પ્રેરણાદાયી સાહિત્ય

જીવન ઘડતરની કળા – સ્વામી જગદાત્માનંદ

This slideshow requires JavaScript.


પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન


પૃષ્ઠ સંખ્યા: 217
File Size: 15.8 MB


Categories: પ્રેરણાદાયી સાહિત્ય, વ્યક્તિત્વ વિકાસ, શ્રી રામકૃષ્ણ મીશન, eBook | Tags: , , , | Leave a comment

સૌંદર્ય હૃદયમાં હોય છે – APJ Abdul Kalam

APJ

Categories: પ્રેરણાદાયી સાહિત્ય, સૌંદર્ય | Tags: , , | 5 Comments

Gandhi’s Wise Words – સૌજન્ય: પ્રજ્ઞાજુ નો ઈ-મેઈલ

This slideshow requires JavaScript.

સૌજન્ય: પ્રજ્ઞાજુ નો ઈ-મેઈલ

Categories: પ્રેરણાદાયી સાહિત્ય | Tags: , , , | 1 Comment

दुर्जन: सज्जनो भूयात – આદિ શંકરાચાર્ય

दुर्जन: सज्जनो भूयात
सज्जन: शांतिमाप्नुयात्।
शान्तो मुच्येत बंधेम्यो
मुक्त: चान्यान् विमोच्येत् ॥

દુર્જન સજ્જન બને
સજ્જન શાંત બને
શાંતજન બંધનોથી મુક્ત થાય
મુક્ત હોય તે અન્યને મુક્ત કરે

Categories: પ્રેરણા / પ્રોત્સાહન, પ્રેરણાદાયી સાહિત્ય, સંસ્કૃત | Leave a comment

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

મિત્રો,

ગુજરાતે આજે તેના અનુભવના ભાથામાં એક વર્ષનો વધારો કર્યો છે. કેટલાંક લોકો જીવનમાં વર્ષો ઉમેરતાં હોય છે અને કેટલાક લોકો વર્ષોમાં જીવન ઉમેરતાં હોય છે. ગુજરાતે તેના વર્ષોમાં જીવનને ઉમેર્યું છે અને તેના જીવનની ફીફ્ટી ક્યારનીયે પુરી કરીને હવે તો વન-મહોત્સવ ઉજવી રહ્યું છે. ગુજરાત તે કોઈ સીમાડામાં બંધ પ્રદેશનું નામ નથી. ગુજરાત એટલે એવું સ્થળ કે જ્યાં એક ગુજરાતી વસે છે. પૃથ્વીના કોઈ પણ પટ ઉપર કે જ્યાં એક પણ ગુજરાતી વસતો હોય તો ત્યાં ગુજરાત જય જય ગરવી ગુજરાતનો શંખ ધ્વની ફુંકીને ખડું થઈ જશે. ગાંધી હવે માત્ર ગુજરાતના નથી રહ્યાં તે વિશ્વમાનવી બની ચૂક્યાં છે. તેવી રીતે સરદારને ય માત્ર ગુજરાત સાથે બાંધી ન શકાય તે સમગ્ર ભારતના છે. મારે આજે વાત કરવી છે એક એવા ગુજરાતીની કે જે માત્ર ગુજરાતના નહી, ભારતના નહી, દુનીયાના નહીં પણ સમગ્ર બ્રહ્માંડના છે. આપણે તેમનો રસાસ્વાદ તેમની એક રચના દ્વારા માણવાનો પ્રયાસ કરીએ :

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

આ ભક્ત કવિ નરસિંહ મહેતા વામનમાંથી વિરાટ બનેલા વામન અવતાર કરતાયે જાણે વિરાટ હોય તેમ તેમના પદની પ્રથમ પંક્તિની શરુઆતમાં જ આખાયે બ્રહ્માંડને આવરી લે છે.

જાણે કે ઈશોપનિશદનો મંત્ર ભણતાં હોય કે :

ઈશાવાસ્યમ ઈદં સર્વં યત્કિંચિત જગત્યાં જગત

આ જે કાઈ છે તે ઈશ તત્વથી આચ્છાદિત કરવા લાયક છે. એક માત્ર શ્રી હરિ અખીલ બ્રહ્માંડમાં વીલસી રહ્યો છે અને જુદા જુદા રુપે જાણે કે તેનો અંત જ ન હોય તેવો અનંત ભાસે છે. શ્રી હરિનો ભાસ દેહમાં બીરાજેલ દેવથી શરુ કરીને સુર્ય ચંદ્ર અને તારાઓમાં યે જે તેજ ભરે છે ત્યાં સુધી વિસ્તાર પામે છે અને છેવટે શુન્યમાં થી પ્રગટ થતાં પરમાત્માના નિ:શ્વાસ જેવી વેદની ઋચાઓમાં પ્રગટ થતો અનુભવે છે.

