Daily Archives: 24/02/2013

નિત્ય અને લીલા

પ્રભુને ઘણીએ વાર થાય
બધીએ લીલા સંકેલી
નિત્યમાં સ્થિત થઈ જાઉ
અને ત્યાં તો
કોઈ મીરા, નરસિંહ, કબીર, પ્રહલાદ, શબરી
નામી અનામી કોઈ ભક્તનો પોકાર સાંભળીને
વ્હાલો
ફરી પાછો
દોડી આવે
લીલાસ્વરુપે.

નિત્ય કહો કે લીલા કહો
જીવભાવનાને સારુ હરિના વેશ ઝાઝા
તત્વ તો
એકનું એક.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

Blog at WordPress.com.