનું છે.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ચિંતન, રામકૃષ્ણ પરમહંસ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સાધના | Tags: , , | 1 Comment

અભય

મીત્રો,

“ડરપોક” વ્યક્તિ કદી સ્વસ્થ રહી શકે? યાદ છે ને આ વર્ષનો મંત્ર છે “સ્વ-સ્થિતિ એટલે સ્વસ્થતા”.

શ્રીમદ ભગવદગીતાનો ૧૬મો અધ્યાય દૈવાસૂર સંપદવિભાગ યોગ છે. તેમાં દૈવી તેમજ આસુરી સંપતિનું વર્ણન કરવામાં આવેલ છે. પ્રથમ દૈવી સંપતી છે – અભય.

નીર્ભય અને અભયમાં તફાવત છે. નીર્ભય એટલે જે કોઈનાથી ન ડરે તેવું જ્યારે અભય એટલે જે કોઈનાથી ન ડરે અને જેનાથી કોઈ ન ડરે તેવું. વાઘ સિંહ નિર્ભય હોઈ શકે પણ અભય નહીં કારણકે તેનાથી ડરનારા બીજા અન્ય નાના નાના પ્રાણીઓ હોય છે. જ્યારે અભયરુપ દૈવી સંપતી ધરાવનાર વ્યક્તિ નથી કોઈથી ડરતી કે નથી કોઈને ડરાવતી.

આજે જરા સ્વામી વિવેકાનંદની “અભય વાણી” જોઈ લેશુ ને?

અભયવાણી

આમેય સમયાંતરે પુનરાવર્તન જરુરી હોય છે.

શું કહો છો કેશુબાપા?

Categories: ચિંતન, મનોચિકિત્સા, વાંચન આધારિત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ (૬૩ થી ૬૮)



સંપૂર્ણ


Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ (૫૮-૫૯-૬૦-૬૧-૬૨)


Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.