કલા / સંગીત / નૃત્ય / નાટક

માધ્યમ દોષી નથી પણ માધ્યમ દ્વારા શું પીરસવામાં આવે છે તેના પર તેની સારી નરસી અસર નીપજે છે

મીત્રો,

ઘણી વખત આપણે કેટલાક અનુભવી વડીલો દ્વારા સાંભળીએ છીએ કે ફીલ્મો દ્વારા દર્શાવાતા હિંસા અને જાતીય આવેગોને ઉત્તેજીત કરતા દૃશ્યો બાળ માનસ તથા સમાજને વિપરીત અસર પહોંચાડે છે અને તેને લીધે સમાજમાં ગુન્હાખોરી વધે છે. આમાં મુળ વાત ફીલ્મો કોણે બનાવી છે અને તેના વિષય વસ્તુ શું છે તેની પર જ તેના સારા નરસા પરીણામો નીપજતા હોય છે.

ફીલ્મો દ્વારા હકારાત્મક કે નકારાત્મક કોઈ પણ બાબત રજુ કરી શકાય. માધ્યમને દોષ દેવાને બદલે માધ્યમ દ્વારા પીરસાતા વિષય વસ્તુની પસંદગીમાં દીગ્દર્શકો, વિતરકો અને પ્રેક્ષકોએ સાવધાન રહેવું જરુરી છે.

આજે માણીએ એક ફીલ્મી ગીત ઈન્ટરનેટના માધ્યમ દ્વારા :

દૃશ્ય તો દૃશ્ય છે. દૃશ્યની અસર કેવી ઉપજશે તેનો સઘળો આધાર દૃષ્ટા પર રહેલો છે.

Categories: અવનવું, કલા / સંગીત / નૃત્ય / નાટક, ગમતાંનો ગુલાલ | Tags: , , | Leave a comment

મન તડપત હરિ દર્શન કો

આ ગીતની પ્રસ્તાવના વાંચવા કરતાં સાંભળવાની વધારે મજા આવશે.


https://bhajanamrutwani.files.wordpress.com/2011/07/man-tadpat-hari-darshan-ko.jpg
Categories: અધ્યાત્મ / યોગ, કલા / સંગીત / નૃત્ય / નાટક | Tags: , , , | 2 Comments

શિયાળામાં વરસાદ? – આગંતુક


તમને થશે કે શિયાળાની શરૂઆતમાં આ વરસાદી ગીત? હા ભાઈ હા, અહીં ખરેખર વરસાદ પડે છે. તમને તો ખબર છે ને કે મને છાંટો-પાણીની બીલકુલ આદત નથી અને વળી ગુજરાતમાં તો આ બધાં ઉપર પ્રતિબંધ છે અને હું કાયદાનું પુરેપુરું પાલન કરુ છું (એ વાત અલગ છે કે મારા અમુક મિત્રોના અંદાજે બયા અલગ છે). ભાવનગરમાં તો હિલ સ્ટેશન જેવું વાતાવરણ છે અને “મધુવન”ના તો ફૂલો પણ નાચી ઉઠ્યા છે. ખાત્રી નથી થતી? તો જુઓ માત્ર આ બે ફૂલની ઝલક.

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….

ગીતના શબ્દો માટે સૌજન્ય: “ટહુકો

Categories: કલા / સંગીત / નૃત્ય / નાટક, મધુવન | Tags: , , | 4 Comments

ચબરાકીયા (૧) – આગંતુક

સહુ કોઈ ચાલે સમયની પાછળ;
દુ:ખનો કરતાં શોક.
😦 😦 😦 😦
’સમય’ પણ જેની પાછળ ચાલે;
“એવા વિરલા” કો’ક
🙂 🙂 🙂 🙂 🙂

Categories: આનંદ, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, હાસ્ય | Tags: , , , , , , , | Leave a comment

ભાવનગરમાં યોજાયો ગુરુ વંદના કાર્યક્રમ – કવિતા જાની

મિત્રો અને સ્વજનો,

• તા. ૨૫ જુલાઈ ૨૦૧૦ ના રોજ ગુરુ પુર્ણિમા ના પાવન દિવસે ભાવનગરમાં સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં ’ગુરુ વંદના’ કાર્યક્રમ યોજાઈ ગયો.

• શ્રી નીશીથભાઈ મહેતા સંચાલિત ‘Centre for Excellence’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સહુ પ્રથમ દર્શકોનું સ્વાગત કરતા શ્રી છાંયાબહેને ગુરુનું શું મહત્વ છે તેના વીશે વક્તવ્ય આપેલ.

