લોકમત

શું તમે ગુજરાતના નાગરીક છો?

શું તમે ગુજરાતના નાગરીક છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે ૧૮ વર્ષથી વધુ વય ધરાવો છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે મતદાન કરવું જોઈએ તેમ માનો છો?
ના
તો આગળ ન વાંચશો.

શું તમે કોને મત આપવો જોઈએ તેને માટે બીજાને પુછો છો?
હા
તો આગળ ન વાંચશો.

તમે મતદાન કરવા જવાના છો?
ના
તો આગળ ન વાંચશો.

જો તમે અહીં સુધી પહોચ્યા હો તો તમે ગુજરાતના એક પુખ્ત વયના કે જેનું મગજ હજુ સાબુત છે તેવા નાગરીક છો.

અલ્યા ભૈ કે બુન નાગરીકત્વ તમારું, મત તમારો, તો વિચાર કરીને તમને જે ઉમેદવાર યોગ્ય લાગે ઈને મત આપી આવજોને . . .

કોને મત આપવો કે કોને નહીં એની પંચાત કરવાને બદલે શું તમારી પાંહે બીજા કોઈ અગત્યના કામ નથી?

Categories: ગુજરાત, ગુજરાતી, જીવે ગુજરાત, લોકમત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વિચારે ગુજરાત | Tags: | Leave a comment

ગુજરાતના શાણા મતદારોને હાર્દિક અપીલ

Mitranandsagar is here

પ્રિય મતદારો,

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનાં પડઘમ શમી ગયાં છે અને મતદાન આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્‍યારે થોડીક મહત્ત્વની બાબતોનો વિચાર કરજો.

તમારો એક જ મત કોઈ પણ માંધાતાને સત્તા ઉપરથી ઉથલાવવાની ઠંડી તાકાત ધરાવે છે અને તમારો એક જ મત કોઈ અનજાન મુસાફિરને સત્તાના શિખર ઉપર પહોંચાડવાનો જાદુ પણ ધરાવે છે. તમને મળેલું એક મતનું વરદાન જ પાંચ વરસે એકવાર ભલભલા મહારથીને તમારા પગમાં આળોટવા માટે મજબૂર કરે છે. કારણ કે તમારો એક જ મત તમે ધારો તેવું ચમત્‍કારી પરિણામ લાવવાની ગુપ્‍ત તાકાત ધરાવે છે.

તમને મળેલી આ અણમોલ શક્‍તિ વેડફાઈ ન જાય તે ખાસ યાદ રાખીને મતદાન કરશો તો પાંચ વરસ સુધી પસ્‍તાવાનો વારો નહીં આવે.

મત આપતાં પહેલાં નીચેની વાતો ગાંઠે બાંધીને પછી જ મતદાન મથક તરફ કદમ માંડજો.

તમે કોઈ પણ ગુંડા, લફંગા, ગુનેગાર કે ક્રિમિનલને વોટ ન જ આપો, પછી ભલે તે તમારા મનગમતા નેતાનો કે મનગમતા પક્ષનો ઉમેદવાર કેમ ન હોય. આ વખતના…

View original post 472 more words

Categories: લોકમત, વખત વિત્યાની પહેલા, વિચાર વિમર્શ | 1 Comment

आम आदमी

આમ આદમી

Don’t Underestimate the power of  common man.

I mean आम आदमी.

જો ભ્રષ્ટાચારનો વિરોધ કરવાથી આટલી સફળતા મળતી હોય તો ખરેખર ભ્રષ્ટાચાર દૂર થાય તો આ દેશ ફરી પાછો सोनेकी चिडिया બને તેમાં કોઈ સંશય નથી.

શરુઆત થઈ ચૂકી છે.

આમ આદમી પાર્ટીને ખૂબ ખૂબ અભીનંદન અને ખરેખર આમ આદમી માટે કામ કરનારી પાર્ટી બને તેવી શુભેચ્છાઓ.

