Daily Archives: 20/03/2014

વાત એકની એક પણ દૃષ્ટિકોણ અલગ

એક વિદ્યાર્થીએ પુછ્યું કે મને ૧૨મા ધોરણના છ વિષયો પાસ કરવા માટે સાત માર્કશીટની જરુર પડી આને શું કહેવાય?

બધાએ એકી અવાજે કહ્યું કે ’નિષ્ફળતાની કરુણ કહાની.’

તે વિદ્યાર્થીએ મૃદુ સ્મિત કરતાં કહ્યું કે ના હું તેને ’પુરુષાર્થની પ્રેરક ખુમારી’ તરીકે વર્ણવવાનું પસંદ કરીશ.

શું તમે પેલી ’કરતા જાળ કરોળીયો’ વાળી ઉક્તિ નથી સાંભળી?

જાળું બનાવતા બનાવતાં તે અનેક વખત ભોંયે પછડાયો પણ છેવટે જાળું બનાવીને જ રહ્યો. બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કર્યો તેવો આપણે સામાન્ય જીવનના સુખ સગવડો મેળવવા માટે ય ક્યાં કર્યો છે?

તો દોસ્તો, આ વાત યાદ રાખજો કે જ્યારે તમે નિષ્ફળ જાવ છો ત્યારે નાસીપાસ થઈને બેસી રહેશો તો તમારી સફર ત્યાં જ પુરી થઈ જશે પણ જો તમે ફરી પાછા પ્રયાસ કરશો, બેઠા થશો, ઉભા થશો અને ચાલવા લાગશો તો એક દિવસ મંઝીલે અવશ્ય પહોંચી જશો.


स्वाध्यायान्मा प्रमद:


Categories: ચિંતન, વ્યક્તિત્વ વિકાસ, શિક્ષણ | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.