• અતિથી વિશેષ કલાગુરુ શ્રી ધરમશીભાઈ શાહ તથા શ્રી નંદકુંવરબા કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રી અંજનીદેવીનું પુષ્પગુચ્છથી અભીવાદન કરવામાં આવ્યું.

• ચાર જુદી જુદી કલા સંસ્થાઓના કલાગુરુઓ ૧. ધરમશીભાઈ શાહ ૨. કાજલબહેન મૂળે ૩. મુરલીબહેન મેઘાણી તથા ૪. વિનિતાબહેન ઝાલા નું શ્રી અંજનીદેવીએ શાલ ઓઢાડીને સન્માન કર્યું.

• કાર્યક્રમની શરૂઆત કલાક્ષેત્રની વિદ્યાર્થીનીઓ દ્વારા જગદ્જનની જગદંબાના વિવિધ સ્વરૂપો રજુ કરતી કૃતિ કથ્થકના તોડા દ્વારા અભીવ્યક્ત કરીને કરવામાં આવી.

• હર્ષાબહેન શુક્લની વિદ્યાર્થીનીઓ દ્વારા ’જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ ગીત ઉપર ભારતનાટ્યમ દ્વારા રજુઆત કરવામાં આવી.

• કાજલબહેન મૂળેની વિદ્યાર્થીનીઓ દ્વારા ’એકલવ્યનો ગુરુપ્રેમ’ વિષય પર નૃત્ય નાટીકા રજુ કરવામાં આવી.

• મુરલીબહેન મેઘાણીની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું. કથ્થકના તોડા, મૃંદગનો તાલ અને સંગીતની સરગમના ત્રીવેણી સંગમે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

• વિનિતાબહેન ઝાલાની વિદ્યાર્થીનીઓ (જેમાં અમારી દીકરી આસ્થા પણ સામેલ છે) દ્વારા મીરાબાંઈના પદ “બરસે બદરીયા સાવનકી” પર કથ્થકના તોડા, મૃંદંગના તાલ અને સંગીતની સરગમના સુમેળ-સભર ભાવવાહી રજુઆત દ્વારા દર્શકો રસતરબોળ થઈ ગયા હતા અને સમગ્ર યશવંતરાય નાટ્યગૃહ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું.

• કાજલબહેન મૂળેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

• કાર્યક્રમ અંગે પોતાનો પ્રતિભાવ દર્શાવતા સિલ્વર બેલ્સના આચાર્યા શ્રી અમરજ્યોતિ બહેને ગદગદ કંઠે કહ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમે મારા ઉપર કોઈ અજબ ભુરકી છાંટી દીધી હોય તેમ લાગ્યું અને હું મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.

• શ્રી નિશીથભાઈ મહેતાએ આ કાર્યક્રમ ’ગુરુ વંદના’ માં કઈ રીતે ફેરવાઈ ગયો તે વીશે આનંદપુર્વક રજુઆત કરી હતી.

• આભારવિધી બાદ કાર્યક્રમને પુર્ણ જાહેર કરવામાં આવ્યો અને પ્રેક્ષકો એક અજબ ભાવજગતને પોતાના હ્રદયની અંદર કંડારીને વીખરાયા હતા.

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભારતિય સંસ્કૃતિ | Tags: , | 4 Comments

કલા ક્ષેત્રે આસ્થાની પા પા પગલી – આગંતુક

તા.૧૦ જુલાઈ ૨૦૧૦,
ભાવનગર.

ગઈ કાલનો દિવસ અમારી પુત્રી આસ્થા માટે કલાક્ષેત્રે પા પા પગલી ભરવા માટે અગત્યનો રહ્યો. સવારે તેણે સ્વામીનારાયણ ગુરુકુળ શાળામાં યોજાયેલી ગીત ગાયન સ્પર્ધામાં ૨૫ સ્પર્ધકો દ્વારા ગવાયેલ ગીતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો. તેણે એક બાળગીત – વર્ષાગીત રજુ કરેલ જેના શબ્દો કાઈક આવા હતા;

પરરંમ પમ પમ , પરરંમ પમ પમ આ…..

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સંસ્થા શિક્ષણ ઉપરાંત, રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, CBSE (અંગ્રેજીનું શિક્ષણ) તથા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં રસ ધરાવતી એક અગ્રગણ્ય સંસ્થા છે.

