Monthly Archives: September 2020

શું તમે સાઇકિક છો? (૨) – જીતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં લેખ ક્રમાંક 1 માં શું ચર્ચા થઈ તે યાદ કરીએ. એ સમજ્યા કે ‘સાઈકિક’ એટલે શું? આ સંદર્ભમાં ફેલાયેલી થોડી ભ્રામક માન્યતાઓ વિષે વાત કરી. એ જોયું કે કોઈ ને કોઈ પ્રકારની સાઈકિક શક્તિઓ થોડા-ઘણા અંશે દરેકમાં રહેલી હોય છે. આ શક્તિઓમાંથી મુખ્ય પ્રકારોના નામ જાણ્યાં. હવે આ પ્રકારોને વિગતથી સમજીશું.

ક્લેયરવોયન્સ:

આ પ્રકાર સમજવો સહેલો પડશે કારણ કે મહાભારતના પાત્ર સંજયનો દાખલો લગભગ તમામ વ્યક્તિને ખ્યાલ હશે. સંજય કુરુક્ષેત્રના મેદાન પર હાજર ન હોવા છતાં ત્યાં બનતી ઘટનાઓનું વર્ણન ધૃતરાષ્ટ્રને કરે છે કારણ કે તે ક્લેયરવોયન્ટ છે.  5 ઈંદ્રિયોમાંથી એક છે આંખ જેના થકી દરેક મનુષ્ય અમુક અંતર સુધી જોઈ શકે. આંખ બંધ હોય તો પણ જોઈ શકે અથવા દૂરના અંતરનાં, ભવિષ્યનાં કે ભૂતકાળનાં દ્રશ્યો પણ જોઈ શકીએ તેવી શક્તિને કહેવાય ‘ક્લેયરવોયન્સ’ (Clairvoyance). અને એવી વ્યક્તિને કહેવાય ‘ક્લેયરવોયન્ટ’. આજ્ઞાચક્ર એટલે કે ત્રીજું નેત્ર જયારે એક હદ સુધી વિકાસ પામેલું હોય ત્યારે આ શક્ય બને. ઉદાહરણથી સમજીએ.

લેખ ૧ માં સ્લિવિઆ બ્રોવન નામની એક અમેરિકન મહિલા અને તેનાv 2008માં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘End of Days’ વિષે ઉલ્લેખ કરેલો, જેમાં કોરોના 2020માં દુનિયાભરમાં ફેલાશે તેના વિષે સચોટ આગાહી કરેલી. એ સિવાયની પણ ઘણી આગાહીઓ તે પુસ્તકમાં છે. આ પ્રમાણે ભવિષ્ય જોઈ શકવું તે પણ કલેયરવોયન્સ કહેવાય. કોઈ ચલચિત્ર – મુવી ચાલતું હોય તે રીતે આ પ્રકારના લોકોને ભવિષ્યની ઘટનાઓ દેખાય છે. નોસ્ત્રાદેમસના નામથી કોઈ અજાણ નથી જેની મોટા ભાગની આગાહીઓ સાચી પડી છે. તેની પણ ભવિષ્ય જોઈ શકવાની શક્તિને ક્લેયરવોયન્સ કહેવાય.

 નજીકના જ ભૂતકાળની એક અતિ પ્રખ્યાત કલેયરવોયન્ટv હતી બલ્ગેરિયાની બેબા વેન્ગા (Baba Vanga). 12 વર્ષની ઉંમરે તેણે આંખો ગુમાવી દીધી અને ત્યાર બાદ એની અતીન્દ્રિય શક્તિઓ વાળી આંખ ખુલી ગઈ. 1995માં 85 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું તે પહેલાં તેણે જે આગાહીઓ કરેલી છે તે આંખ પહોળી થઈ જાય તે હદે સાચી પડેલી છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો એટેક, ત્રાસવાદી જૂથ ISISનો ઉદ્ભવ, તેનું ચોક્કસ સ્થાન એટલે કે સીરિયા, અમેરિકામાં 44માં પ્રમુખ તરીકે અશ્વેત વ્યક્તિ (ઓબામા), સીરિયામાં ગેસ એટેક, 2000ના વર્ષમાં રસિયન સબમરીન ક્રુક્સનું દરિયામાં ડૂબી જવું, યુરોપની પડતી વિગેરે અનેક સચોટ આગાહીઓ તેણે વર્ષો પહેલાં કરેલી. કોરોના વિષે પણ તેણે આગાહી કરેલી જ હતી. કોરોનાની દવાની શોધ રસિયામાં થશે તે તેની બીજી આગાહી છે. અમેરિકાના પ્રમુખનું સ્વાસ્થ્ય 2020 દરમ્યાન કથળશે અને રસિયાના પ્રમુખ પર આ જ વર્ષ દરમ્યાન ખૂની હુમલો થશે તેવી પણ તેની આગાહી છે. તેની ખતરનાક આગાહી એ છે કે ત્રાસવાદીઓ 2025 સુધીમાં સંપૂર્ણ યુરોપ પર કબ્જો જમાવી દેશે, શરૂઆત રોમથી થશે. તેની આગાહીઓમાંથી 85% અત્યાર સુધીમાં સાચી પડી છે. આશા કરીએ કે અહીં જે ખોફનાક આગાહીઓ વર્ણવી છે તે બાકીની 15%માં હોય.

એવું જાણવા મળ્યું હશે કે આજકાલ બાળકોની શક્તિ વિકસાવવા માટે અમુક ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આવા બાળકો આંખ પર પટ્ટી બાંધેલી હોવા છતાં વાંચી શકે છે, દૂરથી કોઈ વસ્તુ બતાવીએ તો તે વસ્તુ શું છે તે ચોક્કસ કહી શકે છે વિગેરે. આ એક પ્રકારે કલેયરવોયન્સ થયું.

 મારી સાથે બનેલી એક ઘટના આ વાત વધુ સારી રીતે સમજાવી શકશે. વર્ષ 2011માં હું FB પર થોડો એક્ટિવ થયો. મારો 2005નો એક ફોટો મારા DP તરીકે મેં રાખેલો. એ સમયે ઈંગ્લેન્ડમાં નોર્ફોક નામનાં સ્થળે રહેતાં એક બ્રિટિશ સન્નારી સાથે મારી મૈત્રી થઈ. બંનેની રુચિ સમાન વિષયોમાં હતી. પરિણામે લગભગ નિયમિત રીતે ચેટ થવા લાગી. અચાનક તેનું ધ્યાન મારા DP પર પડ્યું. એ સાથે જ તે ચમક્યા, મને કહે ‘જીતુ, મને ફોટોમાં કોઈ બીજી વ્યક્તિ દેખાય છે, મને જે વ્યક્તિ દેખાય છે તેને તો ફ્રેન્ચ કટ દાઢી છે જયારે ફોટોમાં તો ક્લીન શેઈવ વાળી વ્યક્તિ છે.” આ સાથે જ તેણે મારા ચહેરાનું સંપૂર્ણ વર્ણન કરી દીધું, DP તરીકે જે ફોટો રાખેલો તેમાં દાઢી વધારેલી ન હતી જયારે 2011 દરમ્યાન આ ચેટ સમયે ફ્રેન્ચ કટ બિયર્ડ રાખતો હતો. તે સિવાય પણ એ 6 વર્ષના સમયગાળામાં ચહેરામાં થોડો બદલાવ થયેલો. સંતોની ક્લેયરવોયન્સ શક્તિનો અનુભવ તો મને ઘણો હતો. સામાન્ય જીવન જીવતી વ્યક્તિ સાથેનો મારો આ પહેલો અનુભવ ત્યારે હતો.

કોઈ ક્લેયરવોયન્ટની શક્તિ એ પ્રકારે વિકાસ પામેલી હોય કે આત્માઓ અથવા એલિયન્સ પણ તેમને દેખાતા હોય. મારી એક ઇન્ડોનેશિયન મિત્ર (જે થોડા સમય પહેલાં જ મૃત્યુ પામી) આ પ્રકારની શક્તિઓ ધરાવતી હતી. તે અત્યંત પ્રખ્યાત હિલર હતી. તેની પાસે યુરોપના દેશોમાંથી પણ લોકો હીલિંગ માટે આવતા. 12 વર્ષની ઉંમર સુધી તે ફ્રાન્સમાં હતી. તે 7 વર્ષની થઈ ત્યાં સુધી 2 બ્લોન્ડ (સોનેરી વાળ વાળાં) બાળકો તેને દેખાતાં જે તેની સાથે જ રહેતાં, રમતાં અને તેનાં કૂકીઝ પણ ખાઈ જતાં. બીજા કોઈને આ બાળકો દેખાતાં નહિ. મારી આ મિત્રને સૌથી પહેલાં 3 વર્ષની ઉંમરે ખ્યાલ આવ્યો કે તેને જે દેખાય છે તે બધાને દેખાતું નથી. તેનું હાલમાં મૃત્યુ થયું ત્યાં સુધી તેનાં ઘરમાં એલિયન પ્રકારના આત્માઓ દેખાતા અને ફોટોમાં પણ આવી જતા. આ આલ્બમ જોવા ખાસ સૂચન છે. https://www.facebook.com/photo.php?fbid=10156076507940945&set=gm.1001688776683569&type=1&theater

ફોટો પરથી ક્લેયરવોયન્સ:

આ પ્રકારના સાઈકિક કોઈ ફોટો જોઈ તે વ્યક્તિ વિષે માહિતી મેળવી શકે છે. વિદેશોમાં આ પ્રકારના સાઈકિક રિડિંગ બહુ જ જોવા મળે છે. સાઈકિક રિડિંગ ત્યાં વ્યવસાય તરીકે લઈ શકાય છે, સાઈકિકની ઓફિસ પર જઈ કન્સલ્ટેશન મેળવવાનું હોય છે, વિડિઓ અથવા ફોન પર કન્સલ્ટેશન થઈ શકે છે. ભારતમાં જે રીતે જ્યોતિષી પાસે જઈ તેની સલાહ લઈ શકાય છે તે રીતે સાઈકિક રિડિંગ કોઈ કરતું હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. અલબત્ત, અનેક ભારતીય સંતો-મહાત્માઓ આ પ્રકારની શક્તિ ધરાવતા હોય છે. અન્ય કોઈ પાસે આવી શક્તિઓ હોય તે લોકો સામાન્ય રીતે બહાર આવવાનું પસંદ કરતા નથી, કદાચ ભય લાગતો હશે કે લોકો તેમની તરફ કોઈ જુદી દ્રષ્ટિથી જોશે (કારણ કે આ વિષય અંગે અનેક ભ્રમણાઓ છે જે લેખ 42માં ચર્ચા કરેલ છે).

સાંકેતિક કલેયરવોયન્સ:

કોઈ કલેયરવોયન્ટ એ પ્રકારના હોય કે જેમને ધુમાડા દ્વારા, કોઈ ખાસ ચિહ્નો દ્વારા, પ્રકાશના લિસોટા દ્વારા – એમ વિવિધ રીતે દૂરના દ્રશ્યો દેખાતા હોય છે. જયારે સામાન્ય મનુષ્યને ફક્ત ધુમાડો દેખાતો હોય ત્યારે કોઈ કલેયરવોયન્ટને તેમાંથી કોઈ ભવિષ્યની ઘટનાનો અણસાર આવી ગયો હોય તેવું બની શકે.

ઓરા જોવાની શક્તિ:

શરીરમાંથી નીકળતાં વિદ્યુત તરંગોને કારણે બનતી આભા એટલે ‘ઓરા’ જે નરી આંખે ન જોઈ શકાય પણ જેનો ફોટો કિર્લિઅન કેમેરાથી લઈ શકાય, જેના પરથી વ્યક્તિના સ્વભાવ વિષે, સ્વાસ્થ્ય વિષે, તેની વિશિષ્ટ ક્ષમતા વિગેરે વિષે ઘણો ખ્યાલ આવી જાય. લેખમાળાની શરૂઆતમાં આ વિષે વિસ્તૃત ચર્ચા કરેલી છે. કોઈ વ્યક્તિ નરી આંખે ઓરા જોઈ શકે તો તે વ્યક્તિ પણ એક પ્રકારે ક્લેયરવોયન્ટ કહેવાય.

પ્રશ્ન એ ઉઠે કે શું મારામાં થોડે-ઘણે અંશે પણ આવી શક્તિઓ હશે?

નીચેના પ્રશ્નોના જવાબ પ્રામાણિક રીતે ખુદ પાસેથી મેળવવાના રહ્યા. શક્ય છે કે આવી શક્તિઓ હોઈ શકે. આવી અન્ય ઘટનાઓ પણ હોઈ શકે.

1) એમ બને છે કે કોઈ કુટુંબી/મિત્રના લગ્ન વિષે ચોક્કસ સમયની ધારણા, જ્યોતિષનો સહારો લીધા વગર, તમે કરી હોય તે સાચી પડે?

2) તમારી નજીકની વ્યક્તિને કોઈ અકસ્માત થાય એ જ સમયે તમારા શરીરમાં કોઈ જુદા જ પ્રકારની સંવેદના ઉઠે?

3) કોઈ સંવાદો તમારી સમક્ષ થતા હોય તેવું લાગે, ખરેખર ન થયા હોય અને ત્યાર બાદ અમુક સમય પછી એ જ પ્રકારના સંવાદોના તમે સાક્ષી બનો છો?

4) કોઈ મકાન તમને ધ્યાનમાં કે સ્વપ્નમાં કે કોઈ પણ રીતે દેખાય અને અમુક સમય પછી તે જ મકાન તમારું રહેણાંક બને?

5) વારંવાર એમ બને કે કોઈ પણ સ્પર્ધા કે મેચનું પરિણામ એ પ્રમાણે જ આવે કે જે તમારા મનમાં પહેલેથી જ આવી ગયું હોય?

ક્લેયરવોયન્સ વિષયની થોડી ભ્રમણાઓ જોઈએ.

1) સાઈકિક અને કલેયરવોયન્ટ બંને સમાન છે.

ના, દરેક ક્લેયરવોયન્ટ સાઈકિક છે પરંતુ દરેક સાઈકિક કલેયરવોયન્ટ હોય તેવું જરૂરી નથી.

2) ભવિષ્ય અંગે જે દ્રષ્ટિ છે તે, એટલે કે વિઝન, હંમેશા સ્પષ્ટ હોય.

ના. તે સંકેત દ્વારા હોઈ શકે. નોસ્ત્રાદેમસની આગાહીઓ તો એવી વસ્તુઓ વિષે છે કે તે સમયમાં જે-તે વસ્તુનું અસ્તિત્વ જ ન હતું.

3) ક્લેયરવોયન્ટ સામેની વ્યક્તિના વિચારો વાંચી શકે.

ના. આવશ્યક નથી કે તેમ જ હોય. હોઈ પણ શકે, ન પણ હોઈ શકે.

4) જે દ્રશ્યો કલેયરવોયન્ટને દેખાય તે ભવિષ્યના જ હોય:

ના, ભૂતકાળના પણ હોઈ શકે. માટે જ અમેરિકા જેવા દેશોમાં સાઈકિક ડિટેક્ટિવનો ખ્યાલ ઉદ્ભવ્યો છે. જે કેઈસ પોલીસ ડિપાર્ટમેન્ટ સુલઝાવી ન શકે તેવા કેઈસ સાઈકિક ડિટેક્ટિવને આપવામાં આવે, જે ક્લેયરવોયન્ટ હોય અને પરિણામે પોતાની શક્તિઓ દ્વારા જે તે સમયની ભૂતકાળની પરિસ્થિતિનું દ્રશ્ય તેનાં માનસપટ પર લાવે, પોલીસને વર્ણવે અને તે પરથી પોલીસ તે કેઈસ સુલઝાવે.

5) ક્લેયરવોયન્ટ ધારે ત્યારે તેને બધું જ દેખાય.

ના. તેની શક્તિઓ આકસ્મિક હોઈ શકે, કોઈક વાર જ આ શક્તિનો લાભ તેને મળે તેમ બની શકે, ધ્યાન દરમ્યાન જ આ શક્તિઓ બહાર આવે તેમ પણ બની શકે અને ધારે ત્યારે તેનો ઉપયોગ કરી શકે તે પણ શક્ય છે. શક્તિ કેટલી વિકસી છે તેનાં પર આધાર છે.

અંતમાં, જો એમ લાગતું હોય કે મારામાં થોડા-ઘણા અંશે પણ આવી ક્ષમતા છે તો તે ક્ષમતાને વિકસાવવા માટે ‘ધ્યાન’ ઉત્તમોત્તમ માર્ગ છે. તે સિવાયના પણ અનેક માર્ગ છે. યોગ્ય સમયે લેખમાળામાં તેને આવરી લઈશું.

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

શું તમે સાઇકિક છો (૧) – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

સ્લિવિઆ બ્રોવન નામની એક અમેરિકન મહિલાનું એક પુસ્તક 2008માં પ્રસિદ્ધ થયેલ જેનું ટાઇટલ હતું ‘‘End of Days’’. તેમાં 2020ના વાયરસ વિષે તેણે કરેલી આગાહી કોરોના કરતાં પણ વધારે વાયરલ થઈ છે. તેણે લખ્યું હતું હતું

“In around 2020, a severe pneumonia-like illness will spread throughout the globe, attacking the lungs and the bronchial tubes and resisting all known treatments. Almost more baffling than the illness itself will be the fact that it will suddenly vanish as quickly as it has arrived, attack again 10 years later, and then disappear completely.”

સ્લિવિઆને તેના જીવન દરમ્યાન જેટલી પ્રસિદ્ધિ નહોતી મળી તે અત્યારે મળી. તે હતી એક ‘સાઈકિક’. તો આ સાઈકિક એટલે શું?

કોઈ વ્યક્તિ કહે “તમે તો સાઈકિક છો.” ખુશ થશો કે ખરાબ લાગશે? પ્રામાણિક જવાબ આપવાનો છે. બીજો જવાબ જાત પાસેથી એ લેવાનો છે કે ‘શું હું સાઈકિક છું?’

રોજબરોજની ભાષામાં કોને માટે આ શબ્દ વાપરીએ છીએ? શું એમ કહેવા માંગીએ છીએ કે તે વ્યક્તિ થોડી ‘ઘનચક્કર’ છે? Crack છે? જો આમ માનતા હોઈએ તો તે સરાસર ભ્રમ છે.

થોડા પ્રશ્નો જાતને પૂછીએ.

 કોઈ વખત એવું બન્યું છે કે ફોનની રિંગ વાગી, તરત ખ્યાલ આવી ગયો કે કોઈ ચોક્કસ વ્યક્તિનો ફોન છે?

 કોઈ વ્યક્તિને યાદ કરીએ, તરત તેનો ફોન આવે તેવું બને છે?

 કોઈ વ્યક્તિ આપણને યાદ કરતી હોય અને તમે તેને ફોન કરો તેમ બને છે?

 ‘Déjà vu’ નો અનુભવ કર્યો છે? મતલબ કોઈ ઘટના બને અથવા સંવાદ થાય ત્યારે એમ લાગે છે છે કે આ ઘટના તો પહેલાં બની ગઈ છે/સંવાદ પહેલાં સાંભળેલ છે?

 નજીકના/દૂરના ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો અહેસાસ પહેલેથી થઈ જાય છે?

 ટેલીપથીના અનુભવો થાય છે?

 કોઈનો સ્પર્શ કરતાં જ તેના વિષે કોઈ માહિતી આકસ્મિક રીતે જ મેળવી લો છો?

 સ્વપ્નમાં જ કોઈ સંદેશ મેળવી લો છો?

 જે જગ્યાએ હો ત્યાં કંઈ અઘટિત બનવાનું હોય તેનો અણસાર આવી જાય છે?

કુટુંબની કોઈ વ્યક્તિ અથવા કોઈ મિત્ર કંઈ તકલીફમાં હોય તેનો ખ્યાલ કુદરતી રીતે જ આવી જાય છે?

મોઢામાંથી અકારણ કોઈ શબ્દો સરી પડે જે તરત જ અથવા ભવિષ્યમાં સાચા પડી જાય તેમ બને છે?

શું તમારામાં હીલિંગ કરવાની ક્ષમતા છે?

બીજાંને ન સંભળાતા હોય તેવા અવાજ કોઈ-કોઈ વાર સાંભળી શકો છો?

એમ બન્યું છે કે કોઈને આપવા ભેટ ખરીદી હોય અને પછી§ ખબર પડે કે જે તે વ્યક્તિને ખરેખર એ જ વસ્તુ ખરીદવાની ઈચ્છા હતી?

યોગ્ય વ્યક્તિ તમારી પાસે યોગ્ય સમયે પહોંચી ગઈ? દા.ત. સંગીત શીખવાની ઈચ્છા થઈ, અચાનક કોઈ સામાજિક પ્રસંગમાં પહોંચ્યા, કોઈ નવી વ્યક્તિની ઓળખાણ થઈ, જાણ થઈ કે તે વ્યક્તિ તો સંગીત શિક્ષક છે.

આ પ્રશ્નોના જવાબ કોઈ પણ જગ્યાએ જો ‘હા’ આવતા હોય તો સમજવાનું કે હું સાઈકિક છું; ઘણી બધી જગ્યાએ જવાબ ‘હા’ હોય, તો વધારે સાઈકિક છું; ઘણા માને છે તેમ ઘનચક્કર કે Crack નહિ, પરંતુ અતીન્દ્રિય શક્તિ ધરાવનાર વ્યક્તિ.

સામાન્ય રીતે દરેક વ્યક્તિ સાઈકિક હોય. આ વાંચવામાં રસ પડતો હોય તો સમજવાનું કે હું સાઈકિક છું જ, કોઈની સરખામણીમાં મારી સાઈકિક શક્તિ વધુ-ઓછી હોઈ શકે. મારી સાઈકિક શક્તિનો પ્રકાર બીજા કરતાં જુદો હોઈ શકે. કોઈ ઇન્ટયુઈટીવ હોઈ શકે તો કોઈ મહાભારતના સંજયની જેમ દૂરદર્શી એટલે કે કલેયરવોયન્ટ. જયારે કોઈ વ્યક્તિ સાઈકિક હોય તો તેનો મતલબ એ થયો કે તેને પોતાને પણ પૂરો ખ્યાલ ન આવે તે રીતે તેને બ્રહ્માંડમાંથી કંઈ માહિતી/જ્ઞાન મળે છે. આવું જે જ્ઞાન મળે તેની પર વિશ્વાસ રાખવાનો રહ્યો. આ જ્ઞાન મળે તે ‘સારાં’ માટે હોય.

આધ્યાત્મિક જ્ઞાન અને અતીન્દ્રિય શક્તિઓની ગંગોત્રી જ જ્યાંથી ઉદ્ભવી છે તેવા આપણા દેશમાં આ વિષયમાં અત્યારે લોકોને ઓછી માહિતી હોય તેવું લાગે છે. અમેરિકા, કેનેડા જેવા દેશોમાં ‘સાઈકિક રીડિંગ’ હવે સામાન્ય ઘટના છે, લોકો પોતાના પ્રશ્નો માટે મોટી રકમની ફી ચૂકવીને સાઈકિકની સલાહ લે છે, ટેલિફોનિક રીડિંગ પણ થાય છે. આવા *સાઈકિક લોકો સામાન્ય મનુષ્યની જેમ જ પોતાની જિંદગી જીવતા હોય છે જયારે ભારતમાં કોઈની પણ સાઈકિક શક્તિ થોડી પણ વિકસે એટલે તેને મૉટે ભાગે લોકો ચમત્કારનું નામ આપી દે છે અને જે તે વ્યક્તિને સંત તરીકે પ્રસ્થાપિત કરી દે છે, તે વ્યક્તિને માટે સામાન્ય જીવન જીવવું અઘરું પડી જાય છે કારણ કે ‘સંત’ કહીએ તેની પાસેથી જડ થઈ ગયેલી માન્યતાઓને કારણે લોકો અમુક વિશિષ્ટ અપેક્ષા રાખે છે. કદાચ તેથી જ આવા લોકો પોતાની આ પ્રકારની શક્તિ વિષે વાત કરતા નહિ હોય, છુપાવતા હશે જે આ વિષયમાં પ્રવર્તતા શૂન્યાવકાશનું એક મોટું કારણ હોઈ શકે.