Categories: આનંદ, લોકમત | Tags: , , , , | Leave a comment

વર્ગીકૃત રીતે બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણનું ક્રમાંકન

મિત્રો,

લાંબી પ્રતિક્ષાના અંતે આપણને બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ – ૨૦૧૩નું પરીણામ મળ્યું છે. આ પરીણામ મતના આધારે નીચે પ્રમાણે છે.

http://funngyan.com/bgbs1303/

બ્લોગ જગતમાં બે પ્રકારના બ્લોગરો છે.

૧. સ્વતંત્ર મૌલિક રીતે લખાણ લખનારા.

૨. જુદા જુદા કવિઓ, લેખકો, સાહિત્યકારોની વિવિધ કૃતિઓને સંપાદીત કરીને પ્રકાશીત કરનારા.

આ ઉપરાંત કેટલાંક બ્લોગરો સ્વતંત્ર રીતે લખી શકે છે અને સાથે સાથે ગમતાનો ગુલાલ પણ કરતાં રહે છે. તેમને ક્યાં વર્ગમાં રાખવા તે દ્વિધા હોવાથી તેમનેય સંપાદન કરનારા જ ગણી લઈએ.

આ પ્રમાણે વર્ગીકૃત કર્યા બાદ જો આ સર્વેક્ષણનું ક્રમાંકન જોઈએ તો તે કાઈક આવા પ્રકારનું મળે છે.

મૌલિક લખાણ લખનારા બ્લોગને આ રીતે ક્રમાંકીત કરી શકાય.

1.પ્લાનેટ જેવી (જય વસાવડા)

2.મારા વિચારો, મારી ભાષામાં! (કાર્તિક મિસ્ત્રી)

3.Good છે! (અધીર અમદાવાદી)

4.અસર – યશવંત ઠક્કર

5.કુરુક્ષેત્ર (ભુપેન્દ્રસિંહ રાઓલ)

6.સાયબર સફર (હિમાંશુ કિકાણી)

7.શબ્દો છે શ્વાસ મારા (વિવેક ટેલર)

8.Nirav Says (નીરવ)

9.હું સાક્ષર… (સાક્ષર ઠક્કર), એક નજર આ તરફ… (હર્ષલ પુષ્કર્ણા), NET ગુર્જરી (જુગલકિશોર વ્યાસ) અને ઈન્ટરનેટ પર વેપાર.. ગુજરાતીમા! (મુર્તઝા પટેલ)

૧0.વાંચનયાત્રા (અશોક મોઢવડિયા), વેબ ગુર્જરી

11. News Views Reviews (કિન્નર આચાર્ય), પ્રત્યાયન (પંચમ શુક્લ)

12.ઊર્મિ સાગર (મોના નાયક), શિશિર રામાવત, ગુજરાતી વર્લ્ડ (ઉર્વિશ કોઠારી)

૧3.રખડતાં ભટકતાં (પ્રિમા વિરાણી)

14.અભિન્ન (ચિરાગ ઠક્કર), મારી બારી (દીપક ધોળકિયા), પરમ સમીપે (નીલમ દોશી),

15.નાઈલને કિનારેથી (મુર્તઝા પટેલ), ગદ્યસૂર (સુરેશ જાની)

મેગેઝીન પ્રકારના બ્લોગને આ પ્રમાણે ક્રમાંકીત કરી શકાય.

1. રીડ ગુજરાતી (મૃગેશ શાહ)

2. અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારુ)

3. લયસ્તરો (તીર્થેશ મહેતા, વિવેક ટેલર, ધવલ શાહ)

4. મોરપીંછ (હિના પારેખ)

5. ટહુકો (જયશ્રી ભક્ત)

6. રણકાર (નીરજ શાહ)

7. દાદીમાની પોટલી (અશોક દેસાઈ),

8. નીરવ રવે (પ્રજ્ઞા વ્યાસ)

9.અભિવ્યક્તિ (ગોવિંદ મારુ), હાસ્ય દરબાર (ધવલ રાજગીરા)

10.સમન્વય (ચેતના શાહ)

અવર્ગીકૃત રીતે બાકીના બ્લોગને મત પ્રમાણે જે તે સ્થાને યથાવત  રાખીએ તો:

21. ચરખો (રૂતુલ જોશી), માઉન્ટ મેઘદૂત, અભિષેક, એજ્યુકેશન હબ, માવજીભાઈ

22.સુરતી ઉંધીયું, ચિંતનની પળે, પદાર્થે સમર્પણ, હેમ કાવ્યો, સળગતો શશિ

23.મેઘધનુષ, એજ્યુ સફર, હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ, ઝબકાર, શિક્ષણ સરોવર, બસ એજ લિ. યુવરાજ, રીડ થિંક રીસ્પોન્ડ, અશ્વિન પટેલનો બ્લોગ, વેબ મહેફિલ, શબ્દ પ્રીત, સેતુ (લતા હિરાણી)

24. વિજયનું ચિંતન જગત, ગોદડિયો ચોરો, ધોળકિયા, ચંદ્ર પુકાર, પેલેટ, મારૂં ગુજરાત, વિનોદ વિહાર, ગુજરાતી સાહિત્ય સરિતા, અક્ષિતારક, શબ્દોને પાલવડે, મારી વાત, આકાશદીપ

25. સબરસ ગુજરાતી, જરા અમથી વાત, સ્વર્ગારોહણ, ગઝલનો ગુલદસ્તો, એક ઘા-ને બે કટકા, મારું બહારવટું, કવિતાનો ‘ક’, મીતિક્ષા, ટહુકાર, આતાવાણી, અનડિફાઈન્ડ હું


સર્વેક્ષણના આયોજક, બ્લોગરો અને વાચકોની જય હો !

ગુજરાતીઓને ગુજરાતી માટે ગુજરાતી દ્વારા અભીનંદન…

——————————————————————————-

Categories: ટેકનીકલ/તકનીકી, લોકમત | Tags: , , | 15 Comments

નરેશ પટેલ, કાગવડ, કેશુભાઈ અને “ભયભીત સમાજ” !! – કિન્નર આચાર્ય

અમારે કેટલીક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ વાતો કહેવી છેઃ

 જ્ઞાતિના નામે ટિકિટો માંગતા અને જ્ઞાતિને અન્યાય થવાનું ગાયન ગાતા દરેક લોકોને પ્રજા જ જાકારો આપે, પછી એ જ્ઞાતિ લેઉઆ-કડવા હોય કે બ્રાહ્મણો હોય કે લોહાણા હોય કે જૈન કે અન્ય કોઇ હોય.

 જ્ઞાતિનાં નામે વ઼્હીપ જારી કરતા લોકોને તંત્ર જ દંડ કરે, સાણસામાં લે અને પગલા ઉઠાવે તેવી અપીલ છે.

 બંધારણએ 18 વર્ષથી વધુના નાગરિકોને સ્વતંત્ર વિવેકબુદ્ધિથી મતદાનનો અધિકાર આપ્યો છે. લોકો જાતે જ નક્કી કરે કે તેઓ કોને મત આપવા માંગે છે. પોતાના જ્ઞાતિબંધુને જ મત આપવો જરૂરી નથી. સામેનો ઉમેદવાર સારો-સ્વચ્છ હોય તો તેને મત આપીએ.

 પ્રજા પણ જ્ઞાતિના નામે ભોળવાય નહિં. શાંત ચિત્તથી વિચાર કરે, સમાજને સ્પર્શતા વિવિધ મુદાઓ જેવા કે, માળખાગત સુવિધાઓ, ભ્રષ્ટાચાર, લાઇટ-પાણી-રોડ રસ્તાઓ, જાહેર આરોગ્ય, સલામતી, કાનૂન અને વ્યવસ્થા વગેરે બાબતે કઇ પાર્ટીનું શું પ્રદાન અને અભિગમ છે એ વિશે વિચારીને લોકો સ્વયં નિર્ણય લે કે તેઓ કોને મત આપવા માંગે છે.

 નરેશ પટેલને સણસણતો જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, બાકીની તમામ જ્ઞાતિઓના વિવિધ મંડળો પોતાની જ્ઞાતિમાં એવો સંદેશ આપે કે, “લોકો પોતાની વિવેકબુદ્ધિથી મતદાન કરે. જ્ઞાતિ જોઇને મત ન આપે.”