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

પંચ તત્વોમાં તેની તો સત્તા છે. પવન, પાણી, ભૂમિ, આકાશ અને સમગ્ર વનરાજી સર્વમાં તું જ તો છો. એકલા એકલાં તને મજા નહોતી આવતી તો થયું કે લાવને અનેક રુપે અનેક પાત્રોમાં વિભાજીત થઈને અનેક રસ માણું. તેથી તો તે પ્રકૃતિના ત્રણ ગુણોને લઈને તેમાં તારા સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડના જીવોની અને બ્રહ્માંડની રચના કરી. શિવમાંથી જીવ થવાનો તારો હેતું તો અનેક પ્રકારના રસનો આનંદ માણવાનો જ હતો ને? એટલે તો તને રસોવૈસ: કહે છે ને?

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

સોનાના દાગીનામાં સોનું ક્યાં છે તેવું જો કોઈ પુછે તો હસવું ન આવે? કોઈ કહે કે અરે આ તો કુંડળ છે, આ હાર છે, આ ઝાંઝર છે, આ નથડી છે, આ વાળી છે પણ આમાં સોનું ક્યાં છે? આવું કોઈ પુછે તો સોની શું કહે? કહે કે અરે ભાઈ આ બધું સોનું જ છે. આ તો સોનાને જુદા જુદા ઘાટ આપ્યાં છે. તેવી રીતે કોઈ કહે કે હું હિંદુ છું, મુસલમાન છું, ઈસાઈ છું, બુદ્ધ છું, જૈન છું, પારસી છું તો હવે મારે આ જગતમાં કેવી રીતે વર્તવું? તેને કહેવું પડે કે ભાઈ આ બધું ભુલી જા અને પહેલા તો સમજી લે કે તું માણસ છો. તારામાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે. પાંચ પ્રાણ છે. તારી અંદર લાલ લોહી વહે છે તેવું જ બધાના શરીરમાં વહે છે. તું ખોરાકમાંથી શક્તિ મેળવે છો તેવી રીતે બધા ખોરાકમાંથી શક્તિ મેળવે છે. તું જેવી રીતે મનથી વિચારે છે તેવી રીતે બધા મનથી વિચારે છે. તું ઓક્સીજન શ્વાસમાં લે છે તેવી રીતે બધાં શ્વાસમાં ઓક્સીજન લે છે. તું જેમ પ્રાણોને ટકાવી રાખવા માટે પાણી પીવે છે તેમ બધાં પાણી પીવે છે. જેવી રીતે ઘરેણાના આકારને લીધે તને સોનાને બદલે ઘરેણાં દેખાય છે તેવી રીતે તારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હોવાને લીધે તને મનુષ્યોને બદલે હિંદુ, મુસલમાન, ઈસાઈ, બુદ્ધ, પારસી, જૈન અને બીજા અનેક પ્રકારથી વિભાજીત થયેલ મનુષ્ય દેખાય છે. સોની પાસે કોઈ ઘરેણાનું મુલ્ય કરાવો તો તે ઘરેણાનો ઘાટ જોઈને નહીં પણ સોનાનું વજન જોઈને મૂલ્ય કરશે તેવી રીતે માણસનું મુલ્ય કરવું હોય તો તેનો ધર્મ, જાતી, વેપાર, ઘન સંપત્તિ, પદવી કે સિદ્ધિઓ વગેરે જોઈને નહીં પણ તેનામાં કેટલી માણસાઈ છે તેને આધારે મૂલ્ય થાય.

કબીરા કુવા એક હૈ
પનિહારી અનેક
બરતન સબ ન્યારે ભયે
પાની એક કા એક

બ્રહ્માંડ રુપી કુવામાં ચૈતન્ય રુપી જળ એકનું એક છે. જુદા જુદા મનુષ્યો,પ્રાણીઓ અને વૃક્ષો પનિહારીની જેમ અનેક છે તેમના અંત:કરણ રુપી બરતન અલગ અલગ છે પણ તે સર્વની અંદર જીવરુપે વિલસી રહેલું ચૈતન્ય એકનું એક છે.

ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

જુદા જુદા મહાપુરુષોને જુદા જુદા સમયે તે એક માત્ર ચૈતન્યનો અનુભવ થયો અને તે અનુભવની વાતો પછી ગ્રંથરુપે પ્રગટ થઈ. લોકો આ ગ્રંથને પ્રમાણ માનીને લડાઈ કરી રહ્યાં છે. હિંદુઓ કહેશે કે મારા વેદને માને તો જ તે આસ્તિક અને નહીં તો નાસ્તિક. મુસલમાનો કહેશે કે જે ઈસ્લામના સિદ્ધાંતો માનશે તે જ સાચો અલ્લાહનો બંદો અને નહીં તો તે કાફર છે. ઈસાઈઓ કહેશે કે ઈસુ ખ્રીસ્તને ન માનો તો તમારું કલ્યાણ નહીં થાય. તેવી રીતે સહુ કોઈ મહાપુરુષના અનુયાયીઓ પોત પોતાના ગ્રંથો લઈને વાદ વિવાદ કર્યાં કરશે. આમ ગ્રંથો સઘળા ગરબડ કરનારા છે. સહુ કોઈ પોતાના મન થી માની લે છે કે તેમના ગ્રંથો જ સાચા છે, તે જે કહે છે તે જ સાચું છે તે જે કાઈ કરે છે તે જ સાચું છે અને બીજા બધા જે કાઈ કરે છે તે ગપ ગોળા છે. ખરેખર તો જેને જે ગમે છે તેને પુજ્યાં કરતા હોય છે. વૈજ્ઞાનિકો કોઈ મહાન વૈજ્ઞાનિક ને આદર્શ બનાવશે, વેપારી કોઈ સફળ વેપારીને આદર્શ બનાવશે, યોદ્ધો કોઈ સેનાપતિને આદર્શ બનાવશે. જેને આદર્શ બનાવશે તેના વિચારો સમજીને જીવનમાં ઉતારે તો કલ્યાણ થાય પણ તે તો માત્ર તેની મુર્તીની કે છબીની પુજા કર્યા કરશે. આમ આદર્શો અને ગ્રંથો ગરબડ ઉભી કરે છે અને સર્વની અંદર જે એક માત્ર શ્રી હરિ વિલસી રહ્યાં છે તેની અનુભુતી થવામાં વિક્ષેપરુપ થાય છે.

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

હવે નરસૈંયો કહે છે કે જો આ પ્રભુને પામવા હોય તો ગ્રંથને પડતાં મુકો, તમારી માન્યતાઓને કોરાણે મુકો અને આ પ્રકૃતિનું અવલોકન કરો. વૃક્ષમાં બીજ રુપે અને બીજમાં વૃક્ષ રુપે તે જ તો સંતાકુકડી રમી રહ્યો છે. બાહ્ય પ્રકૃતિમાં અવલોકન કરવાથી સમગ્ર બ્રહ્માંડમાં તેનો રાસ અને વિલાસ અનુભવાશે અને પોતાના અંત:કરણમાં ધ્યાન દ્વારા પ્રેમપૂર્વક તેનો અભ્યાસ કરવાથી પોતાની અંદર પણ તે જ શ્રી હરિ બ્રહ્માનંદ રુપે પ્રગટ થશે.

તો આવા એક બ્રહ્માંડ માનવી ભક્ત કવિ નરસિંહ મહેતાને આજે યાદ કરીને આપણાં મનમાં રહેલી સર્વ સંકુચિતતા અને કટ્ટરતાનો ત્યાગ કરીને, ભ્રષ્ટાચારથી દૂર રહીને, શિષ્ટાચાર અપનાવીને, વધુ ને વધુ કર્તવ્ય કર્મો કરતાં કરતાં આપણાં વ્યક્તિત્વના, કુટુંબના, સમાજના, ગુજરાતના, ભારતના અને સમગ્ર વિશ્વના વિકાસમાં અને આંતર જીવો પ્રત્યે પરસ્પર પ્રેમ અને સદભાવ ટકાવી રાખવામાં આપણો યથામતિ અને યથાશક્તિ ફાળો આપવાનો પ્રયાસ કરીએ.

