Daily Archives: 26/08/2014

ધ્યાનના પ્રયોગો (૩૪)

श्रीभगवानुवाच

શ્રી ભગવાન બોલ્યા :

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम्‌ ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥

भावार्थ : श्री भगवान बोले- हे महाबाहो! निःसंदेह मन चंचल और कठिनता से वश में होने वाला है। परन्तु हे कुंतीपुत्र अर्जुन! यह अभ्यास और वैराग्य से वश में होता है ॥35॥

હે મહાબાહો! આ મન ઘણું ચંચળ છે (તેમજ) મુશ્કેલીથી વશ થનારું છે, આ તારું કહેવું બિલકુલ બરાબર છે. છતા પણ હે કુન્તીપુત્ર! (એ) અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે.

असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः ।
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥

भावार्थ : जिसका मन वश में किया हुआ नहीं है, ऐसे पुरुष द्वारा योग दुष्प्राप्य है और वश में किए हुए मन वाले प्रयत्नशील पुरुष द्वारा साधन से उसका प्राप्त होना सहज है- यह मेरा मत है ॥36॥

જેનું મન સર્વથા વશમાં નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય (એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ) છે પરંતુ ઉપાયપૂર્વક પ્રયત્નશીલ માણસ દ્વારા (તથા) જેણે મનને વશ કર્યુ છે એવા સાધકને (યોગ) પ્રાપ્ત થઈ શકે છે, આવો મારો મત છે.

(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૩૫,૩૬)

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.