સંપૂર્ણ લેખ વાંચવા નીચેની લિંક તમારા Browser માં કોપી કરીને ક્લિક કરશો:
http://kinner-aacharya.blogspot.in/2012/12/blog-post.html

Categories: ચેતવણી/સાવધાન, લોકમત, વાતચીત, વિચાર વિમર્શ, વિચારે ગુજરાત | 2 Comments

શબ્દપ્રમાણથી અનુભૂતીપ્રમાણ વધારે વિશ્વસનીય છે (સૌરાષ્ટ્ર સમાચારનું જુઠ્ઠાણું – શ્રી કાંતી ભટ્ટે વક્તવ્ય આપેલું)


મીત્રો,

ગઈ કાલે ભાવનગર વૃદ્ધાશ્રમમાં વરિષ્ઠ પત્રકાર શ્રી કાંતી ભટ્ટ વક્તવ્ય આપવાના છે તેવા સમાચાર સૌરાષ્ટ્ર સમાચારમાં વાંચીને હું તેમને સાંભળવા માટે વૃદ્ધાશ્રમ ગયો હતો. ત્રણ કવિઓને સાંભળ્યા બાદ તેમણે કહેલું કે પત્રકારનું કાર્ય તો લેખનનું છે વક્તવ્ય આપવાનું નહી. તેઓ થાકેલા પણ હતાં. વળી વહેલા સુઈ જવાની ટેવ વાળા હોવાથી મોડે સુધી જાગવાનું તેમને નહીં ફાવે તેમ કહીને તેમણે વક્તવ્ય આપ્યું નહોતું. શ્રોતાઓની નારાજગી છતાં તેમનું વક્તવ્ય સાંભળ્યા વગર જ કાર્યક્રમને સમાપ્ત ઘોષીત કરવો પડેલો.

આજે સૌરાષ્ટ્ર સમાચાર લખે છે કે તેમણે વક્તવ્ય આપેલું. તો સૌરાષ્ટ સમાચારના પત્રકારને ખુલ્લો પ્રશ્ન છે કે તેમણે શું વક્તવ્ય આપ્યું હતું? કેટલો સમય આપ્યું હતું? ક્યાં વિષય પર આપ્યું હતું? તે જણાવે :

Categories: અવનવું, ટકોર, પ્રશ્નાર્થ, લોકમત, સમાચાર | Tags: , , , , , , | Leave a comment

એક પ્રસ્તાવિત કાળો કાયદો

Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, ચેતવણી/સાવધાન, દેશપ્રેમ, પ્રશ્નાર્થ, બળતરા/કકળાટ, ભ્રષ્ટાચાર સામે લડત, લોકમત, વિવાદ/પડકાર, હેલ્લારો | Tags: , , , | Leave a comment

માતા પિતાનું ઋણ ?

મિત્રો,
નાનપણમાં જે બાળકની માતા-પિતા એ સંભાળ ન લીધી હોય, તેને રઝળતું , રખડતું ,ભટકતું રાખ્યું હોય અને માતા-પિતા એ જલસા જ કર્યા હોય. પરંતુ તેના પ્રારબ્ધ અને પુર્વજન્મના પુણ્યપ્રતાપે તેને સમર્થ ગુરુ મળે અને તે ગુરુ પાસે જ્ઞાન મેળવે, ગુરુ તેને દિક્ષા-શીક્ષા આપે અને પછી બાળકને સમાજની સેવા કરવા માટે મોકલે. હવે આ બાળકની સુવાસ ફેલાય એટલે પહેલા જન્મ-દાતા મા-બાપની દાઢ સળકે અને બાળકને સમાજનું શિક્ષણ આપે અને પછી સમાજની રીત રીવાજો શીખવે અને બાળક સમાજમાં પણ ટટ્ટાર ઉભુ રહેતું થાય. પણ મા-બાપ તો સુધર્યા જ ન હોય. તો આવા મા-બાપ સાથે સંતાને કેવો વ્યવહાર કરવો જોઈએ?

Categories: લોકમત | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.