Categories: ચિંતન, પ્રેરણાદાયી સાહિત્ય, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભારતિય સંસ્કૃતિ, રાષ્ટ્રનો વિકાસ, સાહિત્ય | Tags: , , , , , , | Leave a comment

જ્ઞાન – પ્રકિર્ણ





Categories: પ્રેરણાદાયી સાહિત્ય, શિક્ષણ | Tags: , | 2 Comments

આજનું સુભાષિત

संपूर्ण कुंभो न् करोति शब्दं
अर्धो घटो: घोषमुपैति नूनम |
प्राज्ञ: कुलिनो न् करोति गर्वं
गुणैविहिना बहु जल्पयन्ति ||


સંપૂર્ણ રીતે ભરાયેલો ઘડો અવાજ કરતો નથી, અધુરો ઘડો સતત અવાજ કર્યા કરે છે. વિદ્વાન અને કુળવાન ગર્વ કરતાં નથી, ગુણ વગરના લોકો હું જ સાચો છુંહું જ સાચો છું એમ વાદ કર્યા કરે છે.


Categories: ચિંતન, પ્રેરણાદાયી સાહિત્ય | Tags: | Leave a comment

શ્રી રમણ મહર્ષિનો જન્મદિવસ

શ્રી રમણ મહર્ષિ – જન્મ તા.૩૦ ડીસેમ્બર ૧૮૭૯

મનથી પારના પ્રદેશમાં

મુળ લેખક: મૌની સાધુ
અનુવાદક: યોગેશ્વરજી

‘મન એટલા માટે જ માનવના બંધન અને મોક્ષનું કારણ છે. મન વાસનાથી સંપન્ન કે યુક્ત બને છે ત્યારે બંધનનું અને અજ્ઞાન, વાસના તથા અશુદ્ધિથી રહિત અથવા મુકત બને છે ત્યારે મોક્ષનું કારણ બને છે. મન એવી રીતે જીવનમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.’
– શ્રી આદ્ય શંકરાચાર્ય કૃત વિવેકચૂડામણિ, શ્લોક ૧૭૬નો ભાવાર્થ.

આશ્રમના મંદિરની આજુબાજુ પથ્થરની વિશાળ પરસાળ હતી. રાતના નવ વાગ્યા પછી આશ્રમનું જીવન લગભગ શાંત થઈ જતું અને મંદિરમાં પણ અંધારું ફરી વળતું. મહર્ષિ મંદિરથી કળાત્મક રીતે છૂટા પાડવામાં આવેલા હોલમાં સૂઈ રહેતા. એમની સાથે એમની સેવા માટે સદાય તૈયાર એકાદ-બે સેવકો પણ રહેતા. એમનું સ્વાસ્થ્ય ખૂબ જ કથળેલું હોવાથી એવી વ્યવસ્થા અત્યંત આવશ્યક થઈ પડેલી.

આશ્રમનાં આંગણામાં અને મંદિરની પરસાળમાં ચાંદની પથરાઈ ગઈ હોય ત્યારે રાતે કેટલીય વાર મારા ખંડમાંથી બહાર નીકળીને હું સ્વચ્છ અગાસી પર શાંતિપૂર્વક બેસતો. ભોજનાલયની બહારની કાચી ખુલ્લી જગ્યામાં કેટલાક આશ્રમની મુલાકાતે અથવા રમણ મહર્ષિના દર્શને આવેલા ગ્રામજનો સૂતેલા દેખાતા. સામે જ આશ્રમનું શાંતિપૂર્વક વિસ્તરેલું તળાવ દેખાતું.

એ પ્રશાંત, પવિત્ર, પ્રસન્ન વાતાવરણમાં મને ધ્યાન માટેનું સાનુકૂળ સ્થાન મળી રહેતું. મહર્ષિ સ્થૂળ રીતે મારાથી થોડેક જ દૂર છે એવી માહિતીને લીધે મારા વિચારો તથા ભાવો, સંકલ્પો અને વિકલ્પો વધારે વિશુદ્ધ તેમ જ ઉદાત્ત બનતા. રમણ મહર્ષિના પવિત્ર ચરણકમળમાં બેસીને મને જે કેટલીક મહત્વની વસ્તુઓ શીખવા મળી એમાં જે વસ્તુ વધારે મહત્વની લાગી એના પ્રત્યે અંગુલિનિર્દેશ કરવાનો તથા એને વિસ્તારથી આલેખવાનો પ્રયત્ન કરું તો એ અનુચિત અથવા અસ્થાને નહિ ગણાય.

