મિત્રો,
આનંદમયી મા ની છબી જોઈએ ત્યારે આપણને તેનામાં સ્ત્રી તરીકેનો નહીં પણ હંમેશા માતા તરીકેનો ભાવ ઉપજે. વળી તેઓ હંમેશા ભાવ સમાધિમાં હોય જે જોતા ખ્યાલ આવે કે તેઓ દુન્યવી વિચારોથી સર્વથા પર છે. સાચા આધ્યાત્મિક લોકોને કદી પોતાનો પ્રચાર પ્રસાર કરવાની જરૂર નથી પડતી. શ્રી રામકૃષ્ણ પરમહંસ: પાસે, શ્રી લાહિરી મહાશય પાસે, શ્રી રમણ મહર્ષી પાસે આપોઆપ ભક્તો આવી જતાં અને આદ્યાત્મિક માર્ગદર્શન લઈને આત્મ-કલ્યાણના માર્ગે વળતાં. હાલમાં જોવા મળતાં પ્રચાર-પ્રસારના ઢોલ-નગારાની તેમને કશી આવશ્યકતાં નહોતી કારણકે તેમનું લક્ષ્ય માત્રને માત્ર આધ્યાત્મિક પૂર્ણતા હતી – જ્યાં લોકો પાસેથી કિર્તી કે વાહ વાહ મેળવવાની કોઈ ઝંખના ન હતી. વળી તેઓ સંપૂર્ણ પણે પોતાનો કર્તૃત્વભાવ ઓગાળી ચૂક્યા હતાં જાણે કે પોતાના અસ્તિત્વને ઓગાળી ચૂક્યા હતા (Melt Down) અને તેથી તેમની આદ્યાત્મિક અસર દીર્ઘ કાળ સુધી માનવ જીવન પર પોતાનો પ્રભાવ પાથરતી રહેશે અને પેઢીઓ સુધી તેમના માર્ગદર્શનની જ્યોત જલતી રહેશે. આજે જોઈએ શ્રી આનંદમયી મા ની ભાવપૂર્ણ છબીઓ અને સાથે સાથે સાંભળીએ ગુરુ-સ્તવાષ્ટક.
ભવસાગર – તારણ – કારણ હે,
રવિ – નંદન બંધન – ખંડન હે,
શરણાગત કિંકર ભીતમને,
ગુરુદેવ દયા કરો દીન જને ||૧||
હ્રદિ – કંદર – તામસ – ભાસ્કર હે,
તુમિ વિષ્ણુ પ્રજાપતિ શંકર હે,
પરબ્રહ્મ પરાત્પર વેદ ભણે,
ગુરુદેવ દયા કરો દીન જને ||૨||
મન- વારણ – શાસન – અંકુશ હે,
નર – ત્રાણ તરે હરિ ચાક્ષુષ હે,
ગુણ – ગાન – પરાયણ દેવગણે,
ગુરુદેવ દયા કરો દીન જને ||૩||
કુલકુંડ્લિની – ઘુમભંજક હે,
હ્રદિ – ગ્રંથિ – વિદારણ – કારક હે,
મમ માનસ ચંચલ રાત્રદિને,
ગુરુદેવ દયા કરો દીન જને ||૪||
રિપુ -સુદન મંગલ – નાય્ક હે,
સુખશાંતિ – વરાભય – દાયક હે,
ત્રય તાપ હરે તવ નામગુણે,
ગુરુદેવ દયા કરો દીન જને ||૫||
અભિમાન પ્રભાવ વિમર્દક હે,
ગતિહીનજને તુમિ રક્ષક હે,
ચિત્ત શંકિત વંચિત ભક્તિધને
ગુરુદેવ દયા કરો દીન જને ||૬||
તવ નામ સદા શુભ – સાધક હે,
પતિતાધમ – માનવ – પાવક હે,
મહિમા તવ ગોચર શુદ્ધ મને,
ગુરુદેવ દયા કરો દીન જને ||૭||
જય સદગુરુ ઈશ્વર – પ્રાપક હે,
ભવ – રોગ – વિકાર – વિનાશક હે,
મન યેન રહે તવ શ્રીચરણે
ગુરુદેવ દયા કરો દીન જને ||૮||