બીજું કારણ એ છે કે આપણા ઋષિ-મુનિઓ જે હજારો વર્ષ પહેલાં પણ જાણતા હતા અને હજી થોડી સદીઓ પહેલાં પણ જે જ્ઞાન સામાન્ય હતું તે બધું જ વિદેશીઓના ભૌતિક આક્રમણ અને ત્યાર બાદ આ જ્ઞાનને ભુલાવી દેવાના તેમના વ્યવસ્થિત પ્રયત્નોને કારણે લુપ્ત થઈ ગયું. એક વિચારધારા એવી ઉદ્ભવી કે જે આવી વાત પણ કરે તે પછાત ગણાય, તેની ગણતરી Intellectual તરીકે ન થાય. પરિણામે જે વ્યક્તિને આ વિષયમાં જીજ્ઞાશા હોય કે પોતાની આ શક્તિ વિકસાવવાની ઈચ્છા હોય તે પણ કોઈ સાથે આ વિષયમાં વાત કરતા અચકાય. કોરોનાએ જયારે કાળો કેર મચાવ્યો છે ત્યારે તેની એક ઉજળી બાજુ એ છે કે લોકોને હવે ખ્યાલ આવ્યો કે વૈદિક પ્રથાઓ કેટલી બધી સાચી હતી, કેટલા ઉચ્ચ જ્ઞાનનો પરિપાક હતો એ? IQ કે EQ (Emotional Quotient) તો બરોબર પરંતુ ખરેખર જરૂર છે PQ (Psychic Quotient) જાણવાની, તેને વિકસાવવાની.

કમ સે કમ એટલું જાણીએ.

દરેક વ્યક્તિ સાઈકિક છે.

વ્યક્તિ ધારે તો પોતાની સાઈકિકØ શક્તિઓ વિકસાવી શકે.

સાઈકિક શક્તિઓ જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપી શકે.

જેટલી વધુ પ્રેક્ટિસ, તેટલી સાઈકિક શક્તિ વધુ.

આ વિષયમાં અનેક ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે. તેમાંની થોડી જોઈએ.

1) શરૂઆતમાં વાત થઈ તેમ ‘સાઈકિક’ એટલે ‘ઘનચક્કર’. સત્ય શું છે તે આપણે જોયું.

2) અમુક ખાસ વ્યક્તિ જ સાઈકિક હોય:

સત્ય એ છે કે દરેક વ્યક્તિ આવી શક્તિઓ સાથે જ જન્મ લે. ઓશોએ એમના પ્રવચન દરમ્યાન કહેલું કે દરેક બાળક સાઈકિક શક્તિઓ સાથે જન્મ લે છે, યાદ રાખે છે અને એક ઉંમર થતાં જ મોટા ભાગના બાળકો તે શક્તિ ભૂલી જાય છે. આપણું બાળપણ યાદ કરીશું તો કંઈ આવું મળી આવશે કે અજાણતાં જ બોલ્યા હોઈએ અને તે સાચું પડ્યું હોય, કંઈ પ્રેરણા થઈ હોય અને તે મુજબની જ ઘટનાઓ બની હોય વિગેરે. અહીં મારી સાથે જ કોલેજ કાળ દરમ્યાન બનેલી એક સત્ય ઘટના એવી છે કે તે સમયમાં એક તરૂણી પર બળાત્કાર અને ખૂનના કિસ્સાએ સમગ્ર ગુજરાતમાં બહુ જ ચકચાર જગાવેલી. એ તરૂણીની ઓળખ થઈ ન હતી, એક જીપ હું અને મારા મિત્રો ઉભા હતા ત્યાંથી લાઉડસ્પીકર પર જાહેરાત કરતી નીકળી કે આ વિષયમાં કોઈને કંઈ માહિતી હોય તો તે જાણ કરવી. અચાનક જ મારા મોઢે કોઈ એક છોકરીનું નામ આકસ્મિક રીતે આવી ગયું જે મારી નજીક ઉભેલા મિત્રો સિવાય કોઈએ સાંભળ્યું નહિ. 1/2 કલાકમાં જ ખ્યાલ આવ્યો કે તે જ તરૂણીનું ખૂન થયેલું. દાયકાઓ પછી પણ મને એ વિચારતા જ કંપારી છૂટે છે કે પોલીસ કે અન્ય કોઈ એ મારા શબ્દો સાંભળ્યા હોત તો મારું શું થયું હોત ! કઈ રીતે હું સાબિત કરી શક્યો હોત કે મને કોઈ માહિતી ન હતી !

આ પ્રકારની સાઈકિક શક્તિઓ દરેક પાસે હોય, વર્ષો સુધી સુષુપ્ત પડી રહે, સાધના સાથે બહાર આવે અથવા તેને વિકસાવવા માટે ચોક્કસ પ્રયત્નોથી બહાર આવી શકે.

3) સાઈકિક શક્તિઓ હોવી તે ખરાબ વાત છે: 5 ઇન્દ્રિયોથી ન સમજી શકાય તેવી આ શક્તિઓ છે. મનુષ્ય સ્વભાવ છે કે જે ના સમજાય તેને કોઈ ‘અકુદરતી’ કહે, તો કોઈ ડરે. કોઈ એવા પણ હોય કે જે આ વિષય સમજવાની કોશિશ કરે, પોતાની શક્તિઓને ચકાસવાની અને વિકસાવવાની કોશિશ કરે. એક વસ્તુ ગાંઠે બાંધી લેવાની છે કે આ સંપૂર્ણ કુદરતી શક્તિઓ છે, જો આપણે વિકસાવી શકીએ તો તે મનુષ્ય જાતિના વિકાસ તરફનું પગલું હશે.

4) દરેક સાઈકિકની શક્તિઓનો પ્રકાર એક સરખો હોય:

ના જી. દરેક એથ્લેટ અલગ-અલગ રીતે પોતપોતાના ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવતા હોય તેમ આ શક્તિઓ પણ વિવિધ વ્યક્તિઓમાં જુદી-જુદી રીતે બહાર આવે. આ જ વસ્તુ સંતોને પણ લાગુ પડે. શક્તિઓના પ્રકાર પરની વિસ્તૃત ચર્ચા દરમ્યાન આ મુદ્દાને આવરીશું.

5) સાઈકિક શક્તિઓ ધરાવનાર આપણું બધું જાણી જાય.

પહેલાં વાત થઈ તેમ શક્તિઓનો પ્રકાર અલગ-અલગ હોય. બીજું, સાઈકિક પોતાની શક્તિઓ જાસૂસી કરવા માટે ન વાપરે સિવાય કે તે કાર્ય તેને સોંપાયેલું હોય. વિવિધ દેશોમાં સાઈકિક ડિટેક્ટિવની મદદ પોલીસ ડિપાર્ટમેન્ટ લે છે. અમેરિકા અને નેધરલેન્ડની આવી ડિટેક્ટિવના પરિચયમાં હું છું તેથી વિશ્વાસથી કહી શકું છું. આવી જવાબદારી સોંપાયેલી ન હોય ત્યારે કોઈ સાઈકિક પોતાની શક્તિઓનો ઉપયોગ બીજું કંઈ જાણવા માટે કરે નહિ કારણ કે તેને પોતાના માટે એ થકાવનારું હોય, ડ્રેઇન કરી દેનારું હોય. તેને પોતાની પણ જિંદગી તો હોય ને ! કોઈની પ્રાઇવસીમાં તે દખલ ન કરે, કાર્મિક જવાબદારી ઉભી થાય. જયારે રીડિંગ માટે કોઈ તેની પાસે જાય તેનો મતલબ એ થયો કે જે તે વ્યક્તિની માહિતી મેળવવાનો અધિકાર તેને આપવામાં આવ્યો.

6) સાઈકિકને બધી ખબર જ હોય.

ભારતના સંદર્ભમાં સંતો માટે આવી ભ્રામક માન્યતા રહે છે, વિદેશમાં સાઈકિક માટે. લોટરીનો નંબર કઢાવવા પણ સંત પાસે લોકો પહોંચી જાય!!! ભવિષ્ય ઘણું બદલતું રહે, બદલી શકાય પણ ખરું, કોઈ સમયે આકાશિક રેકોર્ડ વિષે ચર્ચા કરીશું તો તે વાત આવરી લઈશું. અત્યારે એટલું સમજવું જરૂરી કે ‘કોઈ ને બધી ખબર ન હોય, ઘણી ખબર હોઈ શકે

સાઈકિક શક્તિના અનેક પ્રકાર હોય, કદાચ 50થી પણ વધુ. તેમાંના જે મુખ્ય છે તેની ચર્ચા કરીશું. પહેલાં એ જોઈએ કે તે પ્રકાર ક્યા છે.

1) ક્લેયરવોયન્સ.

