પત્રો/પત્ર વ્યવહાર

જનતા પ્રત્યેની આપણી ફરજ – સ્વામી વિવેકાનંદ

૨૩મી જૂન, ૧૮૯૪ના રોજ શિકાગોથી મૈસૂરના મહારાજાને લખેલો પત્રનો થોડા અંશો પ્રસ્તૂત છે. સંપૂર્ણ પત્રની લિંક લેખને અંતે આપવામાં આવેલ છે.


ભારતના બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ જેવા છે. તેથી આપણા ગરીબોને ઊંચા લાવવાનું કામ વધારે સરળ છે.

આપણા નીચલા વર્ગને માટે એક જ સેવા કરવાની છે; ગરીબોને કેળવણી આપવાની અને તેમના ગુમાવેલા વ્યક્તિત્વને પાછું વિકસાવવાની.

બ્રાહ્મણોની સત્તા અને પરદેશી આક્રમણે સૈકાંઓ સુધી તેમને ચગદી રાખ્યા છે; પરિણામે ભારતના ગરીબ લોકો પોતે જીવતા જાગતા મનુષ્યો છે એ હકીકત જ ભૂલી ગયા છે.

દરેક પ્રજાએ, દરેક પુરુષે અને દરેક સ્ત્રીએ પોતાનો ઉદ્ધાર પોતે જાતે જ કરવો જોઈએ. તેમને વિચાર કરતા બનાવો. તેમને એટલી જ સહાયની જરૂર છે; બાકીનું, પરિણામરૂપે આપોઆપ બહાર આવશે જ.

ભારતમાં એટલી બધી ગરીબાઈ છે કે એ બિચારા છોકરાઓ નિશાળમાં ભણવા જવાને બદલે ખેતરના કામમાં પોતાના બાપને મદદ કરવા જશે, અગર બીજી રીતે આજીવિકા મેળવવાનો પ્રયાસ કરશે.

પર્વત મહમદ પાસે ન આવે તો મહમદે પર્વત પાસે જવું જોઈએ. જો ગરીબ છોકરો વિદ્યા મેળવવા ન આવી શકે તો વિદ્યાને તેની પાસે પહોંચાડવી જોઈએ.

દેશમાં આને માટે મદદ માગ્યા છતાં ધનાઢ્ય લોકો પાસેથી કંઈ પ્રોત્સાહન ન મળવાથી આપ નામદારની મદદથી હું આ દેશમાં આવ્યો. ભારતના ગરીબ લોકો જીવે કે મરે તેની અમેરિકનોને કશી જ પડી નથી; અને જો આપણા દેશના લોકો જ પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ જોતા નથી, તો અહીંના લોકો શા માટે તેમની પરવા કરે?

ઉદાર રાજવી ! આ જીવન ટૂંકું છે અને તેના તુચ્છ મોજશોખો ક્ષણિક છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના તો જીવતા કરતાં વધુ મરેલા છે.

આપના ઉદાર હ્રદયમાં અજ્ઞાનમાં ડૂબેલા ભારતના લાખો દુ:ખી લોકો માટે તીવ્ર લાગણી ઉદભવે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરતો.

-વિવેકાનંદ


જનતા પ્રત્યેની આપણી ફરજ – સ્વામી વિવેકાનંદ


Categories: પત્રો/પત્ર વ્યવહાર, સ્વામી વિવેકાનંદ | Tags: , , , | 1 Comment

આપણે શેમાં માનીએ છીએ – સ્વામી વિવેકાનંદ

શિકાગો, ૩જી માર્ચ ૧૮૯૪ના રોજ લખેલ પત્રના થોડા અંશો અત્રે પ્રસ્તુત છે. સમગ્ર પત્ર વાંચવા પત્રને છેડે આપેલી લિંક પર ક્લિક કરશો.


શ્રદ્ધા એક અજબ અંતદૃષ્ટિ છે અને ઉદ્ધાર તે જ કરી શકે છે; પરંતુ તેમાં ધર્માંધતા ઉત્પન્ન કરીને આગળની પ્રગતિને રોકી દેવાનો ભય છે.

જ્ઞાન બરાબર છે, પરંતુ શુષ્ક તર્કવાદ બની જવાનો પણ ભય છે.

પ્રેમ એક મહાન અને ઉદાત્ત ભાવ છે, પરંતુ તેમાં અર્થહીન ઊર્મિલતામાં લુપ્ત થઈ જવાનો ભય રહેલો છે.

આ બધાનો સમન્વય એ જ જરુરી વસ્તુ છે.

જે કંઈ ઉન્નતિને રૂંધે છે કે અધોગતિ લાવે છે તે જ દુર્ગુણ છે; જે કંઈ ઊંચે ચડવામાં અને બીજા સાથે સુમેળ સાધવામાં મદદરૂપ થાય છે તે જ ગુણ છે.

આપણે માનીએ છીએકે દરેક વ્યક્તિ દિવ્ય છે, ઈશ્વર છે. દરેક આત્મા અજ્ઞાનનાં વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવો છે; આત્મા વચ્ચેનો ભેદ આ વાદળોનાં થરોની ઘનતાને લીધે છે. આપણે માનીએ છીએ કે સ્પષ્ટ કે અસ્પષ્ટ પણ બધા ધર્મોનો પાયો આ છે. અને ભૌતિક, બૌદ્ધિક કે આધ્યાત્મિક ભૂમિકામાં થયેલી માનવ પ્રગતિના સમગ્ર ઈતિહાસનો અર્થ આ છે – ભિન્ન ભિન્ન ભૂમિકામાં એક જ આત્મા પ્રગટ થાય છે.

કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ.

ધર્મ એટલે પૂર્વથી જ માનવમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ.

દરેક સામાજિક બાબતમાં માથું મારીને લાખો લોકોને દુ:ખી કરવાનો પુરોહિતોને શો અધિકાર હતો?

તમે ક્ષત્રિયો માંસાહારી છે એમ કહો છો. તેઓ માંસ ખાય કે ન ખાય, પરંતુ હિંદુ ધર્મમાં જે કંઈ ભવ્ય અને સુંદર છે તે બધાંના સર્જક તેઓ હતા. ઉપનિષદો કોણે લખ્યાં? રામ કોણ હતા? કૃષ્ણ કોણ હતા? બુદ્ધ કોણ હતા? જૈનોના તીર્થંકરો કોણ હતા? જ્યારે જ્યારે ક્ષત્રીઓએ ધર્મનો ઉપદેશ કર્યો છે ત્યારે તેઓએ તે સહુ કોઈને કર્યો છે; અને જ્યારે જ્યારે બ્રાહ્મણોએ કંઈ પણ લખ્યું છે ત્યારે ત્યારે તેઓએ બીજાના કોઈ પણ હક્ક સ્વીકાર્યા નથી. ગીતા કે, વ્યાસના સૂત્રો તમે વાંચો, અગર કોઈ પાસે વંચાવો. ગીતામાં તમામ સ્ત્રીપુરુષો, બધા વર્ણો અને પ્રજાઓ માટે માર્ગ ખૂલ્લો રખાયો છે, પણ બિચારા શૂદ્રોને છેતરવા માટે વ્યાસ, વેદોનો વિકૃત અર્થ કરવાનો પ્રયાસ કરે છે. શું ઈશ્વર તમારા જેવો બીકણ અને મૂર્ખ છે કે તેની દયાની સરિતાનો પ્રવાહ માંસના એક લોચાથી રોકાઈ જાય? જો ઈશ્વર તેવો હોય તો તેની એક કોડીની પણ કિંમત નથી.

નવા આદર્શનો, નવા સિદ્ધાંતનો, નવ જીવનનો ઉપદેશ આપો. કોઈ વ્યક્તિની અગર કોઈ રીતરિવાજની વિરુદ્ધ પ્રચાર કરો નહીં. જ્ઞાતિભેદ અગર બીજા કોઈ સામાજિક દુષણોની તરફેણ કે વિરુદ્ધમાં પ્રચાર કરો નહીં. આ બધાંથી દૂર રહેવાનો જ ઉપદેશ આપો, એટલે બધું આપોઆપ બરાબર થઈ જશે.

મારા બહાદુર, દૃઢ નિશ્ચયી અને પ્રેમાળ આત્માઓ ! તમને સહુને મારા આશીર્વાદ.


આપણે શેમાં માનીએ છીએ – સ્વામી વિવેકાનંદ


Categories: પત્રો/પત્ર વ્યવહાર, સ્વામી વિવેકાનંદ | Tags: , , | 22 Comments

હંસ: માનસરોવરની યાત્રાએ (૬૩ થી ૬૮)



સંપૂર્ણ


Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ (૫૮-૫૯-૬૦-૬૧-૬૨)


Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ (૫૬-૫૭)


Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ (૫૫)


Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૫૪)


Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૫૧-૫૨)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૫૧)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૫૦)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.