ચારેક વર્ષ પહેલાં મેં રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં પોલ બ્રન્ટને અનુભવેલી ભાવ સમાધિની અનોખી અવસ્થા વિશે વાંચ્યું ત્યારે હું ઊંડા વિચારમાં પડી ગયો. મને કશું સમજાયું નહીં. એમણે એ અનુભૂતિને વિચાર કરનારા મનથી અલગ કહી બતાવેલી. એ વાંચીને મને થયેલું કે કોઈ માનવ પોતાની મનોવૃત્તિથી અલગ અથવા સ્વતંત્ર કેવી રીતે થઈ શકે ?

હવે મને સ્વાનુભવથી સમજાયું કે એવું શક્ય છે.

મેં આગળ ઉપર કહી દીધું છે કે રમણાશ્રમમાં આવ્યા પછી મેં મારા પહેલાંના અભ્યાસને છોડી દીધેલો. એનું એક મુખ્ય મહત્વનું કારણ એ હતું કે મહર્ષિ સાથેના મહામૂલ્યવાન સમયનો સદુપયોગ જેટલી બને તેટલી સમજપૂર્વક કરવાનો મારો નિરધાર હતો. બીજો સાધનાત્મક અભ્યાસ તો આવશ્યકતા પ્રમાણે પાછળથી કરી શકાય તેમ હતો. પરંતુ મહર્ષિની સંનિધિમાં જે કાંઈ શીખવાનું મળી શકે તેમ હતું તેની સંભાવના પાછળથી બીજે ક્યાંયથી નહોતી લાગતી. પ્રસ્તુત પુસ્તકના ૨૩મા પ્રકરણમાં વર્ણવેલા પેલા નસીબવંતા ન્યારા અનુભવ પછી મને સમજાયું કે હું વિચાર કરવાના મુખ્ય સાધન જેવા મનથી અલગ થઈ શકું તેમ છું અને મારી ચેતનાનો અથવા મારા વાસ્તવિક વ્યક્તિત્વનો કદી નાશ નથી થઈ શકતો. મન વિચારરહિત બની ગયું હોવા છતાં જીવનનો પવિત્ર પ્રવાહ કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના વહી રહેલો. એના પરથી મારી પ્રતીતિ થઈ કે અહંભાવનો પ્રવાહ વિચાર કરતાં સ્વતંત્ર છે અને તોપણ વિચારની પ્રત્યેક પ્રક્રિયાનો પ્રાદુર્ભાવ એની અંદરથી અથવા એને લીધે જ થતો હોય છે.

રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં સાંપડતી કેટલીક ઉચ્ચ કોટિની સ્વાનુભૂતિઓમાંની એ એક હતી.

વરસો પહેલાં મને સૂચવવામાં આવ્યું કે મનને જ્યાં સુધી સંપૂર્ણપણે શાંત કરવામાં નથી આવતું ત્યાં સુધી પ્રકાશનું કિરણ નથી મળતું. તે પછીથી મેં કાંઈક વેદના અને અચોક્કસતાની લાગણી સાથે એ દિશામાં મારા અપાર પ્રયત્નો ચાલુ કર્યા. એ વખતે મારે માટે મનની પારનો પ્રદેશ અપરિચિત, ગુપ્ત અને શૂન્ય જેવો હતો. રમણ મહર્ષિની રહસ્યમયી મદદથી જેનું ભાન કે જ્ઞાન થયું તે આત્મચેતનાનો અનુભવ મારે માટે એ વખતે કોસો દૂર હતો. મનની સાથે કામ લેવાની પહેલાંની પદ્ધતિને પેલી ભયંકર પરિસ્થિતિ સાથે સરખાવી શકાય જે પરિસ્થિતિમાં એક વ્યક્તિ પાસે ખૂબ જ ગરમ થયેલી ઈલેક્ટ્રિક મોટર હોય છે અને એ મોટરને ઠંડી પાડવાની કે બંધ કરવાની સ્વીચની એને માહિતી નથી હોતી. સામાન્ય માનવ પણ જ્યારે ધારે ત્યારે પોતાના વિચાર કરવાના યંત્રને અથવા મનને રોકી શકે છે ખરો ? માણસ જેના પર કાબૂ ના કરી શકે એવા યંત્રનો ઉપયોગ કરે છે ખરો ? માનવ જાતિ શું કરી રહી છે ?

આપણી પાસે મનની જે અતિશય સૂક્ષ્મ અને અગત્યની શક્તિ છે એનું નિયંત્રણ આત્મસાક્ષાત્કાર કરતાં પહેલાં કઠિન થઈ પડે છે. એની, એને શાંત કરવાની, સ્વીચની માહિતી બધાને નથી મળતી. એ મન આપણને મોટે ભાગે આડમાર્ગે લઈ જાય છે તથા ભ્રાંત બનાવે છે. પરંતુ આપણા વાસ્તવિક સ્વરૂપથી કશું અજ્ઞાત નથી હોતું. એના પવિત્ર અપાર્થિવ પ્રકાશનાં શરૂઆતનાં કિરણોની મદદથી મને એ રહસ્યમય સ્વીચ પર કાબુ મળ્યો. એને લીધે મારી શંકાશીલતા અને અનિશ્ચિતતાનો અંત આવ્યો.

*

મારી આંખ ઊઘડી એટલે મેં આશ્રમના જળાશયનું ચાંદનીચર્ચિત શ્વેત પાણી જોયું. મારી ઉપર અનંત આકાશમાં શ્વેતરંગી વાદળાં સરી રહેલાં. એમની પાછળથી વચ્ચે વચ્ચે ચંદ્ર પ્રકાશી રહેલો. મારા બહારના સ્થૂળ કર્ણ ધુવડના દૂરદૂરના શબ્દોને સાંભળવા લાગ્યા. પરંતુ એ બધું મારી આત્મચેતનાની બહાર હતું. મને ખબર હતી કે મારી સ્થૂળ કાયા બાહ્ય જગતના સંપર્કમાં હોવા છતાં અંદરખાને તો એમાં સાચા અહંનું શાંત વર્ચસ્વ હતું. એ નીરવતા અથવા શાંતિના બદલામાં મને કોઈ વિશ્વનો વૈભવ આપે તો પણ હું ના સ્વીકારું. ઈન્દ્રિયોની દુનિયા ડોલી ઊઠે છે તો પણ એનો પાયો અક્ષય રહે છે એની મને માહિતી હતી. એ શાંતિ અપેક્ષારહિત હતી. સૌથી સ્વતંત્ર હતી. એ મારી આત્મચેતનામાં અવતરવા લાગી એટલે હું જેને મારું માનતો હતો તેનો અંત આવ્યો. એ આત્મ-ચેતનાને અવલોકવાનું કાર્ય એકદમ અશકય લાગ્યું, કારણ કે એ અવસ્થામાં એના સિવાય બીજાનું અસ્તિત્વ નહોતું દેખાતું.

એ અલૌકિક અવસ્થાને વર્ણવવા અથવા આલેખવા માટે અવારનવાર ડૂબવા અથવા અવગાહન કરવા જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે એ પ્રયોગ બરાબર નથી લાગતો, કારણ કે એ શબ્દપ્રયોગ કોઈક જુદી વસ્તુનો અને કોઇક અજ્ઞાત વસ્તુમાં પ્રવેશનો નિર્દેશ કરે છે. પરંતુ સાધકને થતો સ્વાનુભવ છેક જ જુદો હોય છે. સાધક એ વખતે શાંતિસ્વરૂપ જ હોય છે અને બીજું કશું નથી હોતો. એનાં બધાં જ આવરણ હઠી જાય છે અને કેવળ સારતત્વ શેષ રહે છે.

મારી અંદર એક અનોખી અવસ્થાનો વિકાસ થવા લાગ્યો. મેં મૌની સાધુ (લેખક) પ્રત્યે એક પદાર્થ તરીકે જોવા માંડ્યું. એ બહારનું આવરણ કોઈ રીતે એટલું બધું અગત્યનું નહોતું લાગતું. એ બેસતા, શ્વાસ લેતા અને એમની નસોમાં લોહી વહેતું. મનની આસપાસ ભાતભાતના વિચારો તથા ભાવો ભમતા રહેતા-જેવી રીતે મધપૂડામાં પ્રવેશવા માટે મધમાખીઓ કોશિશ કરે તેવી રીતે-પરંતુ નિસ્તબ્ધતા અથવા શાંતિને લીધે એમનું આક્રમણ સફળ નહોતું બનતું.

મને ખબર હતી કે મારી સાધનાની હવે પછીની ભૂમિકામાં હું બહારના દૃશ્ય જગતનું વિસ્મરણ કરી બેસીશ. થોડાક મહિના પહેલાં એવા વિસ્મરણને લીધે મારી અંદર વહેતી ચેતનાનો અથવા જીવનશક્તિનો અનુભવ કરવાનું મારે માટે અશક્ય બનેલું. પરંતુ હવે તો પરિસ્થિતિ જુદી હતી. મને માહિતી હતી કે મારી અંદરની ચેતનાના પ્રવાહના ભાનને મારાથી વધારે વખત માટે ભૂલી શકાય તેમ નહોતું.

બધું જ પસાર થવાનું છે ને પસાર થઈ રહ્યું છે પરંતુ મારું અસ્તિત્વ છે અને રહેશે. હું નામ તથા રૂપથી રહિત છું. દૃષ્ટા છું. હું છું. અસ્તિત્વ ધરાવું છું. એ અવસ્થા કોઈ પણ પ્રકારના વિશિષ્ટ પ્રયત્ન વિના અનાયાસે જ અનુભવાય છે છતાં પણ મારે મારી બુદ્ધિની મદદથી એને માટે પ્રખર પ્રયત્ન કરવો પડ્યો. અત્યાર સુધીની મારી અવસ્થાને વિચારતાં ચેતનાના એ અવનવા અજ્ઞાત પ્રવાહોની શક્તિને ઝીલવાનું કામ મારે માટે કઠિન હતું. એ પ્રવાહોમાં મારાથી સદાને માટે કેમ નહોતું રહેવાતું તે મને સમજાયું. મારું બાહ્ય સ્વરૂપ અને ખાસ કરીને મારું મસ્તિષ્ક એને સહન કરવા માટે તૈયાર નહોતું.

એટલા માટે પરમ શાંતિના એ પ્રદેશમાંથી પાછા ફરવું પડ્યું. તો પણ એની આછીપાતળી અધૂરી સ્મૃતિનો લોપ ના થઈ શક્યો. આત્મશક્તિના એ પ્રવાહની અને એની મનથી પારના પ્રદેશની અનુભૂતિની એ સુખદ સબળ સ્મૃતિને લીધે જ એ અવસ્થાનું અક્ષરદેહમાં આલેખન કરવાનું શક્ય બની શક્યું છે. એના વિના એનું વર્ણન કરવાનું કામ કઠિન થાત. એને સંપૂર્ણપણે વર્ણવવાનું કાર્ય કઠિન હોવા છતાં પણ મન હું નથી એવા જ્ઞાનને લીધે મને એને વર્ણવવાનું પરિબળ પ્રાપ્ત થાય છે. સાદી સરળ ભાષામાં કહું તો, મારી વિચારશક્તિને બંધ થવાનો આદેશ આપું તો, અને વિચારશક્તિને બંધ પડેલી જોઉં તો, જે એવો આદેશ આપે છે તે હું છું. એવી રીતે એ સમસ્યાનો ઉકેલ આવે છે.

એ પછીના દિવસોમાં રાત્રી દરમિયાન નિદ્રાવસ્થામાં મેં મારા સ્વરૂપને શોધવાનો પ્રયાસ કર્યો. મને સમજાયું કે જાગૃતિ દશામાં કરાતા પ્રયાસ કરતાં મારો એ પ્રયાસ વધારે કષ્ટસાધ્ય કે કપરો હતો. કારણ કે જાગૃતિ દિશામાં તો હું શરીર તથા મસ્તિષ્કથી સ્વતંત્ર રીતે મારા મન પર કાબૂ કરી શકતો. નિદ્રામાં તો મારા સ્થૂળ શરીરની અને મનની અવસ્થા જુદી જ થઈ જતી. એ અવસ્થા પર મારો અધિકાર નહોતો. એ વખતે મારાથી કોઈ અનુમાન નહોતું કરી શકાતું કે મારા મનોરથની સિદ્ધિ કેવી રીતે કરી શકાશે. પરંતુ કેટલીક વાર જાગ્યા પછી મને પ્રતીતિ થતી કે નિદ્રાવસ્થા દરમિયાન મારું અહં પૂર્ણપણે વિલીન નથી થતું. મારી અંતઃપ્રેરણા અથવા આત્માના શાંત અવાજ દ્વારા મને સૂચવવામાં આવતું કે એનું નિરાકરણ સુયોગ્ય સમયે થઈ રહેશે. એટલા માટે એ દિશામા અકાળે ઉતાવળ કરવાનો કશો અર્થ નહોતો.

*

એ પછી એક અવસ્થા એવી આવી જ્યારે હું હોલથી દૂર રહેતો ને મહર્ષિને નહોતો જોતો ત્યારે પણ એમની હાજરીનો અનુભવ કરતો. એ કેવી રીતે શક્ય બન્યું ? મનની શાંત દશા દરમિયાન મેં એના રહસ્યને શોધવાનો પ્રયત્ન કરી જોયો. એ દશામાં મને પ્રકાશનું કિરણ લાધે તેવી રીતે સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. મારા ગુરુદેવ રમણ મહર્ષિ – જેને હું મંદિરના કોચ પર દરરોજ વિરાજમાન જોતો તે શરીર ન હતા. એ તો જેની અંદર હું મારો સાક્ષાત્કાર કરી રહેલો તે નીરવતા અથવા શાંતિ પોતે હતા. એ અનુભવજન્ય જ્ઞાનથી મને સત્વર શાંતિ સાંપડી, કારણ કે એ જ્ઞાન મગજનું નહોતું. એ સ્વયં સત્ય હતું.

સત્યના વર્ણનથી કોઈ વિશેષ હેતુ નથી સરતો. એવા વર્ણનથી કોઈ મહત્વની મદદ નથી મળતી. સત્ય જીવાવું જોઈએ અને અનુભવાવું જોઈએ. એટલા માટે જેમણે સ્વયં સત્યનો સાક્ષાત્કાર કરવાને બદલે માનસિક ખ્યાલો તથા માન્યતાઓના આધાર પર પુસ્તકોની રચના કરી છે એવા લેખકોનાં પુસ્તકોમાં મને રસ ના પડ્યો. એવાં પુસ્તકો મને નિર્જીવ અને નકામાં લાગ્યાં.

સત્ય જીવન છે. સત્યને અને જીવનને કદી પણ છૂટાં પાડી શકાય નહીં. મને સ્પષ્ટ રીતે સમજાયું કે જ્યાં જીવન નથી ત્યાં સત્ય પણ નથી હોઈ શકતું. એટલા માટે જ મેં મારા જૂના સન્મિત્રો સમાં પુસ્તકોને છેવટની સલામ ભરી. એ મને અધિક મદદ નહોતાં કરવાનાં. સાચા સ્વાનુભવથી સંપન્ન થોડાંક વિશિષ્ટ પુસ્તકો મારા સ્મૃતિપટ પર સચવાઈ રહ્યાં. એ પુસ્તકો દ્વારા મારા સ્વાનુભવને સમર્થન મળવાથી, મેં મારી નોંધપોથીમાં એમના પ્રત્યેની કૃતજ્ઞતાને પ્રકટ કરવા, એમનાં કેટલાંક અવતરણોને ટાંક્યા પણ ખરાં. એ અવતરણોએ મને સુયોગ્ય સમયે સહાયતા પહોંચાડી છે તેમ બીજા વાચકને પણ સહાયતા પહોંચાડી શકશે.

મધરાતના સમયે મેં મારા ઓરડામાં પ્રવેશ કર્યો ત્યારે આશ્રમના પ્રાંગણના અંધારા પંથ પર એક બિલાડી મારી પ્રતીક્ષા કરી રહેલી. હું એને નિયમિત રીતે મોટે ભાગે દૂધ-ભાત ખવડાવતો તથા એના સફેદ રુંવાંટીવાળા શરીરે હાથ ફેરવતો. બીજાને જોઈને એ બિલાડી દૂર દોડી જતી પરંતુ ફકત મારી સાથે જ એણે એવી આત્મીયતા કેળવેલી. પોતાની કૃતજ્ઞતાને વ્યકત કરતાં એ મારા ઓરડાને ધ્યાનપૂર્વક તપાસતી અને રાતે મારી આજુબાજુ અવારનવાર આવતા અણગમતા કરોળિયાઓનો નાશ નોતરતી. એવી રીતે અમારી વચ્ચે સારી સંગીન મિત્રતા થયેલી.


મહર્ષિની સુખદ સંનિધિમાં પુસ્તકમાંથી સાભાર


શ્રી રમણ મહર્ષિ વિશે વિકીપીડીયા પર વધુ..


Categories: ચિંતન, જન્મદિવસ, પ્રેરણાદાયી સાહિત્ય, ભારતિય સંસ્કૃતિ | Tags: , , , , , , , , | Leave a comment

એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત (૧) – સ્વામી નિખિલેશ્વરાનંદ








સૌજન્ય:”શ્રી રામકૃષ્ણ જ્યોત – દીપોત્સવી અંક ૨૦૧૦”

Categories: પ્રેરણાદાયી સાહિત્ય, ભારતિય સંસ્કૃતિ, શ્રીરામકૃષ્ણ જ્યોત, સાહિત્ય | Tags: , , , | Leave a comment

સમૃદ્ધિની નદી – સ્વેટ માર્ડન












Categories: પ્રેરણાદાયી સાહિત્ય | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.