મિત્રો,
અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.
નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ
કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.
તેમાં કુલ ૫૧ ફકરા છે.
આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૯૧ થી ૧૧૪ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.
૯૧ થી ૧૦૫. અસમાનતા અન્યાયપૂર્વક ઠોકી બેસાડીને રાષ્ટ્રને અર્થશાસ્ત્રએ ઈજાગ્રસ્ત બનાવી દીધું છે.
૧૦૬. વર્ગસંઘર્ષનાં મૂળ વ્યાપારી અર્થશાસ્ત્ર સંપત્તિની અસમાનતાથી સર્જે છે.
૧૦૭ થી ૧૧૦. વર્ગસંઘર્ષમાં અન્યની સંપત્તિ પર અધિકાર આપનાર વ્યાપારીના નફાની સંપત્તિ વડે સરજાતી અસમાનતા રહેલી છે. તે રાષ્ટ્રમાં વાસ્તવિક ઉત્પાદન ઘટાડનાર નીવડે છે. એથી કુલ સામાજિક વાસ્તવિક સંપત્તિ ઘટે છે. એ સામાજિક નુકસાન છે અને ન્યાયનો ભંગ છે.
૧૧૧. બીજાને ગરીબ બનાવી ધનવાન બનવાની આજના અર્થશાસ્ત્રની રીત વડે સમાજમાં કુલ સંપત્તિ ઘટે છે. જ્યારે ન્યાયપૂર્વક વર્તન વડે કુલ સંપત્તિ વધે તે આ અર્થશાસ્ત્ર બતાવતું નથી, એ તેની ભૂલ છે.
૧૧૨ થી ૧૧૪. સામાજિક ન્યાયના ભોગે વ્યક્તિગત લાભ રાષ્ટ્રીય હિતમાં નથી.
પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.