મિત્રો,
ઈ.સ.૨૦૧૩ પૂર્ણ થયું. ગયા વર્ષનો મુખ્ય આદર્શ હતો સ્વ-સ્થિતિ એટલે સ્વસ્થતા.
આજથી શરુ થતા ઈ.સ.૨૦૧૪નું સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આ વર્ષની મુખ્ય વિચારધારા સદાચાર સ્તોત્રના ૧૪મા શ્લોક મુજબની રહેશે.
મૌનં સ્વાધ્યાયો ધ્યાનં ધ્યેયબ્રહ્માનુચિન્તનમ |
જ્ઞાનેનેતિ તયો: સમ્યગ્નિષેધાન્તપ્રદર્શનમ || ૧૪ ||
શ્લોકાર્થ:
મૌન સ્વાધ્યાય છે, ધ્યાન કરવા યોગ્ય બ્રહ્મનું વારંવાર ચિંતન ધ્યાન છે, ને જ્ઞાન વડે તે બંનેના યથાર્થ નિષેધના અવધિનો સાક્ષાત્કાર છે.
ટીકા:
વાણીનો નિરોધ સેવવો વા તૂષ્ણીંભાવને પામવું એ શાસ્ત્રનું સાર્થ અધ્યયન છે. ધ્યાન કરવા યોગ્ય પરમ તત્વમાં વારંવાર પોતાના મનને જોડવું એ ધ્યાન છે, અને પરમ તત્વના અનુભવ વડે યોગીને વાણીના તથા મનના વા મૌનના તથા ધ્યાનના યથાર્થ નિષેધના અવધિરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.