આ ઉપરાંત આજ તારીખે કલાગુર્જરી (ગાંધીનગર) ના યજમાન પદે યોજાયેલ અને કલાગુર્જરી (ભાવનગર) દ્વારા રજુ કરવામાં આવેલ સાંસ્કૃતિક અને ભારતીય સંસ્કૃતિની લગ્ન પરંપરામાં રહેલા ઉદાત્ત ભાવોને રજુ કરતી નૃત્ય નાટીકા “સાજન બેઠું માંડવે..” માં પાંચ જુદા જુદા નૃત્યોમાં ભાગ લીધેલો. તેના શબ્દો કાઈક આવા હતા.

૧. ભર જોબનીયામાં બેઠા
૨. માંડવડે..
૩. પાંચપડા મોતીડે બંધાવ્યા
૪. માતા રાંદલ આવોને મારે આંગણે
૫. પીઠી ચોળો પીઠી રે

આમ હવે આસ્થા પોતાના શૈક્ષણીક અભ્યાસ ઉપરાંત કલાક્ષેત્રે પણ પોતાનું પ્રદાન આપી રહી છે. કલા ગુર્જરી (ભાવનગર) તે નૃત્ય, ગાયન, વાદન, નાટક વગેરે દ્વારા સમાજમાં સુવ્યવસ્થા સ્થાપવા માટે વર્ષોથી ઉત્તમ કાર્ય કરી રહી છે. આ સંસ્થાના ધરોહર શ્રી સંતોષભાઈ કામદારનો આ સંસ્થાને સતત ધબકતી રાખવા માટેનો ભગીરથ પુરુષાર્થ જ આ સંસ્થાને ઉત્તરોત્તર વધુને વધુ ગૌરવવંતુ સ્થાન અપાવવા માટે કારણભુત છે. આ સંસ્થાના પ્રોત્સાહન દ્વારા ભુતકાળમાં ઘણા નામી કલાકારોને ટેકો મળ્યો છે અને ઘણાં નવા કલાકારો ઉછરી રહ્યાં છે.

Categories: ઉદઘોષણા, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભારતિય સંસ્કૃતિ | Tags: | Leave a comment

કલા ગુર્જરી (ભાવનગર) દ્વારા ગાંધીનગર માં કાર્યક્રમ

સખી અને મિત્રો,
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે આજે અમારી દિકરી ચી. આસ્થા અતુલભાઈ જાની, કલાકારોને પ્રોત્સાહન અને આગળ ધપવામાં મદદ કરતી ભાવનગરની પ્રતિષ્ઠીત સંસ્થા “કલા ગુર્જરી” દ્વારા નીર્મીત નૃત્ય નાટીકા “સાજન બેઠું માંડવે…..” માં ભાગ લેવા જઈ રહી છે. આ કાર્યક્રમની વિગત નીચે પ્રમાણે છે.


સ્થળ: ટાઉન હોલ, ગાંધીનગર
તારીખ: ૧૦/૭/૨૦૧૦

પ્રવાસ સૂચિ

પ્રસ્થાન: સવારે ૧૧ કલાકે, શ્રીજી રેસ્ટોરન્ટસ, ઘોઘાસર્કલ થી પ્રાઈવેટ બસ દ્વારા ગાંધીનગર જવા રવાના

હળવું ભોજન : બપોર ૧:૦૦ કલાકે, બસમાં

ટાઉન હોલ, ગાંધીનગર પહોંચવાનો અંદાજીત સમય: બપોરે ૪:૦૦ કલાકે

હળવો નાસ્તો: સાંજે ૭ કલાકે

નૃત્ય નાટીકા – લગ્ન ગીતો, આકર્ષક વેશભૂષા તથા મનમોહક રજૂઆત (મુખ્ય કાર્યક્રમ – “સાજન બેઠું માંડવે…..”) : રાત્રે ૯:૧૫ કલાક થી …..

ભોજન: રાત્રે ૧૨:૩૦ કલાકે

ભાવનગર પરત આવવા રવાના: રાત્રે ૧:૧૫ કલાકે

ભાવનગર પહોંચવાનો અંદાજીત સમય: સવારે ૫:૩૦ કલાકે, શ્રીજી રેસ્ટોરન્ટ ઘોઘાસર્કલ મુકામે…

વાલીઓને સુચના:- આપના બાળકોને કિંમતી ઘરેણાં પહેરાવી મોકલશો નહીં

સંપર્ક નંબર:
મિતુલ રાવલ: ૯૮૨૫૩૨૬૫૩૨
જ્વલંત ભટ્ટ: ૯૮૨૫૨૦૭૧૭૮
નીરવ પંડ્યા: ૯૮૨૫૦૧૨૫૪૨

Categories: ઉદઘોષણા, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભારતિય સંસ્કૃતિ, સમાચાર | Tags: , | 8 Comments

Blog at WordPress.com.