2) ક્લેયરએમ્પથી

3) કલેયરઓડિયન્સ

4) ક્લેયરગૅસ્ટન્સ

5) ક્લેયરકોગ્નિઝન્સ

6) ક્લેયરસેન્ટીનન્સ

7) ક્લેયરએલિયન્સ

8) ઓરા રીડિંગ

9) એનર્જી હીલિંગ

10) એસ્ટ્રાલ પ્રોજેકશન

11) ચેનલિંગ

12) પ્રિકોગ્નીશન

13) સાઈકિક સર્જરી

14) સાઈકોમેટ્રી

15) રીટ્રોકોગ્નીશન

16) ટેલિકાઈનેસીસ

17) સ્ક્રાઈંગ

18) ટેલીપથી

19) સાઈકોગ્રાફિ

20) આકાશિક રેકોર્ડ રીડિંગ

આ તમામ પ્રકારો બાદમાં વિગતે સમજીશું. આજે અહીં વિરામ લઈએ.

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

મા આજે નથી મરી – સ્વાતી સીલ્હર

“શું થયું? કોનો ફોન હતો?” સવારના સાત વાગવા આવેલા, ઘરમાં ઉગતા સૂરજના કેસરી રંગનો આછો અજવાસ પથરાયેલો, વારંવાર આગળ આવી રહેલા એના નીતરતા વાળને વ્યવસ્થિત કરતા રસોડાના દરવાજે ઉભેલા આકાશ તરફ એનું ધ્યાન ગયું અને એણે પૂછ્યું. આકાશ એની તરફ જોઈ રહ્યો, હાલ નાહીને નીકળેલી, એનો ગોરો સહેજ ભીનો દેહ અને ચહેરો કેસરી તડકામાં સોનેરી બની ગયેલા, એના ભીના વાળની લટો એના ચેહરા પર આવી રહેલી, હંમેશા એના હોઠો પર રમતું રહેતું સ્મિત આજે પણ મનમોહક લાગી રહેલું એ વિચારવા લાગ્યો કે “કેવી રીતે કેહવું? એ શું રીએક્ટ કરશે? હું એને સંભાળી શકીશ ખરો?” આકાશે કોઈ જવાબ ના આપતા અનન્યાએ ચા મગમાં ગાળતા ફરી પૂછ્યું “આકાશ શું વાત છે બોલોને, કોનો ફોન હતો સવાર સવારમાં?” આકાશ એના માસુમ ચહેરા તરફ જોઈ રહ્યો અને મનોમન બોલ્યો “મારે એને કહેવું તો પડશે જ ને” એ અનન્યાની નજીક ગયો અને કહ્યું “અનુ સુરતથી ફોન હતો, મમ્મી હવે નથી રહ્યા” અનન્યાના હાથ અટકી ગયા “માં!” અનન્યાના મોં માંથી સરી પડ્યું સાથે આંખોમાંથી ખારા પાણીની ધાર એના ગાલ પર સરકવા લાગી.

આકાશે એનો હાથ અનન્યાના ચહેરા પર ફેરવતા કહ્યું “અનુ હું સમજી શકું છું કે દુઃખ થાય પણ સંભાળ તારી જાતને, હું છું ને તારી સાથે, ચાલ આપણે અત્યારે જ નીકળવાનું છે” અનન્યાએ કમરમાં ખોસેલો સાડીનો છેડો કાઢ્યો પોતાની આંખો લુછી અને સ્વસ્થ અવાજે બોલી “હું ફટાફટ પેકિંગ કરી લઉં તમે ગાડી કાઢો” તેને બેગ કાઢી અને કબાટમાંથી પોતાના અને આકાશના ત્રણ ચાર જોડી કપડા ભરી લીધા ફ્રીજમાંથી પાણીની એક બોટલ સાથે લીધી અને ગાડી અમદાવાદથી સુરતના રસ્તા પર ચાલી પડી. અનન્યાની આંખમાં આંસુ નોહતા, ના એણે કોઈ આક્રંદ કરેલો પોતાની માં ના મુત્યુનો આટલો સહજ સ્વીકાર! આકાશને ખરેખર નવાઈ લાગી એને થયું અનુને માનસિક આઘાતતો નહી લાગ્યો હોય ને ગાડી ચલાવતા ચલાવતા અનન્યાનો હાથ પકડ્યો “અનુ, આર યુ ઓકે?” અને અનન્યાએ માત્ર “હા” કહી સીટ પર માથું નમાવી એ બારીની બહાર જોવા લાગી..

અનન્યાની આંખો રસ્તા પર સ્થિર થયેલી પણ એની નજરમાં માં નો ચેહરો તરવરી રહેલો છ મહિના પહેલા આવેલી ઘરે જ્યારે છેલ્લી વાર માં ને જોયેલી નિસ્તેજ ચેહરો, કોરી સુકી આંખો, એના ખાલી જીવન જેવું સાવ ખાલી મન, અને અશક્ત શરીર, જીવન જીવવાની આશક્તિ માં ના કોઈ પણ ખૂણેથી ડોકાતી નોહતી. છેલ્લી વાર મળી ત્યારે માં એ ખાસ વાતચીત પણ નોહતી કરી પહેલાતો પોતાને જોઈને માં કેવી ખુશ થઈ જતી. અનન્યાની આંખો અને મનમાં માં ની એક પછી એક યાદોના પાના ખુલવા લાગ્યા. હાઇવે પર આવતા ગાડીએ સ્પીડ પકડી અને અનન્યાના દિલ-દિમાગમાં માંની યાદોએ…

માં કપાળની વચ્ચે લાલ ચાંદલો કરતી, હાથમાં લાલ બંગડી, કાનમાં જુમ્મર વાળી કડીઓ, લાંબો ચોટલો, આંખોમાં કાજળ અને એની પહેરેલી ગુજરાતી સાડીનો લાંબો ઢળતો પાલવ,કોઈ અડેતો ડાઘ પડે એવો ગોરો એનો રંગ, માં ખુબ સુંદર લાગતી. દાદાએ એને પપ્પા માટે પસંદ કરેલી. મમ્મી સ્વભાવે સાવ સરળ,ચંચળ અને પ્રેમાળ એની સામે પપ્પા સાવ વિપરીત ઓછું બોલવું, ગરમ સ્વભાવ, સમયના ચુસ્ત, અને સહેજ પણ બાંધછોડ નહી. પપ્પાનુ ઘર પહેલેથી શ્રીમંત અને મોટા ઘરોમાંનું એક ગણાતું એટલે અહીના રીતભાત પણ અલગ ઘરમાં દાદા પછી પપ્પાનું એક હથ્થું શાસન. એમની મરજી મુજબ ઘરમાં બધાએ રહેવાનું ખાસ કરીને મમ્મીએ એજ કરવાનું જે પપ્પાને પસંદ હોય એમજ રેહવાનું જેમ પપ્પાને ગમે ઘરમાં ખાવાપીવાથી લઈ ઊંઘવા અને ઉઠવાના સમય પણ પપ્પા મુજબ સેટ થયેલા જો ક્યાય કોઈ ચૂક થાય તો પપ્પા આખું ઘર ગજાવી મુક્તા.

માંને લાલ રંગ ખુબ પ્રિય પણ માં લાલસાડી ક્યારેય નહોતી પહેરતી કારણ પપ્પા કેહતા કે લાલ રંગ તો મિડલકલાસ લોકો પહેરે. માંને મુવી જોવાનું પણ ખુબ ગમતું પણ પપ્પાને લાગતું કે એવા ડ્રામા જોઈને સમય અને મગજ ના વેડફાય એટલે ઘરમાં ક્યારેય મુવી ચાલતું નહી, ટીવી ચાલુ થાય ત્યારે માત્ર ન્યુઝચેનલ જ ચાલતી, પપ્પાને શાંત વાતાવરણ જ જોઇએ એટલે ઘરમાં ક્યારેય ટેપ કે રેડીઓ વાગતા નહી, માંનું શિડ્યુલ આખું પપ્પા મુજબ રહેતું, મમ્મીના પિયરમાં કોઈ પ્રસંગ હોય પણ પપ્પા રજા આપે તોજ જવાનું રહેતું. ઘરની બહાર પણ મમ્મી પપ્પા સાથે હોય ત્યારેજ જઈ શકતી, ઘરમાં પપ્પાનો પડ્યો બોલ જીલાતો, મમ્મીની તબિયત સારી હોય કે ના હોય પપ્પા કહે એટલે એમની સાથે બહાર જવું પડતું, માંએ એકવાર પપ્પાને પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહેલું કે મારે ગાડી શીખવી છે અને પપ્પાએ ના પાડેલી ઘરમાં ડ્રાઈવર છે અને બહારતો મારી સાથેજ આવવાનું છે ને તારે ગાડી શીખવાની કોઈ જરૂર નથી.

