જ્ઞાનેનેતિ તયો: સમ્યગ્નિષેધાન્તપ્રદર્શનમ

મિત્રો,

ઈ.સ.૨૦૧૩ પૂર્ણ થયું. ગયા વર્ષનો મુખ્ય આદર્શ હતો સ્વ-સ્થિતિ એટલે સ્વસ્થતા.

આજથી શરુ થતા ઈ.સ.૨૦૧૪નું સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આ વર્ષની મુખ્ય વિચારધારા સદાચાર સ્તોત્રના ૧૪મા શ્લોક મુજબની રહેશે.

મૌનં સ્વાધ્યાયો ધ્યાનં ધ્યેયબ્રહ્માનુચિન્તનમ |
જ્ઞાનેનેતિ તયો: સમ્યગ્નિષેધાન્તપ્રદર્શનમ || ૧૪ ||

શ્લોકાર્થ:

મૌન સ્વાધ્યાય છે, ધ્યાન કરવા યોગ્ય બ્રહ્મનું વારંવાર ચિંતન ધ્યાન છે, ને જ્ઞાન વડે તે બંનેના યથાર્થ નિષેધના અવધિનો સાક્ષાત્કાર છે.

ટીકા:

વાણીનો નિરોધ સેવવો વા તૂષ્ણીંભાવને પામવું એ શાસ્ત્રનું સાર્થ અધ્યયન છે. ધ્યાન કરવા યોગ્ય પરમ તત્વમાં વારંવાર પોતાના મનને જોડવું એ ધ્યાન છે, અને પરમ તત્વના અનુભવ વડે યોગીને વાણીના તથા મનના વા મૌનના તથા ધ્યાનના યથાર્થ નિષેધના અવધિરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ચિંતન, મૌન, સદાચાર સ્તોત્ર, સાધના | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: