મિત્રો,
અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.
નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ
કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.
તેમાં કુલ ૫૧ ફકરા છે.
આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૮૪ થી ૯૦ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.
૮૪. ધનસંગ્રહ વડે અલ્પહસ્તકના વ્યક્તિગત સમૃદ્ધિ અને રાષ્ટ્રની ગરીબીનું શાસ્ત્ર વાણિજ્ય અર્થશાસ્ત્ર છે.
૮૫. અન્યની મજૂરી પર હક્ક ને હુકમની આર્થિક સત્તા એટલે નાણું.
૮૬, ૮૭. સંપત્તિ અન્યના શ્રમ પર હક્ક-જોહુકમી આપી શકે તેમ ન હોય તો તે વાણિજ્ય અર્થશાસ્ત્રના સિદ્ધાંત માટે નકામી છે.
૮૮. તે અર્થશાસ્ત્ર અન્યનાં કામ પર સત્તાની મુન્સફી ચલાવી શકાય તે માટે રાષ્ટ્રમાં જેમ ગરીબ લોકોની સંખ્યા વધુ તેમ તે સારું ગણશે.
૮૯. પાસે પૈસો હોવાથી પૈસાદાર બની જવાતું નથી.
૯૦. રાષ્ટ્ર માટે અસમાનતા હિતમાં છે એમ અર્થશાસ્ત્ર કહે છે.
પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.