માંને મન શાસ્ત્રીય નૃત્ય ઈશ્વરની સાધના સમાન હતું, એણે આરંગેત્રમમાં મેડલ મેળવેલું. માં ની ઈચ્છા હતી કે એ બાળકોને શાસ્ત્રીય નૃત્ય અને સંગીત શીખવાડે પણ લગ્ન બાદ એની આ ઈચ્છા એણે મનમાં દાટી દીધી. પપ્પાને નાચવા ગાવાનું જરાયે પસંદ નહી એ કહેતા આં પગમાં ઘુંઘરું પહેરીને નાચવું સારા ઘરની સ્ત્રીઓને ના શોભે. હું અને માં નાનીના ઘરે જતા ત્યારે માં ક્યારેક પગમાં ઘુંઘરું પહેરી લેતી હું અને નાની એને જોયા કરતા માં જયારે નૃત્ય કરતી ત્યારે જાણે આજુબાજુનું બધુંજ ભૂલી પોતાનામાં તલીન્ન થઈ જતી. માં એકવાર નૃત્ય કરી રહેલી અને અચાનક પપ્પા આવી ચડ્યા એમણે આં જોયું અને બસ પછીતો અમારું નાનીના ઘરે જવાનું બંધ થઈ ગયું.

મમ્મીનો બધો સમય પપ્પાના અને ઘરના લોકોનો સમય સાચવવામાં જતો પણ પપ્પાના સમય માટે એ હમેશા તરસતી. પપ્પાના કામ પુરતી વાત કરવાના સ્વભાવને લીધે એ મમ્મી સાથે પણ ક્યારેય ખાસ વાતચીત કરતા નહી, વળી મમ્મીને કંઈ કેહવું હોય તો કેટલીયે વાર વિચારવું પડતું ક્યાંક નહી ગમે અને ગુસ્સે થઈ જશે તો? આટ આટલું કરવા છતાંય માંને કોઈને કોઈ વાતમાં સાંભળવું પડતું, માં ખુબ નિરાશ થઈ જતી. મનમાં થતું દુઃખ ઘણીવાર એની આંખોમાં ઉભરી આવતા જોયું છે મેં. પછી ધીરે ધીરે માની આંખો કોરી થવા લાગી અને મન પણ સાવ ખાલી થઈ ગયું સ્ત્રીની પોતાની ઈચ્છાઓ અને સપના હોય છે એ વાતતો માં ક્યારની ભૂલી ગયેલી. જેમ જેમ હું મોટી થવા લાગી માંને સમજવા લાગી પપ્પાની ગેરહાજરીમાં હું અને માં અમારી પોતાની અંગત ક્ષણો જીવી લેતા, એ થોડી ક્ષણો માટેજ પણ માં જાણે ફરી જીવી ઉઠતી. એના ચહેરા પરની ચમક પાછી આવતી, એનું હાસ્ય એના હોઠને મળવા આવતું અને ક્યારેક હસતા હસતા આંખો પણ ભીંજાઈ જતી, ક્યારેક લાગતું કે થોડી વાર માટે જાણે માનું ખાલી જીવન પણ ભરાઈ જતું, મારા લગ્ન બાદ માં સાવ એકલી પડી ગયેલી આખી જીંદગી એ પપ્પા મુજબ પપ્પા માટે જીવી પણ સરાહનાના પ્રેમના બે શબ્દો એમના મોઢે સાંભળવા એ હમેશા તરસતી રહી. નીરસ જીવન એને માત્ર દિવસો પસાર કરાવતું રહયુ.

ગાડીને બ્રેક લાગી, “અનુ, ઘર આવી ગયું” આકાશે અનન્યાનો હાથ હાથમાં લેતા કહ્યું. અનન્યાએ જોયું ભારે સંખ્યામાં લોકો ઘરની બહાર ઉભેલા હતા, એ ઘરમાં પ્રવેશી હોલમાં માં ને સુવડાવેલી લાલરંગનું પટોળું પહેરાવેલુ કપાળ પર લાલ ચાંદલો કરેલો એને લાલ કપડાથી ઢાંકેલી જાણે કેટલુંયે થાકીને નિરાંતે સુતી હોય એમ એનો ચહેરો શાંત હતો. પપ્પા એ પાસે આવી અનન્યાના માથે હાથ મુક્યો અને થીજેલા અવાજે કહ્યું “બેટા તારી માં ચાલી ગઈ આજે મરી ગઈ તારી માં” તેણે પપ્પા સામે જોયું “પપ્પા માં આજે નથી મરી, આજે તો તમને ખબર પડી, માં તો ક્યારની મરી ચૂકેલી” તેણે મક્કમ અવાજે કહ્યું અને પોતાની માં ને છેલ્લી વાર બાથ ભરી વળગી રહી…

( આ વાર્તા અરસપરસ મેગેઝિન દ્વારા યોજાયેલ વાર્તા સ્પર્ધામાંચતુર્થ નંબરે આવેલી )

સૌજન્ય : વાર્તા વિહાર વાર્તા સંગ્રહ પુસ્તકમાંથી

Categories: ટુંકી વાર્તા | Leave a comment

ક્રોધને યોગ્ય દિશા આપો (વ્હોટ્સએપ પરથી)

એક વકીલે કહેલ હૃદયસ્પર્શી કીસ્સો.

“રોજ મુજબ ઓફિસમાં બેઠો હતો… ત્યાં એક ખડતલ શરીર, ખુબજ શારીરિક શ્રમદાર ચહેરો., વધેલી દાઢી, મેલા કપડા, ઉમર લગભગ ૫૦-૫૫ સુધીની હાથમા ડોક્યુમેન્ટ્સ ભરેલી થેલી લઈને એક વડીલ કહો કે પક્ષકાર અથવા વકીલી ભાષામાં (મુવક્કીલ) આવીને કહેવા લાગ્યા…..,
આ લ્યો બધા પેપર્સ………..

” બધીજ જમીનો ઉપર સ્ટે. લાવવો છે……
હજુ કાંઈ પેપર્સ વગેરે જોઈતા હોય તો કહો,
અને ખર્ચો કેટલો થશે તે પણ કહી દો…

મેં તેમને બેસવાનુ કહ્યું,
તેઓ ખુરશી ઉપર બેઠા.

તેમના બધાજ પેપર્સ તપાસ્યા… તેમની પાસેથી ઘણી માહિતી પણ લીધી.. સમય કલાક-સવા કલાક જેવો થઈ ગયો……

મેં તેમને કહ્યું વડીલ મારે હજુ પણ પેપર્સ ની સ્ટડી કરવી પડશે..
માટે તમે એક કામ કરો, તમે હવે ૪ દીવસ પછી આવો. ત્યારે તમને કહીશ.

૪ દીવસ બાદ તે ભાઈ ફરી આવ્યા..
પહેલા જ જેવો અવતાર, ભાઈ બદલ તેમનો ગુસ્સો હજુ સમાયો ન હતો…..

મે તેમને બેસવાનો ઈશારો કર્યો…

પછી મેં જ બોલવાની શરૂઆત કરી…

“મે તમારા બધાજ પેપર્સ જોયા વાંચ્યા…

તમે બે ભાઈઓ અને એક બહેન,

માં-બાપ ની છત્ર છાયા તમે નાનપણમાં જ ગુમાવી…

તમારૂ શિક્ષણ ૯ મું પાસ

નાનો ભાઈ M.A. B.ed.

તમે ભાઈના શિક્ષણ માટે શાળા છોડી દીધી.

વનમાં પોતડી પહેરીને ઘણો પરિશ્રમ કર્યો.
કૂવાઓ ગાળવા માં પથ્થરો તોડ્યા…
બાપુઓના ખેતરોમાં કાંઈક એકરો શેરડીઓ વાઢી…

પણ ભાઈના શિક્ષણ માટે રૂપિયાની કમી પડવા ના દીધી..

એક વાર બેન ખેતરમાં ઢોર ચરાવતી હતી..
તમારો ભાઈ શાળા માંથી આવ્યો હતો…. અને કેમ કરીને તે ભેંસની પાસેથી પસાર થયો ને ભેંસે શીંગડું મારી દીધું હતું અને તે સંપૂર્ણ શરીરે લોહી-લુહાણ થઈ ગયો ત્યારે તમે તેને બીજા ગામડે ખભા ઉપર નાખીને દવાખાને લઇ ગયા હતા..

ત્યારે તમારી ઉંમર દેખાતી ન હતી….
ફક્ત માયા જ દેખાતી હતી….

હા, સાહેબ માં-બાપ પછી હું જ આમની મા અને હું જ આમનો બાપ… આવીજ મારી ભાવના હતી….

તમારો ભાઈ B.A. માં ગયો તમારું હૃદય ભરી આવ્યું હતું…… અને ફરી તમે તનતોડ ઉત્સાહ થી રાત દીવસ મહેનત કરવા લાગ્યા….

પણ અચાનક તેને કીડની નો દુખાવો શરૂ થઈ ગયો..

દવાખાનામાં દવાઓ કરી,
બહારનુ જે કાંઈ કરવાનુ હતું તે કર્યું….. જે કોઈ કહે તે કર્યું… ઘણી માનતાઓ રાખી…… પણ કાંઈ ફરક ના પડ્યો….. કીડનીમાં ઇન્ફેકશન થઈ ગયું હતું….
અંતે ડોક્ટરે કીડની કઢાવી નાખવાનું કીધું…,

તમે તેને કીડની દાન કરી
ને કહ્યું તને ઓફિસર બનીને ખૂબ ફરવું છે…
નોકરી કરવાની છે….
આપણા મા-બાપનું નામ ઉંચુ કરવાનું છે ભાઈ..
તને મારી કરતા વધારે કીડની ની જરૂર છે….

અમે તો વનવાસી વનમાં રહેનારા માણસો..અમને એક કીડની હોય તો પણ ચાલી જાય…

વકીલ સાહેબ:-
તમે તમારી ઘરવાળીનું પણ ન સાંભળીને કીડની દાન કરી….

ભાઈ M.A માં આવ્યો.
હોસ્ટેલમાં રહેવા ગયો..

વાર-તહેવારે…. ફરાળ, પકવાન વગેરે ટીફીન લઈને દેવા જતા…

ખેતરમાં થતા શીંગુના ઓળા, શેરડી અને કેસર કેરી વગેરે ઘરથી ૨૫કી.મી. દૂરસાઇકલ થી દેવા જતા….
પોતાના મોઢાનો કોળીયો પણ કાઢીને આપી દીધો.

જયારે ભાઈને નોકરી લાગી ત્યારે આખા ગામમાં હોંશે-હોંશે સાકર વહેંચી……

૩ વર્ષ પહેલાં ભાઈના લગ્ન થયા… એટલે એણેજ ગોતીને કર્યા… તમે ફક્ત ત્યાં હાજર હતા…. તો પણ

અભિમાનથી ગજ-ગજ છાતી ફુલાતી સમાતી નહતી……. હાશ….!!!

ભાઈને નોકરી મળી…
ભાઈના લગ્ન થઈ ગયા

હવે તમને અને બાયડી છોકરાવને સુખ ભોગવવાના દીવસો આવશે…

પણ…… પણ….. બધું ઉંધુ થઈ ગયું……….

લગ્ન થયા તે દીવસ થી ભાઈ એકેય વાર મોટા ભાઈના ઘરે ન આવ્યો…

ઘરે બોલાવીયે તો કહેતો આજે બાયડીને જબાન આપી છે… બહાર જવાનું છે.

ઘરમાં કોઈ દીવસ રૂપિયા પણ દેતો નહી….

પૈસાનુ પૂછીયે કે ભાઈ આજે છોકરાને ફી ભરવાની છે, તો કહેતો કે હમણાં હુ પોતે જ કરજ મા ડૂબેલો છુ…

ગયા વર્ષે અમદાવાદમાં ફ્લેટ લીધો…

ફ્લેટ વિશે પૂછ્યું તો કહેતો કે લોન થી લીધો છે….!!!!

બધુ કીધા પછી હું થોડીવાર થોભ્યો….

પછી બોલ્યો. …

હવે તમારૂ કહેવુ એ છે કે તેણે લીધેલી મિલકતો ઉપર સ્ટે. લેવાનો..????

તે ભાઈ તરતજ બોલ્યો
હા.. બરાબર….

મેં એક ઉંડો શ્વાશ લઈને ધીરેથી કહેવા લાગ્યો.

સ્ટે. લેવાશે…
ભાઈ એ ખરીદ કરેલી મિલકતોમાં પણ હિસ્સો મળશે…

પણ………….

તમે દીધેલી કીડની પાછી મળવાની નથી……

તમે ભાઈ માટે
લોહી-પાણી એક કરી નાખ્યાં તે પાછા મળવાના નથી….

તમે એની માટે તમારૂ આયુષ્ય ખર્ચી નાખ્યું ઈ મળવાનું નથી

અને મને લાગેછે કે આવા મોટા બલિદાનની સામે ફ્લેટની કિંમત જીરો છે…

એની નીતિ બદલાઈ ગઈ
એ એના રસ્તા ઉપર ગયો……..

તમે શા-માટે એના રસ્તે જવાની તૈયારી કરો છો… પ્લીઝ તમે એ રસ્તે ના જાવ…… ભાઈ..

અરે ઈ ભીખારી નીકળ્યો..
તમે દિલદાર હતા.. અને દિલાવર જ રહો…..

તમને કાંઈ પણ ઓછુ પડશે નહી…..!!!!

ઉલટાનું હું તમને કહું છું કે બાપ-દાદા ની મિલકત માંથી તમારા હિસ્સા માં ખેતી કરો ..
અને એનો જે હિસ્સો છે તે એમજ પડતર રહેવા દો….

કોર્ટ-કચેરી કરવા કરતા છોકરાવને ભણાવો…..,

ભણી-ગણી ને તમારો ભાઈ બગડી ગયો…..
એનો અર્થ એ નથી કે છોકરાવ પણ બગડી જાશે…, છોકરાવ નહી બગડે…..!!!!!

એમણે ૧૦-મિનીટ વિચાર કર્યો……
અંતે બધા પેપર્સ ડોક્યુમેન્ટ પાછા થેલીમાં નાખ્યા……,

આંખમા આવેલા આંસુ લૂછતાં- લૂછતા…કહ્યું
જાવ છું સાહેબ…..!!!!

આ વાતને ૫ વર્ષ વીતી ગયા…. પરમ દીવસે એજ માણસ અચાનક મારી ઓફિસે આવ્યો..

સાથે ગોરો અને ટામેટા જેવી લાલી ધરાવતો છોકરો હતો…
હાથમા કાઈ થેલી હતી
મે આવકાર આપીને કહ્યું બેસો……

તરતજ તેમણે કહ્યું…

બેસવા નથી આવ્યો સાહેબ

પેંડા દેવા આવ્યો છું…

આ મારો છોકરો …..
ન્યુઝીલેન્ડમાં છે ..

ગઈ કાલે જ આવ્યો છે
હવે ગામમાં જ ત્રણ માળનું ઘર છે..
૮ – ૯ એકર જમીન લીધી છે

સાહેબ તમે જ કીધું હતું ને કોર્ટ- કચેરીના માર્ગ માં ન જતા.

મે છોકરાના શિક્ષણ નો માર્ગ પકડ્યો ……!!!!!

મારી બંને આંખો છલકાઇ ગઈ…
ને હાથમાનો પેંડો
હાથમા જ રહી ગયો…*

ક્રોધ ને યોગ્ય દિશા આપો તો ફરી ક્રોધિત થવાનો સમય આવતો નથી….

Categories: ગમતાંનો ગુલાલ | Tags: , | Leave a comment

મારી તમને એક અરજ છે – સુરેશ દલાલ

બાઉલને મન આ ગીતસંગીત અને આ પ્રીત-સંગીત તદ્દન સહજ. કશો પ્રયત્ન નહીં કરવાનો. માછલી જળમાં તરે એટલી સ્વાભાવિકતાથી જીવવાનું. કોઈ બંધન નહીં. કશાયને વળગવાનું નહીં અને કશું પણ જકડવાનું નહીં.

ગીત ગાવું એ મને સહજ છે,
ભીતરની એ મારી ગરજ છે
મારી તમને એક અરજ છે:
ગીત ગાતાં મને રોકો નહીં

રંગ સુગંધ ને ફૂલનો વૈભવ:
ફૂલની એ જ નમાજ તારતારથી ઝરતી ભક્તિ:
વીણાનો એ જ મિજાજ ગાવું,
વહાવું એ મને સહજ છે,
જીવનની એ મારી ગરજ છે
મારી તમને એક અરજ છે:
ગીત ગાતાં મને રોકો નહીં

  • મદન (બાઉલ ગીત) અનુ. સુ. દ.

બંગાળને ને બાઉલને છુટા ન પાડી શકાય. બાઉલોની એક પરંપરા છે. ક્યાંય કશે જકડાય નહીં. સહજપણે જીવવું એ એમનો ધર્મ છે. મૂળ તો માર્મિક ભક્તો છે. ઓલિયા ફકીર જેવા. એમનો પરિચય એ રીતે આપે છે કે અમે તો પંખીની જાત, અમને રસ્તે ચાલતા આવડે નહીં. ગગનગામી એમની દ્રષ્ટિ છે. માનવપ્રેમ એ જ સારસર્વસ્વ. કોઈ ભેદભાવ નહીં. જયંતીલાલ આચાર્યે ‘બંગાળના બાઉલો’ નામનું એક નાનકડું પુસ્તક કર્યું છે. એના મૂળ લેખક ક્ષિતિમોહન સેન.

મદન મુસ્લિમ હતા. કંઠે જે આવે તે ગાતાં. જેના કંઠમાં ગીત ઊભરાતાં હોય અને કંઠ ઉપર આંગળો તો કેમ મુકાય? કવિ તો કહે છે કે ભાઈ મને મન મૂકીને ગાવા દો. ગીત એ જ મારું જીવન છે. એ જ મારી નમાજ. એ જ મારી પૂજા. એ જ મારી બંદગી. હું તો સૃષ્ટિમાં સર્વત્ર નમાજનો જ મિજાજ જોઉં છું. ફૂલોની રંગબહાર નમાજનો જ પ્રકાર છે. રાતના મહેકતો સુવાસિત અંધકાર પૂજાનો પ્રકાર છે. મારી વીણાના તારેતારમાં જે સંગીત ઝરે છે એ જ મારી ભક્તિ. અમે ક્યાંય સ્થિર નથી. અમે ક્યાંય સ્થાયી નથી. અમે તો હરતાફરતા માણસ. અમે તો રખડતારામ. અમે વહેતા રહીએ. અમે ચાલતા રહીએ. કાયમનો કોઈ વિસામો નહીં.

કબીર કહે છે એમ પાણી નિર્મળ છે, કારણ કે વહેતું રહે છે. જે પાણી વહેતું નથી એ ખાબોચિયું થાય છે અને ગંધાય છે. બાઉલને મન આ ગીતસંગીત અને આ પ્રીત-સંગીત તદ્દન સહજ. કશો પ્રયત્ન નહીં કરવાનો. માછલી જળમાં તરે એટલી સ્વાભાવિકતાથી જીવવાનું. કોઈ બંધન નહીં. પોતાની જ મસ્તીમાં મસ્ત. કશાયને વળગવાનું નહીં અને કશું પણ જકડવાનું નહીં. કોઈની સાહજિકતાને રોકવી એ પાપ છે. અધર્મ છે.

આના સંદર્ભમાં એક ગીત જોવા જેવું છે.

આવી કસૂર કળીને કહેવું કે
મ્હેક દૂર વહી જાય નહીં
જીવ મારા!
આવી કસૂર કદી થાય નહીં
ચંદાની ચાંદનીને ન્યાળીને ઊછળે છે
સાગરનાં ફાળભરી પાણી
આભમાં છવાયેલી ઘેઘૂર ઘટાને જોઈ
થનગનતી મોરલાની વાણી
પંચમી વસંતની ત્યાં કહેવું કોકિલને
કે કંઠની કટોરી છલકાય નહીં
જીવ મારા!
આવી કસૂર કદી થાય નહીં

સ્હેજે ના જાય સરી છેડલો,
રે એમ કરી અંગ અંગ ચપોચપ પ્હેરિયું
પણ વ્હેતા આ વાયરામાં ઊડ્યા વિના
તે રહે કેમ કરી ભાતીગળ લ્હેરિયું
પંખીની આંખ મહીં આખુંયે આભ
ત્યાં કહેવું કે ઊંચે ઉડાય નહીં
જીવ મારા! આવી કસૂર કદી થાય નહીં

  • હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

જીના ઈસીકા નામ હૈ |

( A beautiful story. Do not miss it. )

It was getting dark. Someone was calling from behind the locked iron gate. Wondering who it could be I came out. An elderly person was standing behind the gate. The clothes wrinkled and with a small bag in his hand he appeared to have travelled some distance coming here. Looking into a small piece of paper in his hands he enquired, “Isn’t this Anand, Number8, Yogananda Street, my son?” “Yes, I am Anand and this is the address. And you…”, I mumbled. Slightly shivering and moistening his dry lips with the tongue he replied, handing over the letter, “Babu, I am your father’s friend. I am coming from your village. Your father gave me this letter and advised that I seek help from you”.


Taking that letter from him, exclaiming “father?”, I eagerly read that letter. “Dear Anand, blessings to you. The person carrying this letter is my friend. His name is Ramayya. Works hard. A few days ago, his only son died in an accident. He is running around seeking compensation. That would help him and his wife to pull along with the other meagre income. I am sending the police reports after the accident, the compensation affidavits given by the Travel Agents and other relevant papers. He was told that the final payment may be collected in the Head Office. This is his first visit to Hyderabad and he is a stranger. I am hoping that you would be able to help him. Take care of your health. Visit us at your earliest convenience. Your loving father”.


Ramayyagaru was standing watching me. I thought for a moment and invited him inside. Giving him some water to drink, I enquired, “did you have anything to eat?”. He replied, “No, my son. As the journey got delayed, I ate the two fruits that I brought with me.”


Going inside I prepared four dosas and served them with pickles. Saying, “you please eat”, I went out and made a couple of calls and returned. When I returned, I found that he had finished the tiffin and was sitting with a few papers in his hand. There was a photo of his deceased son. The boy was handsome and young. May be 22 years. My eyes moistened.


“He is my only son. Those who were born before him died due to various other causes. He was the only one we have. Mahesh was his name. He studied well and got a job. Assuring us that he will take care of us and we would get over all hardships he took up the job. On the fateful day he was involved in a road accident while crossing the road. Died on the spot. Not wishing to take compensation in the name of the deceased son we were initially reluctant. But day by day, I am becoming weak and my wife too is not doing well. With your father’s insistence I came here. Saying my son will help, he sent me with this letter”, he concluded.
“Fine. It’s late now. Take rest”. Saying this I too slept.


Next morning, we got ready, had coffee at home and started. Finishing breakfast on the way, we reached the Office address mentioned in the documents. “Anand, I will take care of the rest. You attend to your office work” said Ramayyagaru. “No issue. I have taken leave for today”, I replied. Being with him I got the compensation paid to him. “Thank you, dear son. My wife is alone at home and I will go back home”, said the old man. “Come, I will drop you at the bus-stand and see you off.” I took him to the bus-stand, got him a ticket, bought a few fruits to eat on the way.


He said with joy in his eyes, he said, “Anandbabu, taking leave for my sake you helped me a lot. Soon after going home I will narrate everything to your father and thank him too.”


Smiling and holding his hands I explained, “I am not your friend’s son Anand. I am Aravind. You came to the wrong address. That Anand’s house is another 2 km away. You were already tired and I didn’t have the heart to tell you the truth. I called the number in your letter and enquired. His wife said that Anand had gone out of town on some work. I called your friend and told him too. He felt very sad. Once I assured him that I will take care he felt good. The loss you have suffered is irreparable. But I felt that I should help you. That I did it gives me greatest pleasure.” As the bus moved, holding my hands Ramayya left with tears of gratitude in his eyes. “God bless you, my child”, were his parting words. That is enough for me, I thought. My father passed away fifteen years earlier. Now looking at Ramayyagaru I felt my father has returned.


Looking up at the sky I thought my father must be somewhere there. “Dad, did you come in this form to check my progress in life! Sending me a letter, were you testing me whether I would help or not? Born to a great father like you, as a son I have performed by duty. Are you happy?”


Tears of joy flooded my eyes.

( Have an intention to help. Nature will work out the way. )
.🙏🙏🙏

Categories: ગમતાંનો ગુલાલ, ટુંકી વાર્તા, પ્રેરણા / પ્રોત્સાહન | Leave a comment

Blog at WordPress.com.