મીત્રો,
૨૧મી સદીના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વધુને વધુ ભૌતિકવાદી અને બહીર્મુખી થતી પ્રજા યોગથી વિમુખ થઈ રહી હોય તેવે વખતે સ્વાભાવિક છે કે તેમને સાંપ્રત સમયમાં થયેલા અને થઈ રહેલા યોગીઓ વિશે માહિતિ ન હોય. સૃષ્ટિના આરંભની સાથે જ યોગવિદ્યા અને યોગીઓ અસ્તિત્વ ધરાવે છે. આપણાં ભારત વર્ષના એક મહાન યોગી શ્રી યોગેશ્વરજી તાજેતરમાં જ ૨૦મી સદીમાં થઈ ગયાં. ૨૦મી સદીના અંત સુધી તેઓ આપણી વચ્ચે કાર્યરત રહીને અનેક પ્રકારની યોગ સાધના કરતાં રહ્યાં. તેમની યોગ સાધનાના અનુભવો તેમણે તેમના જીવન ચરિત્ર ’પ્રકાશના પંથે’માં આલેખ્યાં છે. યોગમાર્ગના જીજ્ઞાસુઓને તેમનું જીવન ચરિત્ર વાંચવું જરુર ગમશે.
અહીં તેમના પુસ્તક ’પ્રકાશના પંથે’ની અનુક્રમણિકા આપેલ છે.
નીચેની લિંક પરથી આપ મુળ પુસ્તક તથા તેમણે લખેલા અન્ય પુસ્તકો ડાઉનલોડ કરી શકશો.
આ પુસ્તક વાંચ્યા પછી આપની યોગ પ્રત્યે જીજ્ઞાસા વધે અને યોગ માર્ગે આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ.