મિત્રો,
અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.
નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ
કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.
તેમાં કુલ ૫૧ ફકરા છે.
આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૭૬ થી ૮૩ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.
૭૬ થી ૭૯ : વાણિજ્ય અર્થશાસ્ત્રના નિયમો અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખાવીને ન્યાય અને નીતિ સાથે સંબંધરહિત, મનોવૈજ્ઞાનિક તથ્ય વિના રજૂ કરે છે.
૮૦ : અર્થશાસ્ત્રની ધનવાન બનવાની કલા બીજાને ગરીબ બનાવી રાખનાર નીવડે છે.
૮૧ : સમાજ જેમ વધુ ને વધુ ગરીબ બને તેમ ધનવાનની સંપત્તિનું મૂલ્ય વધુ થાય. અને આવી સંપત્તિ કારખાનેદાર માલિકનો અલ્પ સંખ્ય સમુદાય આખા રાષ્ટ્રના સમાજને ભોગે કેમ એકઠી કરી શકે, તે વાણિજ્ય અર્થશાસ્ત્ર શીખવે છે.
૮૨ : રાષ્ટ્ર માટે રાજનૈતિક અને વ્યક્તિ માટે વાણિજ્ય-વેપાર વિશેનાં બે અલગ ક્ષેત્ર ધરાવનાર અર્થશાસ્ત્રમાં ભેદ છે.
૮૩ : રાષ્ટ્રીય સુખાકારીનાં હિતનું શાસ્ત્ર રાજનૈતિક અર્થશાસ્ત્ર છે.
પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.