Monthly Archives: March 2014

સુખીયા સબ સંસાર હૈ

સુખીયા સબ સંસાર હૈ
ખાયે ઔર સોયે
દુ:ખીયા કબીર દાસ હૈ
જાગે ઔર રોયે

કબીર પરમ તત્વને પામી ગયેલા સંત હતા. તેઓ સંસારીઓને જોતા અને વિચાર કરતાં કે વાહ બધા કેવા ખાય છે, પીવે છે અને જલસા કરે છે.

આ જોઈને કબીરજીને રડવું આવતું. કેટલાંક લોકોનું અરણ્ય રુદન હોય છે જ્યારે સંતોનું કારુણ્ય રુદન હોય છે.

અને તેમને દોહરો સ્ફુર્યો હશે કે:

ચલતી ચક્કી દેખકે, દીયા કબીરા રોય
દો પાટન કે બીચમેં, સાબુત બચા ન કોય

શંકરાચાર્યજી પણ કહે છે કે :

દિનમપિ રજની, સાયં પ્રાત:
શિશિર વંસતો પુનરાયાત
કાલ ક્રીડન્તિ ગચ્છતિ આયુ
તદપિ ન મુન્ચતિ આશાવાયુ
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે

ભગવદગીતા કહે છે કે :
યા નિશા સર્વ ભુતાનિ તસ્યાત જાગર્તિ સંયમિ

અને તેનો સરળ અનુવાદ કરતાં યોગેશ્વરજી સરળ ગીતા દ્વારા કહે છે કે :

વિષયોમાં ઉંઘે બધા, યોગી વિષય ઉદાસ
પ્રભુ પ્રકાશથી દૂર સહુ, યોગી પ્રભુની પાસ

આવા સંતો કે જેમને દુનિયાએ પાગલ ગણ્યાં તે જ ખરા અર્થમાં શાણા હતા અને જેમને આપણે દુન્યવી રીતે સફળ ગણીએ છીએ તેવા સીકંદરો જીવનભર રક્તપાત કરીને છેવટે ખાલી હાથે ચાલ્યા જાય છે.

Categories: ચિંતન | Tags: , | Leave a comment

“સાક્ષીભાવ” ની શ્રાવ્ય આવૃત્તિ

ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના આગામી વડાપ્રધાન પદના દાવેદાર શ્રી નરેન્દ્ર મોદી લીખીત “સાક્ષીભાવ” ની શ્રાવ્ય આવૃત્તિ સાંભળવા માટે ક્લિક કરો.


નોંધ: આ બ્લોગ પર ઈશ્વર સીવાય કોઈની ભક્તિ કરવામાં આવતી નથી જો કે મનુષ્યોમાં રહેલા સારા નરસાં પાસાને ઉજાગર કરવાનો અહીં કોઈ છોછ નથી.


Categories: ચિંતન | Tags: , , , , | Leave a comment

સત્ય કડવું કે મીઠું?

સત્ય તો હંમેશા સત્ય હોય છે. જો વ્યક્તિની પોતાની માન્યતા પ્રમાણેનું  હોય તો તેને તે મીઠું લાગે છે અને પોતાની માન્યતાથી વિરુદ્ધ હોય તો તેને કડવું લાગે છે.

સત્યમાં  કડવાશ કે મીઠાશ હોતી નથી માત્ર આપણી માન્યતાને આધારે આપણે તેને કડવું કે મીઠું બનાવી દઈએ છીએ.

Categories: ચિંતન | Tags: , , , | 1 Comment

હંસ: માનસરોવરની યાત્રાએ…

હંસ: માનસરોવરની યાત્રાએ...

હંસ: માનસરોવરની યાત્રાએ…


પૃષ્ઠ સંખ્યા: 138
File Size: 9.75 MB


Categories: અધ્યાત્મ / યોગ, eBook | Tags: , , , | Leave a comment

વાત એકની એક પણ દૃષ્ટિકોણ અલગ

એક વિદ્યાર્થીએ પુછ્યું કે મને ૧૨મા ધોરણના છ વિષયો પાસ કરવા માટે સાત માર્કશીટની જરુર પડી આને શું કહેવાય?

બધાએ એકી અવાજે કહ્યું કે ’નિષ્ફળતાની કરુણ કહાની.’

તે વિદ્યાર્થીએ મૃદુ સ્મિત કરતાં કહ્યું કે ના હું તેને ’પુરુષાર્થની પ્રેરક ખુમારી’ તરીકે વર્ણવવાનું પસંદ કરીશ.

શું તમે પેલી ’કરતા જાળ કરોળીયો’ વાળી ઉક્તિ નથી સાંભળી?

જાળું બનાવતા બનાવતાં તે અનેક વખત ભોંયે પછડાયો પણ છેવટે જાળું બનાવીને જ રહ્યો. બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કર્યો તેવો આપણે સામાન્ય જીવનના સુખ સગવડો મેળવવા માટે ય ક્યાં કર્યો છે?

તો દોસ્તો, આ વાત યાદ રાખજો કે જ્યારે તમે નિષ્ફળ જાવ છો ત્યારે નાસીપાસ થઈને બેસી રહેશો તો તમારી સફર ત્યાં જ પુરી થઈ જશે પણ જો તમે ફરી પાછા પ્રયાસ કરશો, બેઠા થશો, ઉભા થશો અને ચાલવા લાગશો તો એક દિવસ મંઝીલે અવશ્ય પહોંચી જશો.


स्वाध्यायान्मा प्रमद:


Categories: ચિંતન, વ્યક્તિત્વ વિકાસ, શિક્ષણ | Tags: , , | Leave a comment

આ બ્લોગના વાચકો જોગ એક સુચના

મિત્રો,

આ બ્લોગ પર વિચિત્ર જોડણીમાં લખવામાં આવે છે તેની સહુ વાચકોએ નોંધ લેવી.

મારી માન્યતા પ્રમાણે વિચિત્ર જોડણી જ સર્વશ્રેષ્ઠ જોડણી છે અને તેને કોઈની માન્યતાની જરુર એટલા માટે નથી કારણકે મોટા મોટા સાહિત્યકારો વાર તહેવારે વિચિત્ર જોડણીમાં લખતાં જ હોય છે.

Categories: અવનવું | Tags: , | Leave a comment

આમાંથી એક્કેય e-Bookનો રંગ તમને લાગ્યો?

તું રંગાઈ જાને રંગમા..

તું રંગાઈ જાને રંગમા..


13 e-Book નો સંપુટ
કુલ પૃષ્ઠ સંખ્યા : 849
File Size: 6.29 MB


આ PDF ને તમારા કોમ્પ્યુટરમાં Download કર્યા પછી જે પુસ્તકના નામ પર Double Click કરશો તે e-Book ખુલશે.


Categories: eBook | Tags: , , , | Leave a comment

જન્મદિવસના વધામણા

ચૈતન્ય મહાપ્રભુનો જન્મ દિવસ (દોલ પુર્ણિમા)

Categories: ઊજવણી, જન્મદિવસ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , | Leave a comment

હેલન કેલરની આત્મકથા

હેલન કેલરની આત્મકથા

કુદરતે પોતાના માર્ગમાં મૂકેલી બધી ય આડખીલીને હટાવીને કે બીજી રીતે પાર કરીને વિકાસની શક્ય એવી સીમા આંબવી એ માનવીની સિદ્ધિ છે તો સાથે સાથે એ જ, એના માટેનો પુરુષાર્થ એ જ, માનવીનું પરમ સૌભાગ્ય પણ હોય છે. એ પુરુષાર્થનો ખરો આનંદ એ પરમ લક્ષ્યે પહોંચવા કરતાંય એ પંથે હસતે મોંએ, ઉલ્લાસભર્યા દિલે, આપત્તિઓ સહી લેતાં, વાવંટોળ અને ખાડાટેકરા સહુને ખમી લેતાં આગળ અને આગળ જવામાં છે.

હેલન કેલરની જીવનકથા એ પુરુષાર્થમાં શ્રદ્ધા પ્રેરે એવી કથા છે. સિંહ સાથે બાથ ભીડવાનું જાહેર કર્યા પછી સિંહ હાડમાંસને બદલે ઘાસનો ભરેલો હોવો જોઈએ, સિંહના પંજામાં નહોર ન હોવા જોઈએ, સિંહના મોંમાં દાંત ન હોવા જોઈએ, એવું કહેનાર માગનારની એ પુરુષાર્થકથા નથી. જીવનને જીવનરૂપે જ યથાર્થ જોઈ-જાણીને પણ આત્મવિકાસ માટે સતત યત્નશીલ રહીને મક્સદે પહોંચનારની એ કથા છે.

માત્ર હેલન કેલરને અપંગ કહેવામાં સાથ આપવામાં દિલ ના પાડે છે. વાયુમંડળમાંથી શ્વાસ લઈને, હવાને સૂંઘીને જ, આવતી વસંતના વધામણાં કરવા નીકળી પડનારને અપંગ કેમ કરીને કહેવાય? કુદરતની અર્થહીન ફાંટાબાજી, યથાર્થતાનો અંચળો, ’છે’ના ગુમાનને ઢાંકતો હોય અને ’નથી’ એમ આંગળી ચિંધતો હોય, એવું એમાં લાગે છે. અને એટલું ખટકે છે.


પૃષ્ઠ સંખ્યા: 175
File Size: 15.5 MB


Categories: eBook | Tags: , | 10 Comments

જીવન ઘડતરની કળા – સ્વામી જગદાત્માનંદ

This slideshow requires JavaScript.


પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન


પૃષ્ઠ સંખ્યા: 217
File Size: 15.8 MB


Categories: પ્રેરણાદાયી સાહિત્ય, વ્યક્તિત્વ વિકાસ, શ્રી રામકૃષ્ણ મીશન, eBook | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.